Showing posts with label પ્રેરક પ્રસંગ. Show all posts
Showing posts with label પ્રેરક પ્રસંગ. Show all posts

Friday, August 17, 2012

જીવનની રમત



   આ કોઈ ફિલસૂફીની વાત નથી. ખરેખર રમતની વાત છે. એને મારા પ્રિય ‘હોબી વિશ્વ’   બ્લોગ પર તો મૂકવાનો જ છું; પણ પહેલાં અહીં.
     કારણ સાવ સરળ છે – આ ‘ગદ્યસૂર’ માટેનો પણ પ્રિય વિષય છે – કદાચ વધારે પ્રિય. ( આદતવશ, અંતે એક ફકરો ઉમેરવાની અંચાઈ કરું પણ ખરો હોં! આપણે તો ભાઈ રમતારામ!)
     વાત જાણે એમ છે કે, આધુનિક વૈજ્ઞાનિકોનાં જીવનનો ટૂંક પરિચય આપતી એક ચોપડી હાથમાં આવી ગઈ. એમાં નરસૈંયાની યાદ અપાવી દેનાર ‘બેનોઈટ મેન્ડરબ્રોટ’ મળી ગયો; એ જ રીતે જીવનની રમતનો સર્જક ‘જોહ્ન કોન્વે’ પણ મળી ગયો.

Wednesday, August 8, 2012

“જોય ઓફ ગિવિંગ વિક ” – વાય વિક ઓન્લી ??


જોય ઓફ ગિવિંગ એટલે કે “આપવામાં આનંદ”..!

 “આનંદ”,”ખુશી”,”મઝા”,”સંતોષ”,”ફન” કે પછી “જોય” આ બધું જ જીવન માં કૈક મળ્યાનો ભાવ ઉત્પન્ન કરે છે.જાણે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો ઉન્માદ જગાડે છે.પણ એક વાત નોંધવા જેવી કે પૈસાને તેનાં ચલણમાં (રૂપિયો કે ડોલર....) મોલવી શકાય,ગોલ્ડ ને તોલા માં તોલી શકાય કે પછી ક્વોન્ટીફાયેબલ રાશિઓ(જેવી કે દ્રવ્ય,કદ,વજન,તાપમાન,દબાણ…વગેરે)ને માપી પણ શકાય.પણ તમે “ફન” ને મેઝર કરવાનું “ફનોમીટર” કે પછી આનદ માપવાના “આનંદોમીટર” વિષે સાંભળ્યું છે ?? આ કદાચ શક્ય જ નથી કારણકે આવું “ફનોમીટર” ફન ને માપવા આધાર (બેઇઝ) તરીકે કોને લે ? માણસની સ્માઈલ? – બનાવટી હાસ્ય તો માણસને સરસ આવડે છે. માણસની લાગણીથી ભીની થયેલ આંખો ? – મગરના આંસુ સારવામાં કંઈ મોટી વાત નથી ! હ્રદય ની ધડકન ?- એતો માણસની દુરસ્ત કે નાદુરસ્ત સ્થિતિઓમાં પણ ભિન્ન પરિણામો આપે છે. આમ આવા કોઈ “ફનોમીટર” શોધાઈ શકવાના અણસાર પણ દૂર દૂર સુધી ક્યાય જણાતા નથી !

શ્રદ્ધા અને માન્યતા



શ્રદ્ધા એટલે શું ? માન્યતા એટલે શું? આ બેઉનો એક બીજા સાથે શું સંબંધ છે? આ સવાલોનો શું ઉત્તર છે તે સમજવા પ્રકાશ અને પડછાયાનું ઉદાહરણ લઇએ. કારણ પડછાયા અને પ્રકાશ વચ્ચે જેવો સંબંધ છે તેવો જ સંબંધ શ્રદ્ધા અને માન્યતા વચ્ચે છે. પ્રકાશ એ શકિત છે, અને જયારે તેના માર્ગમાં કોઇ દીવાલ આવે ત્યારે તે દીવાલનો પડછાયો પડે છે અને તે સ્થળે પ્રકાશ ઝાંખો લાગે છે. વળી પડછાયો જોઇને એ દીવાલ શેની બનેલી છે એ જાણી શકાતું નથી.

