Showing posts with label બાળકો માટે. Show all posts
Showing posts with label બાળકો માટે. Show all posts

Friday, August 17, 2012

આંકડાઓનું મુળ



આપણે જે દસ આંકડા વાપરીએ છીએ, તે મુળ શી રીતે ઉદભવ્યા હશે?

 એક કલ્પના.

 જેણે વીચાર્યું હશે તેની કલ્પના શક્તી માટે માન થઈ જાય એવું છે ને? ..

01

1,2,3,4

5.6.7.8

9


આ સાચું છે કે, કેમ તે ખબર નથી. પણ ઈમેલ સંદેશા દ્વારા પ્રકૃતિકુંજ, ગાંધીગીરી ગ્રુપ તરફથી મળ્યું કે તરત જ ગમી ગયું. તમને ગમ્યું?

Thursday, August 16, 2012

What are you think about Nathuram Godse? Why he killd Mahatma Gandhi?



उन्होंने Mahaatma नहीं मारा
वास्तव में उन्होंने अनेक हिंदुओं को बचाया
महात्मा गांधी भूख हड़ताल पर चला गया था, वह भारत के लिए पाकिस्तान को 60 करोड़ रुपये का भुगतान करना चाहता था. पाकिस्तान हथियार खरीदा है और 1948 के दौरान उन्हें भारतीयों के खिलाफ इस्तेमाल
था कि हम गांधी की सलाह पर वित्तपोषण पाकिस्तान sponsered आतंक जारी की कल्पना कीजिए, क्या होता है.
अगर गांधी के अनुयायियों गैर Voilence में माना कि वे नाथू राम गोडसे फांसी पर लटका दिया कभी नहीं होगा.
वे केवल कई Afjals के लिए चिंता की एक्ज़िबिट लेकिन नहीं Godses
शिमला कोर्ट में नाथू राम गोडसे का विवरण था

Wednesday, August 8, 2012

હું અને મારા શિક્ષક



હું એટલે કોણ ? હું એટલે હું જ . કવિ 'મીનપિયાસી' એ સુંદર કહ્યું છે :

" પરમેશ્વર તો પહેલું પૂછશે,
કોઈનું સુખ દુઃખ પૂછ્યું 'તુ ?
દર્દ ભરેલી આ દુનિયા માં ,
કોઈનું આંસુ લૂછ્યું ' તુ ?
કબૂતરોનું ઘૂ...ઘૂ...ઘૂ ...,
ઉંદર-ચકલા ચૂ..ચૂ...ચૂ..,
છ્છુન્દરો નું છૂ...છૂ...છૂ...,
ભમરા ગૂંજે ગૂ...ગૂ...ગૂ...,
આ કુંજન માં શી કક્કાવારી ?
હું કુદરત ને પૂછું છું,
ઘુવડ સમા ઘૂઘવાટ કરતો,
માનવ ગરજે હું...હું....હું...! "

શ્રદ્ધા અને માન્યતા



શ્રદ્ધા એટલે શું ? માન્યતા એટલે શું? આ બેઉનો એક બીજા સાથે શું સંબંધ છે? આ સવાલોનો શું ઉત્તર છે તે સમજવા પ્રકાશ અને પડછાયાનું ઉદાહરણ લઇએ. કારણ પડછાયા અને પ્રકાશ વચ્ચે જેવો સંબંધ છે તેવો જ સંબંધ શ્રદ્ધા અને માન્યતા વચ્ચે છે. પ્રકાશ એ શકિત છે, અને જયારે તેના માર્ગમાં કોઇ દીવાલ આવે ત્યારે તે દીવાલનો પડછાયો પડે છે અને તે સ્થળે પ્રકાશ ઝાંખો લાગે છે. વળી પડછાયો જોઇને એ દીવાલ શેની બનેલી છે એ જાણી શકાતું નથી.

પથીક - મણકો એક






આત્મા પોતે પોતાની મેળે ઊભું કરે છે એ સિવાયનું બીજું અંતર ક્યાંય નથી. આપણી પાસે સમયની ગણનાનાં જે સાધનો છે – સૂયૅ, ચંદ્ર, તારા , તેના વડે સમયની ગણના કરવાનું આપણે ક્યારે ભુલીશું? જ્યારે માણસના દિલમાં પ્રેમનો એક જ સાચો અંકુર ફૂટે છે ત્યારે કાળની બધીજ ગણતરીઓ એના માટે ખોટી નીવડે છે. એવા હ્રદયને માટે એક પળની રાહ જોવી એ હજારો નરક કરતાં પણ મોટું નરક હોય અને હજારો વરસની રાહ જોવી એ એક પળ કરતાં પણ ન્યૂન હોય. પ્રેમની કસોટી જ આ : એ કાલાતીત છે.
ખલીલ જીબ્રાન 




થોડીવસ્તુઓથી સંતુષ્ટ રહેવું, વૈભવને બદલે સુંદરતા અને ફેશનને બદલે સુઘડતા પસંદ કરવી. સન્માનનીય થવા કરતાં સન્માનપાત્ર થવું. સંપત્તિવાન નહીં, પણ સમ્રુધ્ધ થવું. સખત પરિશ્રમ કરવો, શાંત ચિત્તે વિચાર કરવો, મ્રદુ રીતે વાત કરવી, નિખાલસપણે વતૅવું, તારાઓ, પંખીઓ અને સાધુજનોનાં હ્રદયગાન ખુલ્લા દિલથી સાંભળવાં. બધું આનંદથી ખમી લેવું. હિંમતથી વતૅવું. રાહ જોવી, ઉતાવળ કરવી નહીં, સામાન્યતામાં અણકથી અને અભાનપણે રહેલી આધ્યાત્મિકતાને પ્રગટવા દેવી- આ મારી જીવનભાવના છે.
-  વિલિયમ હેન્રી ચેનિંગ

