Tuesday, May 24, 2011

TET full information


evry 1 want 2 know about Teacher agibility test 2011 in gujarat.
here i added link there is full information about TET exam for Bed, PTC student
so plz go and take information about waht is TET 2011?, which type of question will b  come in exam?, which type of preparation will we do? totally information there........................................................................

BEST OF LUCK
for TET information click here 

Tuesday, May 3, 2011

my action research post video


after a long research, evolution, debats, there is a good prayer progremm made in my school .
if u want to watch this video so plz
click here to watch

and enjoy it ..

Monday, May 2, 2011

my action research pre video


swarnim sandhya


namste mitro...
amari school ma varshikotsva nimite swarnim sandhya 2011 karyakram yojai gayo tena photographs ahi mukela plz visit and do best

swarnim sandhya 2011 photographs here

Sunday, May 1, 2011

એક વાત





[1] વિકટ પરિસ્થિતિમાંથી બેઠા થવું



બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે એક વાર કહ્યું હતું : ‘દુ:ખ-તકલીફો-કલેશ જીવનમાં અનિવાર્યપણે આવે જ છે. એને તમારા પર કેટલું હાવિ થવા દેવું એ તમારા હાથમાં છે. એમણે આગળ વાત કરતાં એમ પણ કહ્યું કે તમને શારીરિક ઈજા થાય, તમારી પાસે ખાવાનું ન હોય કે તમારું ઘર આગમાં સળગી ગયું હોય તો તમે ખરેખર મુશ્કેલીમાં છો. એ સિવાયની તમામ તકલીફો માત્ર અગવડતાથી વિશેષ કશું જ નથી.’ ચર્ચિલની આ વાત માણસના જીવનમાં આવતી કટોકટીભરી કે વિપરીત સંજોગોવાળી પરિસ્થિતિ – ક્રાઈસિસ – ના સંદર્ભમાં સમજવા જેવી છે.



ક્રાઈસિસ ગમે ત્યારે આવી શકે છે. એક તબક્કે આખું જીવન સડસડાટ, કોઈ અડચણ વિના ચાલતું હોય અને બીજી જ મિનિટે કોઈ એવી માઠી ઘટના બને કે સુરક્ષિત જિંદગીનો ગઢ તૂટવા લાગે. જીવનને ફિલસૂફીના દષ્તિકોણથી જોતા લોકો તો કહેતા જ આવ્યા છે કે માનવજીવનમાં અંગત સ્તરે કે બાહ્ય સ્તરે કશું જ સ્થાયી નથી. તેમ છતાં કેટલીક ક્રાઈસિસ વાસ્તવિક હોય છે, કેટલીક માનવમનની પ્રતિક્રિયાઓને લીધે ઊભી થતી હોય છે. નાની કે મોટી જાતસર્જિત, માનવસર્જિત કે કુદરતી આપત્તિ વખતે માણસ એનો સામનો કેવી રીતે કરે છે એના પર બધો આધાર રહે છે. ઘણા લોકો એમના સ્વભાવને કારણે નાનામાં નાની અગવડને જીવનમરણના પ્રશ્ન જેવડી મોટી કરીને જુએ છે અને બેહાલ થઈ ગયા જેવી અકળામણ અનુભવે છે. જ્યારે કેટલાક લોકો ખૂબ વિકટ પરિસ્થિતિમાં પણ ધીરજ ગુમાવતા નથી અને એને સાચા અર્થમાં – યોગ્ય પરિમાણમાં સમજવાનો પ્રયત્ન કરે છે. નબળા માનસવાળા લોકો જલદી ભાંગી પડે છે, આંતરિક વિત્તવાળા લોકો રાખમાંથી બેઠા થાય છે.

એક સ્ત્રીના જીવનમાં બનેલી ઘટના જોઈએ. સગવડતા ખાતર એનું નામ કમળા રાખીએ. કમળાના પતિએ ખૂબ મહેનત કરીને એક ફેક્ટરી નાખી હતી. એનો ધંધો જામવા લાગ્યો હતો. લાંબા સંઘર્ષ પછી એમનું જીવન સ્થિર થવા લાગ્યું હતું. એ જ વખતે ખબર પડી કે પતિને કૅન્સર છે. કમળા ઉપર આભ તૂટી પડ્યું. પતિની જીવલેણ બીમારી, એણે માંડ જમાવેલા ધંધાની અને કુટુંબની જવાબદારીથી કમળા ઘેરાઈ ગઈ. આ બધી વિપત્તિઓ ઓછી હોય એમ કમળાની કારને અકસ્માત થયો. નસીબજોગે એને ઈજા થઈ નહીં. આવી ચારેકોરના પડકારોની સામે કમળાનું અત્યાર સુધી સુષુપ્ત રહેલું વિત્ત પૂરી તાકાત સાથે પ્રગટ્યું. એણે કોઈ પણ બાબતમાંથી આશા ગુમાવી નહીં, જાતને પણ તૂટવા દીધી નહીં. જરૂરી આયોજનો કર્યાં, કુટુંબીજનો અને મિત્રોની મદદ મેળવી અને થોડાં વર્ષો પછી એનું જીવન ફરીથી સમથળ થઈ ગયું. એ સ્ત્રી કહે છે : ‘મેં માનસિક સ્વસ્થતા ગુમાવી નહીં, શિસ્તબદ્ધ આયોજન કર્યું અને મારી અંદર આશાવાદને ટકાવી રાખ્યો. મારા ઉપર દુ:ખના ડુંગર એકસામટા તૂટી પડ્યા ત્યારે જ મને ખબર પડી કે હું અંદરથી કેટલી બધી મજબૂત છું. મારો પતિ જે સ્વસ્થતાથી કૅન્સરનો સામનો કરી રહ્યો હતો એ જોઈને મને પ્રેરણા મળી હતી.’



ક્રાઈસિસ વખતે કમળા જેવી તાકાત બધાએ બતાવવી જોઈએ. એ માટે સૌથી વિશેષ જરૂરી હોય છે સકારાત્મક અભિગમની. નકારાત્મક અને હતાશા જન્માવે એવા વિચારો માણસ સામેના બધા જ વિકલ્પોને બંધ કરી નાખે છે. કેવિન એલ. પોલ્ક નામના માનસશાસ્ત્રી કહે છે : ‘સકારાત્મક વિચારો નવા દરવાજા ખોલી આપે છે. જો તમે સ્વસ્થ ચિત્તે વિચાર કરી શકો તો ગમે તેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરી શકો છો.’ બીજી આવશ્યકતા છે તમારી સામે ઊભી થયેલી સમસ્યાને પૂરેપૂરી સમજો. જે બન્યું છે તે વાસ્તવમાં કેટલું ગંભીર છે અને તેના કારણે ખરેખર કેવા પ્રકારનો ભય ઊભો થયો છે તે સમજી લેવું જોઈએ. કાલ્પનિક અને અતિશયોક્તિભર્યો ભય માણસની વિચારશક્તિને ધૂંધળી બનાવી દે છે. ઊભી થયેલી વિકટ પરિસ્થિતિથી તમને થઈ રહેલા દુ:ખને બરાબર સમજો અને એને છુપાવો નહીં. બદલાયેલી પરિસ્થિતિમાં પણ શક્ય તેટલી હદ સુધી જીવનના નિત્યક્રમને જાળવી રાખવો જોઈએ. તમારો ટ્રેક સાચવી રાખવો જરૂરી છે. દુ:ખમાંથી પસાર થવાથી જ એમાંથી છુટકારો મળે છે. જાતને એક વાતની સતત યાદ અપાવતા રહેવું જોઈએ કે ક્રાઈસિસ માત્ર તમારા એકલાના જીવનમાં જ આવી નથી. બીજા અસંખ્ય લોકોના જીવનમાં પણ તમારાથી ખરાબ સમસ્યાઓ આવી છે. જરૂર પડે તો સમજદાર મિત્રો પરિવારજનોની મદદ લેતાં પણ ખચકાવું જોઈએ નહીં.