Tuesday, August 7, 2012

"Swamiji’s Contributions to India"




In spite of her innumerable linguistic, ethnic, historical and regional diversities, India has had from time immemorial a strong sense of cultural unity. It was, however, Swami Vivekananda who revealed the true foundations of this culture and thus clearly defined and strengthened the sense of unity as a nation.

Swamiji gave Indians proper understanding of their country’s great spiritual heritage and thus gave them pride in their past. Furthermore, he pointed out to Indians the drawbacks of Western culture and the need for India’s contribution to overcome these drawbacks. In this way Swamiji made India a nation with a global mission.

Sense of unity, pride in the past, sense of mission – these were the factors which gave real strength and purpose to India’s nationalist movement. Several eminent leaders of India’s freedom movement have acknowledged their indebtedness to Swamiji. Free India’s first Prime Minister Jawaharlal Nehru wrote: “Rooted in the past, full of pride in India’s prestige, Vivekananda was yet modern in his approach to life’s problems, and was a kind of bridge between the past of India and her present … he came as a tonic to the depressed and demoralized Hindu mind and gave it self-reliance and some roots in the past.” Netaji Subhash Chandra Bose wrote: “Swamiji harmonized the East and the West, religion and science, past and present. And that is why he is great. Our countrymen have gained unprecedented self-respect, self-reliance and self-assertion from his teachings.”

Swamiji’s most unique contribution to the creation of new India was to open the minds of Indians to their duty to the downtrodden masses. Long before the ideas of Karl Marx were known in India, Swamiji spoke about the role of the labouring classes in the production of the country’s wealth. Swamiji was the first religious leader in India to speak for the masses, formulate a definite philosophy of service, and organize large-scale social service.

Power of Thought - by Swami Vivekananda




1. Doing is very good, but that comes from thinking. Little manifestations of energy through the muscles are called work. But where there is no thought, there will be no work. Fill the brain, therefore, with high thoughts, highest ideals, place them day and night before you, and out of that will come great work.

2. Take up one idea. Make that one idea your life—think of it, dream of it, live on that idea. Let the brain, muscles, nerves, every part of your body, be full of that idea, and just leave every other idea alone. This is the way to success.

3. If you have assimilated five ideas and made them your life and character, you have more education than any man who has got by heart a whole library.

4. It is thought which us the propelling force in us. Fill the mind with the highest thoughts, hear them day after day, and think them month after month. Never mind failures; they are quite natural, they are the beauty of life, these failures. What would life be without them? It would not be worth having if it were not struggles.

5. The only remedy for bad habits is counter habits; all the bad habits that have left their impressions are to be controlled by good habits. Go on doing good, thinking holy thoughts continuously; that is the only way to suppress base impressions.

6. Always remember that each word, thought, and deed lays up a store for you and that as the bad thoughts and bad works are ready to spring upon you like tigers, so also there is the inspiring hope that the good thoughts and good deeds are ready with the power of a hundred thousand angels to defend you always and for ever.

7. Let positive, strong, helpful thought enter into their (children’s) brains from very childhood.

8. Evil thoughts, looked at materially, are the disease bacilli.

9. The body is made by the thought that lies behind it. The body politic is thus the expression of national thought.

10. If we make ourselves pure and the instruments of good thoughts, these will enter us. The good soul will not be receptive to evil thoughts. evil thoughts find the best field in evil people; they are like microbes which germinate and increase only when they find a suitable soil.