Tuesday, August 7, 2012

ભાર ભરેલું ભણતર




આજનું બાળક વધારે બુદ્ધિશાળી છે ?
આપણે એક એવી ભૂલભરેલી માન્યતામાં જીવીએ છીએ કે આજકાલનાં બાળકો અગાઉની પેઢીનાં બાળકો કરતાં વધારે બુદ્ધિશાળી અને ચબરાક છે અને તેમની શીખવાની ક્ષમતા વધી છે. કુમળા બાળમાનસ પર આકરા અભ્યાસક્રમનો બોજ નાખતી વેળાએ આપણા કેળવણીકારો તેમજ નીતિવિષયક ઘડવૈયાઓ ચોક્કસપણે જ આ માન્યતાનો ભોગ બનેલા જણાય છે. કમનસીબે માબાપ અને સમાજ પણ આ માન્યતાથી મુક્ત રહી શક્યા નથી. પરિણામે બાળકોને ચોતરફથી અસહ્ય અપેક્ષાઓનો બોજ સહન કરવાનો આવ્યો છે.
માનવીનું મગજ પેઢી-દર-પેઢી વધારે ને વધારે વિકાસ કરી રહ્યું છે એ ખરું, પણ એના ફેરફારો કંઈ બે કે ત્રણ જ પેઢીના સમયગાળામાં ઊડીને આંખે વળગે તેવા સ્પષ્ટ અને નોંધપાત્ર બનતા નથી. આપણે તો ત્રણથી ચાર દાયકાના ટૂંકા સમયગાળામાં જ શિક્ષણમાં પ્રયોગશીલતાના નામે આકરા ફેરફારો અમલમાં મૂક્યા છે. કુમળા બાળકનું મગજ તે બોજ ઉઠાવી શકે તેમ છે કે નહીં તેનો આપણે કદી વિચાર કર્યો નથી.
આજનું બાળક વધારે બુદ્ધિશાળી બન્યું છે એવું જો આપણે માનતા હોઈએ તો એ આપણો નર્યો ભ્રમ છે. સમય જેમ જેમ બદલાય છે તેમ તેમ તેનો સામનો કરવાની નવી નવી ક્ષમતાઓ માનવ મગજે કેળવવી પડે છે. બાળમાનસને પણ આ હકીકત લાગુ પડે છે. અત્યારનો યુગ માહિતીનો યુગ ગણવામાં આવે છે. આગલી પેઢી કરતાં આજની નવી પેઢીને ઘણી વધારે માહિતીઓ યાદ રાખવાની અને ગોખવાની પળોજણનો સામનો કરવો પડ્યો છે. માણસનું મગજ અમુક હદ સુધી આ માટે તૈયાર થઈ શક્યું છે એ ખરું, છતાં એની બુદ્ધિમત્તા વધી ગઈ છે એવું તારણ કાઢવું વધારે પડતું છે. માણસની ભણવાની સરેરાશ ઉંમર 25 જ વર્ષ સુધીની ગણીએ તો અગાઉ શાળા-મહાશાળાના શિક્ષણનાં વર્ષો પૂરાં કરતાં સુધીમાં આપણે જેટલું ઔપચારિક માહિતીજ્ઞાન પ્રાપ્ત કરતા તેના કરતાં અનેકગણું વધારે જ્ઞાન એટલા જ ટૂંકા ગાળામાં આજનાં બાળકોને મેળવવાનું આવ્યું છે. પહેલાં ગણિત અને વિજ્ઞાનનો જે અભ્યાસક્રમ કૉલેજના બીજા કે ત્રીજા વર્ષ સુધીમાં સમાવવામાં આવતો તે આજે હવે અગિયારમા કે બારમા ધોરણનાં પાઠ્યપુસ્તકોમાં સમાવી લેવાની આજના કેળવણીકારોને ફરજ પડી છે. આમ કરવામાં સ્પર્ધાનું તત્વ કામ કરી ગયું છે. ગુજરાતનો સરેરાશ વિદ્યાર્થી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્પર્ધામાં ઊભો રહી શકે તે મુદ્દો ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે 1975ની સાલ પછી સતત ફેરફારો કરાતા રહ્યા છે. આમ કરવામાં બાળકના મગજની ક્ષમતાનો જરાપણ વિચાર કરવામાં આવ્યો નથી તે હકીકત છે. એક આખી ને આખી પેઢીને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે સમાન સ્તરે સ્પર્ધાત્મક રીતે આગળ લઈ જવાનું જાણે કે એક સામાજિક અને રાજકીય કાવતરું કામ કરી રહ્યું છે. પરિણામે બાળક જે જ્ઞાન મેળવે છે તે કેવળ માહિતીલક્ષી અને પાઠ્યપુસ્તકિયું બનીને રહી ગયું છે. આવું શિક્ષણ આપવાથી ત્રણથી ચાર દાયકાના ટૂંકા ગાળામાં તે વધારે બુદ્ધિશાળી બની ગયું છે એવું માનવું ભારોભાર ભૂલભરેલું છે. આમ માનીને આપણે તેના પર વધારે ને વધારે બોજ નાખતા ગયા છીએ.