જરૂર છે યોગ્ય સમયે, યોગ્ય વિચાર કરીને લીધેલા નિર્ણયની. એક જાપાની કહેવત છે કે સક્રિય થયા વિના માત્ર વિચારો જ કરતા રહેવું એ દિવાસ્વપ્નો જેવું છે, પણ પૂરતો વિચાર કર્યા વિના લીધેલાં પગલાં દુ:સ્વપ્નો બની જાય છે.



[2] વાર્તાઓ કહેવી અને સાંભળવી



બાળકોને વાર્તા સાંભળવી બહુ ગમે છે. એમને વાર્તામાં મજા આવે છે માત્ર એ જ કારણસર નહીં, પણ એમના વ્યક્તિત્વના વિકાસ માટે પણ વાર્તાઓ ઘણી લાભદાયક નીવડે છે, આજના જમાનામાં તો ખાસ. અત્યારે ટેલિવિઝન, કોમિક બુક્સ, વીડિયો ગેમ્સ, સિનેમા જેવાં બાળકોના આકર્ષણનું કેન્દ્ર બને એવાં અનેક માધ્યમો સહેલાઈથી ઉપલબ્ધ છે. એના થોડાઘણા લાભ હશે, પણ મોટા ભાગે જે રીતે એ માધ્યમોનો બેદરકારીથી ઉપયોગ કરવામાં આવે છે એનાથી ગેરલાભ થવાની શક્યતાઓ ઘણી વધી ગઈ છે.



બાળમાનસના અભ્યાસીઓ કહે છે તેમ બાળકોની કલ્પનાશક્તિ વધે છે તેવી પ્રવૃત્તિઓની એમને ખાસ જરૂર રહે છે. બાળવાર્તાઓ એ જરૂરિયાતને સંતોષે છે. રસપ્રદ-બોધપ્રદ વાર્તાઓમાંથી બાળકોમાં અજાણતાં જ – સહજ રીતે – સંસ્કારનું ઘડતર થાય છે. આજના અતિવ્યસ્ત જમાનામાં માબાપ એમનાં સંતાનોને દરરોજ એક વાર્તા કહેવાનો નિયમ રાખે તો બાળકો અને માતાપિતા વચ્ચે ખુલ્લા દિલે વાતો કરવાનું વાતાવરણ રચાય છે. કાલ્પનિક કથાઓ ઉપરાંત વડીલો એમના જીવનમાં બનેલી જાતજાતની સાચી ઘટનાઓ વિશે પણ વાર્તારસ જાળવીને બાળકોને કહે તો બાળકમાં એક પ્રકારે પોતાના કુટુંબ સાથે જોડાવાની તક મળે છે. એક બાળક ઝાડ ઉપર ચડતાં પડી ગયું, એને વાગ્યું તો હતું પણ માબાપે એના ઉપર કરેલા ગુસ્સાને લીધે એની ચામડી જેટલી છોલાઈ હતી એથી વધારે એનું મન છોલાયું હતું ! એવી જ એક બીજી ઘટનામાં બાળક તોફાન કરતાં કરતાં પડી ગયું ત્યારે એની દાદીએ એને પોતાના શાળાજીવન દરમિયાન બનેલો પ્રસંગ કહ્યો. દાદી જ્યારે નવદસ વર્ષની હતી ત્યારે શાળાના ચોગાનમાં આવેલા ઝાડ ઉપર ચઢી ગઈ હતી. ત્યાંથી નીચે ઊતરવા માટે ભૂસકો મારવા ગઈ અને એનું ફ્રોક ઝાડની ડાળીમાં ફસાઈ ગયું ત્યારે એ કેવી ઊંધા માથે લટકવા લાગી હતી એ પ્રસંગ સાંભળીને સાથે બેઠેલું બાળક ખડખડાટ હસવા લાગ્યું હતું. એની સામે બેઠેલી ધોળા વાળવાળી વૃદ્ધ દાદી કોઈ સમયે નાનકડી બાળકી હોય અને એ ડાળીમાં લટકવા લાગી હશે એ ચિત્ર જ એને પ્રસન્ન કરી ગયું હતું. પછી દાદીએ ધીરેથી ઉમેર્યું : ‘તે દી’ની ઘડી ને આજનો દિવસ, મેં કોઈ વાર વાગી જાય એવું તોફાન કર્યું નથી.’ મા-બાપ અને દાદાદાદી પોતે જ્યારે નાનાં હતાં ત્યારે એમનાથી પણ ભૂલો થઈ હતી એવા પ્રસંગોની વાતો કરે તો બાળકોમાં એમની ભૂલો માટે નકારાત્મક અપરાધભાવ જાગતો નથી, પણ સાહજિક સમજ વિકસે છે.



સામાન્ય રીતે વડીલો વાર્તા કહે અને બાળકો એ સાંભળે છે. એનાથી ઊલટું પણ કરી શકાય. બાળકો વાર્તા કહે અને વડીલો તે સાંભળે એવો ક્રમ પણ વચ્ચે વચ્ચે લાવી શકાય. એવું કરવાથી બાળકમાં કલ્પનાશક્તિ ખીલે છે, ભાષાનો યોગ્ય ઉપયોગ કરવાની શક્તિ વધે છે અને વર્ણન કરવાની આવડતની સાથે સાથે અન્ય લોકોની સાથે સંવાદ કરવાની ટેવનો પણ વિકાસ થાય છે. બાળકોનું વિશ્વ ખૂબ નિરાળું હોય છે. એમના મનોજગતમાં જાતજાતનાં પ્રાણીઓ, પક્ષીઓ, દેવો-દાનવો, પરીઓ, આજુબાજુની સજીવ અને નિર્જીવ સૃષ્ટિ વગેરેની સાથે અલગ પ્રકારનું વિસ્મયજનક ખેંચાણ રહેલું હોય છે. બાળકો એમના મનમાં જે ચાલતું હોય એના વિશે વાર્તા રચીને જ્યારે વાત કરે છે ત્યારે એમની આ અજબગજબની ભાવસૃષ્ટિ સાથે વડીલો જોડાઈ શકે છે અને બાળકના મનમાં શું ચાલે છે એનો એમને ખ્યાલ આવે છે.



આ દિશામાં થયેલાં સર્વેક્ષણોમાંથી જાણવા મળ્યું છે કે બાળકોને વાર્તા કહેવાથી અને બાળકો પાસેથી વાર્તાઓ સાંભળવાથી બાળકના મનમાં એક પ્રકારના ‘સહિયારા અનુભવ’ અને ‘સહિયારાં જ્ઞાન-માહિતી’નો ભાવ જાગે છે. એ એવું અનુભવે છે કે પોતાની લાગણીઓ, કલ્પનાઓ, વિચારો અને તર્કો-તુક્કાઓ વડીલોની સાથે વહેંચી શકાય છે. બાળક વાર્તા કહેતું હોય ત્યારે એને ધ્યાનથી સાંભળવું જોઈએ. બાળકને લાગવું જોઈએ કે વડીલો એનામાં સાચેસાચ રસ લઈ રહ્યાં છે. એવું થવાથી બાળકમાં આત્મવિશ્વાસ વધે છે, પોતાની વાત ખુલ્લા દિલે કહી શકવાની શક્તિ બહાર આવે છે. આ બધા જ ગુણો મોટા થયા પછી બાળકને કામ લાગે છે.



