Saturday, December 4, 2010

‘ગમ્મત’


                                                        આંગળીઓની કરામત


દોસ્તો આજે આપણે હાથની આંગળીઓની કરામત જોઇએ. આ ફોટા જુઓ. આપણી આંગળીઓ કેવા સંદર દેખાવો આપી શકે છે?????





‘કાગળ કાપણી’





Friday, December 3, 2010

બાળકોની રમતો


ટામેટું


ટામેટૂં



ટામેટૂં

બાળકો, આજે એક મઝાની રમત બતાવું. કદાચ તમે તે રમતા પણ હશો.

આ રમતને ટામેટું કહેવાય છે. તેમાં બધા બાળકો કુંડાળામાં બેસે અથવા ઉભા રહે. એક બાળક વચ્ચે બેસે કે ઉભું રહે. હવે વચ્ચે ઉભેલું બાળક વારા ફરતી, એક એક પછી એક બાળકને સવાલ પૂછે. જેને સવાલ પૂછાય તેણે જવાબમાં માત્ર”ટામેટું” એમ બોલવાનું. આ જવાબ સાંભળી વચ્ચે ઉભેલા બાળકે હસવાનું નહીં. જો ટામેટું ને બદલે બીજો કોઇ જવાબ આપે તો તે આઉટ ગણાય. તેણે કુંડાળામાંથી ઉભા થઇ બહાર નીકળી જવાનું. જેના જવાબથી વચ્ચે ઉભેલું બાળક હસી પડે તો તેણે કુંડાળામાં બીજા બાળકો સાથે ગોઠવાઇ જવાનું અને જેના જવાબથી આ બાળક હસ્યું હોય તે બાળકે વચ્ચે આવી જઇ સવાલો પૂછવાના. આ રમત ખૂબ મઝાની છે. મોટાઓ પણ આ રમત ખૂબ આનંદથી માણે છે.

ઉદાહરણરૂપ થોડા સવાલો

સવાલ-તારા પપ્પાનું નામ શું છે???

જવાબ-ટામેટું

સવાલ-વરસાદમાં આપણે માથા પર શું પહેરીએ છીએ???

જવાબ-ટામેટું

જો જવાબમાં કોઇ ટોપી એમ બોલી દે તો તે આઉટ ગણાય.




રમતા રમતાં શીખીએ



બાળકો અંગ્રેજીભાષાના સ્પેલિંગો રમતાં રમતાં શીખે અને તેની સાથે સાથે શારિરીક કસરત પણ મળી રહે તે હેતુથી આ રમત રમવાની છે.

તેમાં એક લીડર નક્કી કરે છે કે ફૂલોનાં નામ-

રમનાર ધારોકે પાંચ જણ હોય તો લીડર ગુજરાતીમાં ફુલોનાં નામ આપી દે છે જેમકે ગુલાબ,ચંપો,મોગરો,સૂરજમુખી વિગેરે..

હવે દરેકે ફુલનાં અંગ્રેજી નામ બોલવાનાં-જેમકે

ગુલાબ-ROSE—રોઝ

ચંપો-CHAMPA—-ચમ્પા

મોગરો-MOGRA—-મોગરા

સૂરજમુખી-SUNFLOWER—–સનફ્લાવર

હવે પાંચેય જણ એક લીટી પર ઉભા રહે અને સામે એક ધ્યેય બિંદુ નક્કી કરેલું હોય ત્યાં દોડીને જવાનું ,તેને અડીને બોલવાનું આર પાછા વાવી ફરી ધ્યેયબિંદુ પર જઈ અડીને બોલવાનું ઓ ,પછી બોલવાનું એસ, પછી બોલવાનું ઇ….આમ કોણ પહેલાં દોડીને બધા જ સ્પેલીંગ પૂરાં કરે છે????તે વિજેતા….

આ જ રીતે વાહનોનાં નામ, શાકભાજીનાં નામ,જંગલી પ્રાણીઓનાં નામ,પાંલતુ પ્રાણીઓનાં નામ, ઘરેલુ પ્રાણીઓનાં નામ, પક્ષીઓનાં નામ વિગેરે વિગેરે રમત સાથે પાકા કરી શકાય.

આ ઉપરાંત આ જ રીતે અઠવાડિયાનાં દિવસોનાં નામ, મહિનાનાં નામ, આંક વિગેરે પણ પાકા થઈ શકે….


વરૂનો જમવાનો ટાઇમ



આ રમતમાં પહેલાં પાકવાની ક્રિયા આવે છે.

તેની અનેક રીતો છે. જેમકે

(૧)બધા બાળકો એકબીજાનો હાથ પકડી ગોળાકારે ઉભા રહે

એક બાળક બહાર રહે.

તેણે માત્ર ઉંધી કે ચત્તી, બેમાંથી એક જ શબ્દ બોલવાનો રહે.

હવે વર્તુળાકરે ઉભેલા બાળકો હાથ ઝુલાવી, પોતાની મરજી મુજબ એક હથેળી પર બીજી હથેળી ચત્તી કે ઉંધી મૂકે

આ વખતે જો બહાર ઉભેલ બાળક ચત્તી એમ બોલે તો જેની હથેળી ચત્તી હોય તે પાકી જાય.

કોઇ એક પાકેલું બાળક બહાર ઉભું રહે અને બહાર ઉભેલ બાળક પાકવા આવે.

ફરી આ જ પ્રક્રિયા થાય .

આમ કરતાં કરતાં છેલ્લે જે એક બાળક રહે તેણે દાવ આપવાનો રહે. (૨)બધા જ બાળકો વર્તુળાકારે ઉભા રહે અને કોઇ એક નીચેનું ગીત ગાય.

અંડેરી ગંડેરી ટીકડી ટેન

આઇસન માઇસન વેરી ગુડ મેન

ઓ મીસ્ટર કેટલા વાગ્યા?

વ, ટુ એન્ડ થ્રી…

અંડેરી બોલતી વખતે પોતાની તરફ આંગળી ચીંધવાની

ગંડૅરી વખતે બીજા નંબરની તરફ

ટીકડી વખતે ત્રીજા તરફ

ટેન વખતે ચોથા તરફ…

આમ છેલ્લે જ્યારે વન,ટુ એન્ડ થ્રી…

થ્રી જેના તરફ આવે તે પાકી જાય અને વર્તુળની બહાર નીકળે.

આમ વારંવાર કરી છેલ્લે જે એક બાળક બચે તેણે દાવ આપવાનો રહે

. આ સિવાય કોઇ પણ રીત પાકવાની ક્રિયા કરી રમતની શરૂઆત થઇ શકે…

હવે આજે આપણે “વરૂનો જમવાનો ટાઇમ” રમત રમીશું..

આ રમતમાં પાક્યા બાદ જેને માથે દાવ આપવાનો આવ્યોહોય તે બાળક પીઠ બતાવી ઉભો રહ. તે વરૂભાઇ કહેવાશે.

બાકીનાં બાળકો આ વરૂભાઇથી ૨૦ કદમ પાછળ એક આડી લાઇનમાં ઉભા રહે. હવે બધા બાળકો સાથે વરૂભાઈને પૂઃએ “વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો??? “”વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો???” વરૂભાઇ બોલે-” ૨ (બે) વાગ્યા” એટલે બાળકોએ બે કદમ વરૂની દિશામાં આગળ વધવાનું ફરી પૂ્છાય’”વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો???” વરૂભાઇ બોલે-” ૪ (ચાર)વાગ્યા એટલે બાળકોએ ૪(ચાર) કદમ વરૂની દિશામાં આગળ વધવાનું વળી પૂછાય વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો???” વરૂભાઇ બોલે-” ૩(ત્રણ) વાગ્યા” એટલે બાળકોએ ૩(ત્રણ) કદમ વરૂની દિશામાં આગળ વધવાનું આમ ક્યારેક બાળકો પૂછે”વરૂભાઈ,વરૂભાઈ કેટલો ટાઇમ થયો???” અને વરૂભાઇ લાગ જોઇને બોલે-”જમવાનો ટાઇમ” એટલે બધા બાળકોએ ભાગવાનું અને વરૂભાઇ તેમની પાછળ દોડે અને કોઇ એકને પકડી લે. હવે પકડાયેલ બાળક વરૂભાઇ બને અને નવેસરથી રમત શરૂ થાય. સમય પૂછતાં પૂછતા, જો કોઇજો બાળક વરૂભાઈની સાવ નજીક પહોંચી તેની પીઠ પર ધબ્બો મારી દે તો પહેલાના વરૂભાઈએ જ ફરી વરૂભાઇ બનવું પડે…..અને રમત ફરી શરૂ થાય….. બાળકો રમી જો જો ખૂબ મઝા પડશે

પત્નીને ખુશ રાખવાના ઉપાયો


પત્ની ના હોય તેને પણ જરૂર વાંચવું, પાણી પહેલા પાળ બાંધવી સારી ભાઈ !!






પત્નીને ખુશ રાખવાના ઉપાયો (ભાગ-1)



આમ તો માનનીય બ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલીઆપ્યા છે કે ઉપરથી ભગવાન આવીને લાખ યત્ન કરે તો પણ કોઈ વાતે ખુશ ના થાય.પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે, અને પુરુષે આ પોતાની પત્નીને ખુશરાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાકઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ.



1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો



2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો



3. ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો



4. સાસુ સસરા કે કોઇ પણ પિયરીઆ ઘેર આવે તો એક નકલી પૂછડી ચોટાડી જોર જોરથીહલાવો (પણ એમને ચાટવાની કોશિશ ન કરશો!)



5. એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરે,આ તો શાયરોનુ શહેર નહી? પેલા કવિ “બેવકુફ” અહીનાં જ નહીં?)



6. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય ન કરો



7. એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા ન મારો



8. એની મમ્મીની રસોઇના વખાણ કરો



9. “હું કેવી લાગુ છુ” નો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કે “ આજેતો તું સાવ જૂદીજ લાગે છે”



10. એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે



11. "તારા પપ્પા બહુ સોશિયલ છે” એવુ મહિને ઓછામા ઓછુ એક વાર કહો



12. ટીવી જોતી વખતે : “અરે, જોતો, આ કેટરિનાએ તારા જેવી જ હેરસ્ટાઇલ કરી છે” એવુકહો.



13. તમારી વાત ટુંકમાં કરો.



14. એના પિયરિયાનો ફોન હોય અને “આજે શાક કેવી રીતે દાઝી ગયુ?” એ વિષય પરલાંબી વાતચીત ચાલતી હોય તો તમે તમારા અગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક એફોન પુરો થાય ત્યાં સુધી રાહ જુઓ.



15. જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો



16. એની વાત ધ્યાન પુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા જ.



17.. એ કશુ કહેવા આવે તો છાપુ બાજુ પર મુકી વાત સાંભળો.



18. એ વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો!



19. ઉતરન અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો ઉતરન ચાલતી હોય તે ચેનલ મુકો. એજો ભુલે ચુકે સામો વિવેક કરે તો એમ કહો કે “મેચ તો રોજ આવે છે”



20. એ એમ કહે કે “આજે બહુ ગરમી છે” તો પંખો ફાસ્ટ કરો યાર!



21. એ એમ કહે કે “આજે બહુ થાકી ગઇ છુ ” તો તરત કહો કે “ચાલ, આજે બહાર જમવાજઇએ”



22. એ એમ કહે કે “આજે રસોઇ કરવાનો મુડ નથી” તો તરત કહો કે “સાચુ કહુ, હું તો પીઝામંગાવવાનુ જ વિચારતો હતો”



23. વાત વાતમાં એના સોગંદ ખાવ (તારા સમ, તુ સાચે આજે જુદી લાગે છે!)



24. બેડરુમમાં બામની વાસ સહન ના થાય તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમાસુઇ જાવ.



25. કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે: દાળપાણી જેવી હોય તો “ આજે દાળ કંઇક જુદી જ હતી!” અને રોટલી કાચી બને તો “આ વખતેઘંઉ સારા નથી આવ્યા” એમ કહો.



Part 1 માટે મિત્ર વર્તુળ નો સારો પ્રતિસાદ ને અનુસન્ધાને Part 2 રજુ કરુ છું :



Part 2 કી-વર્ડઝ :મોનોલોગ, પિયરિયા,તકેદારી, ફોન મેનર્સ, કકળાટ, ખર્ચો, જાતે કરો



26. અઠવાડિયે એક વાર તો સમય અનેસંજોગો જોઇ ને પૂછી લો કે "કેમ આજે ઢીલી લાગેછે?"



27. શાક સારુ ના બન્યુ હોય તોઅંદર ટોમેટો સોસ નાખો, ફરિયાદ ન કરો.



28. એક હાથથી ભાખરી ન તૂટતી હોય તો બીજો હાથ વાપરો ! ભગવાને બે હાથ શેના માટેઆપ્યા છે?



