Showing posts with label બાળઉછેર. Show all posts
Showing posts with label બાળઉછેર. Show all posts

Tuesday, August 7, 2012

Selected Teachings of Swami Vivekananda





My ideal, indeed, can be put into a few words, and that is: to preach unto mankind their divinity, and how to make it manifest in every movement of life.

Education is the manifestation of the perfection already in man.

We want that education by which character is formed, strength of mind is increased, the intellect is expanded, and by which one can stand on one's own feet.

So long as the millions live in hunger and ignorance, I hold every man a traitor who, having been educated at their expense, pays not the least heed to them.

Whatever you think, that you will be. If you think yourselves weak, weak you will be; if you think yourselves strong, strong you will be.

If you have faith in all the three hundred and thirty millions of your mythological gods, … and still have no faith in yourselves, there is no salvation for you. Have faith in yourselves, and stand up on that faith and be strong; that is what we need.

Strength, strength it is that we want so much in this life, for what we call sin and sorrow have all one cause, and that is our weakness. With weakness comes ignorance, and with ignorance comes misery.

The older I grow, the more everything seems to me to lie in manliness. This is my new Gospel.

Purity, patience, and perseverance are the three essentials to success, and above all, love.

Religion is realization; not talk, not doctrine, nor theories, however beautiful they may be. It is being and becoming, not hearing or acknowledging; it is the whole soul becoming changed into what it believes.

Religion is the manifestation of the Divinity already in man.

Teach yourselves, teach everyone his real nature, call upon the sleeping soul and see how it awakes. Power will come, glory will come, goodness will come, purity will come, and everything that is excellent will come when this sleeping soul is roused to self-conscious activity.

They alone live who live for others, the rest are more dead than alive.

This is the gist of all worship – to be pure and to do good to others.

It is love and love alone that I preach, and I base my teaching on the great Vedantic truth of the sameness and omnipresence of the Soul of the Universe.

શિયાળનો ન્યાય





એક પંડિતજી હતા. તે ભારે દયાળુ હતા. એક દિવસ તે બહારગામ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં જંગલ આવ્યું. જંગલમાં એમણે પાંજરામાં પુરાયેલો સિંહ જોયો.

સિંહે પંડિતજીને જોઈને વિનંતી કરી, ‘હે પંડિતજી! તમે તો દયાળુ છો. મને પીંજરામાંથી બહાર કાઢો. તમને હું સોનામહોરથી ભરેલી થેલી આપીશ!’

પંડિતજીને થયું, સોનામહોરથી ભરેલી થેલી! વાહ! મારું નસીબ ઊઘડી ગયું. પંડિતજીએ લાંબો વિચાર કર્યા વિના સિંહને પાંજરામાંથી બહાર કાઢ્યો. બહાર નીકળ્યો એટલે સિંહ કહે, ‘મને ભૂખ લાગી છે. હવે હું તમને ખાઈ જઈશ.’

પંડિતજી બહુ કગરર્યા પણ સિંહ કહે, ‘ના હું તો તમને ખાઈશ.’ એટલામાં ત્યાં એક શિયાળ આવ્યું. પંડિતજીએ બધી વાત તેને કરી, પોતાનો ન્યાય કરવા કહ્યું.

શિયાળ કહે, ‘ન્યાય કરવો ખૂબ અઘરો છે. તમે મને સમજાવો કે સિંહ પહેલાં ક્યાં હતો ને પંડિતજી તમે ક્યાં હતાં?’

આવું સાંભળી સિંહ કૂદકો મારી પાંજરામાં જઈ ઊભો રહ્યો ને બોલ્યો, ‘હું પહેલા અહીં ઊભો હતો.’

પંડિતજીએ સિંહને પાંજરાંમાંથી કઈ રીતે બહાર કાઢ્યો તે સમજાવ્યું. શિયાળે પાંજરા પાસે જઈ તેનો દરવાજો બંધ કરી દીધો ને બોલ્યું, ‘સિંહરાજ તમે પાંજરામાં હતા ત્યારે આમ જ દરવાજો બંધ હતો ને?’

સિંહે કહ્યું, ‘હા.’

શિયાળ બોલ્યું, ‘પંડિતજી તમે હવે આગળ ચાલવા માંડો. સિંહ ઉપર તમે ઉપકાર કર્યો છતાં તે તમને મારી નાખવા તૈયાર થયો તેથી સિંહરાજ પાંજરામાં જ સારા’ એમ કહીને તે પણ જંગલમાં જતું રહ્યું.

વગર વિચારે જાતે ઊભી કરેલી આફતમાંથી પંડિતજી ઉગરી ગયા.

Friday, January 13, 2012

Maa baap ne bhulso nahi (માં બાપ ને ભૂલશો નહિ)



If understand Gujarati and you’ve got 2 hours time, please please please watch this program. It is highly likely that your eyes will be wet and you will call your parents immediately after watching it.
If you don’t have 2 hours, go through this one atleast.