વાર્તાઓ કહેવી અને સાંભળવી – આ પ્રવૃત્તિ છેક પુરાતનકાળથી ચાલી આવે છે. જગતભરની બાળવાર્તાઓ અને લોકવાર્તાઓ આ સત્યની સાક્ષી પૂરે છે. વાર્તાઓની પરંપરાથી કુટુંબજીવન, જુદી જુદી જાતિઓના રીતરિવાજો – વહેવારો વગેરેની માહિતી એક પેઢીમાંથી બીજી પેઢી સુધી વિસ્તરે છે. વાર્તાઓ દ્વારા માનવસમાજ પોતાની પરંપરાઓ, માન્યતાઓ, શ્રદ્ધાઓ, વહેમો અંધશ્રદ્ધાઓ અને જીવનનાં મૂલ્યોની શોધ કરતો રહ્યો છે. જગતભરની કલ્પનારંગી, અદ્દભુત કથારસથી ભરપૂર, વ્યવહારલક્ષી વાર્તાઓએ જુદી જુદી સભ્યતા અને સંસ્કૃતિવાળી માનવજાતને એક રાખવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. જે કામ કોઈ સીધા ઉપદેશથી કે લાંબાંલાંબાં વ્યાખ્યાનોથી થઈ શકતું નથી એ કામ વાર્તાઓ વડે સહેલાઈથી થઈ શક્યું છે. આ બધામાં બાળવાર્તાઓનો ફાળો ઘણો જ મોટો છે એ વાત આજના કૃત્રિમ અને અત્યંત ખર્ચાળ મનોરંજનના યુગમાં ભુલાવી જોઈએ નહીં.



[3] પહેલા પ્રેમની લહેરખીનું વાવાઝોડું



એક છોકરો દરરોજ સ્કૂલ છૂટવાના સમયે છોકરીઓની સ્કૂલની સામે ઊભો રહે છે. સ્કૂલના દરવાજામાંથી એક છોકરી બહાર નીકળે છે. છોકરી એના ઘર તરફ ચાલવા લાગે છે. છોકરો પણ એની પાછળ પાછળ જાય છે. એ આગળ ચાલી રહેલી છોકરીના ચહેરાની એક ઝલક મેળવવા માટે બેતાબ છે. છોકરીને પણ ખબર છે. એ ઘરમાં પ્રવેશતાં પહેલાં એક વાર પાછળ જોઈ લે છે અને પછી અંદર ચાલી જાય છે. છોકરાની આંખો સામેથી છોકરીનો ચહેરો ખસતો નથી. એની કલ્પનામાં છોકરીના ગાલ ગુલાબના ફૂલની જેમ ખીલતા રહે છે. છોકરીનો અવાજ ગીતની ધૂનની જેમ એના કાનમાં ગુંજતો રહે છે. એના વાળની સુગંધ એને ઘેરી વળે છે. રાતદિવસ – ચોવીસેચોવીસ કલાક.



આ દશ્ય તરુણાવસ્થામાં પહેલીવાર પ્રેમમાં પડેલા કિશોર-કિશોરીનું છે. એ દશ્ય મારા-તમારા ભૂતકાળનું પણ હોઈ શકે છે. આ એવો અનુભવ છે, પ્રથમ પ્રણયનો – જેમાં પાણીમાં ઊગતી લીલ ઉપર ઉઘાડા પગે ચાલવા જેવું લાગે છે. જિંદગીમાં પ્રથમ પ્રણયનો અનુભવ અદ્દભુત ઘટના છે – કદી પણ ભૂલી શકાય નહીં એવો તરલ – સ્નિગ્ધ અનુભવ. તરુણોની લાગણીની અભ્યાસી લેખિકા એમિલી જોહનસન લખે છે તેમ ‘પહેલો પ્રેમ હવાની લહેરખીની જેમ આવે છે અને તોફાની પવનની જેમ પણ ફૂંકાય છે. એ જ્યારે આવે છે ત્યારે એની અદ્દભુત લાગણીના પ્રચંડ પૂરમાં તરુણ હૈયાં તણાતાં જ રહે છે.’ મહાન નાટ્યકાર જ્યોર્જ બનાર્ડ શૉ પ્રથમ પ્રણયની લાગણીને જુદી રીતે જુએ છે. એમણે કહ્યું છે : ‘પ્રથમ પ્રેમ મૂર્ખતા સિવાય, બીજું કશું જ નથી કારણ કે એમાં વિસ્મય-ઉત્સુકતા-કુતૂહલનું તત્વ વધારે હોય છે.’ એમની વાત સમજવા જેવી છે. તરુણાવસ્થામાં કિશોર-કિશોરીઓની સાથે ઘણુંબધું પહેલીવાર બને છે. એ બધું એમને અત્યંત રહસ્યમય લાગે છે. એથી જ્યારે પ્રેમનો ભાવ પહેલીવાર જાગે છે ત્યારે કશુંક નવું બની રહ્યું હોવા વિશેની ઉત્સુકતા વિશેષ હોય છે. ઘણી વાર એ ઉત્સુકતા – એ વિસ્મય પ્રેમનું સાચું સ્વરૂપ ધારણ કરે ન કરે એ પહેલાં તો કોઈ દર્દનાક સપનાની જેમ વિખેરાઈ જાય છે.



જરૂરી નથી કે પ્રથમ પ્રણયની ઘટના કિશોરાવસ્થામાં જ બને. એ માણસના જીવનમાં કોઈ પણ ઉંમરે બની શકે છે અથવા તો કદી પણ બને જ નહીં. તેમ છતાં એ તરુણાવસ્થાનો જ અનુભવ બને એવી શક્યતા વિશેષ છે. મોટાભાગના લોકો એમના પહેલા પ્રેમને જિંદગીભર ભૂલી શકતા નથી, પ્રૌઢ ઉંમરે લોકો એમની કિશોરવયની એ લાગણીઓને હસી કાઢવાનો પ્રયત્ન પણ કરે છે, છતાં એમને ખબર હોય છે કે એ બધું એક સમયે સાચેસાચ એમની સાથે બન્યું હતું અને એ સમયે એ લાગણી તમામ મુગ્ધભાવ સાથે ખૂબ તીવ્ર હતી. એ વયે અનુભવેલા પ્રથમ પ્રેમનો ઉન્માદ, એનો રોમાંચ, એ વખતની મૂંઝવણો અને બેતાબી પૂરેપૂરી પ્રમાણિક હોય છે. જિંદગીના કોઈ પણ તબક્કે એ હસી કાઢવા જેવી વાત હોતી નથી. એ વાત જુદી છે કે નાની વયનો પહેલો પ્રેમ ઝાઝું ટકતો નથી, પણ એ માણસના ચિત્ત ઉપર અમીટ છાપ છોડી જાય છે. એ વયમાં છોકરા-છોકરી વચ્ચે જાગતી નિકટતા એમની જાત વિશેની પ્રથમ ઓળખ બને છે. પહેલીવાર એમને સંબંધોની પ્રામાણિકતા, પવિત્રતા અને અસરપરસ માટેના વિશ્વાસનો પરિચય મળે છે, જે આગળ જતાં એમને પુખ્ત બનવામાં મદદ કરે છે. આપણે કોઈ પણ ભાષા પૂરેપૂરી શીખી લઈએ છીએ ત્યાર પછી પણ પહેલીવાર શીખેલી બારાખડીના મહત્વને ભૂલી શકતા નથી. એ રીતે જ સમગ્ર જીવનમાં બંધાતા બધા જ સંબંધોના પાયામાં પહેલા પ્રેમનો અનુભવ ઓછાવત્તા અંશે સચવાઈ રહે છે.



