Wednesday, August 8, 2012

પથીક - મણકો એક






આત્મા પોતે પોતાની મેળે ઊભું કરે છે એ સિવાયનું બીજું અંતર ક્યાંય નથી. આપણી પાસે સમયની ગણનાનાં જે સાધનો છે – સૂયૅ, ચંદ્ર, તારા , તેના વડે સમયની ગણના કરવાનું આપણે ક્યારે ભુલીશું? જ્યારે માણસના દિલમાં પ્રેમનો એક જ સાચો અંકુર ફૂટે છે ત્યારે કાળની બધીજ ગણતરીઓ એના માટે ખોટી નીવડે છે. એવા હ્રદયને માટે એક પળની રાહ જોવી એ હજારો નરક કરતાં પણ મોટું નરક હોય અને હજારો વરસની રાહ જોવી એ એક પળ કરતાં પણ ન્યૂન હોય. પ્રેમની કસોટી જ આ : એ કાલાતીત છે.
ખલીલ જીબ્રાન 




થોડીવસ્તુઓથી સંતુષ્ટ રહેવું, વૈભવને બદલે સુંદરતા અને ફેશનને બદલે સુઘડતા પસંદ કરવી. સન્માનનીય થવા કરતાં સન્માનપાત્ર થવું. સંપત્તિવાન નહીં, પણ સમ્રુધ્ધ થવું. સખત પરિશ્રમ કરવો, શાંત ચિત્તે વિચાર કરવો, મ્રદુ રીતે વાત કરવી, નિખાલસપણે વતૅવું, તારાઓ, પંખીઓ અને સાધુજનોનાં હ્રદયગાન ખુલ્લા દિલથી સાંભળવાં. બધું આનંદથી ખમી લેવું. હિંમતથી વતૅવું. રાહ જોવી, ઉતાવળ કરવી નહીં, સામાન્યતામાં અણકથી અને અભાનપણે રહેલી આધ્યાત્મિકતાને પ્રગટવા દેવી- આ મારી જીવનભાવના છે.
-  વિલિયમ હેન્રી ચેનિંગ

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment