Showing posts with label લેખ. Show all posts
Showing posts with label લેખ. Show all posts

Friday, August 17, 2012

આંકડાઓનું મુળ



આપણે જે દસ આંકડા વાપરીએ છીએ, તે મુળ શી રીતે ઉદભવ્યા હશે?

 એક કલ્પના.

 જેણે વીચાર્યું હશે તેની કલ્પના શક્તી માટે માન થઈ જાય એવું છે ને? ..

01

1,2,3,4

5.6.7.8

9


આ સાચું છે કે, કેમ તે ખબર નથી. પણ ઈમેલ સંદેશા દ્વારા પ્રકૃતિકુંજ, ગાંધીગીરી ગ્રુપ તરફથી મળ્યું કે તરત જ ગમી ગયું. તમને ગમ્યું?

જીવનની રમત



   આ કોઈ ફિલસૂફીની વાત નથી. ખરેખર રમતની વાત છે. એને મારા પ્રિય ‘હોબી વિશ્વ’   બ્લોગ પર તો મૂકવાનો જ છું; પણ પહેલાં અહીં.
     કારણ સાવ સરળ છે – આ ‘ગદ્યસૂર’ માટેનો પણ પ્રિય વિષય છે – કદાચ વધારે પ્રિય. ( આદતવશ, અંતે એક ફકરો ઉમેરવાની અંચાઈ કરું પણ ખરો હોં! આપણે તો ભાઈ રમતારામ!)
     વાત જાણે એમ છે કે, આધુનિક વૈજ્ઞાનિકોનાં જીવનનો ટૂંક પરિચય આપતી એક ચોપડી હાથમાં આવી ગઈ. એમાં નરસૈંયાની યાદ અપાવી દેનાર ‘બેનોઈટ મેન્ડરબ્રોટ’ મળી ગયો; એ જ રીતે જીવનની રમતનો સર્જક ‘જોહ્ન કોન્વે’ પણ મળી ગયો.

Wednesday, August 8, 2012

હું અને મારા શિક્ષક



હું એટલે કોણ ? હું એટલે હું જ . કવિ 'મીનપિયાસી' એ સુંદર કહ્યું છે :

" પરમેશ્વર તો પહેલું પૂછશે,
કોઈનું સુખ દુઃખ પૂછ્યું 'તુ ?
દર્દ ભરેલી આ દુનિયા માં ,
કોઈનું આંસુ લૂછ્યું ' તુ ?
કબૂતરોનું ઘૂ...ઘૂ...ઘૂ ...,
ઉંદર-ચકલા ચૂ..ચૂ...ચૂ..,
છ્છુન્દરો નું છૂ...છૂ...છૂ...,
ભમરા ગૂંજે ગૂ...ગૂ...ગૂ...,
આ કુંજન માં શી કક્કાવારી ?
હું કુદરત ને પૂછું છું,
ઘુવડ સમા ઘૂઘવાટ કરતો,
માનવ ગરજે હું...હું....હું...! "

“જોય ઓફ ગિવિંગ વિક ” – વાય વિક ઓન્લી ??


જોય ઓફ ગિવિંગ એટલે કે “આપવામાં આનંદ”..!

 “આનંદ”,”ખુશી”,”મઝા”,”સંતોષ”,”ફન” કે પછી “જોય” આ બધું જ જીવન માં કૈક મળ્યાનો ભાવ ઉત્પન્ન કરે છે.જાણે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો ઉન્માદ જગાડે છે.પણ એક વાત નોંધવા જેવી કે પૈસાને તેનાં ચલણમાં (રૂપિયો કે ડોલર....) મોલવી શકાય,ગોલ્ડ ને તોલા માં તોલી શકાય કે પછી ક્વોન્ટીફાયેબલ રાશિઓ(જેવી કે દ્રવ્ય,કદ,વજન,તાપમાન,દબાણ…વગેરે)ને માપી પણ શકાય.પણ તમે “ફન” ને મેઝર કરવાનું “ફનોમીટર” કે પછી આનદ માપવાના “આનંદોમીટર” વિષે સાંભળ્યું છે ?? આ કદાચ શક્ય જ નથી કારણકે આવું “ફનોમીટર” ફન ને માપવા આધાર (બેઇઝ) તરીકે કોને લે ? માણસની સ્માઈલ? – બનાવટી હાસ્ય તો માણસને સરસ આવડે છે. માણસની લાગણીથી ભીની થયેલ આંખો ? – મગરના આંસુ સારવામાં કંઈ મોટી વાત નથી ! હ્રદય ની ધડકન ?- એતો માણસની દુરસ્ત કે નાદુરસ્ત સ્થિતિઓમાં પણ ભિન્ન પરિણામો આપે છે. આમ આવા કોઈ “ફનોમીટર” શોધાઈ શકવાના અણસાર પણ દૂર દૂર સુધી ક્યાય જણાતા નથી !

પરદેશમાં વસતાં ગુજરાતીઓ માટે ગુજરાતી પબ્લીકેશન હોવું જોઇએ કે નહિ?



દેશ હોય કે પરદેશ, જયાં ગુજરાતી છે ત્યાં ગુજરાતી ભાષાનું સ્થાનિક પબ્લીકેશન હોવું જ જોઇએ. આ મારો વ્યક્તિગત મત છે અને જરુરિયાત પણ. કારણ હું ગુજરાતી છું. મારી પહેલી ઓળખ મારું ગુજરાતીપણું છે. સમાજ કે દેશ કોઇ પણ હોય, નાગરિક ક્યાંયનો પણ હોય, એક માણસની ઓળખ તેનાં કપડાં કે ખોરાક નહિ પણ ભાષા છે. પરદેશમાં આવીને આપણી ઓળખ વૈશ્ર્વિક બની જાય છે, પણ તેથી આપણી મૂળ ઓળખ મટી નથી જતી. વળી ગ્લોબલ વલ્ડમાં હોવાનાં કારણે આપણને આખી દુનિયામાં શું થાય છે તે ખબર છે પણ આપણે જ્યાં છીએ તે સીડની કે ઓસ્ટ્રેલિયાનાં ગુજરાતી સમાજમાં શું થાય છે તે નથી ખબર. ઇન્ટરનેટ પર ભારતનાં છાપાં કે સામયિકો નાં વાંચીએ તો આપણને આપણાં ગામમાં કે શહેરમાં શું થાય છે તે પણ ખબર નથી પડતી. એટલે ના તો આપણે જ્યાં છીએ ત્યાંની આપણને ખબર છે કે ના તો આપણને જ્યાંથી આવ્યાં છીએ ત્યાંની ખબર છે. આ સ્થિતીમાં મને મારું વૈશ્ર્વિક હોવું ખટકે છે જેણે મારું વિશ્ર્વ નાનું કરી નાંખ્યુ છે. અહીં બધું જ મળે છે, સિવાય કે લખાયેલું અને છપાયેલું ગુજરાતી, જે વાંચીને જ આપણી સવાર પડતી હતી.

બિહાર અને ગુજરાત - ભાગ એક



આમ તો સરખામણી કરવી એ કંઈ સાચી રીત નથી. પરંતુ આપણે આપણો કક્કો ખરો કરવા ઘણી વાર સરખામણી કરી નાંખીએ છીએ. તાજેતરમાં આપણા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં હરિફ કેશુભાઈને ઉદ્દેશીને  કહ્યું કે બિહાર જાતિવાદનાં રાજકારણને કારણે પાછળ રહ્યું હતું. તો તરજ જ તેની પ્રતિક્રિયા રૂપે બિહારનાં મુખ્ય પ્રધાને કોમવાદનું રાજકારણ ખેલનારને આવું કહેવાનો અધિકાર નથી તેવું નિવેદન આપ્યું હતંુ. આમ મોદી વિરૂદ્ધ નિતિશનાં આ યુદ્ધને કારણે જ મને સાત વર્ષ પહેલા બિહાર વિધાનસભાની ચૂંટણી કવરેજ કરવા માટે મેં વિતાવેલા ત્રણ મહિના કરતા વધુ સમયની યાદ સ્મરણ પટ્ટ પર તાજી થઈ ગઇ.