એન્દ્રેઆ દ્વોરકિન નામની યહૂદી લેખિકાની પ્રથમ નવલકથા ‘ફર્સ્ટ લવ’માં એની નાયિકા પોતાના પ્રથમ પ્રેમીને એક પત્રમાં લખે છે : ‘મેં તને ખૂબ પ્રેમ કર્યો હતો. હવે એ માત્ર સ્મૃતિ બની ગયો છે. એક દાટી દીધેલી ઘટના, છતાં આજે પણ હું તારો ચહેરો જોઈ શકું છું. મને ખબર છે કે એક સમયે એ ચહેરો મારી જિંદગીમાં હતો. હું જે રીતે સૂરજને યાદ કરી શકું છું એવી રીતે જ તને પણ યાદ કરું છું, હંમેશાં મારી અંદર સળગતા સૂર્યની જેમ. તું મારો જ એક હિસ્સો બની ગયો છે, મારી અંદર ભળી ગયો છે. તું મારી જિંદગી બની ગયો હતો એ સમયે જ આપણે અલગ થઈ ગયાં. તારાથી અલગ થવાનું દર્દ મારું કોઈ અંગ કાપી નાખવામાં આવ્યું હોય ત્યારે થાય એવા દર્દ જેવું મેં અનુભવ્યું છે.’



પ્રથમ પ્રણયના વાવાઝોડામાંથી પસાર થયેલી કોઈ પણ વ્યક્તિ એન્દ્રેઆ દ્વોરકિનની નવલકથાની નાયિકાના ઉદ્દગારો નીચે પોતાની સહી કરશે – જો એ લાગણીની બાબતમાં પ્રામાણિક હશે તો.





હસો અને હસાવો - કટાક્ષિકા





માનવીને મૂંઝવણ જેટલો મૂંઝવી નથી શકી તેનાથી અનેકગણો માર્ગદર્શને મૂંઝવ્યો છે. જેને કશું જ માર્ગદર્શન નથી મળ્યું તેના કરતાં જેને ખૂબ જ માર્ગદર્શન મળ્યું છે, તે વધારે મૂંઝાય છે. ‘મૈં ઈધર જાઉં યા ઉધર જાઉં’ આમ મૂંઝવણના ઉકેલ માટે માર્ગદર્શન આપવામાં આવે છે. અને તેમાંથી જ પાછી મૂંઝવણ ઊભી થાય છે. આ આજના માર્ગદર્શનની ખૂબી છે. ટૂંકમાં, મૂંઝવણ અને માર્ગદર્શન એક સિક્કાની બે બાજુ છે કે બે સિક્કાની એક બાજુ ! તે ખબર નથી પડતી.



અગાઉ મૂંઝવણોના પ્રમાણમાં માર્ગદર્શન ઓછાં હતાં. જ્યારે આજે માર્ગદર્શનના પ્રમાણમાં મૂંઝવણો ઓછી છે. તેથી જ લોકો મૂંઝવણ અનુભવે છે. મૂંઝવણ અને માર્ગદર્શનને આદિ-અનાદિ કાળથી સંબંધ છે. પણ પહેલાના જમાનામાં અને આજના યુગમાં તફાવત એ છે કે પહેલાં તમારે માર્ગદર્શન મેળવવા જવું પડતું જ્યારે આજે માર્ગદર્શન આપવા માટે નિષ્ણાતો તમારો દરવાજો ખખડાવી રહ્યા છે. ટૂંકમાં માર્ગદર્શન તમારા દરવાજે ટકોરા મારી રહ્યું છે. (ક્યારેક બપોરે પણ.)



ખરી રામાયણ અહીંથી જ શરૂ થાય છે. માર્ગદર્શન આપવાનો વ્યવસાય આજે એટલો બધો પૂરબહારમાં ખીલ્યો છે કે જેને કોઈ મૂંઝવણ નથી તેને અગાઉથી પોલિયોની રસીની માફક માર્ગદર્શન આપવામાં આવે છે. પેલો કહે કે ભાઈ મને કોઈ તકલીફ નથી, મૂંઝવણ નથી. ત્યારે માર્ગદર્શક કહેશે, ‘કોઈ વાંધો નહીં. પહેલાં માર્ગદર્શન મેળવી લો. એટલે મૂંઝવણ આપોઆપ ઊભી થશે.’ (અથવા અમે ઊભી કરી આપીશું.) કેટલાક લોકોને ખબર જ નથી હોતી કે પોતાની સમસ્યા શું છે, મૂંઝવણ શું છે. વળી જે સમસ્યાથી તદ્દન બેખબર છે તેનું કોઈ શું બગાડી લેવાનું છે. પણ માર્ગદર્શનવાળા તેમને તેમની સમસ્યાઓ શોધી-શોધીને બતાવે છે કે જુઓ સાહેબ, તમારા જીવનમાં આટ-આટલી સમસ્યાઓ છે. તેની સામે અમારી પાસે સચોટ માર્ગદર્શન છે. તમારી તમામ મૂંઝવણના ઉકેલનો થેલો ભરીને આવ્યા છીએ. અમારી કંપનીની નવી સ્કીમ છે, ‘મૂંઝવણ એક, ઉકેલ અનેક !’



ઘણાને અનુભવ થઈ ચૂક્યો હશે અને ન થયા હોય તો કરી જોજો. માત્ર એટલું જ કહેજો, ‘સાહેબ, હું આઠ ધોરણ ભણેલો છું, મારો પુત્ર બાર સાયન્સમાં પંચોતેર ટકા સાથે પાસ થયેલો છે. તો તેને શું કરાવવું ?’ માત્ર ‘બારમા ધોરણ પછી શું ?’ માટે તમને બારસો પ્રકારનાં માર્ગદર્શન મળશે. વળી દરેક માર્ગદર્શક એવું કહેશે કે હું કહું છું તે જ કરાવો, આજકાલ તેનો જ જમાનો છે. બાકીના અગિયારસો નવ્વાણુંને નાખો ગટરમાં ! અંતે તમે એવા મૂંઝાશો કે આ માર્ગદર્શનો માટે માર્ગદર્શન મેળવવા જવું પડશે. માર્ગદર્શનનો વ્યવસાય દિન-પ્રતિદિન પ્રગતિ કરી રહ્યો છે, તેનું રહસ્ય અહીં છુપાયેલું છે.



સંજીવની લેવા ગયેલા હનુમાનજી મૂંઝાયા તો તેમણે આખો પર્વત ઉપાડીને વૈધરાજ સામે મૂકી દીધો. ટૂંકમાં આખો મેડિકલ સ્ટોર ઉપાડી લાવ્યા તેમ કહેવાય. કંઈક આ રીતે જ જાતક સામે માર્ગદર્શનનો આખો પહાડ મૂકી દેવામાં આવે છે. અને કહે છે, આમાંથી જોઈએ તે લઈ લો. ખરી મૂંઝવણ અહીંથી જ શરૂ થાય છે. માર્ગદર્શકો ભારપૂર્વક કહે છે, ‘ચકલીની આંખ જ દેખાવી જોઈએ.’ પણ તેઓ ઝાડ પર અનેક ચકલીઓ બેસાડે છે. આવા માર્ગદર્શનનું ક્ષેત્ર શાકભાજીથી માંડીને શિક્ષણ સુધી અને મૅનેજમેન્ટથી માંડીને મગજ ‘મૅડ’ સુધી વિસ્તર્યું છે. (‘વિસ્તરવું’ અને ‘વિકસવું’ બંને વચ્ચે પાતળી નહીં, બહુ જાડી ભેદરેખા છે.) આજે માસ્ટરથી માંડીને માસ્તર સુધીના નિષ્ણાતો (!?) માર્ગદર્શન આપી રહ્યા છે. આવા માર્ગદર્શનના મહાસાગરમાં આપણા મૌલિક વિચારો પર પાણી ફરી વળે છે. આજકાલ માર્ગદર્શન શાકભાજીની માફક વેચી શકાય છે. જોકે શાક વેચવા માટે શાક લેવા જવું પડે છે. જ્યારે માર્ગદર્શન વેચવા માટે માર્ગદર્શન લેવા જવું પડતું નથી. માર્ગદર્શન આપવાની સૌને કુદરતી બક્ષિસ છે. મૂળભૂત, રીતે મનુષ્ય માર્ગદર્શક છે. તે બીજાને માર્ગનું દર્શન કરાવી શકે છે. પણ પોતાના માર્ગનું દર્શન કરી શકતો નથી. તેથી તેને માર્ગદર્શનની જરૂર પડે છે. આમ એક બાજુ માણસ મૂંઝવણ અનુભવે છે તો બીજી બાજુ તે માર્ગદર્શન પણ આપી શકે છે. આ રીતે તે બેવડી ભૂમિકા અદા કરે છે. જીવનમાં એક વાર પણ માર્ગદર્શન મેળવ્યું ન હોય કે આપ્યું ન હોય તેવો માનવી મળવો મુશ્કેલ છે.