30. સફેદ કપડા ક્યારેય ન ખરીદો.અથવા તો પાન-મસાલા છોડી દો.



31. બેલ વાગે તો દરવાજો ખોલવાતમે જાવ, એમાંકાંઇ વારા થોડા પડાય બોસ!



32. ઓફિસનુ કામ ઘરે ન લાવો., શકય હોય તો ઘરનુ કામ ઓફિસ લઇ જાવ.



33. તહેવારો પર નવા કપડા ખરીદવા રૂપિયા ઢીલા કરો.



34. એના ડ્રેસ ખરીદવા સાથે જવાનુ એ પોતે કહે તો પણ ટાળજો, છેવટે બન્ને ખુશ રહેશો!



35. નવા ડ્રેસમાં એ જાડી લાગેતો એમ કહેજો કે " આ ડ્રેસ એક સાઇઝ નાનો આવી ગયોલાગે છે"



36. એનો ભાઇ બહુ ઇન્ટેલીજન્ટછે તેવુ જાહેર કરો



37. લાલ કપડામાં પોસ્ટ ઓફિસનાડબલા જેવી લાગે છે તેવી લોથલ જોક ન મારવી. લાલકપડામાં

સાગરમાં ડિમ્પલ કાપડિયા આવીજ લાગતી હતી એમ કહો.



38. તમે ખરીદેલી વસ્તુની સાચીકિંમત એના મોંઢે બોલવા દો, અને પછી એની બોલેલીકિંમતની આજુબાજુનો કોઇ પણ આંકડો પાડી દો.તમે જો ડાહ્યા થઇ ને પહેલાજ સાચીકિંમત જાહેર કરશો તો "તમે છેતરાયા" એવુ પ્રમાણપત્ર આપશે અથવાએના માટેતમે"કાયમ હલકી વસ્તુ લાવો છો" એ વાત પર મામલો બીચકશે



39. ઓફિસેથી ઘેર પાછા આવતા પહેલા મોબાઇલના ઇન બોક્સમાંથી SMS ડીલીટ કરીનેઆવો.,

શક્ય હોય તો મોબાઇલનુ રીસન્ટકોલ લીસ્ટ પણ ડીલીટ કરીને ઘેર આવો.



40. એની મોટી બહેનના ગંદા-ગોબરાતોફાની છોકરાને જોતા જ તેડી લો, અને કહો "કેટલોક્યુટ અને નૉટી છે!"



42. એ રડે તો રૂમાલ નહીં,એને જે જોઇતુ હોય તેલાવી આપો.



43. રક્ષાબંધને સાસરે જ જમવાનુ ભાઇ ! બેસતું વર્ષ અને ભાઈબીજ પણ સાસરે જઉજવવા. અને રવિવારે સાસરે ના જવું હોય તો ખર્ચો કરીને બીજે ગમે ત્યાં ફરવા જવાનું.



44. દાળમાંથી કોથમીર અને બીજો કચરો કાઢતા કાઢતા કોઇના બાવડા સુજી ગયા હોયતેવા વૈજ્ઞાનિક પુરાવા નથી, માટે ખોટી ફરિયાદ કરવાનું

ગુજરાતી ભાષાનો ઉદભવ


                                            ગુજરાતી ભાષાનો ઉદભવ



માનવ સભ્યતાના વિશ્વના આજના દેશો માં ૯૦૦ જેટલી ભાષાઓ લોકો બોલે છે .વાણી વ્યવહાર કરે છે .આમાંની પ્રાચીન ભાષાઓનો ઉદ્દભવ ઈ.સ પૂર્વે ૩૫૦૦ એટલે કે લગભગ ૫૫૦૦ વર્ષ પહેલાઓ માનવામાં આવે છે .આ ભાષાઓ આર્યકુળની ભાષાઓ તરીકે ઓળખાય છે .શુરુઆત ની ભાષાઓ હેમિટિક,હિટ્ટાઇટ,સેમેટિક,આર્ય -ઇન્ડોયુંરોપીયના દ્રાવિડી,એસ્ટ્રિડ્ ..વગેરે ૧૪ જેવી ભાષા હોવાનું સમર્થન છે .આર્યભાષાઓ આર્ય ,આર્ય -ઇન્ડોયુંરોપિયન, ઇન્ડોજર્મેનિક,ઇન્ડો આર્ય અને વિરોઝ્ના નામે ઓળખાતી હતી .

પ્રાચીન આર્ય ભાષા નાં બે મુખ્ય વિભાગો છે .એક `શતમ યુથ “એટલે કે એશિયા નો વિભાગ અને બીજો `કેન્તુમ યુથ ` એટલે યુરોપ નો વિભાગ .શતમ યુથ ભાષામાં શુદ્ધ આર્યો -ઇન્ડો ઈરાનીયન ,સ્લાવ ,બાલ્ટિક ,આર્મેનીયમ વગેરે ભાષાનો સમાવેશ થાય છે .કેન્તુમ યુથમાં ગ્રીક ,લેટીન ,જર્મન ,કેલ્ટિક અને તોખારીયન ભાષાઓ છે .શુદ્ધ આર્ય અથવા ઈરાનીયન વિભાગ માં ઈરાનીયન -ગાથા ,અવેસ્તિક ,દાર્દેરિક ,પૈશાચ અને ભારતી વેદિક -પ્રાકૃત ,ભારતી ની ત્રણ ભૂમિકા છે -સંસ્કૃત ,પ્રાકત અને અપભ્રંશ

સંસ્કૃતિ ત્રણ છે .વૈદિક સંસ્કૃત ,લૌકિક સંસ્કૃત અને પાણિનિયન નું શિયટ સંસ્કૃત, લૌકિક સંસ્કૃતમાની પ્રાકૃત ભાષામાં પાલી,અર્ધમાગધી ,પ્રાકૃતિ અશોક નાં શિલાલેખની ,મહારાષ્ટ્રી,શૌરસેની ,માગધી ,પૈશાચી,ચુલુંકા ,અપભ્રંશ વગેરે ભાષાઓનો ઉદભવ થયો આર્યાવર્ત ભારત ની હિન્દી ,ગુજરાતી ,બંગાળી,મરાઠી જેવી ભાષાઓ આદી ભગિની ભાષાઓ અપભ્રંશમાંથી ઉતારી આવી છે ગુજરાતની ગુજરાતી ભાષા આર્યકુળ ની ભાષાઓ સાથે સંબંધ ધરાવે છે આર્યવૃત-ભારતમાં ભાષા અને વાણીનો ગુજરાતી ભાષા જેવો વિસ્તાર ,વિશ્વ ની ભાષાઓ માં ભાગ્યેજ કોઈ ભાષામાં થયો હશે ,ગુજરાતના ઈતિહાસ માં -સાહિત્યમાં “ગુજરાત“શબ્દની વ્યુત્પત્તિઓ દર્શાવવામાં આવી છે ,પણ તેમાંથી એકે સંપર્ણ પ્રતીતીકારક નથી ,આ તમામ વ્યુત્પત્તિઓમાં ગુર્જર +રાષ્ટ્ર એટલે “ગુર્જર રાષ્ટ્ર “ગુર્જર પ્રજા ના રાષ્ટ્ર પરથી `ગુજરાત `નામનો ઉદભવ થયો હોવાનું સમર્થન છે .ગુજરાત નામનો ઉલ્લેખ ઈતિહાસ માં આરબ મુસાફરોએ ,અબુજૈદે ઈ.સ ૯૧૬ માં અલમસુદીએ ઈ.સ ૯૪૩ માં ને અલબરૂની એ કર્યો હોવાનો ઉલ્લેખ છે .તે સમયે ગુજરાતમાં ગર્જર પ્રજા વસતી હશે .આજ થી ૧૫૦૦ વર્ષ પહેલા દક્ષીણ ગુજરાત `લાટ` કે અપરાની નાં નામે અને ઉત્તર ગુજરાત `આનર્ત ` નાં નામે ઓળખાતા હોવાનું સમર્થન છે

અહી ક્લિક કરો ==ભાષાની સફર ==

ગુજરાતી સાહિત્ય માં ગુજરાતી સબ્દોનો પહેલવહેલો ઉપયોગ કવિ પ્રેમાનંદ ને કર્યો હોવાનો ગૌરવ છે .ભાલણે અપભ્રંશ અથવા ગુર્જર ભાષા જે માર્કંડરાય ગુર્જરી અપભ્રંશ કહેવાતી તેનો સાહિત્યમાં ઉપયોગ કર્યો છે .પ્રેમાનંદ નો યુગ ઈ.સ ૧૬૦૦ – ૧૭૦૦ મનાય છે .નરસિહ મહેતા ઈ.સ ૪૦૦-૫૦૦ અપભ્રંશ ગીરા અને અખાએ પ્રાકૃત ભાષાના શબ્દો થી સાહિત્ય શોભાવ્યું .ગુજરાતની ગુજરાતી ભાષાનું નામ ઈ.સ ૭૦૦ ની આસપાસ થી અપાયું હોવાની કેટલાક ઈતિહાસકારો નું ,સાહિત્યવિદોની માન્યતા છે .નરસિહ રાવ દિવેટિયા ગુજરાતી ભાષા નો આરંભ ૫૫૦ ગણાવે છે આપહેલા ગુજરાતી ભાષા બોલાતી હતી પરંતુ ગુજરાતી નાં નામે ઓળખાતી ન હતી .ઈ.સ ૧૦ મી -૧૧ મી થી શરુ થયેલી ગુર્જર અપભ્રંશ રૂપે શરુ થયેલી ગુજરાતી નો વિકાસ ત્રણ સ્વરૂપે જોઈ શકાય છે ,પ્રથમ ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી રૂપે અથવા મધ્યકાલીન ગુજરાતી રૂપે અને ત્રીજી અર્વાચીન ગુજરાતી રૂપે .આ ભાષાઓ ની ત્રણે ભૂમિકા વિષે જાણીએ ,

**ગુર્જર અપભ્રંશ ***



ઈ.સ ૧૦ મી -૧૧ મી સતક થી ૧૪ માં સતક સુધીમાંગુર્જ્જર અપભ્રંશ અથવા પ્રાચીન ગુજરાતી ભાષા બે વિભાગમાં મૂકી શકાય પ્રથમ ૧૧ મી સદી સુધી અને બીજો ૧૨ મી સદી થી ૧૪ મી સદીનાં પૂર્વાધ સુધી .ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી નું પ્રથમ દર્શન હેમચંદ્ર નાં પ્રાકૃત વ્યાકરણમાના અપભ્રંશ વિભાગના દુહાઓમાં અને પછીના વિભાગ નું દર્શન `ભરતેશ્વર બાહુ બલીરામ` (ઈ.સ ૧૧૮૫),`નેમિનાથ , ચતુંયપાદીકા `અને `આરાધનામાં `થાય છે

***મધ્યકાલીન ગુજરાતી ***



ઈ.સ ૧૪ મી સદીના ઉત્તરાર્ધથી ૧૭ મી સદીના પૂર્વાધ સુધીના ૭૫ વર્ષ નાં ચાર ઉપવિભાગ પાડી શકાય .૧૪ મી સદીમાંજે ગુજરાતી ભાષા ગુજરાત અને રાજસ્થાન માં બોલાતી તે લગભગ સરખી હતી.તેથી તે ભાષા “જૂની રાજસ્થાની “નાં નામે ઓળખાયી.આ બીજા ભાષાકીય વિભાગમાં આટલા ગ્રંથો માર્ગ સૂચક સ્થંભો તરીકે ગણાવી શકાય .નેમિનાથ ફાગુ ,મુગ્ધાવ બોધ ,ઔકિતક,વસંત વિલાસ ,ગૌતમ સ્વામી રાસ,કાન્હડદે પ્રબંધ ,કાદંબરી ,વિમલ પ્રબંધ અને નરસિહ -મીરાના ભજનો .

***અર્વાચીન ગુજરાતી ***



સત્તરમી સદીથી અત્યાર સુધીનો સમય અર્વાચીન ગુજરાતી તરીકે ઓળખાવી શકાય .પરમાનંદ ના ઓખાહરણથી અર્વાચીન ગુજરાતી ની શરૂઆત થઇ .અર્વાચીન ગુજરાતી બે વિભાગમાં પ્રથમ પ્રેમાનંદ થી દયારામ સુધીનો એટલે (ઈ.સ ૧૬૮૦-૧૮૫૦ ) સુધીનો અને બીજો નર્મદ થી અત્યાર સુધીનો એટલે (૧૮૫૦ થી આજ ) સુધીનો ગણાય ભાષાની અર્વાચીનતા પ્રેમાનંદ થી ૧૭ મી સદી થી સારું થઇ ગણાય .પરંતુ સાહિત્યિક દ્રષ્ટીએ ગુજરાતી સાહિત્યની અર્વાચીનતા નર્મદ યુગથી ગણાવી શકાય .ગુજરાતી સાહિત્ય ૧૦૦૦ વર્ષ જેટલું પ્રાચીન હોવાની માન્યતા છે .