Wednesday, January 11, 2012

''નકશો તો આપમેળે બન્યો''


એક વખત એક નાનકડો બાળક તેના પિતાને વારંવાર હેરાન કરી રહ્યો હતો. તેના પિતાજી લાકડાની એક ખુરશી પર બેસીને છાપુ વાંચી રહ્યાં હતાં અને આ બાળક પણ પોતાની ધૂનમાં મસ્ત રહીને તેના પિતાના પગના પાઈચા ખેચીને રમત કરી રહ્યો હતો. 

થોડી વાર સુધી તેના પિતા કંઈ ન બોલ્યાં પણ બાળક હજુ ગેલમાં જ હતો અંતે તેના પિતાજી થાક્યાં અને તેમણે એક કીમિયો શોધી કાઢ્યો. તેમણે છાપાનું એક પન્નુ કાઢ્યું. જેમાં કોઈ દેશનો નકશો હતો. પિતાજીએ આ નકશાના આડા-અવળા ચાર-પાંચ ટુકડા કર્યાં અને પછી આ ટુકડા બાળકના હાથમાં સોંપતા કહ્યું ''ચાલ બેટા આ નકશો જોડી આપ તો.''

તેમને એમ હતું કે, પોતાનું સંતાન આ નકશાને જોડવામાં ઓછામાં ઓછી અડધી અથવા એક કલાક તો કાઢી જ નાખશે અને ત્યાં સુધીમાં તેઓ પણ નિરાંતે પોતાનું છાંપી વાચી શકશે પરંતુ બન્યું એવું જેવું તેમણે ધાર્યું ન પણ ન હતું. બાળકે માત્ર બે જ મિનિટમાં નકશો જોડી આપ્યો. પોતાના પુત્રની ચતુરાઈ પણ પિતાને આશ્વર્ય થયું તેમણે પુછ્યું 'બેટા આવો અઘરો નકશો તે આટલી જલ્દી કેવી રીતે જોડી નાખ્યોં કદાચ મેં ખુદ તેને જોડવાનો પ્રયત્ન કર્યો હોત તો મારે ઓછામાં ઓછી દસ મિનિટ જરૂર લાગત તો પછી તે કેવી રીતે જોડી નાખ્યો.'' 

બાળકે પોતાની નિર્દોષ આંખો વડે તેમની સામે સ્મિત ફરકાર્વ્યું અને પછી ઘણા ધીરા સ્વરે પોતાના પિતાને કહ્યું '' પપ્પા મેં નકશો નથી જોડ્યાં મેં તો આ નકશા પાછળ એક વ્યક્તિનો ફોટો હતો તેને જોડ્યો છે તેના હાથ-પગ, માથાને જોડ્યું છે નકશો તો આપોઆપ જ બની ગયો.
 

Wednesday, September 28, 2011

ક્ષણે ક્ષણે અંત, પળે પળે આરંભ!



જગત તો સતત નવું હોય છે, પણ મગજ જૂનું હોવાને કારણે આપણને નવું ઝટ નજરે નથી ચઢતું.




એક વાત કમાલની છે. કોઈ માણસ શાપ મેળવવા માટે તપ કરે? હા, કરે. આપણાં પુરાણોમાં એવી અનેક અનેક કથાઓ છે જેમાં સૌથી ઉગ્ર તપ સૌથી મોટા શાપ માટે કરવામાં આવેલાં. વાત જાણે એમ છે કે જીવનની સૌથી વધુ ત્રાસજનક બાબત અને સૌથી વધુ ઇચ્છિત બાબત, બન્ને એક જ છે. બોલો, એ ચીજ કઈ? પૈસા, ના. પ્રસિદ્ધિ, ના. જવાબ છે: અમરત્વ. રાવણથી માંડીને હિરણ્યકશ્યપુ જેવા કેટકેટલાય ‘તપસ્વી’ઓએ અમરત્વ મેળવવા ઘોર તપશ્ચર્યા કરેલી.

નાના બાળકનું સાહસ મોટું




નાનકડો પ્રિયાંશુ નીડર હતો. તે ક્યારેક પિતાની સાથે વન-વગડામાં ફરવા જતો હતો. આથી તેનામાં હિંમત, સાહસ, નિર્ભયતા અને ચાલાકીના ગુણ અંકુર બનીને પાગયાઁ હતા.




ચિત્તાએ જોયું કે હવે અહીં મારી દાળ ગળે તેમ નથી. આથી તે ત્યાંથી પલાયન થઇ ગયો.