મુંબઈમાં તો દરરોજ યુપીબિહારનાં લોકો વિરૂદ્ધનાં નિવેદનો સાંભળું છું. ખાસ કોઈ અસર થતી નથી. કારણકે બધુ લોકોને ભરમાવા માટે તેમજ સત્તા મેળવવા માટે જ હોય છે. તેમ છતા લોકોમાં વિવિધ જાતનાં પૂર્વગ્રહો હોય જ છે. હું પણ એમાંથી કંઇ બાકાત નથી. હૈદરાબાદની એક ટીવી ચેનલમાં કામ કરતો ત્યારે પણ બિહારનાં લોકો વિરૂદ્ધ એક અલગ પ્રકારનાં દ્વેષની લાગણી થતી. તેનું કારણ એ પણ હતું કે અમારી એક માત્ર ગુજરાતી ચેનલને બાદ કરતા ત્યાંથી પ્રસારીત થતી લગભગ તમામ યુ,પી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર તથા ઉર્દુ ચેનલમાં તમામ જગ્યાઓ પર બિહારથી આવેલા લોકોનો દબદબો હતો. અમારા ગુજરાતીઓ કરતા આ લોકો ઘણાં જ હોંશિયાર તમામ રીતે. તેઓની સાથે પરિચયમાં આવતો તો ઘણીવાર થતું કે આ લોકો આટલા બધાં હોંશિયાર છે તો પણ પ્રદેશ આટલો પછાત કેમ ?

પથીક - મણકો એક






આત્મા પોતે પોતાની મેળે ઊભું કરે છે એ સિવાયનું બીજું અંતર ક્યાંય નથી. આપણી પાસે સમયની ગણનાનાં જે સાધનો છે – સૂયૅ, ચંદ્ર, તારા , તેના વડે સમયની ગણના કરવાનું આપણે ક્યારે ભુલીશું? જ્યારે માણસના દિલમાં પ્રેમનો એક જ સાચો અંકુર ફૂટે છે ત્યારે કાળની બધીજ ગણતરીઓ એના માટે ખોટી નીવડે છે. એવા હ્રદયને માટે એક પળની રાહ જોવી એ હજારો નરક કરતાં પણ મોટું નરક હોય અને હજારો વરસની રાહ જોવી એ એક પળ કરતાં પણ ન્યૂન હોય. પ્રેમની કસોટી જ આ : એ કાલાતીત છે.
ખલીલ જીબ્રાન 




થોડીવસ્તુઓથી સંતુષ્ટ રહેવું, વૈભવને બદલે સુંદરતા અને ફેશનને બદલે સુઘડતા પસંદ કરવી. સન્માનનીય થવા કરતાં સન્માનપાત્ર થવું. સંપત્તિવાન નહીં, પણ સમ્રુધ્ધ થવું. સખત પરિશ્રમ કરવો, શાંત ચિત્તે વિચાર કરવો, મ્રદુ રીતે વાત કરવી, નિખાલસપણે વતૅવું, તારાઓ, પંખીઓ અને સાધુજનોનાં હ્રદયગાન ખુલ્લા દિલથી સાંભળવાં. બધું આનંદથી ખમી લેવું. હિંમતથી વતૅવું. રાહ જોવી, ઉતાવળ કરવી નહીં, સામાન્યતામાં અણકથી અને અભાનપણે રહેલી આધ્યાત્મિકતાને પ્રગટવા દેવી- આ મારી જીવનભાવના છે.
-  વિલિયમ હેન્રી ચેનિંગ

ગુજરાત બેંગ્લુરુ કેમ નથી



એમ તો ગુજરાત એ ગુજરાત જ છે. પણ, આપણે વાત કરી રહ્યા છીએ - ગુજરાત હજી સુધી આઈ.ટી. એટલે કે ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે બેંગ્લુરુ કેમ નથી? - એ વિશે. ગુજરાતનું ઈન્ફ્રાસ્ટ્રકચર, ઈલેક્ટ્રીસીટી, આઈ.ટી. ક્ષેત્રે હોંશિયાર યુવાનો તેમજ સરકારનો સહયોગ હોવા છતાં આપણે આઈ.ટી.માં આગળ કેમ નથી? હું લગભગ દર વર્ષે બેંગ્લુરુની મુલાકાત લઉં છું અને સ્વાભાવિક રીતે ગુજરાતમાં રહેલો છું અને આઈ.ટી. ક્ષેત્રે ૨૦૦૦ની સાલથી ચાંચ પરોવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને ગાંધીનગર ખાતેનાં ઈન્ફોસીટીની મુલાકાત લીધા પછી આપણાં મુખ્ય સવાલ પર ચર્ચા કરીએ.

નવલિકા



2.   ભાગ્ય કે ભૂલ

ઘણાં વખતે આજે ડી.વાય.એસ.પી. સાહેબ ઘરે હતા. બંગલાના પહેલા માળે આવેલ બાલ્કનીમાં મૂકેલ ઝુલા ઉપર તેઓ બેઠાં બેઠાં કંઈક ભારે ઉદાસીનતા અનુભવતાં હતાં. સાંજનો સમય હતો. ઋતુ હજુ નક્કી નહોતી કરી શકાતી. બપોરના આકરા તાપ પછી, સાંજની ગુલાબી ઠંડી કંઈક વિસ્મય તો કંઈક રાહત આપી જતી હતી. ગગન કેટલું પણ વિશાળ હોય પણ તેણે તો કાં તો સૂરજની રંગે રંગાવવાનું કે ઝળહળવાનું કાં તો ચંદ્રના રંગે આછા અજવાળે તારા મંડળની મદદે દળદળવાનું. બંગલાના કંમ્પાઉન્ડમાં રાધા વાસીદું વાળી રહી હતી. રાધા લગ્ન પછી આજે પહેલી વખતે ઘરે આવી હતી. વાસીદું વાળતાં વાળતાં તે મનમાં વિચારતી હતી કે ઉપરવાળો શું વિચારતો હશે ? એના માટે તો ઉપરવાળો એટલે પહેલા માળે ઝૂલા પર બેઠેલા ગોહિલ સાહેબ. એનાથી વધારે ઉપર તે કશું વિચારી શકે તેમ નહોતી. ગોહિલ સાહેબ એના માટે ઈશ્વરથી પણ વધારે હતા.
ગોહિલ સાહેબ નીચે રાધાને જોઈને વિચારે ચડી ગયાં. આજથી લગભગ દશ વર્ષ પહેલાંની ધોધમાર વરસતી રાત હતી. વીજળીના કડાકા વાતાવરણને ભયાનક બનાવે એના કરતાં પણ વધારે ભયાનક મન:સ્થિતિ ગોહિલસાહેબની હતી. એક સાવ ગરીબ બાઈ પોલીસચોકીમાં તેમની પાસે આવી પોતાનો અસંખ્ય કાંણાવાળો પાલવ પાથરી વિનંતી કરી રહી હતી.
‘સાહેબ એને મારશો નહીં, એને ક્ષય થયો છે.’
‘શું નામ છે તારું ?’
‘લક્ષ્મી.’

ગોહિલસાહેબ મનમાં ને મનમાં વિચારતા રહ્યા. નામ તો બિચારીનું લક્ષ્મી છે પણ કેટલું બધું દારુણ્ય છે એની જિંદગીમાં.
‘બોલો શું કામ છે ?’
‘સાહેબ આ ધનસુખને ના મારશો. મારો ધણી છે. સાહેબ, બીજું કંઈ નહીં તો મારી આ રાધાની તો દયા કરો.’ સાહેબે જોયું તો રાધા વરસતા વરસાદમાં એક ઝાડની નીચે ઊભી ઊભી રડી રહી હતી. જેટલા અમાસની રાતે આકાશમાં તારા હોય તેટલાં એની ઓઢણીમાં કાંણાં હતાં, છતાં એને ઓઢીને વરસતા વરસાદથી બચવાનો તે વ્યર્થ પ્રયાસ કરી રહી હતી.
‘લક્ષ્મી, તું રાધાને અહીં અંદર રૂમમાં લઈ આવ.’ સાહેબે લક્ષ્મીની આખી વાત શાંતિથી સાંભળી અને ધનસુખને નહીં મારવાની હૈયા ધારણ આપી.