માહિતીજ્ઞાન અને બુદ્ધિમત્તા વચ્ચેનો તફાવત
વાસ્તવમાં માહિતીજ્ઞાન અને બુદ્ધિમત્તા એ બંને વચ્ચે તફાવત છે એ આપણે ધ્યાનમાં લેતા નથી. જ્ઞાનાત્મક વિકાસમાં બાળક પ્રથમ માહિતીજ્ઞાન મેળવે છે અને પછીના ચરણમાં બુદ્ધિમત્તા કેળવતું હોય છે. પ્રાપ્ત કરેલી માહિતીને સાર્થક રીતે વ્યવહારમાં ઉપયોગમાં મૂકતા થવું એ બુદ્ધિમત્તા છે. આ કાર્ય એના મગજ પર માહિતીઓનો ખડકલો કરી દેવાથી હાંસલ થતું નથી. એને શાળામાં જે ભણાવવામાં આવે છે તે કેવળ પાઠ્યપુસ્તકિયું અને ઉપલકિયું હોય છે. તેમાં વ્યવહારનો અંશ ભળેલો હોતો નથી. કોરા માહિતીજ્ઞાનને પોતાની મર્યાદાઓ છે; તેમ સમસ્યાઓ પણ હોય છે, એનાથી આપણી બુદ્ધિમત્તા કેળવાતી નથી. નવા શિક્ષણે બાળકોને માહિતીપ્રચૂર જરૂર બનાવ્યાં છે, પણ બુદ્ધિશાળી નહીં.
નવી પેઢીનાં બાળકોના ઉછેરમાં છેલ્લાં થોડાં વર્ષોમાં એક મહત્વનો તફાવત જોવા મળ્યો છે, જેણે એની બુદ્ધિમત્તા પર અવળી અસર પેદા કરી છે – એને પસંદગીની વિશાળ તકો અને શ્રેણી ઉપલબ્ધ બની છે. પહેરવાનાં કપડાં, રમવાનાં રમકડાં, ખાવાપીવાની ચીજો, મનોરંજનના સાધનો, ટીવીની ચેનલો અને હરવા-ફરવાનાં સ્થાનોથી માંડીને ભણવાના વિષયોમાં એને ઘણી પસંદગીઓ મળી રહે છે. કારકિર્દીના ઘડતર બાબતમાં અગાઉની પેઢીઓ પાસે જે પસંદગીઓ હતી તેની સરખામણીમાં આજની પેઢીને વધારે પસંદગીનો અવકાશ મળે છે. બારમા ધોરણ પછી શું કરવું તે નક્કી કરવા માટે આજનો વિદ્યાર્થી વધારે વિકલ્પો ધરાવતો હોય છે. પણ જેમ જેમ એની પાસે પસંદગીના વિકલ્પો વધતા ગયા છે તેમ તેમ એની બુદ્ધિ પણ ગૂંચવાતી ગઈ છે. મનોવિજ્ઞાનનું એક સરળ તથ્ય છે કે સુખ પસંદગીઓના અને વિકલ્પોના વિસ્તારમાં નથી પણ તેને મર્યાદિત બનાવવામાં રહેલું હોય છે. માણસ સમક્ષ જેમ જેમ વધારે ને વધારે પસંદગીઓ મૂકો તેમ તેમ તેનો અસંતોષ વધતો જાય છે, તેની ગૂંચ વધતી જાય છે અને તેની વિવેકશક્તિ વધારે મૂંઝાવાને કારણે નિર્ણય લેવામાં ભૂલ કરવાની સંભાવના ઘણી વધી જતી હોય છે. બરાબર આ જ હાલત આજની ઊછરી રહેલી પેઢીની થયેલી જોવા મળે છે. એની સુખની માત્રા ઘણી ઘટી છે અને સામે પક્ષે અસંતોષ, લોલુપતા, ભૌતિક મહત્વાકાંક્ષાઓ અને લોભ અનેકગણાં વધી ગયાં છે. આનું આડકતરું પરિણામ એ આવ્યું છે કે નવી પેઢી ભારોભાર માનસિક ગૂંચવણની સ્થિતિમાં પોતાનો અભ્યાસ અને વ્યવસાયની કારકિર્દી ઘડી રહી છે. આનો દોષ આપણા માથે છે. આપણે આપણાં સંતાનોને હતાશાની ઊંડી ખાઈમાં ધકેલી રહ્યા છીએ. અતિશય માનસિક તાણમાં જીવવાની આપણે એમને ફરજ પાડી રહ્યા છીએ. પરિણામે યુવાન પેઢીમાં હતાશા, અસંતોષ અને આત્મહત્યાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. દસમા ધોરણની પરીક્ષા કે એનું પરિણામ હજુ તો એકાદ બે મહિના દૂર હોય ત્યાં જ એના ગભરાટથી પોતાનું જીવન ટૂંકાવી નાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા આપણા રાજ્યમાં દર વર્ષે વધી રહી છે છતાં આપણી આંખ હજુ કેમ ઊઘડતી નથી એ સમજાતું નથી !