અમારો મિત્ર મોહન કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે, કોઈ પણ બાબતે માર્ગદર્શન આપવામાં માહિર છે. સામેવાળાને જરૂર હોય કે ન હોય, તે માર્ગદર્શન આપીને જ જંપે ! તેનો જીવનમંત્ર છે, ‘બને ત્યાં સુધી આપવું, લેવું નહીં.’ એક દિવસ હું તેના ઘેર બેઠો હતો. મોહન પોતે કંઈક નવો જ બિઝનેસ કરવાનું વિચારી રહ્યો હતો. એ બાબતે તે મારી સાથે ચર્ચા કરતો હતો. એટલામાં જ કુદરતી આફતની માફક તેના બાપુજી આવ્યા અને ચાલતી ગાડીએ ચડી ગયા, તક ઝડપી લીધી અને નવા બિઝનેસ બાબતે બાપુજીએ મોહનને એટલું બધું માર્ગદર્શન આપ્યું કે છેવટે મોહને બિઝનેસ કરવાનો વિચાર જ માંડી વાળ્યો. ત્યારે મને સમજાયું કે માર્ગદર્શનના મુદ્દે તો મોહનના બાપુજી ખરેખર તેના ‘બાપ’ છે. મેં આ વાત અમારા એક અન્ય મિત્રને કરી તો તેણે કહ્યું : ‘મોહનના બાપુજી તમામ અર્થમાં તેના ‘બાપ’ છે.’



આજકાલ ધર્મ અને શિક્ષણ એ માર્ગદર્શન માટેનાં બહુ મોટાં ક્ષેત્રો છે. તેમાં સૌ કોઈ ‘લાગે તો તીર નહીં તો તુક્કો’ના ધોરણે ઝંપલાવે છે. કારણ કે તેમાં જે કોઈ હાનિ થાય તે સામા પક્ષે જ થાય તેમ છે. આપણા હિંદુ ધર્મમાં આજકાલ બાવા, રેલવે સાધુ તથા પૂજ્ય કે અપૂજ્ય ગુરુઓ દ્વારા ધર્મ વિશેનું ધમધોકાર માર્ગદર્શન આપવામાં આવતું હોવાને કારણે જ આપણે ધર્મનો સાચો મર્મ જાણી શક્યા નથી. ગીતામાં પણ સરવાળે એ જ થયું ને ! કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને પ્રચૂરમાત્રામાં તાત્વિક માર્ગદર્શન આપ્યા પછી અંતે ભગવાને કહ્યું : ‘હવે તારે જે કરવું હોય તે કર.’ અંતે પુન: અર્જુન મૂંઝાઈ ગયો અને તેણે યુદ્ધ કરવાનો નિર્ણય લઈ લીધો. વળી માર્ગદર્શન વિના કે વિચાર્યા વગર કાંઈ કરીએ તો પણ મુશ્કેલી ! તેથી જ કહ્યું છે ને ‘વગર વિચાર્યું જે કરે પાછળથી પસ્તાય.’ એ જ રીતે ગહનાતિગહન વિચારણા કરીને જે કાંઈ કરે તે પણ પાછળથી પસ્તાય છે. કારણ કે ભરપૂર માર્ગદર્શનને કારણે કેટલીક વાર એટલો બધો વિચાર-વિસ્તાર થાય છે કે માણસ વિચારવા સિવાય કશું જ કરી શકતો નથી. માર્ગદર્શનના મુદ્દે મોટા ભાગે સૌ સફળ થયેલા મહાનુભાવોનું માર્ગદર્શન મેળવે છે. પણ જીવનમાં સફળ થયેલા કરતાં નિષ્ફળ ગયેલા મહાનુભાવોનું માર્ગદર્શન વધારે મૂલ્યવાન હોય છે. કારણ કે સફળ થયેલાને તો માત્ર ‘શું કરવું’ તેનો જ ખ્યાલ હોય છે. જ્યારે નિષ્ફળ ગયેલા મહાનુભાવોને તો ‘શું કરવું’ ઉપરાંત ‘શું શું ન કરવું’ તેનો પણ બહોળો અનુભવ હોય છે. તેમનું માર્ગદર્શન વાસ્તવિકતાની વધુ નજીક હોય છે. તેથી જ જેમ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, તેમ નિષ્ફળતા પણ નથી હોતી. એ તો દરેક માણસે જાત-મહેનતથી પ્રાપ્ત કરી હોય છે.



માર્ગદર્શન બાબતે અમારો એક મિત્ર તેના સસરાની પ્રશંસા કરતાં કહેતો, ‘મારા સસરાનું નૉલેજ બહુ પાવરફુલ ! જાણે જ્ઞાનની હરતીફરતી યુનિવર્સિટી જોઈ લો ! ગમ્મે તે વિષયમાં રાત્રે બે વાગ્યે ઊઠીને પણ તમને માર્ગદર્શન આપી શકે.’ (આવી દુર્ઘટનાઓ ઘણી વાર બનેલી છે.) પછી મને ખબર પડી કે મિત્રના ત્રણ સાળારત્નમાંથી એક પણ સાળો સ્નાતકની ઉપાધિ મેળવી શક્યો નથી. તેનું એકમાત્ર કારણ પેલી જ્ઞાનની હરતી-ફરતી યુનિવર્સિટી !



વિવિધ પ્રકારની સ્કીમ (કારસો) કાઢનારા કહે છે કે તકને આગળ ચોટલી અને પાછળ તાલ હોય છે. માટે તકને આગળથી જ પકડો. પણ આપણને જ્યારે માર્ગદર્શન આપવાની તક મળે છે, ત્યારે આપણે તેને સીધી બોચીએથી જ પકડીએ છીએ. પછી મૂંઝાયેલો પામર માનવી આપણી સામે નતમસ્તકે બેઠો હોય અને આપણે પરમહંસની અદાથી તેને બોધ કરી રહ્યા હોઈએ. આપણો એક-એક શબ્દ તે ચાતકની પ્યાસથી પી જતો લાગે ત્યારે આપણે માનીએ છીએ કે આપણો શબ્દેશબ્દ તેના જીવનરાહને પગલે-પગલે દીપક બની પ્રજ્વલિત કરશે. કોઈ ઋષિયુગનું દશ્ય હોય એવું લાગે. રસોડામાં બટાટા છોલતી પત્ની આ દશ્ય જુએ તો તેને પણ પોતાની પસંદગી પર માન ઊપજે. (આ ધારણા છે.) પણ અફસોસ કે લોકો જેનું માર્ગદર્શન મેળવવા દૂર-દૂરથી આવે છે, તેનાં ઘરવાળાં તેનું દર્શન કરવાય તૈયાર નથી. આવું બોધકાર્ય સંપન્ન થયા પછી તમામ મૂંઝવણના ઉકેલની ગુરુચાવીઓના ઝૂડા સાથે જાતક હસતા મુખે વિદાય લેશે અને થોડે દૂર ઊભેલા પોતાના મિત્રને બધી વાત કરશે. જે સાંભળવાનો પ્રયત્ન કદાપિ ન કરવો. કંઈક આવી જ રીતે અમારા પાડોશી ચંદુમામાને માર્ગદર્શન આપવાની તક કોઈએ ઝડપી લીધી. વાત જાણે એમ હતી કે ચંદુમામાને માથે અકાળે ટાલ પડી ગઈ. તેથી તેમને કોઈએ માર્ગદર્શન આપ્યું કે દ્રુતલયમાં મંજિરા વગાડતા હોય એ રીતે સતત બંને હાથના નખ ઘસવાથી વાળ ઊગે છે, વધે છે, વિસ્તરે છે અને ઘેઘૂર બને છે. ચંદુમામાએ છ માસ સુધી આ પ્રયોગ નિષ્ઠાપૂર્વક સતત ચાલુ રાખ્યો. પણ પરિણામ અણધાર્યું આવ્યું. વાળ તો ન ઊગ્યા પણ નખ જતા રહ્યા. હવે આ બાબતે ચંદુમામા બીજાને માર્ગદર્શન આપતા થઈ ગયા છે.