ગોહિલસાહેબ આખી રાત સૂઈ ના શક્યા. મનોમન વિચારતા રહ્યા કે આમાં રાધાએ શું ગુન્હો કર્યો ? શા માટે એની જિંદગી આ રીતે જવી જોઈએ ? આટલા વરસોમાં કેટકેટલા ગુનેગારોને ગોહિલ સાહેબે જોયા હતા અને એમને રીમાન્ડ ઉપર પણ લીધા હતા; પરંતુ આજે કોણ જાણે કેમ તેઓ ખૂબ અસ્વસ્થ થઈ ગયા હતાં. આખી રાત તેઓ જાગતાં રહ્યા. સવારે પૂજામાં પણ એમનું ધ્યાન ન રહ્યું. ગોહિલ સાહેબનો નિત્યક્રમ ભલે ગમે તેવો ભરચક કાર્યક્રમથી ભરેલો હોય પણ સવારે પૂજા કર્યા વગર તેઓ ઘરની બહાર પગ મૂકતાં નહીં. એમણે એમની પત્નીને બોલાવીને કહ્યું, ‘ખમાબા, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. જરા અંદરના ખંડમાં આવો ને.’ એમનાં પત્ની તેમની પાછળ અંદરના ખંડમાં ગયા અને પૂછ્યું :
‘બોલો શું કહેતા હતા ?’
‘ખમાબા, તમે કલ્પના કરી શકો છો એવી કે આપણો પપ્પુ ક્યાંક ખોવાય ગયો હોય અને વરસતા વરસાદમાં કોઈ ઝાડ નીચે પલળતો ઊભો હોય…..’
આટલું સાંભળતા તો ખમાબા એ ગોહિલ સાહેબના હોઠ ઉપર પોતાનો હાથ મૂકી રડી પડ્યા.
‘તમે કેમ આવું અમંગળ બોલો છો ? આજે તમને શું થયું છે ?’ ગોહિલસાહેબે ખમાબાને બધી વાત વિસ્તારથી કહી. ગોહિલસાહેબે તેમને કહ્યું : ‘ખમાબા, તમારી સંમતિ હોય તો આપણે આ રાધાને આપણે ત્યાં રાખી લઈએ તો ?’ તેઓ ગોહિલ સાહેબની વાતથી ખુશ થયા અને મનોમન એમણે પતિને વંદન કર્યા. તેમના મનમાં એ દિવસથી સાહેબ માટેનું માન ખૂબ જ વધી ગયું.

આજે રાધાની ઉંમર સત્તર વર્ષની થઈ. છેલ્લા બાર વર્ષથી એ ગોહિલસાહેબના ઘરે જ રહેતી હતી. હવે તે આ ઘરની સભ્ય બની ચૂકી હતી. ખમાબા પણ એટલાં જ પ્રેમાળ હતાં. એમણે રાધાને ઘરની દીકરીની જેમ ઉછેરીને મોટી કરી હતી અને આ ઘરના સંસ્કાર આપ્યાં હતાં. રાધાની રીતભાત અને તેનું બૌદ્ધિક સ્તર જોઈને કોઈને એમ ન લાગે કે રાધા સાવ ગરીબ ઘરમાંથી આવતી એક દારૂડિયા માણસની છોકરી છે. બાળકના ઉછેર અને માવજત ઉપર એના સંસ્કારનો બધો આધાર હોય છે તેનું રાધા એક ઉત્તમ ઉદાહરણ છે. ગોહિલ સાહેબનું ધ્યાન ગયું કે રાધા નીચે વાસીદું વાળી રહી છે એટલે એમણે રાધાને ઉપર બોલાવી. તે આવીને બેઠી એટલે તેમણે પૂછ્યું :
‘કહે… કેમ છે તારો માધવ ?’
રાધાનું મનોજ સાથે વેવિશાળ થયું ત્યારથી હંમેશા ગોહિલ સાહેબ મનોજને જુદા જુદા કૃષ્ણના નામ લઈ બોલાવતા અને રાધાને એ બહાને જરા ચીડવતા. કોઈક વખત માધવ, તો કોઈક વખત ઘનશ્યામ તો કોઈ વખત કાનભાઈ કહી રાધાને હસાવતાં. રાધા થોડી ચીડાતી અને મનમાં ખુશ થઈ શરમાઈ જતી. ખમાબા એ બંને વચ્ચેની ધમાચકડી જોઈ ખુશ થઈ જતાં. આજે ગોહિલ સાહેબે રાધાના માથા ઉપર હાથ ફેરવીને પૂછ્યું કે કેમ રાધા તું કંઈ બોલતી નથી. બધું હેમખેમ તો છે ને ? અને રાધા એકદમ રડી પડી. ખમાબાએ આવી રાધાને પાણી પીવડાવી હૈયા સોંસરી ચાંપીને સાંત્વના આપી. રાધા ધીરે ધીરે સ્વસ્થ થઈને બોલવા લાગી.

‘સાહેબ, તમારી રાધાને તો તમે જતનથી સાચવીને રતન બનાવી દીધી. તમને યાદ છે જ્યારે તમે વળાવતા હતા ત્યારે તમે મને કહ્યું હતું કે ‘દીકરી, જેમ છોડને એક ક્યારામાંથી બીજા ક્યારામાં રોપવામાં આવે છે ત્યારે મૂળ ક્યારાની થોડી માટી છોડની સાથે રાખવામાં આવે છે. જેથી કરીને છોડ નવા ક્યારામાં ગોઠવાઈ ના જાય ત્યાં સુધી મૂળ એનું સિંચન કરે. એમ તું પણ આ ઘરના સંસ્કારને સાથે લઈને જઈ રહી છે.’ પરંતુ સાહેબ, બીજા ક્યારાની માટી જ સાવ પોકળ હોય તો શું ? એ છોડની લીલપ ક્યાં સુધી રહી શકે ? બા સાહેબ, તમને ખબર છે ? એ ઘરમાં તો કોઈ બહારથી ઘરમાં આવે તો હાથપગ ધોયા વગર ઘરમાં બધે ફર્યા કરે અને ખાવા પણ બેસી જાય ! અને સાહેબ, એ તમારા કાન, માધવ અને ઘનશ્યામ – એ તો સવારે ઊઠીને બ્રશ પણ કરતાં નથી. એમને હું ભગવાનની પ્રાર્થના કેવી રીતે શીખવાડું ?
બા સાહેબ, તમને યાદ છે એક દિવસ હું મોડી ઊઠી હતી. આગલી રાતે આપણે એક ફિલ્મની સીડી લાવેલા અને એ જોતાં જોતાં ખૂબ મોડું થઈ ગયેલું અને પછી બીજે દિવસે સવારે મારી આંખ મોડી ખૂલેલી. હું ઉતાવળે પ્રાર્થના કરવાનું ભૂલી ગઈ તો તમે બંને મારા ઉપર કેટલાં ગુસ્સે થઈ ગયેલા ? અને સાહેબ, તમે કહ્યું હતું કે ઈશ્વરની સંમતિ વગર આંખનું એક મટકું પણ આપણે ન મારવું જોઈએ. પ્રાર્થના એક એવું સંગીત છે જે ખળખળ વહેતી નદીની જેમ નિર્મળ હોય છે. એ આપણાં મન નિર્મળ રાખે છે – પણ ત્યાં એવું કશું જ નથી. ત્યાં તો બધું એકદમ જુદું છે. તમારો માધવ સાવ દારૂડિયો છે. ક્યાં તમારા સંસ્કારોનો વૈભવ અને ક્યાં એ લોકોનું નિમ્ન જીવન. સાહેબ, હું નાની હતી ત્યારે એક દારૂડિયાના ઘરે મારો રૂંધાતો વિકાસ તમે જોઈ નહોતા શકયા પરંતુ હવે શું ?’ કહી રાધા એકદમ રડી પડી. ગોહિલસાહેબથી પણ ડૂસકું મૂકાઈ ગયું.
ખમાબા બંનેના માથા ઉપર હાથ મૂકી વિચારી રહ્યા કે રાધાને આપણે ઘેર લાવ્યા એ શું ફક્ત અલ્પ સુખને ખાતર જ ? આ છોકરીને આપણે કેવી સરસ રીતે ઉછેરી અને તેને આ ઘરનો સંસ્કાર વૈભવ આપ્યો. પણ આ શું થઈ ગયું ? રાધાને પરણાવીને મોટી ભૂલ કરી કે રાધાને આપણે ત્યાં લાવી ઉછેરી મોટી કરી એ આપણી ભૂલ ?