શાળાઓ બાળકોના શિક્ષણમાં અંતરાયરૂપ છે !
બાળક માત્રમાં શીખવાની જન્મજાતવૃત્તિ રહેલી હોય છે. બે વર્ષથી નાની ઉંમરનાં બાળકોને એમના વાતાવરણના સંપર્કથી આપમેળે શીખવા માટે નિરંતર વિકસતી જતી જ્ઞાનેન્દ્રિયો, શીખવા માટે સતત સતર્ક મગજ, આવશ્યક કુતૂહલવૃત્તિ, અવલોકનશક્તિ, પ્રયોગશીલતા, એકાગ્રતા, તન્મયતા, અપાર ધીરજ, અનુકરણશક્તિ, કલ્પનાશીલતા અને સૌથી વધુ તો ભૂલોમાંથી શીખવાની સહજ આવડતની કુદરતી બક્ષિસ મળેલી હોય છે. કમનસીબી એ છે કે શાળામાં મૂક્યા પછી એ પોતાની આ બક્ષિસ ગુમાવી બેસે છે અને ગોખણિયું બની જાય છે. શાળાઓ બાળકોને પરીક્ષાના, માનહાનિ, અણઆવડતના, નિષ્ફળતાના, ગૂંચવાડાના અને ડરપોકપણાના ઓથાર તળે જીવતાં કરી મૂકે છે. આપણે એવી ભ્રમણામાં જીવીએ છીએ કે ગણિત, વિજ્ઞાન અને વાચન-લેખનની કુશળતામાં જ બાળકના ભાવિ જીવનની સફળતા અને સુખનો પાયો છે. વાસ્તવમાં શાળાશિક્ષણ જીવનલક્ષી નહીં, પણ કેવળ વ્યવસાયલક્ષી અને કારકિર્દીલક્ષી જ બનીને રહી ગયું છે. ગોખણપટ્ટી કરીને મેળવેલું માહિતીજ્ઞાન જ્યારે જીવનની વાસ્તવિક કપરી પરિસ્થિતિઓમાં કામે લગાડવાનું આવે છે ત્યારે એ અણીને વખતે દગો દઈ જાય છે, તેથી સમાજમાં હતાશા અને આત્મહત્યાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બાળકની અંદર રહેલી રસવૃત્તિ, કુતૂહલ શક્તિ, શારીરિક અને માનસિક ક્ષમતા, બુદ્ધિમત્તા, સૃજનાત્મકતા અને કલાત્મક અભિરુચિને પોષવાની આપણી શાળાઓમાં કાબેલિયત નથી. આપણે આપણાં બાળકોને વિષયલક્ષી અભ્યાસક્રમો, પાઠ્યપુસ્તકો, દફતર, ગૃહકાર્ય, નિરસ ઈતર પ્રવૃત્તિઓ, અંગ્રેજી ભાષાના પારકા માધ્યમાં ભણવાની લાચારી, ટ્યુશન, પરીક્ષાઓ, સ્પર્ધાત્મક મૂલ્યાંકનો, સતત આગળ રહેવાની હોડ અને આપણી બેસુમાર અપેક્ષાઓનો બોજ વહન કરનારા વેઠિયાઓ બનાવી મૂક્યાં છે. આપણે એવી ભૂલભરેલી ગ્રંથિથી પીડાઈએ છીએ કે બાળકોને સભ્યતા, નાગરિકતા અને સામાજિકતાના પાઠ શીખવવા માટે સ્કૂલો અનિવાર્ય છે. એમને સ્કૂલમાં ન બેસાડીએ તો એ અણઘડ અને ગમાર રહી જશે એવો આપણને ડર સતાવે છે.
વિખ્યાત રશિયન કેળવણીકાર વસીલી સુખોમ્લિન્સકી કહેતા કે આપણી શાળાઓ કેદખાના જેવી છે, એ આપણાં બાળકોને જીવનના સમૃદ્ધ અનુભવથી વંચિત રાખે છે. ચંચળતા, નિર્દોષતા અને આનંદ મેળવવાની સહજ વૃત્તિ એ બાળક માત્રની નૈસર્ગિક શક્તિ હોય છે. શાળાઓ એમની આ સંપત્તિને છીનવી લે છે. વખત જાય તેમ એ જીવનને માણવાની આવડત ગુમાવી બેસે છે અને અતિગંભીર અને ભારેખમ બનતું જાય છે. જીવનને એ બોજ માનતું થઈ જાય છે. કામ એના માટે વેઠ બની જાય છે. એની અંદરનું બાળક કાયમ માટે મરી જાય છે. ભણતર પૂરું કરીને બહાર નીકળે ત્યાં સુધીમાં તે સ્વાર્થી, ખટપટિયું, સંકુચિત, આપમતલબી અને વેઠિયું બની જાય છે, એ જ આજના શિક્ષણની આગવી દેન છે. જે ભણતરથી માણસ માણસ મટી જાય એને આપણે સામાજિકતાના પાઠ શી રીતે કહી શકીએ ?

ભણતર અને કેળવણી જુદાં છે
આપણે એ ન ભૂલીએ કે બાળકને ભણાવવામાં અને કેળવવામાં તફાવત છે. શાળાઓ બાળકને ભણાવવામાં અમુક હદ સુધીની જ ભૂમિકા ભજવી શકે, પણ આધુનિક શિક્ષણ પદ્ધતિની પોતાની ઘણી મર્યાદાઓ છે. એ જોતાં આપણે આપણાં બાળકોને ભણાવવામાં શાળાઓ પર વધારે પડતો મદાર ન રાખીએ. જીવનનું સાચું શિક્ષણ અને વ્યવહારલક્ષી કેળવણી તો વર્ગખંડની બહાર જ થઈ શકે. આપણે જો એમ માનતા હોઈએ કે ડિગ્રી મળી જાય એટલે આપણું ભણતર પૂરું થયું ગણાય, તો એ આપણી સૌથી મોટી ભૂલ છે. ખરું ભણતર અને સાચી કેળવણી તો વાસ્તવમાં શાળા-મહાશાળામાંથી બહાર નીકળ્યા પછી જ શરૂ થતું હોય છે. સૌથી ઉત્તમ શિક્ષક જીવન છે અને સૌથી શ્રેષ્ઠ શાળા પણ એ જ છે. ભાર વગર ભણવાની અને વ્યવહારુ ડહાપણ શિખવાડવાની સંભવિતતા જેટલી, એનામાં સમાયેલી છે એટલી શાળા-મહાશાળાઓમાં ક્યાંથી હોય ?! સાથે આપણે એ પણ ન ભૂલીએ કે બાળકના સૌથી ઉત્તમ શિક્ષક તો એના માબાપ જ નીવડી શકે છે !

Maintain Your Friendship...




10 Points to Maintain Friendship

1. FOCUS ON WHAT YOU CAN GIVE TO A FRIEND, NOT WHAT YOU CAN GET OUT OF A FRIENDSHIP.
If being happy is your only motive for wanting someone to be your friend, then you are not being a real friend. Don't get caught up in keeping tabs on who has given most in the friendship. Give to your friends regardless of how much they give to you.

2. ENCOURAGE YOUR FRIEND.
Real friends inspire and push each other to be the best that they can be, rather than drag each other down. They are happy when other people achieve their goals.

3. BE WILLING TO FORGIVE.
Don't let hurt turn to grudge. This is one sure way to destroy a friendship. Forgive your friend and move on.

4. TACTFULLY POINT OUT THEIR MISTAKES.
This is one way to show concern for others. If you really care, you will tactfully point out a specific example for his own good. But once you've brought the problem to your friend's attention, don't harp on it all the time. Don't walk away from a friendship when you see some of your friend's faults. Be patient with a friend as he or she tries to change. Realize that nobody is perfect.