11. Those who are always down-hearted and dispirited in this life can do no work

Friday, January 13, 2012

Gujarati Natak : મસ્ત મજા ની લાઈફ (Mast majani life)



Naramdas's control of his business empire, ended the day he married Rajeshwari, on his first wife's death at childbirth. All that Naramdas wanted was that Rajeshwari be the mother to his newborn son. All that Rajeshwari wanted was Naramdas' immense wealth and his business empire. The only hitch was Vijay- Naramdas's son was the sole heir to the fortune. Rajeshwari manipulates Vijay to such an extent, that her word is his command. And Vijay does her bidding without hesitation. Fine. But when Vijay marries Radhika, a simple but educated village girl; thing start to heat up. Radhika realizes that Rajeshwari true objective is Naramdas' wealth. But can she change her husband Vijay's mind about the danger he is facing?
Watch this Natak on Youtube
મસ્ત મજા ની લાઈફ (Mast majani life)

ગુજરાતી નાટક : આપણા ઘર માં “No Entry”



ગુજરાતી નાટક : આપણા ઘર માં “No Entry”


Enjoy!

Maa baap ne bhulso nahi (માં બાપ ને ભૂલશો નહિ)



If understand Gujarati and you’ve got 2 hours time, please please please watch this program. It is highly likely that your eyes will be wet and you will call your parents immediately after watching it.
If you don’t have 2 hours, go through this one atleast.



Wednesday, January 11, 2012

''નકશો તો આપમેળે બન્યો''


એક વખત એક નાનકડો બાળક તેના પિતાને વારંવાર હેરાન કરી રહ્યો હતો. તેના પિતાજી લાકડાની એક ખુરશી પર બેસીને છાપુ વાંચી રહ્યાં હતાં અને આ બાળક પણ પોતાની ધૂનમાં મસ્ત રહીને તેના પિતાના પગના પાઈચા ખેચીને રમત કરી રહ્યો હતો. 

થોડી વાર સુધી તેના પિતા કંઈ ન બોલ્યાં પણ બાળક હજુ ગેલમાં જ હતો અંતે તેના પિતાજી થાક્યાં અને તેમણે એક કીમિયો શોધી કાઢ્યો. તેમણે છાપાનું એક પન્નુ કાઢ્યું. જેમાં કોઈ દેશનો નકશો હતો. પિતાજીએ આ નકશાના આડા-અવળા ચાર-પાંચ ટુકડા કર્યાં અને પછી આ ટુકડા બાળકના હાથમાં સોંપતા કહ્યું ''ચાલ બેટા આ નકશો જોડી આપ તો.''

તેમને એમ હતું કે, પોતાનું સંતાન આ નકશાને જોડવામાં ઓછામાં ઓછી અડધી અથવા એક કલાક તો કાઢી જ નાખશે અને ત્યાં સુધીમાં તેઓ પણ નિરાંતે પોતાનું છાંપી વાચી શકશે પરંતુ બન્યું એવું જેવું તેમણે ધાર્યું ન પણ ન હતું. બાળકે માત્ર બે જ મિનિટમાં નકશો જોડી આપ્યો. પોતાના પુત્રની ચતુરાઈ પણ પિતાને આશ્વર્ય થયું તેમણે પુછ્યું 'બેટા આવો અઘરો નકશો તે આટલી જલ્દી કેવી રીતે જોડી નાખ્યોં કદાચ મેં ખુદ તેને જોડવાનો પ્રયત્ન કર્યો હોત તો મારે ઓછામાં ઓછી દસ મિનિટ જરૂર લાગત તો પછી તે કેવી રીતે જોડી નાખ્યો.'' 

બાળકે પોતાની નિર્દોષ આંખો વડે તેમની સામે સ્મિત ફરકાર્વ્યું અને પછી ઘણા ધીરા સ્વરે પોતાના પિતાને કહ્યું '' પપ્પા મેં નકશો નથી જોડ્યાં મેં તો આ નકશા પાછળ એક વ્યક્તિનો ફોટો હતો તેને જોડ્યો છે તેના હાથ-પગ, માથાને જોડ્યું છે નકશો તો આપોઆપ જ બની ગયો.
 

Kona Maate [To whom?]


Pen says use me for those who wants to change their life...
Paper says use me for those who values the paper more than its life...

Mind says use me otherwise i will be stopped forever.....

At the last but not least for sure...heart says....i want to write many things by my PEN on the PAPER with the help of my MIND from my DeepHeart....but one instict says KONA MAATE [for Whom?]...