નવલિકા



1.   શ્રીમતિ શ્રવણ

ગાડીમાં બેસતા નિલમે પૂછ્યું – શું બધા ઓલરાઈટ છે ને ?
બાપુજી  કેમ છે અને બા ના પગે કેમ છે ?
હેમંત મને આશા છે કે આ વખતે જે હું હરદ્વારથી દવા લાવી છું તે બાપુજી ને જરૂર અસર કરશે.
મને તો હવે એલોપેથી દવા ઉપર શ્રધ્ધા જ નથી રહ્યી. મને તો લાગે છે કે બાપુજી ની તબીયત એલોપેથી દવાને કારણે જ વધુ બગડી છે .
નિલમ ના બા – સરલાબેન અને બાપુજી  – રમેશભાઈ તેમની સાથે જ રહેતાં હતાં. રમેશભાઈને અલ્ઝાઈમર નામના રોગથી પીડાતા હતા. દવાની કોઈ ખાસ અસર થતી નહોતી .
પાર્થ ગાડીમાં પાછલી સીટ ઉપર બેસીને એકધારો નિલમ ની લાક્ષણિક મુદ્રાઓનો અભ્યાસ કરી રહ્યો હતો આ ઉંમરે પણ પોતાની મમ્મીને એના બાપુજી  માટેની લાગણી જોઈ એ મનોમન વંદન કરી રહ્યો. અમેરિકામાં આ બધું લોકોને અજુકતું જ લાગે. કોઈ ડોકટર દર્દીના કાર્ડિયોગ્રામ લેતા હોય તેમ પાર્થ નિલમ ના સંવેદનોનો ગ્રાફ પોતાના હ્રદય ઉપર અંકિત કરી રહ્યો હતો.નિલમ  સંસ્કારની સુંદર લિપીથી પાર્થની જીવનકથા લખી રહ્યી હતી .
મા, આશામાસી પણ કહેતા હતાં કે તારી મમ્મી તો જો કેટલી લાગણીશીલ છે, છેક છેલ્લી ઘડીએ ભારતથી અમેરિકા આવતાં બાપુજી  માટે દવા લેવા માટે હરદ્વાર ગઈ.
પાર્થને પોતાની મા ને સંબોધવા માટે પારકી ભાષાનો શબ્દ મમ્મી નો સહારો લેવાનો પસંદ નહોતો તેથી તે તે નિલમને મા કહ્યીને જ બોલાવતો હતો.
મા, તારે જો ભારત પાછા જતાં રહેવું હશે તો આપણે બધાંજ ભારત પાછા જતાં રહીશું.ભારત પણ ક્યાં હવે પાછળ છે, આપણા દેશે પણ કેટલી બધી પ્રગતિ  કરી છે.
નિલમ આ વખતે જ્યારે પણ ભારતથી હેમંત અને પાર્થ જોડે ફોન ઉપર વાત કરતી ત્યારે હસવામાં કહેતી કે હવે તો હું અમેરિકા પાછી આવવાની જ નથી.તમારે લોકોને જ્યારે પણ ભારત પાછા આવવું હોય ત્યારે આવજો.અને તેથી જ પાર્થના મનમાં આ સવાલ સતત ઘૂંટાયા કરતો હતો અને તેથી જ નિલમના આવતા વેંત એણે સીધો જ સવાલ પૂછી લીધો.
વાતાવરણની ગંભીરતા તોડતાં હેમંતે કહ્યું –  તારી મમ્મી હવે દર વરસે ભારત જવાની છે અને આપણે દર વરસે આમ એરપોર્ટ ઉપર એક નવલી ભારતીય આદર્શ નારીનું સ્વાગત કરવાં આવવાનું છે.ચલો હવે વધારે મોડું કર્યાં વગર ગાડીમાં બેસો નહીંતર ટ્રાફીક પોલીસ આપણને ટીકીટ આપી જશે એમ કહ્યી હેમંતે ગાડી ઘર તરફ હંકારી લીધી .
હેમંત અને નિલમ  અહીં અમેરિકામાં મોટેલ ચલાવતાં હતાં.એ જ્યાં રહેતાં હતાં ત્યાં ભારતીયો ખૂબ ઓછા પ્રમાણમાં રહેતા હતાં. રમેશભાઈ નિલમ ના હઠાગ્રહથી જ અમેરિકા રહેવા આવી ગયાં હતાં. સરલાબેનને ઘણી વખત પુત્ર ન હોવાનો  વસવસો વ્યકત કરતાં ત્યારે રમેશભાઈ હંમેશ કહેતા નિલમ  મારો દીકરો જ છે.  
હેમંત પણ બન્નેને ખૂબ જ પ્રેમ કરતો હતો. એ પણ હંમેશ સરલાબેન ને કહેતો -
મમ્મી તમારી ફરિયાદ એક પુત્ર ન હોવાની હતી તો લ્યો ઈશ્વરે તમને બબ્બે પુત્રો આપી દીધા અને મજાકમાં કહેતો કે હું તો તમને રેડીમેઈડ મળી ગયો છું. નિલમ  સાથેના લગ્ન પછીના બે વર્ષના ટૂંકા સમયમાં જ હેમંતે તેના મમ્મી અને પપ્પા એક રોડ અકસ્માતમાં ગૂમાવી દીધા હતા.
હેમંત જાણતો હતો કે રમેશભાઈને એ વાતનું સતત દુઃખ રહેતું હતું કે તેઓની સારવાર તેની પાસે કરાવવી પડતી હતી.
રમેશભાઈ કહેતા – હેમંત તું મારો દીકરો જ છે પણ સરલાની કૂખે  તું  જનમ્યો  નથીને એટલે અમને દુઃખ છે કે તારે અમારી સેવા કરવી પડે છે .
હેમંત રમેશભાઈની પુત્રએષણા જાણતો હતો એટલે એ જ્યારે પણ આવી વાત નીકળતી ત્યારે ખૂબ નજાકતથી વાતને વાળી ને બદલી નાંખતો.
હેમંત હાથમાં ચાનો કપ રમેશભાઈના હાથમાં પકડાવી દેતો અને પૂછતો –  કપમાં એક ચમચી ખાંડ નાંખી છે વધુ એક  ચમચી ખાંડ નાંખું  હેમંત જાણતો હતો કે રમેશભાઈ અચૂક બીજી ચમચી ખાંડ માંગશે એટલે એ ખોટું જ કહેતો કે એક ચમચી ખાંડ નાંખી છે. રમેશભાઈને ડાયાબિટીસ નહોતો પણ સુગર થોડી વધુ રહેતી હોવાથી ડોકટરે ખાંડ ઓછી ખાવા કહ્યું હતું.
નિલમ  બાપુજી  અને હેમંતના આવા સંવાદો સાંભળીને મનોમન ખુશ થતી હતી.નિલમે પરદેશની ભૂમિ ઉપર એક આદર્શ માળો ગૂંથ્યો હતો. આ માળાની એણે એવી રચના કરી હતી જેથી સૌને એમ લાગે કે આ માળાના સરખા ભાગીદાર છીએ.એ જ તો નિલમની ખૂબી હતી.આવી સુંદર રચના કરવા માટે એણે વાસ્તું શાસ્ત્રનો સહરો લેવા કરતાં સંસ્કાર નો પાયો મજબૂત નાંખી એના ઉપર વધારે આધાર રાખ્યો હતો.
—-
નિલમ  ઘડિયાળમાં જોતો ખરી કેટલા વાગ્યા. રાત્રીના બે વાગવા આવ્યાં છે અને તું ક્યારની
ઈન્ટર નેટ ઉપર બેઠી છું.
હા, હેમંત હું બધી માહિતી ભેગી કરી રહ્યી છું. બાપુજી ની અને બાની ભારતની ટ્રીપ ખૂબજ સરસ રીતે પ્લાન કરવી છે અને તું પણ તો ભારતથી આવ્યા પછી પહેલી વખત જ ભારત પાછો જઈ રહ્યો છે .
નિલમ  ભારતથી આવ્યા પછી બાપુજી ને નિયમિત હરદ્વારથી લાવેલ દવા આપવાથી બાપુજી ને ઘણું સારું સારું લાગતું હતું.તેથી જ તો તેઓ એ નક્કી કર્યું હતું કે બાપુજી ને થોડો વખત ભારત લઈ જઈ ત્યાં સારવાર કરવી.થોડો તેમને પોતાના ઘરમાં રહેવાનો આનંદ રહેશે અને થોડો વખત હરદ્વારમાં રહેશે તો સારું પણ લાગશે. ભારતમાં હતાં ત્યારે બા અને બાપુજી  વરસમાં એક વખત તો જરૂરથી કોઈને કોઈ ધાર્મિક સ્થળે બધાંને ફરવા લઈ જતાં.
નિલમ,  પણ મને લાગે છે કે તું જ બા તથા બાપુજી  સાથે ભારત જઈ આવે તો સારૂં.એમને પણ સારૂં લાગશે. હેમંતે નિલમ ના માથા ઉપર હાથ ફેરવતાં ખુરશી પાછળ ઉભા રહ્યી વાત છેડી.
હેમંત, મેં બધી વાતનો વિચાર કર્યા પછી જ નિર્ણય કર્યો છે કે તું જ બા તથા બાપુજી  સાથે ભારત જઈ આવ.એક તો તું ભારતથી આવ્યાં પછી એક પણ વખત ભારત ગયો નથી અને તને ખબર નથી કે બા  બાપુજી ને તારી સાથે ભારત જવાની કેટલી મજા પડશે. દરેક મા બાપની ઈચ્છા હોય કે તેમનો પુત્ર તેમને વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રા કરાવે.આ લોકોએ પણ એક એવી ઝંખના કરી છે અને મને લાગે છે કે તારામાં એ ઝંખના પૂર્ણ થશે.તને ખબર છે કે બાપુજી  બધાને કહેતાં હોય છે કે હેમંત તો એમનો શ્રવણ છે.
નિલમ, તારી વાત સાચી પણ તું તો એમનું એક અંગ છે. મારી અને તારી વાત જુદી છે.મને લાગે છે કે એમને તારી સાથે વધુ સારું લાગશે.મારી ઈચ્છા છે કે તું શ્રીમતિ શ્રવણ બની જા.ઈતિહાસમાં ક્યાંય શ્રીમતિ શ્રવણના પાત્રનો ઉલ્લેખ નથી પણ તારે એ પાત્રને જીવંત કરવાનું છે . નિલમ તને સાચું કહું બાપુજી જ્યારે આપણા હિંચકા ઉપર બેસીને કવિશ્રી મકરંદ દવેનું ગીત ગાતાં સાંભળું છું ત્યારે હું એકદમ લાગણીવશ થઈ જાતો હોઉં છું અને અંતરથી હું રડી પડતો હોઉં છું.
કયું ગીત નિલમે લાગણીવશ થઈ ખુરશી ઉપરથી ઉભા થતાં પૂછ્યું -
પ્રભુએ બંધાવ્યું મારુ પારણું રે લોલ,
પારણીયે ઝૂલે ઝીણી જ્યોત રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