5. BE RELIABLE.
When you say you are going to be there, be there.

6. DON'T TRY TO CONTROL YOUR FRIENDS.
Real friendship does not mean you always have to be together. It may be tempting to have a fun person all to yourself, and feel threatened when your friend spends time with others. If you are afraid to let your friends out of your sight, you are probably afraid of losing them. Good friendship will endure time spent apart. You and your friends may learn to appreciate each other even more.

7. BE THERE FOR THE GOOD AND THE BAD TIMES.
Celebrate with them if your friends are excited about something. But don't be there just for the good times. When your friend is upset about something, give them your full attention. Most of the time, what friends really need is a sympathetic ear, someone who understand their feelings.

8. LEARN TO ACCEPT PERSONALITY DIFFERENCES IN YOUR FRIENDS.
Be careful not to evaluate other people by how you react in a particular situation. Do not automatically take your friends' behavior personally.

9. DON'T BE A BLABBERMOUTH.
Learn and be willing to keep each other's secrets.

10. DON'T LET ARGUMENTS DESTROY YOUR FRIENDSHIP.
Suppose you're having a discussion with a friend and after you've said what you think is true, they still disagree. Don't keep arguing until you get mad with each other. Just drop it. Your desire to win the argument may ruin your friendship.



Swami Vivekananda's Speech in Chicago, Sept 11, 1893







Sisters and Brothers of America,

It fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of the most ancient order of monks in the world; I thank you in the name of the mother of religions, and I thank you in the name of millions and millions of Hindu people of all classes and sects.
Swami Vivekananda My thanks, also, to some of the speakers on this platform who, referring to the delegates from the Orient, have told you that these men from far-off nations may well claim the honor of bearing to different lands the idea of toleration. I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. We believe not only in universal toleration, but we accept all religions as true. I am proud to belong to a nation which has sheltered the persecuted and the refugees of all religions and all nations of the earth. I am proud to tell you that we have gathered in our bosom the purest remnant of the Israelites, who came to Southern India and took refuge with us in the very year in which their holy temple was shattered to pieces by Roman tyranny. I am proud to belong to the religion which has sheltered and is still fostering the remnant of the grand Zoroastrian nation. I will quote to you, brethren, a few lines from a hymn which I remember to have repeated from my earliest boyhood, which is every day repeated by millions of human beings: "As the different streams having their sources in different paths which men take through different tendencies, various though they appear, crooked or straight, all lead to Thee."
The present convention, which is one of the most august assemblies ever held, is in itself a vindication, a declaration to the world of the wonderful doctrine preached in the Gita: "Whosoever comes to Me, through whatsoever form, I reach him; all men are struggling through paths which in the end lead to me." Sectarianism, bigotry, and its horrible descendant, fanaticism, have long possessed this beautiful earth. They have filled the earth with violence, drenched it often and often with human blood, destroyed civilization and sent whole nations to despair. Had it not been for these horrible demons, human society would be far more advanced than it is now. But their time is come; and I fervently hope that the bell that tolled this morning in honor of this convention may be the death-knell of all fanaticism, of all persecutions with the sword or with the pen, and of all uncharitable feelings between persons wending their way to the same goal.

An Interview With God!!!!




I dreamed I had an INTERVIEW WITH GOD.

“So, you would like to interview me?” GOD asked.

“If you have time,” I said.

GOD smile. “My time is eternity… what questions do you have in mind for me?”

“What surprises you the most about humankind?”

GOD answered…

“That they get bored with childhood, that they rush to grow up, and then long to be children again.”

“That they lose their health to make money… and then lose their money to restore their health.”

“That by thinking anxiously about the future, they forget the present, such that they live in neither the present nor the future.”

“That they live as if they would never die, and die as though they had never lived.”

GOD’s hand took mine… and we were silent for a while.

And then I asked, “As a parent, what are some of life’s lessons you want your children to learn?”

GOD replied, “To learn they cannot make anyone love them. All they can do is let themselves be loved.”

“To learn that it is not good to compare themselves to others.”

“To learn to forgive by practicing forgiveness.”

“To learn that it only takes a few seconds to open profound wounds in those they love, and it can take many years to heal them.”

“To learn that a rich person is not one who has the most, but is one who needs the least.”

“To learn that there are people who love them dearly, but simply do not yet know how to express or show their feelings.”

“To learn that two people can look at the same thing, and see it differently.”

“To learn that it is not enough that they forgive one another, but they must also forgive themselves.”

“Thank you for your time,” I said humbly.

“Is there anything else you would like your children to know?”

GOD smiled, and said… “Just know that I am here.” “Always.”

Power of Thought - by Swami Vivekananda




1. Doing is very good, but that comes from thinking. Little manifestations of energy through the muscles are called work. But where there is no thought, there will be no work. Fill the brain, therefore, with high thoughts, highest ideals, place them day and night before you, and out of that will come great work.

2. Take up one idea. Make that one idea your life—think of it, dream of it, live on that idea. Let the brain, muscles, nerves, every part of your body, be full of that idea, and just leave every other idea alone. This is the way to success.

3. If you have assimilated five ideas and made them your life and character, you have more education than any man who has got by heart a whole library.

4. It is thought which us the propelling force in us. Fill the mind with the highest thoughts, hear them day after day, and think them month after month. Never mind failures; they are quite natural, they are the beauty of life, these failures. What would life be without them? It would not be worth having if it were not struggles.

5. The only remedy for bad habits is counter habits; all the bad habits that have left their impressions are to be controlled by good habits. Go on doing good, thinking holy thoughts continuously; that is the only way to suppress base impressions.

6. Always remember that each word, thought, and deed lays up a store for you and that as the bad thoughts and bad works are ready to spring upon you like tigers, so also there is the inspiring hope that the good thoughts and good deeds are ready with the power of a hundred thousand angels to defend you always and for ever.