The people who dose not read the article properly or if they do read then dont care or dont want apply in real life....
One day they read n next day i m in corner alongwith all the pasties [ waste papers] waiting for pastiwala...

I am ready to get sold if reader has digested me properly with commitment of applying in life...for himself n to other...than i can face many hurdels happily from the corner of pasti place till paper mill via pastivala, i am ready to get recycled for another new fresh paper with new article for new generation....to be changed for betterment of humankind....

Jeet

Note: Dear friends please read things properly to respect writer's point of view and his selfless motive for mankind...

ભગવાનનો પત્ર ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા





તારીખ : આજની જ. 
પ્રતિ,
તમોને જ
વિષય : જિંદગી અને તમે !
ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર
પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના
મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :
[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર
એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા
સમયે, તમારા સમયે નહીં !
[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.
[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે….
હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
એ જ લિ,
ભગવાનની આશિષ.

Wednesday, September 28, 2011

નાના બાળકનું સાહસ મોટું




નાનકડો પ્રિયાંશુ નીડર હતો. તે ક્યારેક પિતાની સાથે વન-વગડામાં ફરવા જતો હતો. આથી તેનામાં હિંમત, સાહસ, નિર્ભયતા અને ચાલાકીના ગુણ અંકુર બનીને પાગયાઁ હતા.




ચિત્તાએ જોયું કે હવે અહીં મારી દાળ ગળે તેમ નથી. આથી તે ત્યાંથી પલાયન થઇ ગયો.



આપણા દેશનું એક રાજ્ય. નામ એનું ઉત્તરાખંડ. આ રાજ્યના એક નાનકડા ગામમાં પ્રિયાંશુ નામનો બાળક રહે. દસ વરસનો પ્રિયાંશુ છઠ્ઠા ધોરણમાં ભણે. તેને એક મોટી બહેન. નામ એનું પ્રિયંકા. તે આઠમા ધોરણમાં ભણે.બંને ભાઇ-બહેન ભણવામાં મહેનતુ, અને હોશિયાર. પળેપળનો ઉપયોગ કરીને ખંતથી ભણે. સૂર્યોદય પહેલાં ઊઠી જાય. નિત્યકર્મથી ઝટપટ પરવારીને ઘરના આંગણામાં આવેલા ઝાડના ઓટલા પર ભણવા બેસી જાય. શાળામાં પણ શિક્ષક બંને ભાઇ-બહેનના વખાણ કરે. ઘરથી નિશાળ એકાદ કિલોમીટર દૂર. ઘડિયાળના સમય પ્રમાણે જ ઘરેથી નીકળે અને સમયસર નિશાળે પહોંચી જાય.



દરરોજની જેમ તે દિવસે પણ પ્રિયંકા અને પ્રિયાંશુ ખભે દફતર ભરાવી, મોજમસ્તીથી વાતો કરતાં કરતાં શાળાએ જઇ રહ્યા હતા. એવામાં નિર્જન રસ્તો આવ્યો. ત્યાં એક ચિત્તો કોઇ શિકારની રાહ જોતો લપાઇને બેઠો હતો. એણે આ બે બાળકોને આવતાં જોયા. ચિત્તાએ ચૂપચાપ પાછળથી આવી પ્રિયંકા ઉપર હુમલો કર્યો. પ્રિયંકાના કાન પરે ચિત્તાનો પંજો વાગ્યો. પ્રિયાંશુ ચિત્તાના ઓચિંતા હુમલાથી હેબતાઇ ગયો, પણ પળવારમાં સ્વસ્થ બની ગયો. પોતાની બહેનને બચાવવા તે પ્રિયંકા પર વાંકો વળી ગયો. બહેનને બચાવવા જતા ચિત્તાનો પંજો પ્રિયાંશુના કપાળ પર વાગ્યો.