નભથી પધારી મારી તારલી રે લોલ,
નિલમે હેમંતનો હાથ પકડી લીધો. નિલમ અને હેમંતે બન્ને એ એકબીજાના હાથ પકડી ગીત ગાતાં ગાતાં બાપુજી ના રૂમમાં જઈ એકી અવાજે  જ બોલી ઉઠ્યાં -
બાપુજી  તમારે અને બાએ  હેમંત સાથે ભારત જવાનું છે અને આટલું કહેતા તો નિલમ રડી પડી
બાપુજી  તમે ભારત જાઓ અને જલ્દી જ્લ્દી સાજા થઈને પાછા અમેરિકા આવો.હેમંતે હાથમાંનો કાગળ બાપુજી ને આપી બોલ્યો જુઓ બાપુજી  તમારી દીકરીએ તમારી ભારત યાત્રાની આખી રૂપ રેખા બનાવી છે.આપણે કઈ તારીખે ક્યાં અને કોની સાથે જવાનું એ બધું જ એણે તૈયાર કરી દીધું છે.
બાપુજી , જૂઓ આપણે ૧૫મી સપ્ટેમ્બરે અમદાવાદ પહોચ્શું પછી ત્યાંથી સીધા આપણે વડોદરા જઈશું. હેમંતે વિગતવાર માહિતી આપવા માંડી. અંતે હેમંતે કહ્યું – બાપુજી  મારે એક જાહેરાત પણ કરવાની છે એમ કહ્યી એણે કહ્યું કે ૧૫મી ઓકટોબરે નિલમ આપણને મળવા માટે પાર્થને લઈને ભારત આવી પ્હોંચશે.
નિલમ આ સાંભળીને એકદમ આશ્ર્ચર્ય ચકિત થઈ જઈ હેમંતને એકદમ જ ભેટી પડી અને પછી શરમાઈ જઈ બાપુજી ને સોરી કહ્યી બીજા રૂમમાં દોડી ગઈ.અને બરાબર એ જ વખતે પાર્થનો અવાજ સંભળાયો   क्या बात है……..

પાર્થ તેઓ ના ઘરેથી લગભગ ૧૦૦ માઈલ દૂર કોલેજમાં હોસ્ટેલમાં રહ્યીને ભણતો હતો. પાર્થ કોલેજથી આવે એટલે રોજે તેનો ફોન નિલમની સાથે જોડીને સ્પીકર ચાલું કરી દેૢ બસ આજ એનો નિત્ય ક્રમ બની ગયેલો.અને તેવી જ રીતે નિલમ પણ પોતાનો ફોનનું સ્પીકર ચાલું કરી દેતી અને પછી બન્ને જણા પોત પોતાનું કામ કરે રાખતાં અને વચ્ચે એક બીજા સાથે વતો કરતાં રહેતા જેથી એવું જ લાગે કે તેઓ એક જ ઘરમાં સાથે જ રહે છે અને એક બીજા સાથે વાતો કરતાં હોય.
——–
હા, હેમંત તું જે મંદિરે છે તેનાથી થોડાંક જ દૂર એજ રસ્તે સીધો જા ત્યાં બીજું મંદિર છે  બહું સરસ છે એ મંદિર એ શિવજીનું મંદિર છે બાપુજી ને ત્યાં ખૂબ જ ગમશે.બાને કેમ છે એમના પગે તો સારું છે ને ? હેમંત બા અને બાપુજી ને કારમાં લઈને હરદ્વારમાં ફરી રહ્યો હતો અને નિલમ તેની સાથે ફોન ઉપર સતત વાતો કરી ને બધી સૂચનાઓ આપી રહ્યી હતી જેથી એવું લાગી રહ્યું હતું કે જાણે એ પણ કારમાં બેઠેલી ચોથી વ્યકિત હોય અને બધા સાથે કારમાં બેસીને હરદ્વારમાં સાથે ફરી રહ્યા છે.
નિલમ ભારત આવી ત્યારે તેની હરદ્વારની મુલાકાત દરમ્યાન બધી વિગતો જાણી લાવી હતી અને એ પ્રમાણે હેમંતને સૂચનાઓ આપી રહ્યી હતી.રમેશભાઈ અને સરલાબેન એક નવો જ ઈતિહાસ લખી રહ્યા હતાં – એમના સદભાગ્યનો ઈતિહાસ શ્રી અને શ્રીમતિ શ્રવણ તેમને અલૌકિક યાત્રા કરાવી રહ્યા હતા એટલી જ અલૌકિક રીતે.
———–
હરદ્વારમાં આવ્યાં આજે બીજો દિવસ હતો. મંદિરની બહાર ગાડીમાં બેઠાં બેઠાં રમેશભાઈ ભગવાનનાં દર્શન કરી રહ્યાં હતાં. હેમંત બાનો હાથ પકડી સરલાબેનને મંદિરમાં લઈ જઈ દર્શન કરાવતો હતો.
સરલાબેન મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે ઉભા રહ્યી હેમંતને આશીર્વાદ આપતાં બોલ્યાં -
હેમંત બેટા તેં મારા કૂખે ન જન્મીને પણ મારી કૂખને  તીર્થ બનાવી દીધી છે . ભગવાનને  પ્રાર્થના કે આવતે ભવે તું મારી કૂખે જ જન્મે.
સાંજે બધે ફરીને હેમંત બા અને બાપુજી  આશ્રમની રૂમમાં આવીને આરામ કરતાં હતાં. હેમંતને થયું કે બજારમાં જઈને પાર્થ માટે થોડાં પુસ્તકો લઈ આવું એમ કહ્યી એ બજાર ચાલી ગયો.
થોડી વારે નિલમનો ફોન આવ્યો એટલે બાએ ઉંઘમાંથી ઉઠી ફોન લીધો .
કેમ છે બા ?
બેટા કેમ તેં આ ટાઈમે ફોન કર્યો બધું બરાબર તો છે ને અત્યારે તો ત્યાં વ્હેલી સવાર હશે રાત ભર તું અમારી સાથે વાત કરતી રહ્યી છે અત્યારે તો થોડું સૂઈ જવું હતું