7. Let positive, strong, helpful thought enter into their (children’s) brains from very childhood.

8. Evil thoughts, looked at materially, are the disease bacilli.

9. The body is made by the thought that lies behind it. The body politic is thus the expression of national thought.

10. If we make ourselves pure and the instruments of good thoughts, these will enter us. The good soul will not be receptive to evil thoughts. evil thoughts find the best field in evil people; they are like microbes which germinate and increase only when they find a suitable soil.

11. Those who are always down-hearted and dispirited in this life can do no work

One Short Story but Insipirational Story..





The history of the baby frog.......






Once upon a time there was a bunch of baby frogs....

… participating in a
competition.
The target was to get to the top of a high tower.

A crowd of people had gathered to observe the race and encourage the participants.....

The start shot rang out.......



Quite honestly:
None of the onlookers believed that the baby frogs could actually accomplish getting to the top of the tower.
Words like:
"Åh, it’s too difficult!!!
They’ll never reach the top."
or:
"Not a chance... the tower is too high!"


One by one some of the baby frogs fell off…
...Except those who firstly climbed higher and higher..

The crowd kept on yelling:
"It’s too difficult. Nobody is going to make it!"

More baby frogs became tired and gave up...
...But one kept going higher and higher.....
He was not about giving up!

At the end everybody had given up, except the one determined to reach the top!
All the other participants naturally wanted to know how he had managed to do what none of them others had been able to do!


One competitor asked the winner, what was his secret?



The truth was.......
The winner was deaf!!!!



The lesson to be learned:

Don’t ever listen to people who are negative and pessimistic...
…they will deprive you of your loveliest dreams and wishes you carry in your hear!
Always be aware of the power of words, as everything you hear and read will interfere with your actions!

Therefore:
Always stay…




POSITIVE!



And most of all:
Turn a deaf ear when people tell you, that you cannot achieve your dreams!




Always believe:
You can make it!

Friday, January 13, 2012

ગુજરાતી નાટક : આપણા ઘર માં “No Entry”



ગુજરાતી નાટક : આપણા ઘર માં “No Entry”


Enjoy!

Maa baap ne bhulso nahi (માં બાપ ને ભૂલશો નહિ)



If understand Gujarati and you’ve got 2 hours time, please please please watch this program. It is highly likely that your eyes will be wet and you will call your parents immediately after watching it.
If you don’t have 2 hours, go through this one atleast.



Gujarati Natak : બે લાલ ના રાજા (Be Lal na Raja)



Cast: Aliraza Namdar, Vinayak Ketkar, Kaushal Shah, Jaydeep Shah, Anuradha Kanabar, Vijayalakshmi, Disha Vakhani, Shivani Joshi
Director : Arvind Joshi
Synopsis: The daughter of a renowned lawyer falls in love with the son of a cattle herder. The lawyer will not stand for it. But the cattle herder is made of sterner stuff. He is ready to do battle with the lawyer, with the help of another lawyer. When two lawyers argue for and against love, fun and laughter are not far behind.

Wednesday, January 11, 2012

traditionalday on 31 disember 2011












''નકશો તો આપમેળે બન્યો''


એક વખત એક નાનકડો બાળક તેના પિતાને વારંવાર હેરાન કરી રહ્યો હતો. તેના પિતાજી લાકડાની એક ખુરશી પર બેસીને છાપુ વાંચી રહ્યાં હતાં અને આ બાળક પણ પોતાની ધૂનમાં મસ્ત રહીને તેના પિતાના પગના પાઈચા ખેચીને રમત કરી રહ્યો હતો. 

થોડી વાર સુધી તેના પિતા કંઈ ન બોલ્યાં પણ બાળક હજુ ગેલમાં જ હતો અંતે તેના પિતાજી થાક્યાં અને તેમણે એક કીમિયો શોધી કાઢ્યો. તેમણે છાપાનું એક પન્નુ કાઢ્યું. જેમાં કોઈ દેશનો નકશો હતો. પિતાજીએ આ નકશાના આડા-અવળા ચાર-પાંચ ટુકડા કર્યાં અને પછી આ ટુકડા બાળકના હાથમાં સોંપતા કહ્યું ''ચાલ બેટા આ નકશો જોડી આપ તો.''

તેમને એમ હતું કે, પોતાનું સંતાન આ નકશાને જોડવામાં ઓછામાં ઓછી અડધી અથવા એક કલાક તો કાઢી જ નાખશે અને ત્યાં સુધીમાં તેઓ પણ નિરાંતે પોતાનું છાંપી વાચી શકશે પરંતુ બન્યું એવું જેવું તેમણે ધાર્યું ન પણ ન હતું. બાળકે માત્ર બે જ મિનિટમાં નકશો જોડી આપ્યો. પોતાના પુત્રની ચતુરાઈ પણ પિતાને આશ્વર્ય થયું તેમણે પુછ્યું 'બેટા આવો અઘરો નકશો તે આટલી જલ્દી કેવી રીતે જોડી નાખ્યોં કદાચ મેં ખુદ તેને જોડવાનો પ્રયત્ન કર્યો હોત તો મારે ઓછામાં ઓછી દસ મિનિટ જરૂર લાગત તો પછી તે કેવી રીતે જોડી નાખ્યો.'' 

બાળકે પોતાની નિર્દોષ આંખો વડે તેમની સામે સ્મિત ફરકાર્વ્યું અને પછી ઘણા ધીરા સ્વરે પોતાના પિતાને કહ્યું '' પપ્પા મેં નકશો નથી જોડ્યાં મેં તો આ નકશા પાછળ એક વ્યક્તિનો ફોટો હતો તેને જોડ્યો છે તેના હાથ-પગ, માથાને જોડ્યું છે નકશો તો આપોઆપ જ બની ગયો.
 

ભગવાનનો પત્ર ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા





તારીખ : આજની જ. 
પ્રતિ,
તમોને જ
વિષય : જિંદગી અને તમે !
ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર
પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના
મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :
[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર
એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા
સમયે, તમારા સમયે નહીં !
[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.
[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે….
હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
એ જ લિ,
ભગવાનની આશિષ.