આપણા દેશનું એક રાજ્ય. નામ એનું ઉત્તરાખંડ. આ રાજ્યના એક નાનકડા ગામમાં પ્રિયાંશુ નામનો બાળક રહે. દસ વરસનો પ્રિયાંશુ છઠ્ઠા ધોરણમાં ભણે. તેને એક મોટી બહેન. નામ એનું પ્રિયંકા. તે આઠમા ધોરણમાં ભણે.બંને ભાઇ-બહેન ભણવામાં મહેનતુ, અને હોશિયાર. પળેપળનો ઉપયોગ કરીને ખંતથી ભણે. સૂર્યોદય પહેલાં ઊઠી જાય. નિત્યકર્મથી ઝટપટ પરવારીને ઘરના આંગણામાં આવેલા ઝાડના ઓટલા પર ભણવા બેસી જાય. શાળામાં પણ શિક્ષક બંને ભાઇ-બહેનના વખાણ કરે. ઘરથી નિશાળ એકાદ કિલોમીટર દૂર. ઘડિયાળના સમય પ્રમાણે જ ઘરેથી નીકળે અને સમયસર નિશાળે પહોંચી જાય.



દરરોજની જેમ તે દિવસે પણ પ્રિયંકા અને પ્રિયાંશુ ખભે દફતર ભરાવી, મોજમસ્તીથી વાતો કરતાં કરતાં શાળાએ જઇ રહ્યા હતા. એવામાં નિર્જન રસ્તો આવ્યો. ત્યાં એક ચિત્તો કોઇ શિકારની રાહ જોતો લપાઇને બેઠો હતો. એણે આ બે બાળકોને આવતાં જોયા. ચિત્તાએ ચૂપચાપ પાછળથી આવી પ્રિયંકા ઉપર હુમલો કર્યો. પ્રિયંકાના કાન પરે ચિત્તાનો પંજો વાગ્યો. પ્રિયાંશુ ચિત્તાના ઓચિંતા હુમલાથી હેબતાઇ ગયો, પણ પળવારમાં સ્વસ્થ બની ગયો. પોતાની બહેનને બચાવવા તે પ્રિયંકા પર વાંકો વળી ગયો. બહેનને બચાવવા જતા ચિત્તાનો પંજો પ્રિયાંશુના કપાળ પર વાગ્યો.



નાનકડો પ્રિયાંશુ નીડર હતો. તે ક્યારેક પિતાની સાથે વન-વગડામાં ફરવા જતો હતો. આથી તેનામાં હિંમત સાહસ, નિર્ભયતા અને ચાલાકીના ગુણો અંકુર બનીને પાંગયાઁ હતા. આ ગુણો આજે એને મદદરૂપ થવાના હતા. ચિત્તાનો સામનો કરવા માટે હથિયાર તરીકે એની પાસે ફક્ત સ્કૂલબેગ હતી. પ્રિયાંશુએ એને શસ્ત્ર બનાવ્યું. જરા પણ ડર્યા કે ગભરાયા વિના તે પોતાની સ્કૂલબેગથી ચિત્તાને મારવા લાગ્યો. ચિત્તાના મોં પર સ્કૂલબેગની એક જોરદાર ઝાપટ વાગી. અચાનક પ્રહાર થતાં ચિત્તો ઢીલો પડી ગયો.



પ્રિયાંશુ ચિત્તાનો સામનો કરી રહ્યો હતો તે સમયે ત્યાંથી એક લશ્કરી જીપ પસાર થઇ. જીપમાં લશ્કરી જવાનો બેઠા હતા. તેમણે જીપ ઊભી રાખી. પળનોયે વિલંબ કર્યા વિના તેઓ ત્યાં પહોંચી ગયા. દૂરથી જ ચિત્તાને આટલા નાનકડા બાળક સાથે બાથ ભિડતો જોઇને આજુબાજુના ખેતરમાં કામ કરતા ખેડૂતો અને ખેતમજુરો પણ ત્યાં દોડી આવ્યા. ત્યાં ખૂબ ધાંધલ થઇ. ચિત્તાએ જોયું કે હવે અહીં મારી દાળ ગળે તેમ નથી. આથી તે ત્યાંથી પલાયન થઇ ગયો.



લશ્કરના જવાનોએ નાનકડા પ્રિયાંશુને પીઠ થાબડી ધન્યવાદ આપ્યા. તેઓ ઘવાયેલા ભાઇ-બહેનને જીપમાં બેસાડી નજીકની હોસ્પિટલમાં લઇ ગયા અને જરૂરી સારવાર કરી ઘરે મૂકી આવ્યા.બીજા દિવસે દરેક છાપામાં પ્રિયાંશુએ બહાદુરીપૂર્વક ચિત્તાનો સામનો કરી બહેનને બચાવી તે ઘટના છપાઇ. લોકોએ આ ઘટના વાંચીને પ્રિયાંશુને મનોમન ધન્યવાદ આપ્યા. તેની શાળામાં બહાદુરી માટે એનું સન્માન થયું.