હા બા હું તો સૂતી જ હતી પણ મને જરા સપનું આવી ગયું અને હું જાગી ગઈ તને સાંભળીને હસવું આવશે એટલે થયું કે લાવ તમને લોકોને જણાવું. તને યાદ છે આપણે નવાં નવાં અમેરિકા આવેલા ત્યારે આપણને જરા પણ ગમતું નહોતું પાર્થ ખૂબ રડતો, મોટેલ આપણે નવી જ શરૂ કરેલીએ હતી એટલે ઘણી ખરી રૂમો ખાલી રહેતી હતી બાપુજી  કહેતાં ચાલ આપણે થપ્પો રમીએ આજે ઘણા વખતે સપનામાં આ બધી વાતો યાદ આવી એટલે મને થયું ચાલ તમારી સાથે વાતો કરૂં અને બાપુજી ને પણ બધું યાદ કરાવું એમને પણ સાંભળીને હસવું આવશે.
હલ્લો બા  કેમ તું બોલતી નથી ?
સાંભળે છે ?
નિલમ બોલતી રહ્યી પણ સરલાબેને કોઈ જવાબ ના આપ્યો
થોડી વારે નિલમને સરલાબેનનો દૂરથી રડતાં રડતાં બોલતાં હોય એમ સંભળાયું
હા દીકરા તારા બાપુજી  તારી સાથે થપ્પો રમવા નીકળી  ગયા
હવે આપણા સૌનો વારો છે એમને શોધવા જવાનો
——–
બીજે દિવસે સવારે હેમંતે બાની અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં શ્ર્લોકોના સ્મરણ વચ્ચે રમેશભાઈના દેહને અગ્નિદાહ દીધો
નિલમ અમેરિકા બેઠાં બેઠાં ફોન ઉપર શ્ર્લોકો સાંભળતાં સાંભળતાં મનોમન વિચારતી રહ્યી કે બાપુજી ને ભારત મોકલવાનું નક્કી  કર્યું ત્યારે બે ઘડી તો એને પણ મન થઈ ગયું હતું કે હેમંતને બદલે એ પોતે જાય પણ પોતાના મન  ઉપર કાબુ રાખીને નિર્ણય કર્યો કે હેમંત જાય તો બા બાપુજી ને પુત્રે જાત્રા કરાવ્યાનો આનંદ મળે અને હેમંતને પોતાના માત પિતાને જાત્રા ન કારાવ્યાનો વસવસો ના રહે એના મનની ઈચ્છા એ પોતાના બા બાપુજી માં પૂરી કરે.
રમેશભાઈની પુત્રએષણાની જ્યોત સદાય માટે અમર થઈ ગઈ
                                                                           - અમિત ત્રિવેદી

Tuesday, August 7, 2012

ભાર ભરેલું ભણતર




આજનું બાળક વધારે બુદ્ધિશાળી છે ?
આપણે એક એવી ભૂલભરેલી માન્યતામાં જીવીએ છીએ કે આજકાલનાં બાળકો અગાઉની પેઢીનાં બાળકો કરતાં વધારે બુદ્ધિશાળી અને ચબરાક છે અને તેમની શીખવાની ક્ષમતા વધી છે. કુમળા બાળમાનસ પર આકરા અભ્યાસક્રમનો બોજ નાખતી વેળાએ આપણા કેળવણીકારો તેમજ નીતિવિષયક ઘડવૈયાઓ ચોક્કસપણે જ આ માન્યતાનો ભોગ બનેલા જણાય છે. કમનસીબે માબાપ અને સમાજ પણ આ માન્યતાથી મુક્ત રહી શક્યા નથી. પરિણામે બાળકોને ચોતરફથી અસહ્ય અપેક્ષાઓનો બોજ સહન કરવાનો આવ્યો છે.
માનવીનું મગજ પેઢી-દર-પેઢી વધારે ને વધારે વિકાસ કરી રહ્યું છે એ ખરું, પણ એના ફેરફારો કંઈ બે કે ત્રણ જ પેઢીના સમયગાળામાં ઊડીને આંખે વળગે તેવા સ્પષ્ટ અને નોંધપાત્ર બનતા નથી. આપણે તો ત્રણથી ચાર દાયકાના ટૂંકા સમયગાળામાં જ શિક્ષણમાં પ્રયોગશીલતાના નામે આકરા ફેરફારો અમલમાં મૂક્યા છે. કુમળા બાળકનું મગજ તે બોજ ઉઠાવી શકે તેમ છે કે નહીં તેનો આપણે કદી વિચાર કર્યો નથી.
આજનું બાળક વધારે બુદ્ધિશાળી બન્યું છે એવું જો આપણે માનતા હોઈએ તો એ આપણો નર્યો ભ્રમ છે. સમય જેમ જેમ બદલાય છે તેમ તેમ તેનો સામનો કરવાની નવી નવી ક્ષમતાઓ માનવ મગજે કેળવવી પડે છે. બાળમાનસને પણ આ હકીકત લાગુ પડે છે. અત્યારનો યુગ માહિતીનો યુગ ગણવામાં આવે છે. આગલી પેઢી કરતાં આજની નવી પેઢીને ઘણી વધારે માહિતીઓ યાદ રાખવાની અને ગોખવાની પળોજણનો સામનો કરવો પડ્યો છે. માણસનું મગજ અમુક હદ સુધી આ માટે તૈયાર થઈ શક્યું છે એ ખરું, છતાં એની બુદ્ધિમત્તા વધી ગઈ છે એવું તારણ કાઢવું વધારે પડતું છે. માણસની ભણવાની સરેરાશ ઉંમર 25 જ વર્ષ સુધીની ગણીએ તો અગાઉ શાળા-મહાશાળાના શિક્ષણનાં વર્ષો પૂરાં કરતાં સુધીમાં આપણે જેટલું ઔપચારિક માહિતીજ્ઞાન પ્રાપ્ત કરતા તેના કરતાં અનેકગણું વધારે જ્ઞાન એટલા જ ટૂંકા ગાળામાં આજનાં બાળકોને મેળવવાનું આવ્યું છે. પહેલાં ગણિત અને વિજ્ઞાનનો જે અભ્યાસક્રમ કૉલેજના બીજા કે ત્રીજા વર્ષ સુધીમાં સમાવવામાં આવતો તે આજે હવે અગિયારમા કે બારમા ધોરણનાં પાઠ્યપુસ્તકોમાં સમાવી લેવાની આજના કેળવણીકારોને ફરજ પડી છે. આમ કરવામાં સ્પર્ધાનું તત્વ કામ કરી ગયું છે. ગુજરાતનો સરેરાશ વિદ્યાર્થી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્પર્ધામાં ઊભો રહી શકે તે મુદ્દો ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે 1975ની સાલ પછી સતત ફેરફારો કરાતા રહ્યા છે. આમ કરવામાં બાળકના મગજની ક્ષમતાનો જરાપણ વિચાર કરવામાં આવ્યો નથી તે હકીકત છે. એક આખી ને આખી પેઢીને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે સમાન સ્તરે સ્પર્ધાત્મક રીતે આગળ લઈ જવાનું જાણે કે એક સામાજિક અને રાજકીય કાવતરું કામ કરી રહ્યું છે. પરિણામે બાળક જે જ્ઞાન મેળવે છે તે કેવળ માહિતીલક્ષી અને પાઠ્યપુસ્તકિયું બનીને રહી ગયું છે. આવું શિક્ષણ આપવાથી ત્રણથી ચાર દાયકાના ટૂંકા ગાળામાં તે વધારે બુદ્ધિશાળી બની ગયું છે એવું માનવું ભારોભાર ભૂલભરેલું છે. આમ માનીને આપણે તેના પર વધારે ને વધારે બોજ નાખતા ગયા છીએ.