ગુજરાતીને લલકારતા નહી,,,,, નૈ તો…???


હુ ભુરીયો દ્વારકાવાળો.
એક વાર મારે મુંબઈ જાવાનું થ્યુ.હુ પેલા તો દ્વારકાથી રાજકોટ મારા મિત્રને ત્યાં ઉતર્યો અને બે દિવસ રાજકોટ મિત્રને ત્યાં રોકાયા બાદ રાજકોટથી પુના જાતી રેલગાડીમાં બેઠો.
મારી બાજુમાં એક ૨૭ વરહના ભાઈ બેઠા.ટ્રેન તો ચાલતી થઈ.હવે તમને બધાયને ખબર છે કે હુ તો દોઢડાહ્યો.કોકને અટક ચારો કર્યા વગર છુટકો નહિ.
મે બાજુવાળા ભાઈને ટાઈમ પુછ્યો.ઈ ભાઈએ કિધુ “અભી તો ૪ બજે હૈ,આપ કો કહા જાના હૈ ?”….હું વિચાર કરુ કે લાગે છે આ ભૈ ગુજરાતી અને હિન્દી કા બોલે ?…
મે કિધુ “મુઝે,મુંબઈ મુકામે જાના હૈ”..
ઈ ભાઈ એ કિધુ “અચ્છા ,અચ્છા….”
મે કિધુ “ઓર તમારે કહા જાના હૈ..?”
..ઈ ભાઈએ કિધુ “અંકલેશ્વર જાના હૈ..?”
..મે કિધુ “પણ યે તો સુપર ફાસ્ટ ગાડી હૈ,ક્યાંક જ ઉભી રેતી હૈ.મોટા મોટા ટેશને ઉભી રેતી હૈ,અંકલેશ્વર બહોત નાના શહેર હૈ,વહા નહી ઉભી રેતી”..
ઈ ભાઇ મારુ હિન્દી હાભળિને દાંત કાઢતો કાઢતો ક્યે સે “તુ ગુજરાતી છો ?”…..
મે કિધુ “માથેથી પગના તળિયા હુધી પાક્કો ગુજરાતી”….
ઈ ભાઈએ કિધુ “હુય ગુજરાતી છુ”..
મે કિધુ “એલા કોડા, તો અત્યાર હુધી હુ મગજનું દહી કરતો’તો”…
પછી અમારા બેયનું જાયમુ હો.ઠેટ ઈ ભાઈનું ટેશન નજીક આવ્યુ યા હુધી.અને પસી ખબર પડી કે મારો હારો કાઠિયાવાડી નિકળો…
ઈ ભાઈએ કિધુ કે “એલા ભુરા, અંકલેશ્વર તો ગાડી નહી ઉભી રહે ,તો હવે હુ કરવુ ?”…
મે કિધુ થોડીક “ધાયણા રાખ…. જો, અંકલેશ્વર ટેશન આવે એટલે ગાડી ધિમી પડે,તારી ઠેકડો મારીન ઉતરવાની તૈયારી હોય તો બોલ?”..
ઇ ભાઈએ કિધુ ” ઠેકડો મારવામાં આપડૉ પેલો નંબર હો “….
અંકલેશ્વર ટેશન આયવુ એટલે મે કિધુ ” માર ઠેકડો…”….ઓલા ભાઈએ જે ઠેકડો માયરોને કે ઈ દોડતો દોડતો આગલા ડબ્બા હુધી પોચી ગ્યો,,ઓલા આગલા ડબ્બાના દરવાજા પાહે ઉભેલા ભાઈને એમ કે એને ઉપર ચડવુ હૈશે,,,તો ઇમણે ભાઈનું બાવણુ
પકડીન ઉપર ખેચી લિધો..સિધો સુરત ભેગો કરી દિધો…અને ઈ ભાઇ સુરત ઉતરી ગ્યા…
સુરતથી વલસાડ હુધી તો હું કંટાળી ગ્યો.કેમ કે..મારી બાજુમાં બે છોકરીયુ આવીને બેઠી…હવે એની હામે દોઢડાહ્યુ થવા જાય તો..સેંડલ ખાવાની તૈયારી રાખવી પડે…
હવે વલસાડથી એક ભાઈ મારી બાજુમાં બેઠા હો…ઈ ભાઈનુ રુપ જોઈન તો લાગતુ’તુ કે આ ભાઇ તાજો તાજો રંડાણો હોય .પહેલવાન જેવો બાંધો,વાહે બે છોકરા લટકાયવા હોય એવો થેલો,પાટલુંગમાં કોકે બ્લેડ મારી દિધેલી,માથુ તો જાણે દેશી કુકડાની
કલગી જેવુ…અને વાહે એની જરસી માં લખ્યુ’તુ “Aal Izz well”..મે મનમાં કિધુ
“ઓલ ઇઝ ક્યાથી વેલ ?…”
થોડીક વાર તો બેય મુંગા બેઠા રહ્યા…ઓલા અંકલેશ્વરવાળા ભાઈ હારેનો મારો અનુભવ હતો એટલે પેલા મે પૂછી લિધુ.. “તમે ગુજરાતી છો ?”..
એણે જવાબ આપ્યો ” કાઈ જાલા ?”[મરાઠીમાં] (કાઈ જાલા એટલે શુ થયુ ?)
મે કિધુ “કાઈ નથી જાયલુ ?…”
મે પસી હિન્દીમાં કિધુ ” આપ ગુજરાતી હૈ ?”…
એણે કિધુ ” નહી ,નહી..મરાઠી”….
મે કિધુ “તૈ ઠિક લ્યો…! “
થોડીકવાર થૈ એટલે મારા મિત્ર ને ત્યાંથી મેથીના થેપલા અને સુકી ભાજી [બટેકાનું શાક] લિધુતુ ઇ કાઈઢુ..હવે આપણા ગુજરાતીનો સ્વભાવ છે કે જમવાનું શરુ કરતા પહેલા આજુ-બાજુ વાળાને આમંત્રણ આપી અને પછી જ જુહટવાનું શરુ
કરીયે…
મે ઓલા મરાઠી ભાઇને કિધુ…”હાલો ખાના ખાવા”
મરાઠી ભાઈ [દાંત કાઢતો ,કાઢતો]..” તુમ ગુજરાતી લોગો કો આલુ બહુત પસંદ હૈ ક્યાં ?….યે દેખ મેરી મસલ્સ..?..યે દેખ સીક્સ પૅક એબ્સ ..?તુ ગુજરાત લોગ આલુ ઓર ખિચડી હી ખાઓ…અંડા ઓર ચિકન ખાને સે બનતે હૈ સીક્સ પૅક એબ્સ..ખિચડી
ખાને સે નહી ..!”
હુ મનમાં વિચાર કરુ કે આણે એક કાઠિયાવાડી અને ગુજરાતીને લલકાર્યો સે.આને કાઈક મેથી પાક ચખાડવો પડસે…પેલા હું મિત્રને ઘરેથી જી મેથીના થેપલા અને સુકી ભાજી લ્યાયવો તો …ઈ પેટ ભરીને જુહટી લિધી..પસી ઓલા મરાઠીનો વારો
હતો..જુહટવાનો….!
જી રેલ્વેમાં મુસાફરી કરતા હૈસે એને ખબર હૈસે કે રેલગાડીમાં એક આપાતકાલિન ચેન હોય સે.. ઈ ખેચવાથી ગાડી ઊભી રહી જાય.હવે જો ઈ ચેન કોઈ આપાતકાળ વગર ખેચવામાં આવે તો ..ઈ ચેન ખેચવા વાળાને રેલ્વે પોલિસવાળા જેલ
ભેગો કરી દયે…
.હવે ગુજરાતીના સીક્સ પૅક એબ્સ બતાવાનો વારો હતો..
હુ ઊભો થ્યો અને ચેન ખેચવાનો પ્રયત્ન કરવા લાગ્યો…હુ અમથો-અમથો બળ લગાવીને ચેન ખેચવાનો ઢોગ કરતો હતો.
ત્યાં ઓલો મરાઠી પેહેલવાન ભાઈ ઊભો થ્યો…અને મારા હાથ માંથી ચેન છોડાવીને કિધુ “તુમ ગુજરાતી લોગ મે ઈતની ભી તાકત નહી હૈ ક્યાં..?..હા હા હા..અને જે જોરથી ચેન ખેયચો.. ટ્રેન ત્યાં જ ઊભી રહી ગઈ..અને ટ્રેનમાં રેલ્વે
પોલિસવાળા આવી ગ્યા…
પોલિસવાળાએ કિધુ “ચેન કિસને ખીચી ..?”
ડબ્બા બધાય બેઠા’તા..ઈ બધાયે ઓલા મરાઠી હામુ આગળી ચિંધી..
પોલિસવાળાએ ઓલા મરાઠીને પકડી લિધો….પસી મે ઓલા મરાઠીને કિધુ “આ જોઈ લે ગુજરાતીના સીક્સ પૅક એબ્સ….,એકલી મુર્ગી અને ઈડાં નો ખવાય..!..દાળ-ભાત,ખિચડી પણ ક્યાંરેક ખવાય…હો