ગુજર્ર અપભ્રંશ -પ્રાગહેમ યુગમાં ચંડનાં વ્યાકરણ `પ્રાકૃત લક્ષણ ` માં મળે છે ચંડ ઈ.સ ૫૦૦ થી ૧૦૦૦ નાં પ્રાકૃત લક્ષણ અનુસાર ૬ઠ્ઠી સદી માં થયો હોવાનો ઉલ્લેખ છે .અપભ્રંશ ગુજરાતીનો સૌથી જુનો સાહિત્ય નો નમુનો `વાસુદેવાહિંડી માંથી ` મળે છે આ જુના સાહિત્ય નો નમુનો ઈ.સ ૫૮૯ ની મનાય છે .ઉતોધન સૂરીની`કુવલય માલા ` માં (ઈ.સ ૭૭૯) કેટલાક અપભ્રંશ પદો છે જેમાં ૧૮ દેશો અને બધા દેશો ની ભાષાનો ઉલ્લેખ છે .તે સમય નાં ગુર્જરો વાતવાતમાં ‘ન ઉરે ભાલ્લઉં’ અર્થાત નાં ભલે તથા -“અમ્ન્હ્ કાઉ તુમ્હ “ અર્થાત હું કાઈ તમારા જેવો નથી.. એવી અપભ્રંશ ગુજરાતી ભાષાનો વાણીનો ઉપયોગ કરતા .ઈ.સ ૧૧૦૦ થી ૧૨૦૦ સુદી નાં સમય દરમિયાન સાહિત્યકાર `હેમચંદ્ર ` કેન્દ્ર સ્થાને હોવાથી તે યુગ ને હેમ યુગ નામ અપાયું .કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તેમના યુગના વિદ્રત શિરોમણી હતા .એટલી જ નહિ પણ સમગ્ર ઈતિહાસમાં તેમની વીદ્રુતા ને કોઈ ટપી શક્યું નહિ .છેલ્લા ૧૦૦૦ વર્ષ થી ઈતિહાસ માં ભારત માં હેમચન્દ્રાચાર્ય જેવો વિદ્વાન બીજો કોઈ થયો નથી સકળ શાસ્ત્રો નું જ્ઞાન તેમની કૃતિઓ માં જોવા મળે છે વિધાના ક્ષેત્રમાં તેમને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું

Wednesday, April 14, 2010

”બાળકની સ્વતંત્રતા”


એક વહેલી સવારે આંખ ખુલી ગઈ .આંખ  ખુલવાનુ કારણ આદતવશ તો નહોતુ જ, નહી કોઇ વહેલી સવારની પ્રભાતફેરીનો અવાજ .દુરથી  નજીક આવતો એક બાળકનો સતત રડવાનો અવાજ અને એ અવાજને દબાવી દે તેવો સ્ત્રૈણ છતાં કઠોર-કાનને ખુંચે તેવો અવાજ. પહેલાં તો સહેજ મનમાં  ફાળ ઉઠી કે કોઇ બાળકને ધાક- ધમકીથી પોતાને વશ કરવાનો પ્રયત્ન તો નથી કરી રહ્યુને ?કુતુહલવશ સહેજ બારીની બહાર નજર કરી .નજીક આવતા અવાજનો એક સ્પષ્ટ આકાર પણ નજરે પડવઆ લાગ્યો. પાંચ સાત વર્ષનું બાળક ,સહેજ અસ્ત-વ્યસ્ત થઈ ગયેલા સ્કુલ  ડ્રેસમાં મા ના પાશમાંથી છુટવા પ્રયત્ન કરતુ દેખાયુ .મા પરાણે બાળકને ઢસડીને  સ્કુલે મુકવા જવાની મથામણમાં હતી .જેમ જેમ બંન્ને પાસે આવતા ગયા તેમ અવાજો પણ સ્પષ્ટ થતા ગયા. બાળક માને કાકલુદી કરતુ હતુ ” મારે આજે સ્કુલે નથી જવુ.મારે આજે ઘેર રહેવું છે.” મા નો હઠાગ્રહ હતો ” ના કેમ જાય ? મારુ ચાલે તો તમે આખો દિવસ સ્કુલમાં જ બેસાડી રાખુ ” દ્રશ્ય અને અવાજ  બંન્ને  આંખ અને કાનને કઠતા હતાં.
મનમાં વિચાર આવ્યો . “આટલી કઠોરતા આટલો આગ્રહ જરૂરી છે ?” બાળકને પોતાને પણ પોતાની મરજી હોઇ શકેને? બાળક આપણું છે પણ એ સ્વતંત્ર આત્મા નથી? ભલેને એ હજુ અપરિક્વ છે છતાંય પોતાની કંઇક તો સમજ ,આગવી બુધ્ધિ તો હશેને? પોતાની અલગ રૂચિ , અભિપ્રાય,પોતાના આગ્રહો અને એ આગ્રહો પાછળ કોઇક તો પૂર્વગ્રહ પણ હશેને? ક્યારેક સ્કુલમાં કોઇ એવો અનુભવ થયો હશે કે એને જવા મન પાછું પડતું હશે.શુ ક્યારેય આપણે એ જાણવા કોશિશ કરી છે ખરી ? આપણે માની લઈએ છે કે આપણા ત્યાં જન્મેલુ બાળક આપણા અસ્તિત્વનો -આપણા વ્યક્તિત્વનો જ એક ભાગ છે માટે આપણુ વ્યક્તિત્વ એના પર થોપવાનો પ્રયત્ન કરીએ છીએ.
પણ ના , બાળકને પણ પોતાનુ મન ,વચન અને કાયા છે.પોતાની આવડત અને રીતભાત છે.એના પોતાના માન -સન્માન છે. ગુણ અને દુર્ગુણો પણ છે.એના પોતાના સંબંધો છે.માટે એ બાળકને પણ એઅના આગવા વ્યક્તિત્વથી સ્વીકારાય તે અત્યંત જરૂરી છે.કુંભારના ચાક પર અત્યંત કુશળ હાથોથી ઘડાઇને પાત્ર તૈયાર થાય તેટલીજ કુશળતાથી,તેટલીજ નાજુકાઇથી બાળકના મનને ,સંસ્કારોને, સ્વભાવને ઘાટ આપવાનો છે.એક કુશળ માળી જેમ અત્યંત કાળજીથી ગુલાબના રોપાને ઉછેરે છે તેટલીજ કાળજીથી તેના વ્યક્તિત્વને ઉછેરવાનું છે.આપણી રૂચિ,ગમા-અણગમા,અભિપ્રાયોને જો બાળક પર લાદવા જઈશું તો તેનું વ્યક્તિત્વ સ્વતંત્ર રીતે નહી ખીલે એના માટે જરૂરી છે કે આપણે આદર્શ મા-બાપ બનીએ. સંતાનો આપણે જેવું કહીશું એવા થવાના નથી ,પરંતુ આપણે જેવું કરતા હોઇશુ તેવું જ કરવાના છે.
જે ઘરમાં આદરપૂર્વકનો આવકાર હશે ત્યાં બાળક વિનયી બનશે. જે ઘરમાં મા-બાપ સ્વંય સવારે ઉઠીને ઇશ્વર પાસે મસ્તક નમાવતાં હશે કે પોતાના વડીલોને પગે લાગતા હશે ત્યાં એ બાળક પણ પોતાના મા-બાપની મર્યાદા સાચવનાર બનશે. મા-બાપનો વ્યવસ્થા પ્રેમ બાળકમાં શિસ્તબધતા લાવશે. માતા-પિતા શાંત હશે -ઘરમાં હળી મળીને ચર્ચા કરતાં અને નિર્ણય લેતાં હશે ત્યાં બાળકો પણ શાંત સ્વભાવના, પ્રસન્ન વ્યક્તિત્વના અને આત્મવિશ્વાસ ધરાવતા હશે.
બાળકને સમજવા જેટલી સહિષ્ણુતા જે ઘરમાં હશે તે બાળકમાં પણ  ધૈર્યના ગુણ વિકસશે.સલામતીનો અનુભવ બાળકમાં શ્રધ્ધા વધારવાનું કામ કરશે.ઘરનાં વાતાવરણમાં જો ડર , ભય ,કે ભ્રાંતિ અનુભવાશે તો બાળક ડરપોક બનશે.
ક્યારેક એવું બને કે ઘરમાં બીજા બાળકનું આગમન થવાનું હોય ત્યારે માતા-પિતા અથવા ઘરનાં  બીજા સદસ્ય એવું કહેતા જોવા મળશે કે ” હવે તો તારો ભાઇ કે બહેન આવશે એટલે તારે તારું બધુ  એને આપવું પડશે .” અમસ્તા કોઇ ઉદ્દેશ વગર કહેવાયેલી આવી વાત બાળકમાં ઇર્ષા , અદેખાઇ અને અંતે પોતાના સહોદર સાથે અળગાપણું ઉભુ કરનાર બનશે.
સામન્ય રીતે એવું જોવા મળે કે બાળકને ખોટી રીતે સમજાવી , ફોસલાવી એનું ધ્યાન બીજે વાળવાનો  પ્રયત્ન થતો હોય .એક એવો પરિવાર  જોયો કે જ્યાં સાવ નાના ત્રણ વર્ષના બાળકને  પણ સાવ સાચી હકીકત કહી સમજાવવામાં આવતું .કોઇ ખોટી રીતે ફોસલાવવાની વાત નહીં . પરિણામે બાળકને પણ માતા-પિતા  પ્રત્યેનો વિશ્વાસ સઘન બને . જે હકિકત છે તેનો સ્વીકાર કરી એ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા ખીલે.
અંતે કહો કે શરૂઆતથી કહો બાળકની સાચી શાળા જ ઘર છે અને સાચા  શિક્ષકો એ મા-બાપ જ છે .
“આ લેખ/આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા માટે લખ્યો અને 15/8/2009 ના પ્રગટ થયો.”

મોહનદાસ કરામચંદ ગાંધી ના વિચારો તેમજ કાર્યો થી પ્રભાવિત બરાક ઓબામા નું વક્તવ્ય.


૨-ઓક્ટોબર ૨૦૦૮
ગાંધી સેવાદિન



પ્રિય મિત્રો,
આજે સમગ્ર અમેરિકા અને વિશ્વભરમાં ઉજવતા મહાત્મા  ગાંધી ના જન્મ દિવસે તેમની સેવા – તેમના કાર્યો ના સ્મરણોત્સવ માં જોડાવા નો મને આનંદ છે.  લોકો ને એકત્રિત કરી ને શાંતિપુર્ણ રીતે પોતાની માંગણીઓ અને સામર્થ્યપુર્વક હકારાત્મક પરિવર્તનો લાવવાની ગાંધીજી ની પ્રતિબદ્ધતા આજે પણ એટલી જ સામર્થ્યશીલ છે.
તેમની શક્તિ અને અપ્રતિમ હીંમતના  ઉદાહરણે  લોકોમાં અત્યાચાર સામે લડવા , શાસન થી મુક્તિ મેળવવા ની ચિનગારી પેટાવી .તેમના સ્વતંત્રતા મેળવવાના સુત્રીકરણ માં અનેક વ્યુહરચનાઓ હતી પરંતુ ગાંધીજી એ ધાક સામે હિંમત નો માર્ગ અપનાવ્યો.
આપણે આજના સમય માં પડકારો નો સામનો કરવા જે પુરુષાર્થ કરી રહ્યા છીએ તે માટે અમેરિકા પાસે ઘણા વિકલ્પો છે ..આપણે પણ આપણી શક્તિ અને અટલ શ્રદ્ધાથી નવપ્રાપ્તિ ના ઉચ્ચ માર્ગ તેમજ નૈતિક નેત્રુત્વ માટે ની પરિસ્થિતિની પરિભાષા એ સંયુક્ત રાજ્ય ને – {યુનાઇટેડ સ્ટેટ } ને ઉચ્ચ કક્ષા એ મુક્યુ છે.
ગાંધીજી ના વિચારો સાર્વભૌમિક છે .વિશ્વભરના અગણિત લોકો તેમની શક્તિ અને ચારિત્ર્ય થી પ્રભાવિત છે.
તેમના સ્વાતંત્ર સંગ્રામ થી પ્રેરીત અમેરિકા ની યુવાન પેઢી સદીઓ થી ચાલ્યા આવતા પૂર્વ યુરોપ તેમજ દક્ષિણ આફ્રિકા ના સમાન હિતો પ્રત્યેની ઉદાસીન સમાજ રચના દૂર કરવા ના અધિકાર માટે શાંતિપૂર્ણ ક્રાંતિ તરફ દોરાયા છે. નેલ્સન મંડેલા ,દલાઈ લામા ,તેમજ ડો.માર્ટીન લ્યુથર કીંગે પોતાના વક્ત્યવમાં ગાંધીજી ના ભારે રૂણ નો સ્વીકાર કર્યો છે.  મારા કાર્યાલય માં મુકાયેલુ તેમનુ તૈલચિત્ર મને હંમેશા યાદ અપાવે છે કે સાચુ પરિવર્તન વોશિંગટન થી નથી આવવાનુ પણ એ ત્યારે જ આવશે જ્યારે લોકો તેને વોશિંટન સુધી લઈ આવશે.
આ ચુનાવ અતિ મહત્વનો નો છે. આ આપણા માટે પરિવર્તન નો સમય છે.આપણે એ જોવાનુ છે કે ઘણે દુર સુધી માં સામાન્ય  અમેરીકન નાના માં નાની વાત માટે વધુ માં વધુ મહેનત કરે.આપણે જોયુ છે કે વિશ્વ માં ક્ષીણ થતા જતા આપણા અસ્તિત્વ માટે યુધ્ધ માં  અમેરિકનો એ જીંદગી ગુમાવવી પડે તે માન્યતા ને વધુ સમય માટે સહન કરી શકાય નહી.હું માનુ છું કે પરિવર્તન માટે તમે સજાગ બનો , કાર્યશીલ બનો. ગાંધીજીની માન્યતા ને અનુરૂપ વિશ્વ ના પરિવર્તન માટે આજ રોજ થી જ  ૪ નવેમ્બર સુધી અને તેથી પણ આગળ વધી ને આપણી જાત ને ફરી સમર્પિત કરીએ.




આપનો વિશ્વાસુ
બરાક ઓબામા

Tuesday, April 6, 2010

MY EARNINGS PHOTOGRAPHS


મારા બગીચાના પુષ્પો


હાસ્યની અભિવ્યક્તિ


થ્રી સ્ટેપ સ્ટેચ્યુ

ભયની અભિવ્યક્તિ

શિયાળાની અભિવ્યક્તિ

વરસાદ સમયેની અભિવ્યક્તિ

ભિખારીનું સ્ટેચ્યુ


થ્રી સ્ટેપ સ્ટેચ્યુ



શૂન્ય માંથી સર્જન
(ચુના તથા કોલસામાંથી બનાવેલ રંગોળી)

વેલેનટાઇન ડે ની મેહફીલ

વિવિધ લગણીઓ

3 ઇડયડ


ઑલ ઈઝ વૅલ




આ દુનિયામાં વ્યસન પછીની બીજા નંબરની ગુલામી કદાચ ડિગ્રીઓની છે એમ કહી શકાય. વ્યસનનો નશો તો ક્યારેક ઊતરે છે અને માણસને સાચી પરિસ્થિતિનું ભાન થાય છે. પરંતુ ડિગ્રીઓ મેળવવાનો નશો એવો છે કે તે પેઢી દર પેઢી કાયમ બની રહે છે. ટનલની જેમ દરેક જણ એમાંથી પસાર થતા રહે છે. સંજોગોવશાત જો કોઈ વ્યક્તિ ભણી નથી શકતો અથવા તો અન્ય લોકો કરતાં સાવ જુદો માર્ગ લે છે તો તેનું કહેવાતા ભણેલા સભ્ય સમાજમાં કોઈ સ્થાન રહેતું નથી. અભણને સાવ નગણ્ય ગણવાની આ એકવીસમી સદીની નવી અસ્પૃશ્યતા છે.

મલ્ટીનેશનલ કંપનીઓ માટે મશીનો બનાવતી હોય એ રીતે ડિગ્રીધારીઓને તૈયાર કરે છે. દુનિયાની દોડમાં રહેવા અને આકર્ષક પગારના પેકેજો મેળવવા સિવાય જીવનનું કોઈ બીજું પાસું આ માનવ-મશીનો વિચારી શકતા નથી. ઊંચા પગારો છોડવાની હિંમત ન હોવાથી સાવ કંગાળ વિચારધારા અપનાવીને એક જગ્યાએ પડી રહેવાનું તેઓ મુનાસિબ માને છે. જેટલો વધારે પગાર એટલું જીવન સફળ !! જ્ઞાન મેળવવાની ભૂખ તો સાવ શૂન્ય જ થઈ જાય છે અને ઉપરથી ફિઝિક્સ ભણનારો એમ વિચારે છે કે મારે કેમેસ્ટ્રી સાથે શું લેવા દેવા ? સાહિત્ય ભણનારો એમ વિચારે છે કે મારે કોમ્પ્યુટર શીખીને શું કામ ? વિનોબા ભાવે, નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા જેવા શિક્ષણાચાર્યોએ વારંવાર કહ્યું છે કે જ્ઞાન કદી ખંડિત હોઈ શકે જ નહીં. બધું પરસ્પર જોડાયેલું છે અને એક સાથે અનેક વસ્તુઓને આત્મસાત કરવાની વિદ્યા કેળવવી એનું જ નામ જ્ઞાન. પણ કોઈને ક્યાં જ્ઞાન મેળવવું છે ? ભણવા માટે કોણ ભણે છે ? દષ્ટિ માત્ર કેમ્પસ ઈન્ટરવ્યૂના આકર્ષક પેકેજો પર રહેતી હોય છે.

સામાન્ય રીતે કોઈ પણ ક્ષેત્રમાં જો વ્યક્તિ સાવ જુદો માર્ગ અપનાવે એટલે એને સમાજનું ખૂબ સાંભળવાનું થતું હોય છે. એમાંય ઘેટાંની પાછળ ઘેટાંની જેમ ચાલનારા લોકો આપણને ડરાવવા હંમેશા તૈયાર બેઠાં હોય છે. કોઈ કશુંક નવું કરે એ ઘાંચીના બળદની પેઠે ગોળ ગોળ ફરતા લોકોથી સહન થઈ શકતું નથી હોતું. કોઈક તત્વચિંતકે કહ્યું છે કે જો તમારા કામની આલોચના થાય તો સમજવું કે તમારો માર્ગ એકદમ બરાબર છે ! કંઈક જુદું કરનારને ખૂબ સહન કરવું પડતું હોય છે. સંપૂર્ણ એકાગ્રતાથી કોઈક સાવ અલગ પ્રકારના કાર્યમાં ડૂબી જઈએ ત્યારે એમાંથી પ્રાપ્ત થતો આનંદ દુનિયાની સમજમાં આવતો નથી. એ આનંદ જ દુનિયાના વાકપ્રહારો સહન કરવાની શક્તિ આપતો હોય છે.

શિક્ષણજગતના મહાનુભાવોના કંઈક આ પ્રકારના વિચારોને કચકડે મઢીને તાજેતરમાં ‘3 ઈડિયટ્સ’ નામનું ચલચિત્ર પ્રદર્શિત કરાયું છે. અહીં એ ફિલ્મની વાર્તા કહેવાનો ઉપક્રમ નથી પરંતુ સ્વાભાવિક છે કે ત્રણ કલાકમાં ઘણી બધી વસ્તુઓ આવરી લેવાની હોય તેથી દશ્યો આંખ સામેથી ઝડપથી પસાર થઈ જતાં હોય છે. કોઈક બાબતે કશુંક વિચારીએ તે પહેલાં તો વાર્તા આગળ વધી જતી હોય છે. આથી, કેટલીક ફિલ્મોને કઈ રીતે જોવી અને સમજવી એ પણ એક કલા છે. ખાસ કરીને વિચારપ્રેરક ફિલ્મોના સંવાદો અને દ્રશ્યો થોડામાં ઘણું કહી જતાં હોય છે. જો એની પર બરાબર મનન ન થાય તો આપણે તેમાંથી મનોરંજન સિવાય બીજું કશું મેળવી શકતા નથી. પરિણામે ઘણું ગુમાવવાનું થાય છે. શિક્ષણને ક્યા અર્થમાં આત્મસાત કરવું એનો ખૂબ સુંદર સંદેશ આ ફિલ્મ આપે છે અને સાથે સાથે આજની શિક્ષણ વ્યવસ્થાની ભરપૂર ઠેકડી પણ ઉડાડે છે. આ ફિલ્મના દ્રશ્યો અને સંવાદોમાંથી પ્રાપ્ત થતાં વિચારોની અહીં એક યાદી આપવામાં આવી છે, જે ફિલ્મ જોનારને કે જેમણે ફિલ્મ જોયેલી હોય તેને પણ ઉપયોગી થઈ રહેશે તેવી આશા છે.

[1] સૌથી પહેલો સંદેશ પંચતંત્રની કથાઓ પર આધારિત છે. પંચતંત્રમાં કહેવાયું છે કે બળ કરતાં બુદ્ધિ વધે. જે બધા કરતાં કંઈક જુદુ વિચારે છે તે જ હકીકતે પોતાની બુદ્ધિનો સાચો ઉપયોગ કરી જાણે છે. આપત્તિના સમયમાં બુદ્ધિ કામ આવે છે. કૉલેજના રેગિંગને ડામવા માટે માત્ર કાગળો પર કાયદા ઘડવાથી કામ ચાલતું નથી. ત્યાં સામુહિક બળ પણ ચાલતું નથી. કળથી કામ લઈને આ દૂષણ ઊભું કરનારને બોધપાઠ ભણાવવાનો રહે છે.

[2] આ જ દ્રશ્ય બીજો એક બોધ આપ છે કે જ્ઞાનGF[ IF[uI p5IF[U YJF[ જોઈએ. આસપાસ પડેલ ચમચી, ફુટપટ્ટી અને વાયરનો ઉપયોગ કરીને શું બનાવી શકાય – એની ગણત્રી સેકંડોમાં થવી જોઈએ. જેની પાસે આ તીવ્રતા છે એનાથી બધા ભાગે છે. એને કોઈ પરેશાન કરી શકતું નથી.

[3] આજનું શિક્ષણ એવું પોપટિયું છે કે પ્રોફેસર જે બોલવાના હોય તે બાજુમાં ઈસ્ત્રીની લારી પર કામ કરતા શ્રમજીવી બાળકને પણ ખબર હોય છે ! કૉલેજોમાં પ્રોજેક્ટ અને પેપર્સ કોપી કરી આપવામાં આ આસિસ્ટન્ટો ‘ફિક્સ ચાર્જ’ લઈને વિદ્યાર્થીઓની સેવા કરતા હોય છે ! વળી, પ્રોફેસર ભણાવે ત્યારે સામાન્ય વિદ્યાર્થીઓને ‘આવું કેમ ?’ એવો પ્રશ્ન તો થતો જ નથી. જે કહેવામાં આવે છે તે કથાની જેમ સાંભળી લેવાય છે. પ્રશ્ન પૂછનારની સામે લોકો હસે છે.

[4] માણસ પોતાના જીવન દરમ્યાન સારા અને ખરાબ એમ બંને પ્રકારના કર્મો કરતો હોય છે. સારા કર્મો કરવાથી ખરાબ કર્મોમાં ખતમ નથી થઈ જતાં. ખરાબ કર્મોનું ખરાબ ફળ તો ભોગવવું જ પડે છે પરંતુ જો સારા કર્મોની માત્રા વધારે હોય તો ખરાબ કર્મો ભોગવવાની શક્તિ વધે છે. આંતરિક સહનશક્તિ મજબૂત બને છે. એ રીતે ‘ઑલ ઈઝ વેલ’ એમ બોલવાથી કંઈ આસપાસની પરિસ્થિતિ બદલાઈ જતી નથી. પરંતુ પ્રાપ્ત થયેલી પરિસ્થિતિને સહન કરવાની શક્તિ ચોક્કસ વધે છે.

[5] સફળતાની પાછળ શું કામ ભાગો છો ? પોતાનું કૌશલ્ય વધારો – સફળતા તમને શોધતી તમારી પાસે આવશે. – રણછોડ ચાંચડ (ફિલ્મનું મુખ્ય પાત્ર.)

[6] કૉલેજોમાં જ્ઞાન તો પ્રાપ્ત થતું જ નથી. માત્ર ગોખણપટ્ટીને પ્રાધાન્ય આપવામાં આવે છે. જે વધારે યાદ રાખી શકે છે તે મહાન છે ! જે વધુ માર્કસ લાવે છે, જેનો નંબર ઊંચો છે એ બધા કરતાં વધુ હોંશિયાર છે એમ માની લેવામાં આવે છે. આ સિસ્ટમ એવી સજ્જડ છે કે એને બદલી શકવાની કોઈનામાં હિંમત નથી.