માહિતીજ્ઞાન અને બુદ્ધિમત્તા વચ્ચેનો તફાવત
વાસ્તવમાં માહિતીજ્ઞાન અને બુદ્ધિમત્તા એ બંને વચ્ચે તફાવત છે એ આપણે ધ્યાનમાં લેતા નથી. જ્ઞાનાત્મક વિકાસમાં બાળક પ્રથમ માહિતીજ્ઞાન મેળવે છે અને પછીના ચરણમાં બુદ્ધિમત્તા કેળવતું હોય છે. પ્રાપ્ત કરેલી માહિતીને સાર્થક રીતે વ્યવહારમાં ઉપયોગમાં મૂકતા થવું એ બુદ્ધિમત્તા છે. આ કાર્ય એના મગજ પર માહિતીઓનો ખડકલો કરી દેવાથી હાંસલ થતું નથી. એને શાળામાં જે ભણાવવામાં આવે છે તે કેવળ પાઠ્યપુસ્તકિયું અને ઉપલકિયું હોય છે. તેમાં વ્યવહારનો અંશ ભળેલો હોતો નથી. કોરા માહિતીજ્ઞાનને પોતાની મર્યાદાઓ છે; તેમ સમસ્યાઓ પણ હોય છે, એનાથી આપણી બુદ્ધિમત્તા કેળવાતી નથી. નવા શિક્ષણે બાળકોને માહિતીપ્રચૂર જરૂર બનાવ્યાં છે, પણ બુદ્ધિશાળી નહીં.
નવી પેઢીનાં બાળકોના ઉછેરમાં છેલ્લાં થોડાં વર્ષોમાં એક મહત્વનો તફાવત જોવા મળ્યો છે, જેણે એની બુદ્ધિમત્તા પર અવળી અસર પેદા કરી છે – એને પસંદગીની વિશાળ તકો અને શ્રેણી ઉપલબ્ધ બની છે. પહેરવાનાં કપડાં, રમવાનાં રમકડાં, ખાવાપીવાની ચીજો, મનોરંજનના સાધનો, ટીવીની ચેનલો અને હરવા-ફરવાનાં સ્થાનોથી માંડીને ભણવાના વિષયોમાં એને ઘણી પસંદગીઓ મળી રહે છે. કારકિર્દીના ઘડતર બાબતમાં અગાઉની પેઢીઓ પાસે જે પસંદગીઓ હતી તેની સરખામણીમાં આજની પેઢીને વધારે પસંદગીનો અવકાશ મળે છે. બારમા ધોરણ પછી શું કરવું તે નક્કી કરવા માટે આજનો વિદ્યાર્થી વધારે વિકલ્પો ધરાવતો હોય છે. પણ જેમ જેમ એની પાસે પસંદગીના વિકલ્પો વધતા ગયા છે તેમ તેમ એની બુદ્ધિ પણ ગૂંચવાતી ગઈ છે. મનોવિજ્ઞાનનું એક સરળ તથ્ય છે કે સુખ પસંદગીઓના અને વિકલ્પોના વિસ્તારમાં નથી પણ તેને મર્યાદિત બનાવવામાં રહેલું હોય છે. માણસ સમક્ષ જેમ જેમ વધારે ને વધારે પસંદગીઓ મૂકો તેમ તેમ તેનો અસંતોષ વધતો જાય છે, તેની ગૂંચ વધતી જાય છે અને તેની વિવેકશક્તિ વધારે મૂંઝાવાને કારણે નિર્ણય લેવામાં ભૂલ કરવાની સંભાવના ઘણી વધી જતી હોય છે. બરાબર આ જ હાલત આજની ઊછરી રહેલી પેઢીની થયેલી જોવા મળે છે. એની સુખની માત્રા ઘણી ઘટી છે અને સામે પક્ષે અસંતોષ, લોલુપતા, ભૌતિક મહત્વાકાંક્ષાઓ અને લોભ અનેકગણાં વધી ગયાં છે. આનું આડકતરું પરિણામ એ આવ્યું છે કે નવી પેઢી ભારોભાર માનસિક ગૂંચવણની સ્થિતિમાં પોતાનો અભ્યાસ અને વ્યવસાયની કારકિર્દી ઘડી રહી છે. આનો દોષ આપણા માથે છે. આપણે આપણાં સંતાનોને હતાશાની ઊંડી ખાઈમાં ધકેલી રહ્યા છીએ. અતિશય માનસિક તાણમાં જીવવાની આપણે એમને ફરજ પાડી રહ્યા છીએ. પરિણામે યુવાન પેઢીમાં હતાશા, અસંતોષ અને આત્મહત્યાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. દસમા ધોરણની પરીક્ષા કે એનું પરિણામ હજુ તો એકાદ બે મહિના દૂર હોય ત્યાં જ એના ગભરાટથી પોતાનું જીવન ટૂંકાવી નાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા આપણા રાજ્યમાં દર વર્ષે વધી રહી છે છતાં આપણી આંખ હજુ કેમ ઊઘડતી નથી એ સમજાતું નથી !

શાળાઓ બાળકોના શિક્ષણમાં અંતરાયરૂપ છે !
બાળક માત્રમાં શીખવાની જન્મજાતવૃત્તિ રહેલી હોય છે. બે વર્ષથી નાની ઉંમરનાં બાળકોને એમના વાતાવરણના સંપર્કથી આપમેળે શીખવા માટે નિરંતર વિકસતી જતી જ્ઞાનેન્દ્રિયો, શીખવા માટે સતત સતર્ક મગજ, આવશ્યક કુતૂહલવૃત્તિ, અવલોકનશક્તિ, પ્રયોગશીલતા, એકાગ્રતા, તન્મયતા, અપાર ધીરજ, અનુકરણશક્તિ, કલ્પનાશીલતા અને સૌથી વધુ તો ભૂલોમાંથી શીખવાની સહજ આવડતની કુદરતી બક્ષિસ મળેલી હોય છે. કમનસીબી એ છે કે શાળામાં મૂક્યા પછી એ પોતાની આ બક્ષિસ ગુમાવી બેસે છે અને ગોખણિયું બની જાય છે. શાળાઓ બાળકોને પરીક્ષાના, માનહાનિ, અણઆવડતના, નિષ્ફળતાના, ગૂંચવાડાના અને ડરપોકપણાના ઓથાર તળે જીવતાં કરી મૂકે છે. આપણે એવી ભ્રમણામાં જીવીએ છીએ કે ગણિત, વિજ્ઞાન અને વાચન-લેખનની કુશળતામાં જ બાળકના ભાવિ જીવનની સફળતા અને સુખનો પાયો છે. વાસ્તવમાં શાળાશિક્ષણ જીવનલક્ષી નહીં, પણ કેવળ વ્યવસાયલક્ષી અને કારકિર્દીલક્ષી જ બનીને રહી ગયું છે. ગોખણપટ્ટી કરીને મેળવેલું માહિતીજ્ઞાન જ્યારે જીવનની વાસ્તવિક કપરી પરિસ્થિતિઓમાં કામે લગાડવાનું આવે છે ત્યારે એ અણીને વખતે દગો દઈ જાય છે, તેથી સમાજમાં હતાશા અને આત્મહત્યાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બાળકની અંદર રહેલી રસવૃત્તિ, કુતૂહલ શક્તિ, શારીરિક અને માનસિક ક્ષમતા, બુદ્ધિમત્તા, સૃજનાત્મકતા અને કલાત્મક અભિરુચિને પોષવાની આપણી શાળાઓમાં કાબેલિયત નથી. આપણે આપણાં બાળકોને વિષયલક્ષી અભ્યાસક્રમો, પાઠ્યપુસ્તકો, દફતર, ગૃહકાર્ય, નિરસ ઈતર પ્રવૃત્તિઓ, અંગ્રેજી ભાષાના પારકા માધ્યમાં ભણવાની લાચારી, ટ્યુશન, પરીક્ષાઓ, સ્પર્ધાત્મક મૂલ્યાંકનો, સતત આગળ રહેવાની હોડ અને આપણી બેસુમાર અપેક્ષાઓનો બોજ વહન કરનારા વેઠિયાઓ બનાવી મૂક્યાં છે. આપણે એવી ભૂલભરેલી ગ્રંથિથી પીડાઈએ છીએ કે બાળકોને સભ્યતા, નાગરિકતા અને સામાજિકતાના પાઠ શીખવવા માટે સ્કૂલો અનિવાર્ય છે. એમને સ્કૂલમાં ન બેસાડીએ તો એ અણઘડ અને ગમાર રહી જશે એવો આપણને ડર સતાવે છે.
વિખ્યાત રશિયન કેળવણીકાર વસીલી સુખોમ્લિન્સકી કહેતા કે આપણી શાળાઓ કેદખાના જેવી છે, એ આપણાં બાળકોને જીવનના સમૃદ્ધ અનુભવથી વંચિત રાખે છે. ચંચળતા, નિર્દોષતા અને આનંદ મેળવવાની સહજ વૃત્તિ એ બાળક માત્રની નૈસર્ગિક શક્તિ હોય છે. શાળાઓ એમની આ સંપત્તિને છીનવી લે છે. વખત જાય તેમ એ જીવનને માણવાની આવડત ગુમાવી બેસે છે અને અતિગંભીર અને ભારેખમ બનતું જાય છે. જીવનને એ બોજ માનતું થઈ જાય છે. કામ એના માટે વેઠ બની જાય છે. એની અંદરનું બાળક કાયમ માટે મરી જાય છે. ભણતર પૂરું કરીને બહાર નીકળે ત્યાં સુધીમાં તે સ્વાર્થી, ખટપટિયું, સંકુચિત, આપમતલબી અને વેઠિયું બની જાય છે, એ જ આજના શિક્ષણની આગવી દેન છે. જે ભણતરથી માણસ માણસ મટી જાય એને આપણે સામાજિકતાના પાઠ શી રીતે કહી શકીએ ?