કેટલીક વાર તમે માર્ગદર્શક કરતાં ઘણું વધારે જાણતા હો છો. આ બાબત માર્ગદર્શકો પણ સારી રીતે જાણતા હોય છે. તેથી તેઓ સૌ પ્રથમ ‘તમારી પાસે જે માલ છે તે ઓરિજીનલ નથી. અસલના ઉત્પાદક, હોલસેલર, રીટેઈલર, ફેરિયાઓ બધું જ અમે છીએ. અમે પરમાર્થ કાજે દેહ ધારણ કર્યો છે’ એવું પ્લમ્બર નળ ફિટ કરે એ રીતે આપણા મગજમાં ફિટ કરે છે. અને કહે છે, ‘તમને સાચી ખબર નથી, તમારી જાણકારી અધૂરી છે, માટે સાચી ખબર મેળવીને ખબરદાર થઈ જાઓ. ખબર હશે તો ખપ લાગશે.’ આજકાલના મેનેજમેન્ટ ગુરુ, લાઈફગુરુ, યોગાગુરુ, માઈન્ડ પાવરગુરુ જેવી કલીનશેવ ગુરુઓની જમાત આવા સફળ પ્રયોગો કરી રહી છે. અગાઉ જે કામ દાઢીવાળાઓ કરતા તે કામ આજે દાઢી વગરના કરી રહ્યા છે. આમ પૂરતા પ્રમાણમાં નાણાં ખંખેરી લોકોને શાસ્ત્રીય પદ્ધતિથી માર્ગદર્શન આપવામાં આવે તેને ‘કાઉન્સેલિંગ’ કહેવાય. સરવાળે આવા કાઉન્સેલિંગ કરતાં કોઠાસૂઝ વધુ ઉપયોગી નીવડે છે. કોઠાસૂઝનું કાઉન્સેલિંગ ન થઈ શકે. આમ છતાં પૈસા ખર્ચીને ઉલ્લુ બનવાનો પણ એક અનેરો આનંદ હોય છે.



અમારો એક મિત્ર ધંધો કરવા બાબતે મૂંઝાયેલો હતો. કારણ કે તેણે આજ સુધી ‘ધંધા’ કર્યા હતા. છેવટે તેણે ધંધો કરવા માટે જુદા જુદા અનેક કન્સલટન્ટસની મોંઘી સલાહ ખરીદી. જે સરવાળે તેને કશી કામ ન લાગી. આવી ખરીદેલી સલાહને આપણે ખપ ન લાગે તો આપણે ઓછું-અદકું લઈને બીજાને બઝાડી શકતા નથી. પણ આ બધી સલાહોના અર્કરૂપે તેને એટલું માર્ગદર્શન જરૂર મળ્યું કે, ‘આ જ ઉત્તમ વ્યવસાય છે.’ તેથી તે બીજું બધું જ છોડીને માર્ગદર્શક બની ગયો. ત્યાર પછી તેણે કદી પાછું વાળીને જોયું નથી. આમ જીવનમાં માર્ગદર્શન મેળવતાં-મેળવતાં જ મનુષ્ય ક્યારે માર્ગદર્શક બની જાય છે તેની તેને ખુદને ખબર પડતી નથી. જેમ નિષ્ફળ ક્રિકેટર કોચ બની જાય છે, નિષ્ફળ લેખક વિવેચક બની જાય છે, નિષ્ફળ નાયક દિગ્દર્શક બની જાય છે, એ જ રીતે જીવનભર જેમને કોઈ દિશા સૂઝી નથી તેઓ દિશાદર્શક બની જાય છે. સૌનો ભગવાન હોય ને ! તેથી જ આ દોહામાં કંઈક આવું જ કહ્યું છે :



‘લાલી મેરે લાલ કી, જિત દેખું તિત લાલ;

લાલી દેખન મૈં ગઈ, મૈં ભી હો ગઈ લાલ.’



‘જિંદગી જીવો બીરબલ બુદ્ધિથી’


તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘જિંદગી જીવો બીરબલ બુદ્ધિથી’ નો પરિચય આપતો લેખ, ‘ઉદ્દગાર’ સામાયિકમાંથી સાભાર. આ પુસ્તકમાં બીરબલની વાર્તાઓ દ્વારા મૅનેજમેન્ટ અને જીવનની સમસ્યાઓનો ઉકેલ દર્શાવવામાં આવ્યો છે. અહીં ફક્ત તેનો પ્રારંભિક પરિચય આપવામાં આવ્યો છે





 પંચતંત્ર એટલે શું ? પંચ એટલે પાંચ અને તંત્ર એટલે યુક્તિઓ અથવા નિબંધો. આ પાંચ જુદાં જુદાં શીર્ષકો હેઠળના નિબંધો આપણને મૅનેજમેન્ટ, અંગત જીવન અને વ્યવહારિક જીવનમાં જે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે તે સામે યુક્તિઓ બતાવે છે. આ પાંચ નિબંધોને આ રીતે વહેંચી દેવામાં આવ્યા છે.



(1) પહેલું તંત્ર છે ‘મિત્રભેદ’, જેને સરળ ભાષામાં ‘મિત્રો વચ્ચે અણબનાવ’ કહી શકાય. આ તંત્રની શરૂઆત બે મિત્રો, સિંહ અને બળદની વાર્તાથી થાય છે. લુચ્ચું શિયાળ દુષ્ટતા વાપરીને આ બંને મિત્રો વચ્ચે ફાટફૂટ પડાવે છે. આ તંત્રની બીજી બધી વાર્તાઓ આ જ મુદ્દાઓ ઉપર એકબીજા સાથે સંકળાયેલી છે અને તેને તે જ અનુક્રમમાં કહેવામાં આવી છે.



(2) બીજું તંત્ર છે ‘મિત્ર સંપ્રાપ્તિ’, જેનો અર્થ થાય છે મિત્રોનાં દિલ જીતી લેવાં. આ તંત્રની શરૂઆત ચિત્રગ્રીવા નામનું કબૂતર અને હિરણ્યક નામના ઉંદરની વાર્તાથી થાય છે. ચતુર ઉંદર, ચિત્રગ્રીવા અને બીજા કબૂતરોને પારધીની જાળમાંથી કેવી રીતે છોડાવે છે તે આ વાર્તાની કથાવસ્તુ છે. આ તંત્રની બધી જ વાર્તાઓ વિવિધ આવડતો ધરાવતા એકસરખા વિચારોવાળા લોકોની મિત્રતા અને સંગઠીત થઈ કામ કરવાનું મહત્વ શું છે તે વાત સુપેરે સમજાવે છે.



