દીવાલની રચના જાણવા માટેતો દીવાલનું જ નિરીક્ષણ કરવું પડે. તો જ તેને યોગ્ય ઉપાયથી હઠાવાય. આ જ પ્રમાણે,મારી દ્રષ્ટિએ, શ્રદ્ધા તો અંતરની શકિત છે, પ્રકાશ છે. અને જયારે તેના માર્ગમાં મનના સંશયોની દીવાલ ખડી થઇ જાય છે ત્યારે તેનો પડછાયો પડે છે. સંશયોનો આ પડછાયો એટલે જ માન્યતા.બીજા શબ્દોમાં કહી તો માન્યતા એટલે મનમાં જે છે તેનાથી ‘મા અન્ય અપરઈ અસ્તિ કશ્ચિદ્’ અન્ય કશું છે જ નહીં અગર અન્ય કશું હોઇ શકે જ નહીં એવો મનોભાવ. આ પડછાયો દૂર કરવો હોય તો સંશયોની દીવાલનું નિરીક્ષણ કરી તેને વિવેક બુદ્ધિના હથોડે તોડી ત્યાંથી હઠાવીએ તો અંતરનો એ પ્રકાશ પૂર્ણ પ્રકાશીત દેખાય. પ્રકાશ ઝાંખો થવાનું બીજું પણ એક કારણ છે.અને તે એ કે આપણે જેમ જેમ પ્રકાશના ઉદ્ભવ સ્થાનથી દૂર જતાં જઇએ તેમ તેમ પ્રકાશ ઝાંખો થતો જાય છે.એ જ પ્રમાણે આપણું મન જેમ જેમ અંતરથી દૂર જતું જાય છે અર્થાત જેમ જેમ બહિર્મુખ થતું જાય છે તેમ તેમ અંતરનો આ પ્રકાશ, "શ્રદ્ધા" ઝાંખી થતી જાય છે. તો શ્રદ્ધાને ઝાંખપ આપતું આ કારણ દૂર કરવું હોય તો ભટકતા મનને અંતરમુખ કરવું જોઇએ અને તે માટે પણ વિવેક બુદ્ધિ જ કામ લાગે છે. શ્રદ્ધાનો આ પડછાયો, માન્યતા, અંધશ્રદ્ધાના નામે પણ જાણીતો છે.પણ મને એમ કહેવું યોગ્ય નથી લાગતું. કારણ કે અંધ તો આપણુ મન છે શ્રદ્ધા નહીં. બીજું નામ આપવું જ હોય તો આ માન્યતાને અર્ધશ્રદ્ધા કહેવું વધુ ઉચીત ગણાય. જેને કારણે આપણે ધર્મનું પાલન કરીએ છીએ તેને માન્યતા કહેવાય પરંતુ જેને કારણે બધા જ ધર્મ આપણું પાલન કરે છે તેને શ્રદ્ધા કહેવાય
All men with belief follow a religion
But
All religions follow a man with Faith.
મનમાંથી જન્મે છે માન્યતા માન્યતામાંથી જન્મે છે મત મતમાંથી જન્મે છે મમત મમતમાંથી જન્મે છે મમતા અને મમતામાંથી જન્મે છે રાગ અને દ્વેષ
ઇતિ.
| આના લેખક છે ગિરીશ દેસાઇ | 
| મંગળવાર, 19 જુન 2012 09:10 | 
 
 

 
0 comments:
Post a Comment