[7] ઓછા માર્ક્સને કારણે વિદ્યાર્થી હીનભાવ અનુભવે છે, ડિપ્રેશનનો ભોગ બને છે અને છેક ત્યાં સુધી કે તે આત્મહત્યા પણ કરી બેસે છે. પરીક્ષાના માર્કસનું મહત્વ જીવંત વ્યક્તિ કરતાં પણ વધી જાય છે. એ પોતાના માટે નહીં પણ પોતાના માતાપિતાના સપનાં સાકાર કરવા જીવતો હોય છે. એ સપનાં પણ સમાજમાં સ્ટેટ્સ મેળવવાના, પૈસા કમાવવાના, દહેજમાં મારુતી-800 ગાડી આપવાનાં હોઈ શકે છે.

[8] સાવ અલગ રીતે જીવનાર વ્યક્તિ દુનિયાની પરવા કરતો નથી. એ એવા શબ્દોની ખોજ કરે છે જે ડિક્ષનેરીમાં હોતા નથી. પુસ્તકીયા કીડાઓ હજારો પાનાં ફેરવી લે તો પણ એનો અર્થ પામી શકતા નથી. એ આ દુનિયામાં નવા શબ્દોને જન્મ આપે છે. જેમ કે ગાંધીજી એ ‘સત્યાગ્રહ’, વિનોબાજીએ ‘ભૂદાન’, ‘શાંતિસેના’ વગેરે સાવ નવા જ શબ્દોની ખોજ કરી. આ પ્રકારનો વ્યક્તિ સાચું શિક્ષણ આપી શકે છે. એ પુસ્તકીયું ન રહેતાં અનુભવજન્ય બને છે. સાચો શિક્ષક જ્ઞાન આપતો નથી, જ્ઞાનની ભૂખ પેદા કરે છે.

[9] મૂળમાં જો નવું શીખવાની તાલાવેલી હોય તો અભ્યાસક્રમ આસાનીથી ભણી લેવાય છે. અન્ય પ્રવૃત્તિઓમાં આગળ રહેનાર વ્યક્તિ અભ્યાસમાં નબળો રહી જશે તો ? એવી એક ભ્રામક માન્યતા પ્રવર્તતી હોય છે. પરંતુ જે હકીકતે હોંશિયાર છે એ તો બધું જ થોડા સમયમાં શીખીને ધાર્યો નંબર મેળવી શકે છે. સ્વામી વિવેકાનંદ જેમ આખે આખું પુસ્તક યાદ રાખી શકતા હતા એમ.

[10] અંગ્રેજીમાં એક શબ્દ છે : ‘Decision Making’ ચપળતાથી જીવનારો માનવી સામાન્ય વ્યક્તિઓ કરતાં ખૂબ ઝડપી નિર્ણય લઈ શકતો હોય છે. કોઈ બિમાર લકવાગ્રસ્ત માનવીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાનો હોય ત્યારે પ્રાપ્ય સાધનોમાંથી તાત્કાલિક શું ઉકેલ કાઢી શકાય તેની કોઠાસૂઝ એનામાં આપો આપ વિકસે છે. આ નિર્ણયશક્તિ જુદા જુદા સંજોગોનો સામનો કરવામાંથી કેળવી શકાય છે.

[11] આજનો માનવી હકીકતે માનવીને પ્રેમ કરે છે ખરો ? એ તો ક્યારેક વસ્તુઓને જ પ્રેમ કરતો હોય છે. લાખોના ઘડિયાળ, બૂટ અને કરોડોના ડ્રેસનું મૂલ્ય માણસની લાગણીઓથી વધી જાય છે. કહેવાતા પ્રેમ પાછળ ‘લાઈફ પાર્ટનર’ બનવાની ઓછી અને ‘બિઝનેસ પાર્ટનર’ બનવાની મહત્વાકાંક્ષા વધુ હોય છે. જ્યારે એ પદ કે પ્રતિષ્ઠાને નુકશાન પહોંચે છે ત્યારે બધો જ પ્રેમ એક ક્ષણમાં આપોઆપ ઓસરી જાય છે અને વ્યક્તિનું મૂળ સ્વરૂપ સામે આવે છે.

[12] જ્ઞાન એટલે સવારથી ઊઠીને રાત સુધી સતત કંઈક નવું નવું શીખવાની ધગશ અને તાલાવેલી. ‘આ મારું ફિલ્ડ નથી…’ એમ માનવું એ જ અજ્ઞાનતાની નિશાની છે. જ્ઞાનપિપાસુ વ્યક્તિને ભાષા, દેશ, કાળ કે વિષયોની કોઈ મર્યાદા નડતી નથી. એના જ્ઞાનનો સતત ઉપયોગ થતો રહે છે અને એ ઉપયોગથી એને સતત નવું નવું જ્ઞાન પ્રાપ્ત થતું રહે છે. એ વેક્યુમ-ક્લિનરથી પ્રસુતિ પણ કરાવી શકે છે અને ગાડીની બેટરી વડે ઈન્વર્ટર પણ બનાવી શકે છે. ‘મારું તો બસ આ એક જ કામ’ એવી એને કોઈ મર્યાદા હોતી નથી.

[13] કેટલાક લોકો એવા હોય છે કે જે બે-ચાર ડિગ્રીઓ લે છે. પહેલાં એન્જિનિયરિંગ કરશે, પછી એમ.બી.એ કરશે અને પછી પરદેશની બેન્કમાં જઈને નોકરીમાં બેસી જશે. અલ્યા ભઈ, તારે બેન્કની નોકરી જ કરવી હતી તો તેં એન્જિનિયરિંગ શા માટે કર્યું ? – રણછોડ ચાંચડ (ફિલ્મનો એક સંવાદ)

[14] સાવ અલગ રીતે જીવનાર વ્યક્તિ કમાશે શું ? ખાશે શું ? – આવા ફાલતુ પ્રશ્નો ટોળામાં જીવનારને હંમેશા થતાં હોય છે. સંશોધનમાં ડૂબેલા સાહસિકને આવી ચિંતાઓ કદી સતાવતી નથી. ‘જેવા પડશે એવા દેવાશે’ એવી મકક્મતાથી એ જીવી લેતો હોય છે અને પરિણામે અન્ય લોકો કરતાં પણ એ સારું પદ અને પ્રતિષ્ઠા સમાજમાં આપોઆપ મેળવી શકતો હોય છે. એની એકાગ્રતા અને એનું કામ ક્યારેક એને સમાજમાં સર્વોચ્ચ સ્થાને મૂકી આપે છે. પણ હા, એની માટે એને ધીરજ કેળવવાની રહે છે.

[15] સફળતા એટલે માત્ર પદ અને પ્રતિષ્ઠા અને ઊંચો પગાર નહીં. હકીકતે કહેવાતો સફળ વ્યક્તિ કોઈક સાવ નાના કામમાં પરોવાઈને પોતાની ક્ષમતાનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરતો હોય છે. એની સફળતા દુનિયાના લોકોને દેખાડવા માટે નથી હોતી. એ તો લડાખના કોઈ ઉત્તુંગ પહાડી શિખરો વચ્ચે પોતાની મનગમતી પ્રવૃત્તિમાં મગ્ન બની જાય છે. દુનિયાની એને પરવા હોતી નથી અને દુનિયા એની કદર કરે એવી પણ તે ઈચ્છા રાખતો નથી. પ્રકૃતિના ખોળે એ કામમાં મગ્ન બનીને રહે છે. હકીકતે એના માટે કોઈ કામ નાનું કે મોટું હોતું નથી.

[16] એ બધું તો ઠીક, પણ આવા ઓલિયાને કન્યા કોણ દેશે ? – પોતાના કાર્યમાં સંતુષ્ઠ વ્યક્તિને કન્યા શોધવા જવું પડતું નથી, કન્યા જ એને હિમાલયની ટોચેથી પણ શોધી કાઢે છે. એ ડિગ્રીઓનો ઉપયોગ યોગ્ય પાત્ર મેળવવા ક્યારેય કરતો નથી. એને માટે ડિગ્રીઓએ સામાજીક મોભાનું સાધન નથી.

[17] જે બહુ કુશળતાથી તમામ વ્યાખ્યાઓ અને આખે આખા પાનાંઓ યાદ રાખી શકે છે એવા ગોખણિયા વિદ્યાર્થીની ક્યારેક દયનીય હાલત થતી હોય છે. સમજ્યા વગરની ગોખણપટ્ટી ક્યારેક એવી મુસીબત નોંતરે છે કે વિદ્યાર્થી હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ જાય છે. પોપટની જેમ ગોખેલા વક્તવ્યમાં કેટલાંક શબ્દો બદલાઈ જવાથી અર્થનો અનર્થ સર્જાય છે અને પરિસ્થિતિ બેકાબૂ બને છે. ક્યારેક પોતે ખોદેલા ખાડામાં પોતાને જ પડવાનો વારો આવે છે.

[18] જીવનમાં માણસે પોતાને મનગમતા ક્ષેત્રમાં જ આગળ જવાનું પ્રાધાન્ય રાખવું જોઈએ. એ પછી ભલે ને વાઈલ્ડ-લાઈફ ફોટોગ્રાફી જેવું સાવ અલગ ક્ષેત્ર જ કેમ ન હોય ! સચિન તેંડુલકર સંગીતમાં ગયો હોત અને લતામંગેશકરે સ્પોર્ટ્સ લીધું હોત તો આપણે બેઉને ગુમાવ્યાં હોત ! કોઈ પણ ક્ષેત્ર બહારથી ભલે નાનું લાગતું હોય, તમારી આવડત તેને આપોઆપ મોટું બનાવી દે છે અને ક્યારેક તો દુનિયામાં સાવ નવા જ માર્ગનું એ રીતે નિર્માણ થતું હોય છે. અભ્યાસની લાઈન દુનિયાના પ્રવાહો કે માતાપિતાના આગ્રહો પર આધારિત ન હોવી જોઈએ. પ્રેમથી બધાને સમજાવીને પોતાના મનગમતા ક્ષેત્રમાં યાહોમ કરીને ઝંપલાવવું જોઈએ. ભલે દુનિયા તમારા નિર્ણયની કદર નહીં કરે, પણ so what ?

[19] ઘણા લોકો એવું માને છે કે આ પ્રકારની વિચારધારાથી મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી નહીં મળે તો ? પરંતુ એ યાદ રાખવું જોઈએ કે કંપનીઓને ટેવ આપણે જ પાડીએ છીએ. જાગૃત વ્યક્તિ પોતાની આવડતથી કોઈ પણ પરિસ્થિતિને પાર પાડી શકે છે. એવા વ્યક્તિને મલ્ટિનેશનલ કંપનીઓ સામેથી પૂછે છે કે ‘તમે કેટલો પગાર લેશો ?’ દુનિયાની દષ્ટિએ બહુ મોટી ગણાતી સિદ્ધિઓ તો આ પ્રકારના વ્યક્તિને ચપટી વગાડતાં સહેલાઈથી મળી જતી હોય છે.


ટૂંકમાં ‘आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:’ એટલે કે અમને દશે દિશામાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ. અમારી જ્ઞાની ભૂખ સતત તીવ્ર બને અને જીવનમાં નવો પંથ કંડારવા અમે સતત સાહસિક બનીએ એવી આપણી ઔપનિષદીય વિચારધારા છે. શિક્ષણનો મૂળ હેતુ પણ જ્ઞાનની ભૂખ જગાડવાનો જ હોવો જોઈએ. પરંતુ સાંપ્રત સમયમાં એ કંઈક ભૂલાતો જતો હોય એમ લાગે છે. પૈસો, પદ અને પ્રતિષ્ઠાની દોડમાં સર્જનાત્મક જીવન વિસરાતું જાય છે. છેક ત્યાં સુધી કે જો આસપાસમાં કોઈ સર્જનાત્મક વિચારે તો દુનિયા એને પાગલ ગણે છે ! પરંતુ લાંબેગાળે દુનિયાના પટ પર એ આપોઆપ સ્પષ્ટ થઈ જ જાય છે કે કોણ સફળ છે અને કોણ નિષ્ફળ. આ કેન્દ્રવર્તી વિચારને ધ્યાનમાં રાખીને કેટલીક બાબતો બાદ કરતાં એકંદરે ફિલ્મ જોવા જેવી ખરી !


ચેકડેમની મુલાકાત




ધીરજ રાખો બાળકો , ચેકડેમ આવે જ છે.


ચેકડેમ પર બાવળની સીંગો ખાઇ ને મજા માણતા બાળકો


ધીરે, કમર લચકી ન જાય?


શું ચેકડેમને લપસીયા મનો છો.?


વાહ! શું સ્ટેચ્યુ બનાવ્યું.

રમત રમતા બાળકો

ડેમની સફર વસુલ ,સ્કુલમાં ઉપયોગી ગુંદર પણ સાથે લેશો.
બહુ આનંદ માણ્યો, ચાલો ઘરે.