(3) ત્રીજું તંત્ર છે ‘કાકોલુકિયમ’, જેનો અર્થ થાય છે કે ભૂતપૂર્વ દુશ્મન સાથેની દોસ્તી ભરોસાપાત્ર હોતી નથી. આ તંત્રની વાર્તાઓ એ વાત ઉપર ભાર મૂકે છે કે અગાઉ જેણે આપણી સાથે દુશ્મની રાખી હોય અને પછી મિત્ર બની ગયો હોય તેનો ભરોસો રાખવો નહીં.



(4) ચોથું તંત્ર છે ‘લબ્ધપ્રશંસા’, જેનો અર્થ થાય છે કે જીવનમાં સતર્કતા અત્યંત મહત્વની વાત છે અને ખાસ કરીને આપત્તિવેળાએ મનને ખૂબ જ સતર્ક રાખવું જોઈએ.



(5) પાંચમું તંત્ર છે ‘અપરીક્ષિતકારકા’, જેનો અર્થ થાય છે કે કોઈ પણ કાર્ય પૂરું કરવા માટે સારાસારની બુદ્ધિનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. આ તંત્રની બધી જ વાર્તાઓમાં અજાણી પરિસ્થિતિઓમાં જ્યારે વ્યક્તિને કામ કરવાનું આવે ત્યારે તે કામ સારાસારની બુદ્ધિ વાપરીને કરવાથી ફાયદો થાય છે, તે વાત સારી રીતે સમજાવે છે.



આ પાંચે તંત્રો વિશેની પ્રાથમિક માહિતી પછી સહેજે આપણને જાણવાનું મન થાય કે આ બધી જ ‘બોલતાં પ્રાણીઓની’ વાર્તાઓનું ઉદ્દભવસ્થાન કયું ? કોણે લખી હતી આ વાર્તાઓ ? મુખ્ય માન્યતા એવી છે કે વિષ્ણુશર્મા નામના સંતે ડહાપણ અને સમજણના આ ભંડારને બાળકો અને મોટેરાઓ માટે વાર્તા સ્વરૂપે ખુલ્લો મૂક્યો હતો. ‘પંચતંત્ર’ નામે જાણીતી થયેલી આ વાર્તાઓ આશરે 2000 વર્ષો પૂર્વે લખાયેલી હોવાનું માનવામાં આવે છે. વિષ્ણુશર્માની આ વાર્તાઓની અસર ચારેકોર ફેલાઈ હતી. 1લી અથવા 2જી સદીમાં સંસ્કૃતમાં લખાયેલી આ વાર્તાઓ 3જી કે 4થી સદીમાં સિરિયા અને અરેબિયા પહોંચી હતી જ્યાં સ્થાનિક ભાષાઓમાં તેનો અનુવાદ થયો હતો. એ જ રીતે બીજી ભારતીય ભાષાઓ જેવી કે પૈસાચી, પહેલ્વી અને પ્રાકૃત ભાષામાં પણ તેનો અનુવાદ થયો હતો. આ ઉપરાંત જગતની 50 જેટલી ભાષાઓમાં 200 જુદા જુદા પ્રકારે આ વાર્તાઓ પ્રચલિત છે.



આ સિવાય એક ઓછી જાણીતી વાત એમ કહે છે કે આ વાર્તાઓ વાસુવાગ્ભટ્ટ નામની વ્યક્તિએ સૌ પ્રથમ લખી હતી. આ અંગેની પૌરાણિક કથા આ મુજબ છે – ભગવાન શિવજીએ આ વાર્તાઓ પાર્વતીજીને કહી હતી જે પુષ્પદત્ત નામની વ્યક્તિએ સાંભળી લીધી હતી. આ પુષ્પદત્તનો જન્મ પૃથ્વી ઉપર ગુણજ્ઞા તરીકે થયો હતો. ગુણજ્ઞાની નિમણૂક મહારાજ સાલીવહારના દરબારમાં જ્ઞાની પુરુષ તરીકે થઈ હતી, જેણે આ બધી જ વાર્તાઓ પૈસાચી ભાષામાં ફરીથી કહી હતી. વાસુવાગ્ભટ્ટે આ વાર્તાઓ જેને બ્રહ્મકથા કહેવામાં આવી હતી, તેમાંથી આ વાર્તાઓ લઈ તેને પંચતંત્રરૂપે રજૂ કરી હતી. વાસુવાગ્ભટ્ટની પંચતંત્રની વાર્તાઓનો ઉલ્લેખ જાપાનીઝ, લાઓસિયન અને સિયામીઝ ભાષામાં પણ છે. આ ઉપરાંત કેટલીક ભારતીય ભાષામાં પણ છે.



ખેર, આપણે ફરી વિષ્ણુશર્માની વાત પર આવીએ. વિષ્ણુશર્માએ આ વાર્તાઓ કેવી રીતે લખી તેની પણ એક વાર્તા છે. ‘પંચતંત્ર’ના ઉપોદઘાતમાં એક વાર્તા કહેવામાં આવી છે જે આ પ્રમાણે છે – એક વખત અમરશક્તિ નામનો રાજા હતો. તેને ત્રણ પુત્રો હતા – બાહુશક્તિ, ઉગ્રશક્તિ અને અનંતશક્તિ. આ ત્રણે મહામૂર્ખ હતા. આથી અમરશક્તિ ખૂબ નિરાશ થઈ ગયો હતો. રાજાએ પોતાના દરબારીઓને કહ્યું કે, ‘આ ત્રણેને બુદ્ધિશાળી બનાવવાનો મને માર્ગ બતાવો.’ આ બધા દરબારીઓમાં સુમતિ નામનો ડાહ્યો દરબારી હતો. તેણે એક વિચાર રજૂ કર્યો કે ત્રણે રાજકુમારોને ધર્મગ્રંથો ભણાવવાની જરૂર નથી, પરંતુ તેમાં રહેલા ડહાપણની વાતો સમજાવવાની જરૂર છે. આ માટે વિષ્ણુશર્મા નામનો એક માણસ છે. જે આ કામ કરી શકશે. વિષ્ણુ શર્માને તેડી મંગાવવામાં આવ્યા. તેઓએ રાજકુમારોને ડાહ્યા બનાવવા માટે 6 મહિનાનો સમય માગ્યો અને 6 મહિનામાં રાજા અમરશક્તિએ ચમત્કાર થતો જોયો – જે તેઓ માની ન શક્યા. પોતાની કલ્પનાશક્તિ વડે વિષ્ણુ શર્માએ રાજકુમારોને દંતકથાઓની દુનિયામાં સફર કરાવતા કરાવતા વાસ્તવિક દુનિયાનો પણ ખ્યાલ આપવા માંડ્યો. એક વાર્તામાં બીજી વાર્તાને ગૂંથતા ગૂંથતા તેઓ જે ડહાપણ રાજકુમારોને આપવા માગતા હતા તે આપતા ગયા. દરેક વાર્તામાં જે પરિસ્થિતિઓ પેદા થતી વર્ણવવામાં આવી હતી તેવી પરિસ્થિતિ જો જીવનમાં ઊભી થાય તો શું કરવું તેનો ચિતાર તેઓ બોધરૂપે આપતા ગયા.