ભણતર અને કેળવણી જુદાં છે
આપણે એ ન ભૂલીએ કે બાળકને ભણાવવામાં અને કેળવવામાં તફાવત છે. શાળાઓ બાળકને ભણાવવામાં અમુક હદ સુધીની જ ભૂમિકા ભજવી શકે, પણ આધુનિક શિક્ષણ પદ્ધતિની પોતાની ઘણી મર્યાદાઓ છે. એ જોતાં આપણે આપણાં બાળકોને ભણાવવામાં શાળાઓ પર વધારે પડતો મદાર ન રાખીએ. જીવનનું સાચું શિક્ષણ અને વ્યવહારલક્ષી કેળવણી તો વર્ગખંડની બહાર જ થઈ શકે. આપણે જો એમ માનતા હોઈએ કે ડિગ્રી મળી જાય એટલે આપણું ભણતર પૂરું થયું ગણાય, તો એ આપણી સૌથી મોટી ભૂલ છે. ખરું ભણતર અને સાચી કેળવણી તો વાસ્તવમાં શાળા-મહાશાળામાંથી બહાર નીકળ્યા પછી જ શરૂ થતું હોય છે. સૌથી ઉત્તમ શિક્ષક જીવન છે અને સૌથી શ્રેષ્ઠ શાળા પણ એ જ છે. ભાર વગર ભણવાની અને વ્યવહારુ ડહાપણ શિખવાડવાની સંભવિતતા જેટલી, એનામાં સમાયેલી છે એટલી શાળા-મહાશાળાઓમાં ક્યાંથી હોય ?! સાથે આપણે એ પણ ન ભૂલીએ કે બાળકના સૌથી ઉત્તમ શિક્ષક તો એના માબાપ જ નીવડી શકે છે !

Maintain Your Friendship...




10 Points to Maintain Friendship

1. FOCUS ON WHAT YOU CAN GIVE TO A FRIEND, NOT WHAT YOU CAN GET OUT OF A FRIENDSHIP.
If being happy is your only motive for wanting someone to be your friend, then you are not being a real friend. Don't get caught up in keeping tabs on who has given most in the friendship. Give to your friends regardless of how much they give to you.

2. ENCOURAGE YOUR FRIEND.
Real friends inspire and push each other to be the best that they can be, rather than drag each other down. They are happy when other people achieve their goals.

3. BE WILLING TO FORGIVE.
Don't let hurt turn to grudge. This is one sure way to destroy a friendship. Forgive your friend and move on.

4. TACTFULLY POINT OUT THEIR MISTAKES.
This is one way to show concern for others. If you really care, you will tactfully point out a specific example for his own good. But once you've brought the problem to your friend's attention, don't harp on it all the time. Don't walk away from a friendship when you see some of your friend's faults. Be patient with a friend as he or she tries to change. Realize that nobody is perfect.

5. BE RELIABLE.
When you say you are going to be there, be there.

6. DON'T TRY TO CONTROL YOUR FRIENDS.
Real friendship does not mean you always have to be together. It may be tempting to have a fun person all to yourself, and feel threatened when your friend spends time with others. If you are afraid to let your friends out of your sight, you are probably afraid of losing them. Good friendship will endure time spent apart. You and your friends may learn to appreciate each other even more.

7. BE THERE FOR THE GOOD AND THE BAD TIMES.
Celebrate with them if your friends are excited about something. But don't be there just for the good times. When your friend is upset about something, give them your full attention. Most of the time, what friends really need is a sympathetic ear, someone who understand their feelings.

8. LEARN TO ACCEPT PERSONALITY DIFFERENCES IN YOUR FRIENDS.
Be careful not to evaluate other people by how you react in a particular situation. Do not automatically take your friends' behavior personally.

9. DON'T BE A BLABBERMOUTH.
Learn and be willing to keep each other's secrets.

10. DON'T LET ARGUMENTS DESTROY YOUR FRIENDSHIP.
Suppose you're having a discussion with a friend and after you've said what you think is true, they still disagree. Don't keep arguing until you get mad with each other. Just drop it. Your desire to win the argument may ruin your friendship.



Selected Teachings of Swami Vivekananda





My ideal, indeed, can be put into a few words, and that is: to preach unto mankind their divinity, and how to make it manifest in every movement of life.

Education is the manifestation of the perfection already in man.

We want that education by which character is formed, strength of mind is increased, the intellect is expanded, and by which one can stand on one's own feet.

So long as the millions live in hunger and ignorance, I hold every man a traitor who, having been educated at their expense, pays not the least heed to them.

Whatever you think, that you will be. If you think yourselves weak, weak you will be; if you think yourselves strong, strong you will be.

If you have faith in all the three hundred and thirty millions of your mythological gods, … and still have no faith in yourselves, there is no salvation for you. Have faith in yourselves, and stand up on that faith and be strong; that is what we need.

Strength, strength it is that we want so much in this life, for what we call sin and sorrow have all one cause, and that is our weakness. With weakness comes ignorance, and with ignorance comes misery.

The older I grow, the more everything seems to me to lie in manliness. This is my new Gospel.

Purity, patience, and perseverance are the three essentials to success, and above all, love.

Religion is realization; not talk, not doctrine, nor theories, however beautiful they may be. It is being and becoming, not hearing or acknowledging; it is the whole soul becoming changed into what it believes.

Religion is the manifestation of the Divinity already in man.

Teach yourselves, teach everyone his real nature, call upon the sleeping soul and see how it awakes. Power will come, glory will come, goodness will come, purity will come, and everything that is excellent will come when this sleeping soul is roused to self-conscious activity.

They alone live who live for others, the rest are more dead than alive.

This is the gist of all worship – to be pure and to do good to others.

It is love and love alone that I preach, and I base my teaching on the great Vedantic truth of the sameness and omnipresence of the Soul of the Universe.

Swami Vivekananda's Speech in Chicago, Sept 11, 1893







Sisters and Brothers of America,

It fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of the most ancient order of monks in the world; I thank you in the name of the mother of religions, and I thank you in the name of millions and millions of Hindu people of all classes and sects.
Swami Vivekananda My thanks, also, to some of the speakers on this platform who, referring to the delegates from the Orient, have told you that these men from far-off nations may well claim the honor of bearing to different lands the idea of toleration. I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. We believe not only in universal toleration, but we accept all religions as true. I am proud to belong to a nation which has sheltered the persecuted and the refugees of all religions and all nations of the earth. I am proud to tell you that we have gathered in our bosom the purest remnant of the Israelites, who came to Southern India and took refuge with us in the very year in which their holy temple was shattered to pieces by Roman tyranny. I am proud to belong to the religion which has sheltered and is still fostering the remnant of the grand Zoroastrian nation. I will quote to you, brethren, a few lines from a hymn which I remember to have repeated from my earliest boyhood, which is every day repeated by millions of human beings: "As the different streams having their sources in different paths which men take through different tendencies, various though they appear, crooked or straight, all lead to Thee."
The present convention, which is one of the most august assemblies ever held, is in itself a vindication, a declaration to the world of the wonderful doctrine preached in the Gita: "Whosoever comes to Me, through whatsoever form, I reach him; all men are struggling through paths which in the end lead to me." Sectarianism, bigotry, and its horrible descendant, fanaticism, have long possessed this beautiful earth. They have filled the earth with violence, drenched it often and often with human blood, destroyed civilization and sent whole nations to despair. Had it not been for these horrible demons, human society would be far more advanced than it is now. But their time is come; and I fervently hope that the bell that tolled this morning in honor of this convention may be the death-knell of all fanaticism, of all persecutions with the sword or with the pen, and of all uncharitable feelings between persons wending their way to the same goal.

An Interview With God!!!!




I dreamed I had an INTERVIEW WITH GOD.

“So, you would like to interview me?” GOD asked.

“If you have time,” I said.

GOD smile. “My time is eternity… what questions do you have in mind for me?”

“What surprises you the most about humankind?”

GOD answered…

“That they get bored with childhood, that they rush to grow up, and then long to be children again.”

“That they lose their health to make money… and then lose their money to restore their health.”

“That by thinking anxiously about the future, they forget the present, such that they live in neither the present nor the future.”

“That they live as if they would never die, and die as though they had never lived.”

GOD’s hand took mine… and we were silent for a while.

And then I asked, “As a parent, what are some of life’s lessons you want your children to learn?”

GOD replied, “To learn they cannot make anyone love them. All they can do is let themselves be loved.”

“To learn that it is not good to compare themselves to others.”

“To learn to forgive by practicing forgiveness.”

“To learn that it only takes a few seconds to open profound wounds in those they love, and it can take many years to heal them.”

“To learn that a rich person is not one who has the most, but is one who needs the least.”

“To learn that there are people who love them dearly, but simply do not yet know how to express or show their feelings.”

“To learn that two people can look at the same thing, and see it differently.”

“To learn that it is not enough that they forgive one another, but they must also forgive themselves.”

“Thank you for your time,” I said humbly.

“Is there anything else you would like your children to know?”

GOD smiled, and said… “Just know that I am here.” “Always.”