Saturday, April 3, 2010

GAME OF SELF AWERNESS WHICH WE PLAY IN TRAIN


HOW TO PLAY THAT GAME?
1st tell self ours positive n negative points and also luck…2nd tell others tell u positive n negative points..really very enjoied it …the game review is under




































Wednesday, March 10, 2010

એક ફરજ


*એક નાગરિક તરીકે કે એક કર્મચારી તરીકે આપણે જાહેરજીવનમાં કે ઓફિસમાં કેટલીશિસ્ત પાળીએ છીએ? અરે, એ વાત જવા દો. કોઇકને સમય આપ્યો હોય એ મામલામાં આપણેસમયસર પહોંચીએ છીએ?*આજેય આપણે શિસ્તની બાબતમાં બ્રિટિશરોને યાદ કરીએ છીએ. આપણામાંશિસ્તનો સદંતર અભાવ છે એ આપણે તો ભલભલા લોકો સમક્ષ કબૂલી લઇએ છીએ, પણ બ્રિટનનાઇમિગ્રેશન ખાતાને આ ‘સત્ય’ હવે હાથ લાગ્યું છે. એ ‘સત્ય’ એ છે કે બ્રિટનમાંરહેવા (રહી પડવા) આવનારા લોકો લાઇનમાં ઊભા રહેતા નથી. પહેલા લાઇનમાં ઊભા રહે તોત્યાં સખણાં ઊભા રહે ને?એક નાગરિક તરીકે કે એક કર્મચારી તરીકે આપણે જાહેરજીવનમાં કે ઓફિસમાં કેટલીશિસ્ત પાળીએ છીએ? અરે, એ વાત જવા દો. કોઇકને સમય આપ્યો હોય એ મામલામાં આપણેસમયસર પહોંચીએ છીએ?બ્રિટનના ઇમિગ્રેશન ખાતાએ હમણાં રસપ્રદ નિરીક્ષણ કર્યું છે અને હવે એના આધારેતેમણે ઇમિગ્રન્ટસ સાથે કડકાઇ રાખવાનું નક્કી કર્યુ છે. તેમને એવું જાણવા મળ્યુંછે કે (હા, સંશોધનના આધારે. એ પણ એક શિસ્ત જ છે ને? જે કંઇ કરવું એ ઉભડક નહિ પણપૂરું રિસર્ચ કરીને કરવું એ બ્રિટિશ સ્વભાવ છે) બ્રિટનમાં રહેવા આવતા લોકો અહીંઆવીને લાઇનમાં ઊભા રહેવા જેવી સામાન્ય શિસ્ત પણ જાળવતા નથી અને એટલે ઘણી બધીસમસ્યા ઊભી થાય છે અને તેનાથી બ્રિટિશરોની આખી લાઇફસ્ટાઇલ ઉપર ખતરો આવી ગયો છે.લાઇનમાં ઊભા રહેવું એ બ્રિટિશરોની આદત છે અને આપણી આદત છે ન ઊભું રહેવું. આપણીઆદતને કારણે આજે બ્રિટિશરોની સૈકાઓ જૂની સંસ્કતિ જોખમમાં આવી ગઇ છે.અરે અં, આપણા માણસો જાય એટલે પછી કંઇ કહેવાનું હોય? ખરેખર તો હવે આટલા વર્ષેબ્રિટિશરોને લાઇન તોડતા આવડી જવું જોઇતું હતું.પણ એવું નથી થયું. કૃપયા પ્રતિક્ષા કિજીએ આપ કતાર મેં હૈ! આ વાક્યને કારણેબીએસએનએલનો નફો કેટલો ઘટ્યો એ એક તપાસનો વિષય છે. કતાર મેં રહીએ એવું કહે એટલેભારતીય હોય એનું ફટકે! અરે, આ લાઇનમાંથી ક્યારે ઊંચા આવીશું? એમ કહીને ફોનપછાડે.આમ તો બ્રિટિશરો આપણને સદીઓથી જાણે છે. આપણે ત્યાં શિસ્તનો અભાવ હતો એટલે તોઆટલા વર્ષો આપણા પર રાજ કરીને ગયા. આ તો શું મૂળભૂત રીતે આપણે લાઇનના નહિ, પણટોળાના માણસ. એ તો એક (એકલા) ગાંધીજી મળ્યા આ દેશને અને તેની પાછળ લોકોએટોળામોઢે ઝુંબેશ ચલાવી એટલે આ દેશ આઝાદ થયો.કદાચ લાઇન લગાવી હોત તો બ્રિટિશરોને જલ્દી અસર થાત! શું કહો છો? આ તો એક વાતછે...૯૧ ટકા બ્રિટિશરોને લાઇનમાં ઊભા ન રહેનાર પ્રત્યે ભયંકર ચીડ છે. જો કોઇ વ્યક્તિલાઇનમાં ઊભા રહેવાને બદલે કે પછી જમ્પ કરીને (ગુપચાવીને) બીજાને ઉલ્લુ બનાવવાનીકોશિશ કરે તો બ્રિટનમાં રહેતી વ્યક્તિ એ મામલે ઝઘડો કરી બેસે છે.શિસ્તમાં સમજનારને ચીડ ચડે એ સ્વાભાવિક છે. પણ આપણે તો અલગારી. લાઇન-બાઇન વળીશું? સેંકડો લોકો લાઇનમાં ઊભા હોય એ જોઇને પણ છેક સાપસીડી ચઢતો હોય એમ, આખીલાઇનને ચાતરીને છેક આગળ પહોંચીને પછી કહેશે, ‘એમ આ લાઇન એની જ છે? મને તો ખબર નનહિ’કેટલાક હોશિયાર લોકો તો લાઇનમાં ન ઊભા રહેવા માટે એટલા અખાડા કરે કે ન પૂછોવાત. કોઇને ફોન કરીને લાગવગ લગાવશે. કેટલાય પાછા એવુંય માનતા હોય કે પોતેવીઆઇપી છે અને ‘હમ જહાં ખડે રહેતે હૈ, લાઇન વહાં સે શુરુ હોતી હૈ’ એવો ફાંકોહોય છે. સીટી બસમાં આગળના દરવાજેથી ઉતરવાનું હોય છે, પણ ધરાર આગળના દરવાજેથી નઉતરે.એવી જ રીતે ભીડ હોય તો આગળના દરવાજેથી ઘૂસ મારી દે. લગ્નના બુફેમાં થતી લાઇનોઆપણે જોઇએ જ છીએ ને? હાથમાં પકડેલી ડિશ છલોછલ ભરેલી હોય એ પાછો વરચેથી ઘૂસીનેએંઠા હાથ અડાડીને કહેશે ‘જરા દાળ જ જોઇતી હતી, લઇ લઉ છું’મૂળ મુદ્દે આ આપણી રાષ્ટ્રીય સમસ્યા છે એ વાત તો નક્કી. એમાં ભાગ્યે જ કોઇ નાપાડશે પણ લાઇનમાં ઊભા રહેવા માટે તો તૈયાર નહિ જ થાય. આપણી સમસ્યા હવે બ્રિટનનીરાષ્ટ્રીય સમસ્યા બની ગઇ છે. મુંબઇમાં રહેતો માણસ ઘડિયાળને મિનિટોમાં સમજે છે.રોજબરોજની લાઇફમાં સૌથી કમનસીબ વાત હોય તો તે છે ડોક્ટરે આપેલી એપોઇન્ટમેન્ટનોસમય. ડોક્ટરની ક્લિનિકમાં કલાકો સુધી બેઠા પછી વારો આવે. એપોઇન્ટમેન્ટ આપી હોય૧૨.૧૫ની અને ડોક્ટર તમને બોલોવી ૧.૪૫ વાગ્યે. અંદર જાવ ત્યારે પણ મોબાઇલ પરવાતો ચાલતી હોય. એવાય ડોક્ટર્સ છે જે ઓપરેશન થિયેટરમાં ચાલુ ઓપરેશને કોલ(ઇમરજન્સી સિવાયનાય) એટેન્ડ કરે છે.ખેર, બ્રિટનની વાત પર પાછા ફરીએ તો ઇમિગ્રેશન મિનિસ્ટર ફીલનું કહેવું છે કેવારા પછી વારો અને મારા પછી તારો એવી લાઇનમાં ઊભા રહેવાની સિસ્ટમથી અમારો દેશએકસૂત્રે બંધાયેલો છે. બહારથી આવનારા લોકો એમાં ભંગાણ પાડી રહ્યા છે એટલે તેમનેહવે લાઇનમાં ઊભા રહેતા શિખવવું પડશે. એ બધી વાત સાચી વડીલ પણ એવું કરવાની આપણીલેન નહિ ને?

Sunday, February 28, 2010

અમૃતનો ઓડકાર


એક સર્વે દરમિયાન પરદેશની એક પ્રાથમિક શાળામાં 4 થી 8 વર્ષનાં બાળકોને ‘પ્રેમ કોને કહેવાય ?’ એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા. એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે ! તો એમની ભાષામાં જ એ જવાબો જોઈએ :

[1] મારા દાદીને સાંધાનો વા થયેલો છે. એ વાંકા નથી વળી શકતા એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ મારા દાદા પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં નિયમિત કરી આપે છે. એને પ્રેમ કહેવાય ! – (રિબેકા, 8 વર્ષ)

[2] ‘જ્યારે તમને કોઈ ચાહતું હોય ત્યારે એ તમારું નામ બીજા કરતા કંઈક જુદી રીતે જ બોલે છે ! તમને એવું લાગે કે તમારું નામ એના મોઢામાં ખૂબ સલામત છે, એ જ પ્રેમ !’ – (બિલિ, 4 વર્ષ)

[3] ‘પ્રેમ એટલે તમે કોઈની જોડે નાસ્તો કરવા જાઓ અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ બધી જ એને આપી દો, બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના…એ !’ – (ક્રિસ્ટી, 6 વર્ષ)

[4] ‘તમે જ્યારે અત્યંત થાકેલા હો ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ !’ – (ટેરી, 4 વર્ષ)

[5] ‘મારી મમ્મી કૉફી બનાવ્યા પછી મારા પપ્પાને આપતા પહેલા એક ઘૂંટડો ભરીને ચાખી લે છે કે બરાબર બની કે નહીં !’ બસ, એને જ પ્રેમ કહેવાય ! – (ડેની, 7 વર્ષ.)

[6] ‘તમને ખૂબ જ ગમતી ભેટનું પેકેટ કોઈ આપે અને એ પેકેટ ખોલવાને બદલે તમને એ આપનારની વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !’ – (બૉબી, 7 વર્ષ.)

[7] ‘એક છોકરી એક છોકરાને કહે કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે અને એ પછી છોકરો રોજે રોજ એ શર્ટ પહેરે એ પ્રેમ !’ – (નોએલ, 7 વર્ષ.)

[8] ‘એક વૃદ્ધ પુરુષ એક વૃદ્ધ સ્ત્રી એકબીજા વિશે બધું જાણતા હોવા છતાં વર્ષો સુધી જોડે રહી શકે એને પ્રેમ કહેવાય !’ – (ટોમી, 6 વર્ષ.)

[9] ‘મારી મમ્મી મને સૂવડાવી દીધા પછી મારી આંખ બંધ થયેલી જુએ ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે એ જ પ્રેમ !’ – (કલેર, 6 વર્ષ.)

[10] ‘પ્રેમ એટલે – મારા પપ્પા કામેથી આવે ત્યારે ધૂળ ધૂળ હોય અને પરસેવાથી ગંધાતા હોય છતાં મારી મમ્મી એની સામે હસે અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે – એ જ તો વળી !’ – (ક્રિસ, 7 વર્ષ.)

[11] ‘સવારમાં તમે હોમવર્ક કરતા હો એ વખતે તમે જેને દૂર હાંકી કાઢ્યું હોય અને પછી આખો દિવસ ઘરમાં એકલું છોડી દીધું હોય એ ગલૂડિયું સાંજે તમે નિશાળે પાછા આવો ત્યારે તમારો ગાલ ચાટે એને પ્રેમ કહેવાય !’ – (મૅરી એન, 4 વર્ષ.)

[12] ‘કોઈ તમને આઈ લવ યુ કહે અને તમારી આજુબાજુ ઘણા બધા તારા ફરતા હોય એવું લાગવા માંડે એ જ પ્રેમ !’ – (કરેન, 7 વર્ષ.)

નથી લાગતું કે આ ટબૂડિયાઓ પાસે પ્રેમ કોને કહેવાય એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે ? હવે એક નાનકડી વાત. પડોશમાં રહેતા દાદી ગુજરી ગયા ત્યારે ચાર જ વરસનો એક નાનકડો બાળક દાદાને મળવા ગયો. એકાદ કલાક પછી એ પાછો ઘેર આવ્યો ત્યારે એની મમ્મીએ પૂછ્યું કે, ‘બેટા ! તેં વળી દાદાને શું કહ્યું ?’
‘કંઈ નહીં મમ્મી !’ બાળકે જવાબ આપ્યો, ‘એમના ખોળામાં બેસી મેં એમને રડવામાં મદદ કરી !’
…..બસ, આ જ પ્રેમ !!