ભારત સરકારના ‘ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર’ તરફથી પ્રિયાંશુને ‘બાલવીર રાષ્ટ્રીય પુરસ્કાર’ આપવાનું નક્કી થયું. ૨૬મી જાન્યુઆરીએ પ્રિયાંશુને દિલ્હી બોલાવી રાષ્ટ્રપતિના હાથે બાલવીર પુરસ્કાર આપવામાં આવ્યો. પુરસ્કાર ઉપરાંત તેને સન્માનપત્ર તથા ભેટ પણ આપી. પ્રિયાંશુને શણગારેલા હાથી પર બેસાડી પરેડમાં ફેરવ્યો. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે પ્રિયાંશુની બહાદુરીના ભરપૂર વખાણ કરતાં કહ્યું, ‘આવા સાહસિક અને હિંમતવાળા બાળકો જ આપણા દેશનું ગૌરવ છે.’પ્રિયાંશુએ પોતાની બહેનની જિંદગી બચાવવા જે હિંમત અને બહાદુરી બતાવી તે બદલ તેને લાખ લાખ ધન્યવાદ!!!

એકતામાં છે બળ




ચંદન વનના રાજા શેરસિંહે બધા પ્રાણીઓને ભેગા કરીને કહ્યું.વનમાં અસહ્ય ગરમી છે. હવે હું આ જવાબદારીમાંથી મુક્ત થવા માગું છું. મહારાજ તમે થોડા દિવસ ક્યાંક ફરી આવો. તમારું મન પ્રફુલ્લિત થઇ જશે.તું સાચું કહી રહ્યો છે. આ વખતે હું ગરમીમાં ખંડાલાના વનમાં ફરી આવું. શેરસિંહ ખંડાલાના વનમાં ઉપડી ગયા.ખબર છે ચંદન વનના રાજા ખંડાલાના વનમાં ફરવા ગયા છે?આપણે બધા આ તકનો લાભ લઇને ચંદન વનમાં દાખલ થઇ જઇએ.

મહેનતનો રોટલો




રાજા ચંદ્રસિંહે દુ:ખી મા-દીકરાની વાતચીત સાંભળી. એમનું લાગણીશીલ હૈયું દ્રવી ઊઠ્યું. ઝૂંપડી પર નિશાની કરી રાજા ચંદ્રસિંહ પોતાના મહેલમાં પાછા ફર્યા.




ચંદનપુરમાં ચંદ્રસિંહ નામે રાજા રાજ કરતા હતા. રાજા ચંદ્રસિંહ પ્રજાના સુખે સુખી અને દુ:ખે દુ:ખી. તેમને એક દીવાન હતા. તેમનું નામ લાલસિંહ. લાલસિંહ સ્વભાવે ખૂબ જ લાલચું અને લોભી પ્રકૃતિના. રાજા ચંદ્રસિંહ લાલસિંહને ગમે તેટલું આપે, છતાંય લાલસિંહ ક્યારેય સંતુષ્ટ થતા જ નહીં. તેમના લોભી અને લાલચુ સ્વભાવથી રાજા ચંદ્રસિંહ પૂરેપૂરા માહિતગાર હતા.

ઝડપી કોણ?



.
સિંહ હરીફાઇ જોવા આવ્યો હતો. બીજા પ્રાણીઓ પણ હરીફાઇ જોવા આવ્યા હતા. વાંદરાભાઇ નિર્ણાયક તરીકે હતા. વાંદરાભાઇએ બંને હરીફોને હરીફાઇના નિયમો કહી સંભળાવ્યા. બે કલાકમાં પાંચ કિલોમીટરનું અંતર કાપવાનું હતું.

એક હતું સુંદરવન. વનમાં વિવિધ વૃક્ષો, છોડ અને વેલાઓની વચ્ચે જાતભાતના પશુ, પંખી, કીટક રહેતા હતા. વનનો રાજા સિંહ પોતાના ખોરાક પૂરતો જ શિકાર કરતો. બધા પ્રત્યે સમભાવ રાખતો. પ્રાણીઓ પણ સિંહની આમન્યા રાખતા. એક દિવસ બધા પશુઓ ભેગા થયા હતા. ત્યાં જ સસલાં અને હરણો વચ્ચે ચર્ચા ચાલતી હતી.

Monday, August 8, 2011

દીકરો અને દીકરી




  • દીકરો વારસ છે



    • દીકરી પારસ છે!

  • દીકરો વંશ છે



    • દીકરી અંશ છે!

  • દીકરો આન છે



    • દીકરી શાન છે!

  • દીકરો તન છે



    • દીકરી મન છે!

  • દીકરો માન છે



    • દીકરી સ્વમાન છે!

  • દીકરો સંસ્કાર છે



    • દીકરી સંસ્કૃતિ છે!

  • દીકરો આગ છે



    • દીકરી બાગ છે!

  • દીકરો દવા છે



    • દીકરી દૂવાં છે!

  • દીકરો ભાગ્ય છે



    • દીકરી વિધાતા છે!

  • દીકરો શબ્દ છે



    • દીકરી અર્થ છે!

  • દીકરો ગીત છે



    • દીકરી સંગીત છે!

  • દીકરો પ્રેમ છે



    • દીકરી પૂજા છે!

  • દીકરો વાદળ છે અને વરસે છે



    • દીકરી ધરતી છે અને તરસે છે!

  • દીકરો એક પરિવારને તારે છે



    • દીકરી દસપરિવારને તારે છે!!

    Wednesday, August 3, 2011

    વડીલોને સમજવા માટેની માર્ગદર્શિકા-જેનીફર ઓસ્લી


    બાળકોને ઉછેરવા માટે અને સમજવા માટે ઘણાં પુસ્તકો લખાયાં છે. (કારણ કે પુસ્તક લખનાર પુખ્ત ઉંમરના જ હોય છે.) પણ મોટેરાંઓને સમજવા માટે કોઈ બાળક પુસ્તક લખે તે નવાઈ લાગે તેવું જેનિફર ઓસ્લી નામની અગિયાર વર્ષની છોકરીએ લખેલું ‘એ હેન્ડી ગાઈડ ટુ અન્ડરસ્ટેન્ડ ગ્રોન અપ્સ’- વડીલો ને સમજવા માટેની માર્ગર્દિશકા- આવું જ એક પુસ્તક છે. પુસ્તક જૂનું છે પણ તેમાંના વિચારો, ડહાપણ , કટાક્ષ જરાય જૂનાં થયાં નથી. સમય સાથે કેટલાંક સંદર્ભો બદલાયા છે અને કેટલીક વિગતો જૂની બની ગઈ છે. અમેરિકા અને આપણા સમાજના ઢાંચામાં પણ ઘણો ફેર છે છતાં બાળક ગમે ત્યાં બાળક જ છે અને મોટેરાંઓ સાથેનો તેનો સંબંધ પણ લગભગ બધે સરખો જ રહ્યો છે તેમ લાગે છે. પુસ્તકમાં આપેલ કેટલીક વાતો આજે પણ ચોટદાર લાગે તેવી છે. તેને થોડા ફેરફાર સાથે જોઈએ.જેનિફર તેની શૈલીમાં બાળકોને લખે છેઃ

    વહાલાં બાળકો,
    તમે તમારાં વડીલોને અને મોટેરાંઓને બરાબર સમજી શકો અને તેમની સાથેનો તમારો સંબંધ યોગ્ય રીતે નિભાવી શકો એટલા માટે આ પુસ્તક મેં લખેલ છે.
    આ દુનિયા મોટેરાંઓની છે અને આજે તે જેવી દેખાય છે તેવી તેમણે જ તેને બનાવી છે. જો તમારે તેમની દુનિયામાં જીવવું હોય તો તેમને સમજવાની જરૃર છે. અને જેમ જેમ તમે તેમને સમજતા જશો તેમ તમને લાગશે કે, દરેક પુખ્ત ઉંમરની વ્યક્તિ બીજી વ્યક્તિથી તદ્દન ભિન્ન હોય છે એટલું જ નહીં વધારે અક્કડ પણ હોય છે. તેઓ દરેક નવી વાત શીખવા માટે આતુર હોવાનો દેખાવ તો કરે છે પણ શીખતા ક્યારેય નથી. આપણામાં (બાળકોમાં) અને તેમનામાં આ તફાવત છે.

    Monday, August 1, 2011

    વિવિધતામાં એકતા




    વિવિધતા માં એકતા – અરે આ તો કેવી વાત? જાત જાતની વિવિધતાઓ વચ્ચે આપણે જીવીએ છીએ. આપણા રંગો જુદા, આપણાં વિચારો જુદા, આપણાં ધર્મો જુદા, આપણી જાતી જુદી, આપણી રીતભાત જુદી – ઈશ્વરની સૃષ્ટિમાં કેટકેટલું વૈવિધ્ય છે. જાત જાતના ફળો, જાત જાતનાફૂલો, જાતજાતના પશુ-પક્ષીઓ, જાત જાતની વનસ્પતિઓ અને વૃક્ષો. જાત જાતના પહાડો, નદિઓ, ઝરણાઓ અને સમુદ્રો. જો બધું એકસરખું, એક ધારુ હોય તો કેટલો કંટાળો આવે? એક ની એક રીતે જીવવાનું, એકની એક રીતે વિચારવાનું , એક નું એક કામ કરવાનું , એકની એક વ્યક્તિ સાથે વાતો કરવાની, એકના એક ચવાઈ ગયેલા ગીતો સાંભળવાના, પ્રકૃતિના એકના એક મૌનને પડદા પાછળ થી સાંભળવાનું અને તેના મનઘડન અર્થો કરવાના આ બધું શું કંટાળા જનક નથી? તેમ છતાં તેમાં વિવિધતા છે, સમયે સમયે તેના જુદા અર્થો છે, જુદા જુદા ભાવો છે. એક નું એક ગીત તમે જ્યારે જુદી જુદી પરિસ્થિતિમાં સાંભળો છો ત્યારે તમે જુદો જ ભાવ અનુભવો છો. એકનું એક બાળક તમને જુદા જુદા સમયે જુદુ જુદુ નથી લાગતું? જે બાળક પર ૧૦૦% વહાલ ઉપજતું હતુ તે બાળક ઘણીયે વાર ૧૦૦% અકારું નથી લાગતુ ?
    તો આ બધી વિવિધતામાં સામાન્ય તત્વ શું છે? જાતીઓમાં જોઈએ તો મનુષ્ય તરીકે આપણે સામાન્ય છીએ અને જાતી, ધર્મ, રંગ, દેશ, ભાષા, લિંગ વગેરેથી જાણે કે આપણે વિભાજીત થઈ ગયા હોઈએ તેમ લાગે છે. બધાની નસોમાં લાલ રક્ત જ દોડે છે અને છતાં બધાના વિચારો કેટલાં બધાં ભિન્ન છે – કેટલાં બધાં છિન્ન છે. મનુષ્ય અને પ્રાણીઓ કેટકેટલી રીતે જુદા પડે છે અને છતાં તેમનામાં સામાન્ય તત્વ પ્રાણ છે – બધાંએ ઓક્સીજનને જીવવા માટે લેવો પડે છે. તે બધાને એક સુત્રે બાંધનાર પ્રાણવાયું છે. એમ તો પ્રાણી, વનસ્પતિ, મનુષ્યો, પક્ષીઓ આ બધાંઓનો આધાર તો પૃથ્વી જ છે ને? એક જ ઘરમાં કેટકેટલા જીવજંતુઓ સાથે રહે છે અને બધાં તે ઘરને પોતાનું જ માને છે.
    જ્યારે વિવિધતા એક બીજાની નજીક આવે છે ત્યારે તેના અનેક શક્ય પરીણામ સંભવે છે. બે જાતીના માણસો, બે ધર્મના માણસો, બે જુદા જુદા દેશના માણસો, બે જુદી જુદી ભાષાના માણસો મળે તો શું થાય? ઘણી શક્યતાઓ છે. કાં તો બંને એકબીજા પાસેથી કશુંક શીખે અને વધુ સમૃદ્ધ બને. કાં તો બંને એકબીજા પર આધિપત્ય જમાવવા પ્રયાસ કરે અને બંનેનો થોડા ઘણાં અંશે કે સમુળગો હ્રાસ થાય. કાંતો બંને એકબીજા પ્રત્યે ઉદાસીન રહે અને કશું ન થાય. પણ આમાંથી સારામાં સારી પરિસ્થિતિ કઈ? બંને એક બીજા સાથે કશુંક આદાન-પ્રદાન કરે અને બંનેનો વિકાસ થાય તે શ્રેષ્ઠ પરિસ્થિતિ ગણાય.
    વિવિધતા તો આપણી ચારે બાજુ છે પણ તેમાંથી ડાહ્યાં માણસો એકતા શોધી કાઢે છે અને વિકાસ કરે છે અને મુર્ખાઓ એકબીજા સાથે બાખડે છે અને રકાસ પામે છે.
    બોલો આપણે આ વૈવિધ્યમાંથી શું પ્રાપ્ત કરશું? સહકાર, સમન્વય, સંગમ દ્વારા વિકાસ કે અસહકાર, લડાઈ ઝગડા અને વિખવાદ દ્વારા રકાસ ? પસંદગી આપણા હાથમાં છે – સારું એ આપણું. બોલો તમને શું સારું લાગે છે?

    સ્વપ્ન જુઓ ખુલ્લી આંખે




    સ્વપ્ન તે નથી કે જે આપણે ઉંઘમાં જોઈએ છીએ – પણ સ્વપ્ન તે છે કે જે આપણને સુવા નથી દેતુ – શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ
    વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદના પ્રવચનોને સુજ્ઞ શ્રોતાજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ અને હવે જ્યારે ચારે તરફ તેમની વાહ વાહ બોલાઈ રહી છે તેવે સમયે સ્વામી વિવેકાનંદ રાત્રે સુંવાળી પથારીમાં સુઈ નથી શકતા. જમીન પર વેદનાથી આળોટે છે અને વિચારે છે કે મારા કરોડો ગરીબ, કચડાયેલા, દુ:ખી, પીડીત દેશ બાંધવો માટે હું શું કરી શકું કે તેમનું અજ્ઞાન દૂર થાય, તેઓ સમૃદ્ધ બને, ગુલામીની ઝંઝીરમાંથી મુક્ત થાય. અને તેમણે એક વિરાટ કાર્યનો આરંભ કર્યો અને શ્રી રામકૃષ્ણ મીશનની સ્થાપના કરી. આજે કેટકેટલી જીંદગીઓ પર આ કેન્દ્રોની પ્રવૃત્તિઓ રુપી આશિર્વાદના કળશથી અભિષેક થયો છે તે કોણ કહીં શકશે?
    સ્વતંત્રતાનું સ્વપ્ન જો ગાંધીજીએ તેમના સહયોગીઓએ અને અનેક ક્રાંતિકારીઓએ ન જોયું હોત તો કદાચ ભારત આજે પણ ગુલામીની ઝંજીરોમાં જકડાયેલું હોત. દરેક મહાન કાર્ય કરનારાઓએ મહાન સ્વપ્ના સેવ્યા છે અને તેને પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત કરી છે. કોઈ પણ સફળ વિદ્યાર્થી, સફળ ઉદ્યોગપતિ, સફળ શિક્ષક કે સફળ રાજનેતા કે કોઈ પણ ક્ષેત્રની સફળ વ્યક્તિને જોઈશું તો તેના મુળમાં તેમણે સેવેલાં મહાન સ્વપ્નાઓ હશે. ઉત્તમ કાર્યો ઉત્તમ વિચારોમાંથી જન્મે છે અને ઉત્તમ વિચારો ઉત્તમ સ્વપ્નાઓ જોવાથી આવે છે. જો બીલ ગેટ્સે માઈક્રોસોફ્ટને નંબર વન સોફ્ટવેર કંપની બનાવવાનું સ્વપ્ન ન જોયું હોત તો આજે સોફ્ટવેરની દુનિયામાં આટલી ક્રાંતી આવી હોત કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
    આપણાં એક બ્લોગર શ્રી મુસ્તુફાચાર્યને તેમના શિક્ષક પાસેથી સાંપડેલ સફળતાનું સૂત્ર
    (D + P + T ) * A = Success માં પણ D ફોર ડ્રીમ એટલે સ્વપ્ન માટે મુકવામાં આવેલ છે.
    આજે જ્યારે આપણે ભારતમાં ચારે બાજુ ભ્રષ્ટાચાર અને નીતીમત્તાનો હ્રાસ જોઈ રહ્યાં છીએ ત્યારે પ્રજાએ સામુહિક રીતે એકજૂટ બનીને ભ્રષ્ટાચાર મુક્ત અને નીતીમાન મનુષ્યો ઘડવાનું સ્વપ્ન જોવાનો સમય પાકી ગયો છે. જો પ્રજા સામુહિક રીતે ભ્રષ્ટ લોકોનો વિરોધ કરે – તેમના કરતૂતો ઉઘાડા પાડે અને તેમને કડકમાં કડક શિક્ષા થાય તેવી માંગણી બુલંદ બનાવે તો વિરાટ પ્રજાનો સામનો કરવાની તાકાત આ મગતરા સમાન ભ્રષ્ટાચારીઓમાં ક્યાંથી રહેશે?

    તો મીત્રો, ખુલ્લી આંખે સ્વપ્ન જોવાનું અને તેને પુરા કરવા આયોજન બદ્ધ પરીશ્રમ કરવાનું આજથી જ શરું કરી દેશુંને?

    નેતૃત્વ




    આજ્ઞાંકિત વિદ્યાર્થિ / કાર્યકર / શિષ્ય ભવિષ્યનો સારો નાગરીક / આગેવાન / આચાર્ય છે. કોઈ વ્યક્તિ રાતોરાત આગેવાન / સરદાર કે નેતા ન બની જાય. નેતા બનવા માટે પહેલાં તો જે બાબતમાં નેતૃત્વ કરવું હોય તે બાબતનું કૌશલ્ય વિકસાવવું જોઈએ. ઉત્તમ વિદ્યાર્થીની ઉત્તમ શિક્ષક બનવાની, ઉત્તમ સૌનિકની ઉત્તમ સેનાપતિ બનવાની, ઉત્તમ કાર્યકરની ઉત્તમ નેતા બનવાની પુરે પુરી શક્યતા છે. જેઓ પોતાના તાલીમ કાળમાં ધ્યાન નથી આપતાં તેઓ તેમના કાર્યકાળમાં ખાસ કશું વિશેષ ઉકાળી શકશે તે માન્યતા ભૂલભરેલી છે.