નાનકડો પ્રિયાંશુ નીડર હતો. તે ક્યારેક પિતાની સાથે વન-વગડામાં ફરવા જતો હતો. આથી તેનામાં હિંમત સાહસ, નિર્ભયતા અને ચાલાકીના ગુણો અંકુર બનીને પાંગયાઁ હતા. આ ગુણો આજે એને મદદરૂપ થવાના હતા. ચિત્તાનો સામનો કરવા માટે હથિયાર તરીકે એની પાસે ફક્ત સ્કૂલબેગ હતી. પ્રિયાંશુએ એને શસ્ત્ર બનાવ્યું. જરા પણ ડર્યા કે ગભરાયા વિના તે પોતાની સ્કૂલબેગથી ચિત્તાને મારવા લાગ્યો. ચિત્તાના મોં પર સ્કૂલબેગની એક જોરદાર ઝાપટ વાગી. અચાનક પ્રહાર થતાં ચિત્તો ઢીલો પડી ગયો.



પ્રિયાંશુ ચિત્તાનો સામનો કરી રહ્યો હતો તે સમયે ત્યાંથી એક લશ્કરી જીપ પસાર થઇ. જીપમાં લશ્કરી જવાનો બેઠા હતા. તેમણે જીપ ઊભી રાખી. પળનોયે વિલંબ કર્યા વિના તેઓ ત્યાં પહોંચી ગયા. દૂરથી જ ચિત્તાને આટલા નાનકડા બાળક સાથે બાથ ભિડતો જોઇને આજુબાજુના ખેતરમાં કામ કરતા ખેડૂતો અને ખેતમજુરો પણ ત્યાં દોડી આવ્યા. ત્યાં ખૂબ ધાંધલ થઇ. ચિત્તાએ જોયું કે હવે અહીં મારી દાળ ગળે તેમ નથી. આથી તે ત્યાંથી પલાયન થઇ ગયો.



લશ્કરના જવાનોએ નાનકડા પ્રિયાંશુને પીઠ થાબડી ધન્યવાદ આપ્યા. તેઓ ઘવાયેલા ભાઇ-બહેનને જીપમાં બેસાડી નજીકની હોસ્પિટલમાં લઇ ગયા અને જરૂરી સારવાર કરી ઘરે મૂકી આવ્યા.બીજા દિવસે દરેક છાપામાં પ્રિયાંશુએ બહાદુરીપૂર્વક ચિત્તાનો સામનો કરી બહેનને બચાવી તે ઘટના છપાઇ. લોકોએ આ ઘટના વાંચીને પ્રિયાંશુને મનોમન ધન્યવાદ આપ્યા. તેની શાળામાં બહાદુરી માટે એનું સન્માન થયું.



ભારત સરકારના ‘ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર’ તરફથી પ્રિયાંશુને ‘બાલવીર રાષ્ટ્રીય પુરસ્કાર’ આપવાનું નક્કી થયું. ૨૬મી જાન્યુઆરીએ પ્રિયાંશુને દિલ્હી બોલાવી રાષ્ટ્રપતિના હાથે બાલવીર પુરસ્કાર આપવામાં આવ્યો. પુરસ્કાર ઉપરાંત તેને સન્માનપત્ર તથા ભેટ પણ આપી. પ્રિયાંશુને શણગારેલા હાથી પર બેસાડી પરેડમાં ફેરવ્યો. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે પ્રિયાંશુની બહાદુરીના ભરપૂર વખાણ કરતાં કહ્યું, ‘આવા સાહસિક અને હિંમતવાળા બાળકો જ આપણા દેશનું ગૌરવ છે.’પ્રિયાંશુએ પોતાની બહેનની જિંદગી બચાવવા જે હિંમત અને બહાદુરી બતાવી તે બદલ તેને લાખ લાખ ધન્યવાદ!!!

મહેનતનો રોટલો




રાજા ચંદ્રસિંહે દુ:ખી મા-દીકરાની વાતચીત સાંભળી. એમનું લાગણીશીલ હૈયું દ્રવી ઊઠ્યું. ઝૂંપડી પર નિશાની કરી રાજા ચંદ્રસિંહ પોતાના મહેલમાં પાછા ફર્યા.




ચંદનપુરમાં ચંદ્રસિંહ નામે રાજા રાજ કરતા હતા. રાજા ચંદ્રસિંહ પ્રજાના સુખે સુખી અને દુ:ખે દુ:ખી. તેમને એક દીવાન હતા. તેમનું નામ લાલસિંહ. લાલસિંહ સ્વભાવે ખૂબ જ લાલચું અને લોભી પ્રકૃતિના. રાજા ચંદ્રસિંહ લાલસિંહને ગમે તેટલું આપે, છતાંય લાલસિંહ ક્યારેય સંતુષ્ટ થતા જ નહીં. તેમના લોભી અને લાલચુ સ્વભાવથી રાજા ચંદ્રસિંહ પૂરેપૂરા માહિતગાર હતા.

Friday, August 12, 2011

ઝફરનો ખજાનો – રશ્મિકાન્ત દેસાઈ


ગુજરાતના એક મોટા શહેરમાં કેંદ્ર સરકારની કર્મચારી વસાહતમાં રમેશભાઈ રહેતા હતા. તેમના પડોશી રહીમભાઈ સાથે તેમને ઘણો સારો સંબંધ થઈ ગયો હતો. રમેશભાઈને પિંકી નામની એક પુત્રી અને ચિરાગ નામે એક પુત્ર હતા. પિંકી આશરે પંદર વર્ષની હતી જ્યારે ચિરાગ ત્રણેક વર્ષનો હતો. રહીમભાઈને એક જ પુત્રી સલમા લગભગ ચૌદ વર્ષની હતી. પિંકી અને સલમા ગાઢ મિત્રો બની ગયા હતા.

રજાના એક દિવસની સાંજે બંને કુટુંબો તેમના આંગણામાં ખુરશીઓ નાંખી વાતો કરતા બેઠા હતા. થોડું થોડું અંધારૂં થવા આવ્યુ હતું. ચિરાગને બાથરૂમ જવાનું થયું. પણ એકલા ઘરમાં જવાની તેની હિંમત ચાલતી નહોતી. તેણે પિંકીને સાથે જવા કહ્યું. પણ રમેશભાઈએ ના પાડી. પૂછ્યું, ‘કેમ ચિરાગ તને શાની બીક લાગે છે?’. ચિરાગ કહે ‘ભૂતની’. રમેશભાઈ કહે, ‘જો, ભૂતબૂત કશું હોતું નથી. તું તારે ભગવાનનું નામ લઈ જઈ આવ.’ ચિરાગ તો ગયો.

Monday, August 8, 2011

“O.K. We’ll go.”



“O.K. We’ll go.”