પર્વત પર ચડીને


પર્વત પર ચડીને
શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી, મા,
તમારા ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.

Saturday, February 27, 2010

સફલતા


શું સારા માનવી અને સફળ માનવી એ બે જુદી ચીજ છે? આ સવાલને યોગ્ય રીતે સમજવા માટે આપણે એને બે ભાગમાં વહેંચી શકીએ: પહેલો હિસ્સો છે કે શું સારી વ્યક્તિ હોવા માટે સફળ હોવું જરૂરી છે? અને બીજું કે શું સફળ હોવું જ સારા હોવાનું પ્રમાણ છે?

‘જે સાચું છે એ હંમેશાં લોકપ્રિય નથી નીવડતું અને જે લોકપ્રિય છે એ હંમેશાં સાચું નથી હોતું.’
આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું આ વાકય એમને ખુદને જ લાગુ પડે છે. લગ્ન પછી તેઓ પત્નીને વફાદાર ન રહ્યા. એમના બે દીકરા સાથે પણ એમનો સંબંધ ક્યારેય સારો ન રહ્યો. હિબ્રૂ યુનિવર્સિટી ઓફ જેરુસલેમે ૩૫૦૦ પાનાંનો જે દસ્તાવેજ રજૂ કર્યો, એમાં આઇન્સ્ટાઇનનું આ ઓછું જાણીતું રૂપ દેખાડાયું છે.

આ દસ્તાવેજ અનુસાર નોબલ પુરસ્કારમાં મેળવેલી રકમ આઇન્સ્ટાઇને શેરબજારમાં ડૂબાડી દીધી હતી. મિલેવા સાથેનું સુખી લગ્નજીવન અને હેન્સ અને એડવર્ડ જેવાં બે સુંદર બાળકો હોવા છતાં આઇન્સ્ટાઇનને કઝિન બહેન ઇલ્સા તરફ વિશેષ ખેંચાણ હતું. ૧૯૧૯માં મિલેવાને છૂટાછેડા આપ્યા પછી એમણે ઇલ્સા સાથે લગ્ન કર્યા અને ચાર વર્ષમાં જ ફરી મિત્રની ભત્રીજીની દીકરી ન્યૂમનના પ્રેમમાં પડ્યા.

આ પછી પણ લફરાંબાજીનો સિલસિલો ખતમ ન થયો! એક પત્ર પ્રમાણે આઇન્સ્ટાઇન તેમના લગ્નેતર સંબંધોનો સ્વીકાર પરિવાર સામે ગર્વથી કરતા! મિલેવા સાથે છૂટાછેડા લીધા પછી એમને સંતાનો સાથે રજાનો સમય પસાર કરવામાં ખૂબ આનંદ આવ્યો એવું લખ્યું હોવા છતાં એકવાર સ્કિઝોફ્રેનિયા રોગ સામે ઝઝૂમી રહેલા દીકરા એડવર્ડને એમણે એ હદ સુધી કહી દીધું હતું કે એ જન્મ્યો જ ન હોત તો સારું થાત.

મોટા દીકરા હેન્સ સાથે પણ એમના સંબંધ સારા નહોતા. એ વખતે ૧૧ વર્ષીય હેન્સે એક પત્રમાં એમને લખ્યું હતું કે તમે મમ્મી સાથે સારું વર્તન ન કરી શકતા હો તો હું પણ રજાઓમાં તમારી પાસે આવવા નથી માગતો. છૂટાછેડાની પ્રક્રિયા દરમિયાન મિલેવા સાથે આઇન્સ્ટાઇને સમાધાન કર્યું હતું કે એમને જો નોબલ પુરસ્કાર મળશે તો એ રકમ તેઓ મિલેવાના નામ પર સ્વિસ બેન્કમાં જમા કરાવી દેશે, જેથી બંને સંતાનોનું ભરણપોષણ તે સારી રીતે કરી શકે.

૧૯૨૧માં પુરસ્કાર મેળવ્યા પછી પણ એમણે ક્યારેય પોતાનો વાયદો પાળ્યો નહીં. દસ્તાવેજ અનુસાર પુરસ્કારમાં મળેલી પોણા ભાગની એટલે કે લગભગ ૧૧ લાખ પચાસ હજાર ડોલર જેટલી રકમ એમણે લાંબા સમયના બોન્ડમાં રોકી દીધી. આ રકમ ૧૯૩૦માં મંદીને કારણે ડૂબી ગઇ. એમણે આ રકમ મિલેવા અને દીકરાઓના નામે જમા કરાવી દીધી હોત તો તેઓ સરળતાથી પોતાની જિંદગી પસાર કરી શક્યા હોત.

આ જમાતમાં આઇનસ્ટાઇન એકલા નથી. ઘણાં મોટાં મોટાં અને પ્રખ્યાત નામ આમાં સામેલ છે, જેમની સફળતા કે પ્રસિદ્ધિએ એમની ખરાબીએ ઢાંકી દીધી.અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ અને દેશમાં પ્રજાસત્તાકની વિચારધારાના પ્રણેતા થોમસ જેફરસનને યુએસના મહાનતમ રાષ્ટ્રપતિઓમાંથી એક ગણવામાં આવે છે, પણ જેફરસને પોતે એકવાર કહ્યું હતું કે, જે શ્વેત પોતાની જાતિ ભૂલીને અશ્વેતો સાથે લગ્ન કરે છે, વંશવિસ્તાર વધારે છે, એમના મનમાં પોતાના દેશ માટે કોઇ પ્રેમ નથી અને તેમને માણસના ચારિત્ર્યની મજબૂતીની કોઇ પરવા નથી.

આવી વાતો કરનારા થોમસને પોતાની જ દાસી શૈલી હેમિંગ્સ થકી ઘણાં બાળકો થયાં, તેમ છતાં આ વાતનો તેઓ જિંદગીભર ઇનકાર કરતા રહ્યા. આખરે ડીએનએ ટેસ્ટિંગથી પ્રમાણિત થયું કે હેમિંગ્સનાં બાળકોમાં કમ સે કમ એક જેફરસનનું છે. અરે, સેક્રેટરી ઓફ ધ નેવી રોબર્ટ સ્મિથને લખેલા પત્રમાં જેફરસને એ સ્વીકાર પણ કર્યો છે કે એમણે પોતાની વિવાહિત પાડોસણ બેટ્સ વોકરનું ચરિત્રભંગ કરવાની કોશિશ પણ કરી હતી!

આધુનિક જીવનની સૌથી મોટી મૂંઝવણોમાંથી આ એક છે: સફળ શું છે અને સારું શું છે? મોટાભાગે લોકો એ વાતે ભ્રમિત થઇ જાય છે કે જે માણસ સફળ છે, એ સારો છે. પણ એવું જરૂરી નથી.

શું સારો માનવી અને સફળ માનવી એ બે જુદી ચીજ છે? આ સવાલને યોગ્ય રીતે સમજવા માટે આપણે એને બે ભાગમાં વહેંચી શકીએ: પહેલો હિસ્સો છે કે શું સારી વ્યક્તિ હોવા માટે સફળ હોવું જરૂરી છે? અને બીજું કે શું સફળ હોવું જ સારા હોવાનું પ્રમાણ છે? જ્યારે આ સવાલના જવાબ આપણે શોધી લઇશું ત્યારે જાણી શકીશું કે આપણી વાસ્તવિક ભૂમિકા શું હોવી જોઇએ.

એટલે કે આપણે સફળ બનવું છે કે સારા માનવી કે પછી કંઇ બીજું? શું સફળ હોવું જ વ્યક્તિ સારી હોવાની સાબિતી છે?

હવે સામાન્ય અર્થ સમજીએ કે સફળને જ સારું કેમ સમજવામાં આવે છે? એવું શું કારણ છે કે સફળ લોકોની બધી માનવીય ત્રુટિઓને ભૂલીને એમને જ આદર્શ માની લેવાય છે? ‘હાઉ મેન મેઝર્સ સક્સેસ’ના લેખક જિમ સ્મોક અને ડેવિડ હેઝાર્ડ અનુસાર એક સામાન્ય વ્યક્તિ માટે આર્થિક આત્મનિર્ભરતા, બહેતર જિંદગી, પાવર, લોકપ્રિયતા, પ્રતિષ્ઠા તથા સિદ્ધિ જે એમની પાસે નથી હોતી અને બીજી વ્યક્તિ પાસે હોય છે એ વાત જ એમને સ્વીકારવા માટે પ્રેરે છે કે બીજી વ્યક્તિ (જેમની પાસે બધું જ છે તે) સફળ છે.

સફળતા જાણે કે એક પડદાની જેમ કામ કરે છે. એ સફળ વ્યક્તિની ભૂલો-ખરાબીને ઢાંકી દે છે. ‘મેની ફેસિસ ઓફ ઇવિલ : હિસ્ટોરિકલ પ્રર્સ્પેક્ટિવ’ની લેખિકા એમિલી રોર્ટી અનુસાર સફળ વ્યક્તિને ખરાબી વગરની સમજી લેવી એ વધુપડતા આદર્શવાદ સુધી પહોંચી જવા જેવું છે.

એ પણ એટલું જ સત્ય છે કે બુરાઇના અસ્તિત્વને આપણું મગજ સારી રીતે સમજે છે અને એટલે જ એક સફળ વ્યક્તિની સફળતા આપણને એની વ્યક્તિગત ખરાબી કરતાં ઘણી વધારે પ્રભાવિત કરે છે. એટલે એક સફળ વ્યક્તિ સારી વ્યક્તિ હોવી જરૂરી છે, એ વાત આપણને એટલી મહત્વની નથી લાગતી.

તો હવે પહેલો સવાલ એ ઉદ્ભવે છે કે શું એક સારી વ્યક્તિ હોવા માટે તમારું સફળ હોવું જરૂરી છે? ‘હાઉ ગૂડ પીપલ મેક ટફ ચોઇસિસ’ના લેખક રુઝવર્થ એમ. કીડર કહે છે કે સારા હોવાની બસ ઇચ્છા હોવી એ જ સૌથી મોટી યોગ્યતા છે.

‘લીડિંગ વિથ કાઇન્ડનેસ: હાઉ ગૂડ પીપલ કન્સિસટન્ટલી ગેટ સુપિરિયર રિઝલ્ટ્સ’ના લેખક વિલિયમ એફ. બેકર અને માઇકલ ઓમેલેના શબ્દોમાં સારપ તો બસ એક ગુણ છે, જેને કોઇ પણ વ્યક્તિ કેળવી શકે છે. સૌથી ખાસ વાત તો એ છે કે એક સફળ વ્યક્તિની સરખામણીએ એક સારી-ઉમદા વ્યક્તિની સિદ્ધિ લાંબા ગાળા સુધી સ્મૃતિપટ પર સચવાય રહે છે.

એના કામની મર્યાદા પણ વ્યક્તિગત સ્તર કરતાં ઉપર હોય છે. લેખક નિક હોર્નબી અનુસાર સફળ વ્યક્તિ પોતાની સિદ્ધિઓથી ઓળખાય છે. જો કે આ સિદ્ધિઓ મૂળભૂતરૂપે ફક્ત એને ફાયદો પહોંચાડનારી હોય છે, પણ એક સારી વ્યક્તિનું કામ સ્વાર્થથી પર હોય છે.

ઇમેન્યુઅલ કાન્ટ કહે છે કે સારા હોવું એ ક્યારેય પણ સફળ હોવાનો વાયદો નથી કરતું. કોઇ વ્યક્તિ સારી હોવા છતાં સફળ નથી થઇ શકતી. એક સફળ વ્યક્તિ એકદમ સહજતાથી ખોટું કામ શી રીતે કરી લે છે? શું સારપ સફળતાના માર્ગમાં અવરોધ ઊભો કરે છે?

ખરી રીતે તો આ બધા સવાલ એક સારી અને સફળ જિંદગીની રૂપરેખા દોરવામાં મદદ કરે છે. એરિસ્ટોટલ અનુસાર સમૃદ્ધિ હોવા છતાં એક ઉમદા જિંદગી જીવવી એ વ્યક્તિનાં સદ્ગુણ અને વર્તન પર નિર્ભર કરે છે. જો કે કોઇ સદ્ગુણને સારી અને સફળ જિંદગીનો ફક્ત એક પર્યાય પણ માની શકે.