Saturday, October 8, 2011

વિચિત્ર વિશ્વ




૧. આલ્બાટ્રોસ નામનાં પંખી આખી જિંદગી આકાશમાં (હવામાં) ગાળે છે. માત્ર ઇંડાં મૂકવા ટાપુ ઉપર ઉતરે છે!


૨. નવું જન્મેલું બાળક માત્ર ૮ ઇંચ દૂરનું જોઇ શકે છે! તેથી તેની નજીક જાઓ તો જ તે ‘નજર મિલાવે’ છે!

૩. અમેરિકનો દરરોજ જેટલા પિઝા થાય છે તેને લાઇનસર ગોઠવીએ તો તેનું ક્ષેત્રફળ ૧૮ એકર થાય છે.

૪. ‘છીંક’ની ઝડપ ૧૬૫ કિ.મી./કલાક છે અને આશરે ૫૦૦૦ ભેજકણો સાડા ત્રણ મીટર દૂર ફેંકાય છે!

ખડખડાટ



ગામડાનો એક માણસ મુંબઇ ફર્યા પછી પોતાના ગામ પાછો આવ્યો. તેના મિત્રોએ પૂછ્યું, ‘મુંબઇ વિશે અમને કંઇક કહે ને. તે ત્યાં શું જોયું?’


પેલો માણસ બોલ્યો, ‘મુંબઇ તો સરસ છે, પણ ત્યાંની સરકાર થોડી કંજુસ છે. એક ડ્રાઇવરનો પગાર બચાવવા એક બસની ઉપર બીજી બસ રાખીને ચલાવે છે.

***

રામ (આનંદને) : તારા દાંત કેવી રીતે તૂટયાં?

રામ : હસવાના કારણે.

આનંદ : હસવાના કારણે? આવું તો વળી થતું હશે?

રામ : અરે યાર, હું એક પહેલવાનને જોઇને હસી રહ્યો હતો એટલે.

****

ફેરિયો : ચપ્પું-છરીની ધાર તેજ કરાવી લો.

એક બહેન : ‘ભાઇ, અક્કલ પણ તેજ કરી આપો છો?’

ફેરિયો : ‘હા, બહેન, જો તમારી પાસે હોય તો...’

****

જજ (ગુનેગારને) : ક્યા ગુનાના કારણે તું આજે અહીં છે?

ગુનેગાર : જજસાહેબ, માત્ર એક છીંકના કારણે.

જજ : એ કેવી રીતે?

ગુનેગાર : મેં છીંક ખાધી, ત્યાં જ મકાનમાલિક જાગી ગયો અને તેણે મને પકડી પાડ્યો