આ શબ્દો સાથે જગતના ઈતિહાસમાં સૌથી મોટા લડાઈના હુમલાની શરૂઆત થઈ ગઈ. આ વાક્ય ૬-જૂન ૧૯૪૪ની વહેલી સવારે અમેરિકી જનરલ ડ્વાઈટ આઈઝનહોવર બોલ્યા હતા. બીજા વિશ્વ યુદ્ધ વખતે, ઈતિહાસમાં પ્રસિદ્ધ, મિત્ર દેશોના લશ્કરી દળો દ્વારા નાઝી જર્મનીએ કબજે કરેલ ફ્રાન્સમાં આવેલ નોર્મંડી પરના,અપ્રતીમ હુમલાની આ વાત છે.
આ દિવસ ‘ડી –ડે’ તરીકે બહુ જ જાણીતો છે; અને આવા કોઈ પણ શકવર્તી કાર્યના આરમ્ભ માટે હજુય વપરાય છે. આ દિવસે, અમેરિકા, કેનેડા અને બ્રિટીશ દળો જર્મનીના દુઃસહ્ય તોપમારા સામે ફ્રાન્સના દરિયાકિનારા પર વાવાઝોડાની જેમ ધસી ગયા હતા. આ પ્રારમ્ભિક દળોએ જર્મનીના પશ્ચિમ મોરચાનો વિનાશ કરવા માટે અત્યંત જરૂરી એવા દરિયા કિનારા પરનું આક્રમણ મથક (લોન્ચિંગ પોઈન્ટ) ઊભું કર્યું હતું.
ઉપર જણાવેલ હુકમ ઉચ્ચારવાની સાથે જ જનરલ આઈઝનહોવરે ૨૩,૦૦૦ એર બોર્ન લશ્કરી જવાનોને જર્મનીએ કબજે કરેલ પ્રદેશ પર ધસારો કરવા ઉતારી દીધા હતા. ખાસ બનાવેલ ગ્લાઈડરો અને પેરેશ્યુટ વડે આ બધા કાળી ડિબાંગ રાતે દુશ્મનના પ્રદેશ પર ત્રાટક્યા હતા. તેમણે પૂલો, રસ્તાઓ પરના વ્યુહાત્મક મથકો કબજે કરી લીધા અને જર્મન દળોમાં અંધાધુંધી ફેલાવી દીધી. આ વ્યૂહરચનાના કારણે, ઈન્ગ્લીશ ચેનલના ફ્રાન્સ તરફના, નોર્મંડીના રેતાળ કિનારા (બીચ) પર મિત્ર દળોના મુખ્ય હુમલાને બહુ જરૂરી ટેકો મળ્યો હતો.
અને આ મુખ્ય હુમલો કેવો હતો?

Saturday, August 6, 2011

એક ગજબનું આદર્શ વ્યક્તિત્વ – નારાયણ મૂર્તિ



પત્ની પાસેથી રૂ. ૧૦ હજાર ઉછીના લઈને બીજા છ ભાગીદારો સાથે મળીને ૧૯૮૧માં‘ઈન્ફોસીસ’ કંપનીની સ્થાપના કરનાર નાગવરા રામરાવ નારાયણ મૂર્તિ માત્ર બિઝનેસમેન કે ઉદ્યોગપતિ જ નહીં, સ્કૂલ – કોલેજના આમ વિદ્યાર્થી માટે પણ એક ગજબનું આદર્શ વ્યક્તિત્વ છે. કેમ ? વાંચો.

નારાયણ મૂર્તિ

મંદિરનો જન્મ


મનુને દફનાવીને બધા ગુફામાં પાછા આવ્યા. બધાંના મન શોકની કાલિમાથી ઘેરાયેલાં હતાં. સ્ત્રીઓ રડી રડીને થાકી ગઈ હતી. બાળકો ભૂખ્યાં અને તરસ્યાં જ સૂઈ ગયાં હતાં. કોઈને કશું જ બોલવાના હોશકોશ ન હતા.

મનુ સૌનો લાડીલો વૃદ્ધ વડીલ હતો.સૌ એને માન આપતાં હતાં. એની સૂઝ, આવડત ડહાપણ, દૂરંદેશિતા, પ્રેમ અને નેતાગીરી અજોડ હતાં. પણ સૌથી વધારે લાડીલો તો તે એની પવિત્રતા માટે હતો. દરરોજ રાત્રે જમણ બાદ, તાપણાંની આજુબાજુ બધાં ભેગા થઈ બેસતા; ત્યારે સૂરીલા અવાજે તે સૌની પ્રાણપ્યારી જોગમાયાની સ્તુતિ ગાતો. તે ભજનની ટૂક ઊપાડતો અને બધાં સમૂહમાં તે ઝીલી પુનરાવર્તિત કરતાં. દિવ્ય આનંદની આભા સૌનાં મન પર છવાઈ જતી. કલાકેક આ ભાવ સમાધિ દરરોજ ચાલતી અને સૌને મીઠી નિંદર ભેળી કરી દેતી. આખા દિવસનાં કષ્ટો, યાતનાઓ, નીરાશાઓ એ ભાવસમાધિમાં ગાયબ થઈ જતાં.

પણ તે દિવસે સવારે મનુનું અવસાન થયું હતું.

હીરો



આ કોઈ ફિલ્મી હીરોની વાત નથી. આ સત્ય નામના હીરાની વાત છે.

સત્ય અનેક પાસાં વાળો હીરો છે. સત્યશોધક જે રસ્તે આગળ ધપે છે; તે હીરાનું એક પાસું હોય છે. સત્ય તો એ રસ્તાના છેડે પણ નથી હોતું. રસ્તાના છેડે સત્યની સાવ નજીક તો પહોંચાય; પણ તેની સાથે આત્મસાત ન થવાય; સત્યની અનુભૂતિ ન થાય. હજુ તેના એ પાસાં સાથે મમતા રહે; જેના થકી સત્યની નજીક પહોંચાયું હોય. તે તો હીરાના ભૌતિક રૂપનું એક પાસું જ હોય છે. સત્ય તો એ બધાંએ પાસાંની પાછળ રહેલું હીરાનું હીરાપણું હોય છે; જે તેને તેના ભૌતિક રૂપથી અલગ હોવાપણું આપે છે. ખરેખર તો તે હોવાપણું જ હીરાને અનેક પાસાં આપે છે.

Wednesday, August 3, 2011

વડીલોને સમજવા માટેની માર્ગદર્શિકા-જેનીફર ઓસ્લી


બાળકોને ઉછેરવા માટે અને સમજવા માટે ઘણાં પુસ્તકો લખાયાં છે. (કારણ કે પુસ્તક લખનાર પુખ્ત ઉંમરના જ હોય છે.) પણ મોટેરાંઓને સમજવા માટે કોઈ બાળક પુસ્તક લખે તે નવાઈ લાગે તેવું જેનિફર ઓસ્લી નામની અગિયાર વર્ષની છોકરીએ લખેલું ‘એ હેન્ડી ગાઈડ ટુ અન્ડરસ્ટેન્ડ ગ્રોન અપ્સ’- વડીલો ને સમજવા માટેની માર્ગર્દિશકા- આવું જ એક પુસ્તક છે. પુસ્તક જૂનું છે પણ તેમાંના વિચારો, ડહાપણ , કટાક્ષ જરાય જૂનાં થયાં નથી. સમય સાથે કેટલાંક સંદર્ભો બદલાયા છે અને કેટલીક વિગતો જૂની બની ગઈ છે. અમેરિકા અને આપણા સમાજના ઢાંચામાં પણ ઘણો ફેર છે છતાં બાળક ગમે ત્યાં બાળક જ છે અને મોટેરાંઓ સાથેનો તેનો સંબંધ પણ લગભગ બધે સરખો જ રહ્યો છે તેમ લાગે છે. પુસ્તકમાં આપેલ કેટલીક વાતો આજે પણ ચોટદાર લાગે તેવી છે. તેને થોડા ફેરફાર સાથે જોઈએ.જેનિફર તેની શૈલીમાં બાળકોને લખે છેઃ

વહાલાં બાળકો,
તમે તમારાં વડીલોને અને મોટેરાંઓને બરાબર સમજી શકો અને તેમની સાથેનો તમારો સંબંધ યોગ્ય રીતે નિભાવી શકો એટલા માટે આ પુસ્તક મેં લખેલ છે.
આ દુનિયા મોટેરાંઓની છે અને આજે તે જેવી દેખાય છે તેવી તેમણે જ તેને બનાવી છે. જો તમારે તેમની દુનિયામાં જીવવું હોય તો તેમને સમજવાની જરૃર છે. અને જેમ જેમ તમે તેમને સમજતા જશો તેમ તમને લાગશે કે, દરેક પુખ્ત ઉંમરની વ્યક્તિ બીજી વ્યક્તિથી તદ્દન ભિન્ન હોય છે એટલું જ નહીં વધારે અક્કડ પણ હોય છે. તેઓ દરેક નવી વાત શીખવા માટે આતુર હોવાનો દેખાવ તો કરે છે પણ શીખતા ક્યારેય નથી. આપણામાં (બાળકોમાં) અને તેમનામાં આ તફાવત છે.

સ્વામિ વિવેકાનંદનો વ્યંગવિનોદ