કેટલાક લોકો બેહદ મુશ્કેલ સમયમાં પણ સારપ નથી છોડતાં, પછી ભલેને નિષ્ફળતા જ કેમ ન મેળવવી પડે અને જે પણ તેઓ કરે એ એમને માટે નેગેટિવ સાબિત કેમ ન થતું હોય. આ સવાલ કેળવણીના મનોવિજ્ઞાન સાથે જોડાયેલો છે.

સ્વિટ્ઝરલેન્ડની યુનિવર્સિટી ઓફ ફ્રિબોર્ગમાં એજ્યુકેશનલ સાઇકોલોજીના પ્રોફેસર ફ્રિટઝ કે ઓસેર જણાવે છે કે જે લોકો સારપનો હાથ પકડે છે તે લોકો ઘણી વાર સમાજથી છૂટા પડી જાય છે અને નિષ્ફળ જિંદગી વિતાવે છે. અમેરિકી લેખક અને લેક્ચરર માર્ક ટ્વેનનું કહેવું હતું: ‘સારા બનો... અને તમે એકલા રહી જશો.’

મનોવિજ્ઞાની લીઝા હેટરસ્લે કહે છે, સફળતા સ્વ-સંતુષ્ટિનું માઘ્યમ છે અને એ નૈતિકતાને નથી સમજતી. સ્વ-સંતુષ્ટિથી પ્રભાવિત લોકો માટે સફળતા જ સર્વોપરી હોય છે અને તેઓ અંતરાત્માનો અવાજ સાંભળવાનું બંધ કરી દે છે અથવા તો બીજા શબ્દમાં કહીએ તો તેઓ મૂલ્યોથી અજાણ હોય છે.

ઓસ્ટ્રેલિયાના પ્રોફેસર લુઇ સી. પેરી અને ડેવિડ પેરીએ બાળકો પર સંશોધન કર્યું. બાળકોને એમણે બે વિભાગમાં વહેંચી દીધાં. એક જૂથને ખુશ રહેવા માટે જેટલું મન હોય એટલી છૂટનો અવસર આપ્યો, જ્યારે બીજા જૂથને જણાવ્યું કે જાત પ્રત્યે વધુ આસક્તિ સારી નથી.

જે બાળકોને આ વાતની જાણકારી નહોતી કે વધુ આસક્તિ નૈતિક સંસ્કારોનું દમન કરે છે, તેઓ સફળતા મળતાં જ સ્વ-સંતુષ્ટિથી ધરાઇ ગયાં, પણ જે બાળકો પર દબાણ લવાયું હતું એમનામાં આસક્તિની લાગણી ઓછી મળી. પેરી કહે છે કે સફળતા સંતુષ્ટિ આપવાનું કામ કરે છે, અને એમાંય જ્યારે તમને એ વાતનું અજ્ઞાન હોય કે વધુપડતો આત્મસંતોષ નૈતિકતાને જખમી કરી શકે છે.

મોર્ગન ડબલ્યૂ મેકકોલ જુનિયર નામના લેખક કહે છે, સાવ સાદી વાત છે કે અનીતિ તમને ઝડપથી સફળતા સુધી પહોંચાડે છે. ઉદાહરણ તરીકે, મિડિયા ટાયકૂન રૂપર્ટ મર્ડોક. એણે સફળતા મેળવવા માટે પરિસ્થિતિ, આસપાસના લોકો અને સંવેદનાઓને ખૂબ વટાવ્યાં. કદાચ શક્ય છે કે નૈતિક મૂલ્યો જાળવી રાખી તેઓ સાથે આવી સફળતા ન મેળવી શક્યા હોત.

તો શું એનો અર્થ એમ કે અચ્છાઇ સફળતાના માર્ગમાં અવરોધ ઊભા કરે છે? એનો જવાબ આપતાં મોર્ગન કહે છે, ‘એને બાધક તો ન કહી શકાય, પણ એ ધૈર્ય રાખવાની સાથે ઘણું બધું ગુમાવી બેસવાની તૈયારી માગી લે છે. જો કે ત્યાર પછી પણ સફળતાની કોઇ ગેરેંટી નથી હોતી પણ વ્યક્તિ પોતાની નૈતિકતા બાબતે મક્કમ હોય તો એ એની સાથે જ સંતુષ્ટ રહી શકે છે.’

નૈતિકતાની કસોટી પર ખરા ઊતરવું જ મોટામાં મોટું કામ છે, જે સફળ લોકોના વશમાં ન પણ હોય. જીવનમાં પૈસા, પ્રસિદ્ધિ અને શક્તિ મેળવવાં શક્ય છે, એ એટલું મુશ્કેલ કામ નથી, પણ પોતાના સદ્ગુણોને સાચવી રાખવા એટલું જ અશક્ય.

દસ કામ બગડ્યાં પછી પણ સત્યનો તમે સાથ ન છોડો અને અગિયારમી વાર પણ સજા પામો અને તે પછી પણ સત્ય બોલવાનું સાહસ રાખો તો તમે સારા છો. પ્રસિદ્ધ અંગ્રેજી કવિ, સાહિત્યિક, વિવેચક, અનુવાદક અને નાટ્યકાર જોન ડ્રાઇડેન કહે છે, ‘આ દુનિયામાં ફક્ત થોડા લોકો પોતાની સારપ વિશે જાણે છે અથવા તો સમજે છે કે સારપ એણે શોધવાની છે.’ અમેરિકી નિબંધકાર, કવિ અને દાર્શનિક હેન્રી ડેવિડ થોરો કહે છે, ‘અચ્છાઇ એકમાત્ર રોકાણ છે, જે ક્યારેય પણ નકામું નથી જતું.’

સચ્ચાઇની હત્યા

ઇકબાલ મસીહ એક પાકિસ્તાની છોકરો હતો. એની જિંદગી દુ:સ્વપ્ન જેવી હતી. ફક્ત ચાર વર્ષની ઉંમરે એના પિતાએ થોડા રૂપિયાની લાલચમાં એને ગાલીચા બનાવનારી ફેકટરીના માલિકને વેચી દીધો. ઇકબાલ હવે એક ગુલામ હતો. કારખાનાની ગૂંગળાવી નાખતી હવામાં દસ વર્ષનો થયો ત્યાં સુધી એણે કામ કર્યું.

એક દિવસ મોકો મળતાં જ ત્યાંથી ભાગી છૂટ્યો. એક સેવાભાવી સંસ્થા ચલાવતા અહસાન ઉલ્લા ખાને એને બચાવ્યો. એને યાદ નહોતું કે કારખાનામાં હતો ત્યારે છેલ્લું ભરપેટ ભોજન ક્યારે ખાધું હતું. એને બાંધી દેવાતો. સતત ૧૨ કલાક કામ કરવું પડતું. એની કરોડ રજ્જુ વાંકી વળી ગઇ હતી, ફેફસાં ખખડી ગયાં હતાં.

ઇકબાલ બોન્ડેડ લેબર લિબરેશન ફ્રન્ટના સભ્ય બની ગયા. એણે પોતાના ભાષણોથી પાકિસ્તાનમાં ચાઇલ્ડ લેબર સામે અવાજ ઉઠાવ્યો. બાર વર્ષની ઉંમરે એમની આંતરરાષ્ટ્રીય ઓળખ ઊભી થવા માંડી, પછી તો તેમને રિબોક હ્યૂમન રાઇટ એવોર્ડથી નવાજવામાં આવ્યા.

એમની વધતી પ્રખ્યાતિને લીધે ગાલીચા બનાવવાના વ્યવસાયમાં થતો બાળકોનો ગેરકાયદેસર ઉપયોગ મુશ્કેલ બનવા લાગ્યો. ૧૬ એપ્રિલ, ૧૯૯૫ના રોજ ઇકબાલની ગોળી મારી હત્યા કરી દેવાઇ. એમણે સત્યની એવી લડાઇ લડી જેને લીધે ધૂળભરી અંધારી ફેક્ટરીઓમાં બાળકોએ પીડાવું ન પડે. ઇકબાલ શબ્દ આજે પણ એટલો જ જીવંત છે. ઇકબાલ જેવા લોકોને લીધે જ આપણને લાગે છે કે આપણે પરિસ્થિતિને બદલી શકીએ છીએ.

Wednesday, January 13, 2010

life skill thrue drama...sucsses






life skill thrue drama

life skill thrue drama


i m ghanshyam
1st of all , i m happy because now i love my school and class and student.for this training,i became a lovengly teacher in our school . now i m felling that i become now teacher.

after the second traing day, this type of change coming in my class and me
1> i love my studends n they also love me so much and also take care me
ex. one day i forgot my lunch box..second day i forgot my sweter...third day i told my students in just joke that i m not happy today because u cant take care me..so at that time two studends runs and told me that...now we remember it u always its our responcibility..dont worry
2> dear madam before training in my student didn’t much more emotion for other(sympathy) now after training I found really much more emotion for other ..they take care other student n also so much me ..better than my wife
ex. Oneday we went gandhinagar in tour.after return one boy name vijay sitted down at window and he fell very cold because of winter so my student name prakash told him ,plz take my sweter..1st time he said no..but agin prakash said plz take my sweter u had fever than he took sweter n prakash helped him.i love this moment
ex. In our village lots of students live at field so one day a girl went at field because of take care buffalow and after return she took big bor(khavana mota bor) at fild not only for her,not only for me but also all our class.so I m so imprase at her because she took care all our students
ex.in my class when students fell some wronge from them ,at a time they told every one “sorry yaar” and also told me when they had in fault “sorry sir,we never came fault again”.. It’s a plus point in my class.
3>i work in jender education some times so now i m happy because now in my class they don’t have fill that he is boy nd she is girl.they evrytime fill that we are students
ex. one day i sow...ek chokari chokara na sholder per hath rakhi ne vat karti hati....
ex: we sow in movie that a girl thouched his chick at his boy frnd chick and told each other this moment I sow in my class one day a boy n girl told very nicely and frankly with each other so I m so impress at them that they forgot that she is girl and he is boy….good filling after sowing that
4>ek students name is shakti...te bahuj tofani...daily 3 thi 4 tofan ni fariyad ave..tene hu roj fariyaad ave etle ubho karu ane prem thi kahu " beta tara thi avu na karay yaar..tara aa dost ne khotu lage ...ane tu dahyo che. kem tu aavu kare che?...have aavu naa karto ok?...sit down" avu lagabhag 1 week karyu pachi ek divas tene bheti ne kidhu tu dahyo thayi gayo che te kem aavu karyu ..tena matha per haath fervyo ane kahyu have mane tara per visvash che k tu have tofan nahi kare...te divash thi shakti ni fariyaad have aavti nathi ane bija students ne samjave che k tofaan na karay sir ne dukh thay really i m so happy
5> we prepared the statue of MAKARSNKRATI. 1st step was given DAN for cow and given chokolet for children.2nd step was enjoying for kiting and 3rd step was one boy fall down at flore and every one in shok..but one boy told me that sir in 2nd step we can some cange that one boy was enjoying for cutting other kite and other boy was sading for cutting his kite and I accept his advise and told thnx him
6> and also 1st janyuaari na divshe ame welcome 2010 with emotion ni rangodi ni compitition yojel jema badha students khubaj saras rite envolv thai ne bhag lidho ane ame badha techers bhega thai ek big smile emotion dori welcome 2010 lakhelu jena photograps pan che...
7>in our school today’s rose program is going. In this program we choose one student who is coming school with new cloth, morning bath, nicly hair.
One day one student name GAUTAM was coming all of today’s rose rulls so every student said GAUTAM was todays rose. But GAUTAM said that sir I m not able to todays rose because I didn’t take bath. So I m impress because truth is developed by him. I sure that every student everyday speak thruth when they were in fault or other problem .

8>i talked abt life skill through drama in C.R.C. mitting. I started my lecture that sentence that I feel today that “ now I feel that I m become a teacher because of this training and dr. swaroop sampat raval advises. And this sentence was very touched my C.R.C co-ordinature.he said that now I had 57 teacher in my cluster but now I only worrid abt 56 teacher.

9> for 3 days cajual raja per hovathi, I cudent go school, but when I went school after 3 days 3-4 students came to me said that ‘sir , vipul was crying because of some students fought with each other when u were not there so he feel that if u heard abt fighting student how u feel so vipul was crying.’ When I herd abt this I really some happy and some sad because students feel that any time how I feel and some sad that students fought each other. I m sure that students take care me always

10> in last, I did story telling activities. 1st time of story telling I didn’t response very well by student but after one story was going so good and student also turnd it so well ex: “ elephent and ant were playing hide and seek….when elephant died its news was going on TV news chanel it’s a good turn in story telling so I was so good feel at that time.


i think this traning for me best training in my life n my school..now i 24 hours thinking abt my room n my student i really thankfull dear swaroop medam and presedent narendrabhai modi...thanx...


patel ghanshyam l.
ravaliyavadar pra. shala
ta:drangadra
dist:surendranagar
mo:09898894054