વિષ્ણુ શર્માની વાર્તાઓમાં વૈશ્વિક સંદેશો છે. વાર્તાઓમાં કહેવાતી વાત વિશ્વના દરેક દેશના લોકોને સમાનભાવે લાગુ પડે તેવી છે. જોકે મોટા ભાગની વાર્તાઓ પ્રાણીઓનાં મોઢે કહેવામાં આવી છે, પરંતુ તેમાં માનવીય લાગણીઓ અને બુદ્ધિને યુક્તિપૂર્વક વણી લેવામાં આવી છે. મૂળ વાર્તાઓમાં પાનાં પછી પાનાંઓમાં ચતુરાઈપૂર્વકની નોંધો, કહેવતો અને સુંદર રીતે વણાયેલા સત્યને રજૂ કરવામાં આવ્યું છે. વિષ્ણુ શર્માએ આ વાર્તાઓમાં દુન્યવી ડહાપણ કેમ મેળવવું તે સમજાવ્યું છે, તે માટે તેઓ બુદ્ધિનો ઉપયોગ, નસીબનું પાંદડું ખસેડવા, અંગત સલામતી મેળવવા, પરિસ્થિતિમાંથી બોધપાઠ લેવા અને વિશાળ મિત્ર સમુદાય ઊભો કેમ કરવો તે જણાવે છે. એક શબ્દમાં કહેવાનું હોય તો લીડરશીપ (નેતૃત્વ) મારફત સુખ કેમ મેળવવું તે તેઓ શીખવે છે.



ફક્ત ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનાં બાળકો અને મોટેરાઓને આ વાર્તાઓનું આકર્ષણ એટલા માટે છે કે તે સૌ વાર્તાઓ સ્વપ્નાના પ્રદેશમાં સફર કરાવતાં કરાવતાં ક્યારે વાસ્તવિક દુનિયામાં પ્રવેશે છે તેની જાણ સુદ્ધાં થતી નથી. આ વાર્તાઓના બોધની પરાકાષ્ઠા તો ત્યારે આવે છે જ્યારે વિષ્ણુ શર્મા દાવા સાથે કહે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમે અસહાય કે એકલા નથી. અરે, સામે ઈન્દ્ર ભગવાન કે સ્વર્ગના દેવતાઓ કેમ ન હોય ?! સુખ અનુભવવા માટે આથી વધુ કોઈને શું જોઈએ ?



જીવન સારી રીતે જીવવા માટેની માર્ગદર્શિકા એટલે પંચતંત્ર. જેમ સામાન્ય રીતે માનવામાં આવે છે તે મુજબ ‘પંચતંત્ર’ એ ફક્ત બાળકો માટેની વાર્તાઓ જ છે તેવું નથી. પરંતુ સાથે સાથે ‘પંચતંત્ર’ વ્યવહારુ જીવન જીવવાની કલા શીખવતી ખૂબ જ વ્યવહારુ અને ઉપયોગી માર્ગદર્શિકા છે. તે જગતની સૌથી પુરાણી ચોપડી છે જે સફળતા કેમ મેળવવી તે શીખવે છે. જીવન અંગેનો સાચુકલો દષ્ટિકોણ તેમાં સમાયેલો છે જે હજી સુધી બીજી કોઈ વાર્તાઓએ આપ્યો નથી. નેતાઓ માટે માર્ગદર્શિકા અને મૂંઝાયેલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બનેલ પંચંતત્રની વાર્તાઓ અનંત આયુષ્ય ધરાવે છે. ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્યમાં તે સદાય પ્રસ્તુત છે. આ વાર્તાઓ દંભથી પર છે. તેમાં જીવન ધબકે છે, કારણ કે તેને જીવન ગમે છે. તે જીવનને એક કલા ગણે છે અને આ કલા યોગ્ય આવડત અને અભ્યાસ દ્વારા સાચા વલણ મારફત આત્મસાત કરી શકાય છે. અહીં ‘પંચતંત્ર’ને તેના સાચા પરિપ્રેક્ષ્યમાં રજૂ કરી તેમાંથી શું શીખી શકાય તે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ વાર્તાઓની ફિલસૂફી સરળ અને મૂળભૂત છે. તેમાં કશી જ અવ્યવહારુ વાતો કરવામાં આવી નથી અને સાથે સાથે એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે જીવનની સમસ્યાઓને ઊલઝાવવામાં તે નૈતિક વલણ દાખવે.



પંચતંત્રની વાર્તાઓ એ કાંઈ મજાક નથી. દરેક કામ અને સ્થળમાં કામ લાગે તેવી આ વાર્તાઓ રોજિંદા જીવનમાં અને મૅનેજમેન્ટના ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી છે. આ બંને ક્ષેત્રમાં લીડરશિપ તો જરૂરી છે જ. અહીં આ ‘પંચતંત્ર’ની વાર્તાઓમાં અમોએ એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે આપણી નેતૃત્વની (લીડરશિપ) આવડતો વિશે આ વાર્તાઓ કઈ રીતે ઉપયોગી થઈ શકે.



GTA game code


GTA game ramvi khubaj game che kem mitro?

to vadhare intrest sathe ramava aa rahya code..

THUGSTOOLS All ''light'' weapons


PROFESSIONALTOOLS All ''medium'' weapons

NUTTERTOOLS All ''heavy'' weapons

ASPIRINE Full Health

PRECIOUSPROTECTION Full Armor

ICANTTAKEITANYMORE Commit Suicide

YOUWONTTAKEMEALIVE Raise Wanted Level

LEAVEMEALONE Decrease Wanted Level

FANNYMAGNET Ladies Man, Women Follow You

CERTAINDEATH Makes you smoke a cigarette

DEEPFRIEDMARSBARS Makes Tommy fatter

PROGRAMMER Gives Tommy girly arms/legs

STILLLIKEDRESSINGUP Change Skin/Clothes

CHEATSHAVEBEENCRACKED Play as Ricardo Diaz

LOOKLIKELANCE Play as Lance Vance

MYSONISALAWYER Play as Ken Rosenberg

ILOOKLIKEHILARY Play as Hilary King

ROCKANDROLLMAN Play as Love Fist character (Jezz Torent)

WELOVEOURDICK Play as Love Fist character (Dick)

ONEARMEDBANDIT Play as Phil Cassidy

IDONTHAVETHEMONEYSONNY Play as Sonny Forelli

FOXYLITTLETHING Play as Mercedes

PANZER Spawn a Rhino

TRAVELINSTYLE Spawn a Bloodring Banger

GETTHEREQUICKLY Spawn a Bloodring Banger #2

GETTHEREFAST Spawn a Sabre Turbo

GETTHEREVERYFASTINDEED Spawn a Hotring Racer

GETTHEREAMAZINGLYFAST Spawn a Hotring Racer #2

THELASTRIDE Spawn a Romero's Hearse

ROCKANDROLLCAR Spawn Love Fist's Limo

RUBBISHCAR Spawn a Trashmaster

BETTERTHANWALKING Spawn a Caddie

BIGBANG Blow up nearby cars

MIAMITRAFFIC Aggressive Drivers

AHAIRDRESSERSCAR All cars are pink

IWANTITPAINTEDBLACK All cars are black

COMEFLYWITHME Cars can fly

GRIPISEVERYTHING Perfect Handling

GREENLIGHT All traffic lights are green

SEAWAYS Cars can drive/hover over water

WHEELSAREALLINEED Only the wheels of a car are visible

LOADSOFLITTLETHINGS Sportscars have big wheels

ALOVELYDAY Sunny/Clear Weather

APLEASANTDAY Light Clouds

ABITDRIEG Dense Clouds

CANTSEEATHING Foggy Weather

CATSANDDOGS Stormy Weather

LIFEISPASSINGMEBY Speed up game clock

ONSPEED Makes everything faster

BOOOOOORING Makes everything slower

FIGHTFIGHTFIGHT Peds Riot

NOBODYLIKESME Peds Hate You

OURGODGIVENRIGHTTOBEARARMS Peds Carry Guns

CHICKSWITHGUNS Girls Carry Guns

CHASESTAT Shows Media Level (when 2+ stars)

AIRSHIP Fast boats can fly for short periods of time