    Thursday, July 28, 2011

    નાનકડા ભૂલકાંઓની માતાપિતાને પ્રાર્થના…


    ૧)મારા હાથ ઘણા નાના છે.હું મારી પથારી પાથરું,ચિત્ર દોરું કે દડો ફેંકું તેમા મારી પાસેથી બહુ ઊંચી અપેક્ષાઓ ના રાખો. મારા પગ નાના છે મહેરબાની કરીને થોડા ધીમે ચાલો જેથી હું તમારી સાથે ચાલી શકું.

    ૨)તમે જેવી અને જેટલી દુનિયા જોઈ છે તે મારી આંખોએ નથી જોઈ તેથી મને સલામતી સાથે તે જોવા દો.મને બીનજરૂરી રોકો નહીં…હા હું કાંઈ ન જોવાનું જોતો હોઉં તો અચૂક મને સમજાવો.
    ૩)ઘરનું કામ તો હંમેશા હશે જ.હું બહુ ઓછા સમય માટે નાનો રહેવાનો છું.મને ખૂબ પ્રેમથી આ અદભૂત દુનિયાની માહિતી આપો.
    ૪)મારી લાગણીઓ ખૂબ નાજુક છે.મારી જરૂરિયાતો માટે લાગણીશીલ રહો.હંમેશાં મને “ના” ન ક્હો.હું તમારી સાથે અમુક રીતે વર્તું એવું જો તમે ચાહતા હો તો તમે પણ મારી સાથે તે રીતે જ વર્તો.હા, હું ખોટી માગણી કરૂં તો રોકો જરૂર.
    ૫)તમને ભગવાને આપેલી ખાસ ભેટ તે હું છું.ઈશ્વરે તમને આ અમૂલ્ય ખજાનો આપ્યો છે તેનું જાળવીને જતન કરો.મારા સારા કામોને બિરદાવો,મને સાચી દિશામાં જીવવા માટે માર્ગદર્શન આપો.અને પ્રેમથી શિસ્તના પાઠ ભણાવો.હું જરૂર ભણીશ કેમકે તમને હું ખૂબ ચાહું છું.
    ૬)મારે વિકાસ માટે તમારા પ્રોત્સાહનની જરૂર છે.ભૂલો કાઢવામાં કાળજી રાખો.યાદ રાખો કે તમે હું જે કરું તેમાં ભૂલો કાઢો પણ મારામાં ભૂલો ના શોધો.
    ૭)મારા માટે નિર્ણયો લેવાની મને સ્વતંત્રતા આપો.મને નિષ્ફળ થવા દો જેથી હું મારી ભૂલોમાંથી બોધપાઠ લઈ સાચું શીખું.તો જ કોઈક દિવસ જીવનમાં જ્યારે જરૂર પડે ત્યારે સાચા નિર્ણયો લેવા હું તૈયાર બનીશ.
    ૮)મારી પાસેથી અતિશય અપેક્ષાઓ ન રાખો.મને એવું ન લાગવા દો કે હું તમારી અપેક્ષાઓને પૂરી નથી કરી શકતો.મારા વહાલા ભાઈઓ અને બહેનો સાથે મારી સરખામણી ના કરો.આમ કરવાથી તમે અમારું હિત નહીં પણ અહિત કરો છો.
    ૯)તમે બંને સાથે કોઈક શનિ-રવિવારે ફરવા જાઓ અને અમને ભાઈબહેનોને સાથે બહાર ફરવા જવા દો.તેમાં ડરો નહીં.માતાપિતાને બાળકોથી અને બાળકોને મતાપિતાથી વેકેશન જોઈએ છે.સાથે સાથે અમને બાળકોને એવુ લાગવા દો કે અમારા માતાપિતાના લગ્ન એ વિશષ્ટ છે.
    ૧૦)મને દર રવિવારે નિયમિત રીતે મંદિરે લઈ જાઓ અને ક્યારેક સત્સંગમાં લઈ જાઓ અને મારા માટે સારું ઉદાહરણ પૂરૂં પાડો જેથી જીવનમાં હું તેને અમલમાં મૂકી શકું.મને ઈશ્વરમાં શ્રદ્દ્ધા છે અને ભગવાન વિષે હુ જાણવા માગું છું.

    abdul-kalam.jpg
    અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો….
    નિષ્ફળતાને સફળતાનું પહેલું પગથિયું કહેવાય છે.
    વિજેતા તે નથી કે જે કદી પણ નિષ્ફળ ન થયો હોય….પણ વિજેતા તે છે કે જેણે કદી ભાગતો નથી(છોડતોનથી)….

    ધન્ય છે આ આગવી સૂઝને


    પ્રસિધ્ધ ઉદ્યોગપતિ અને દાનવીર એવા એન્ડ્રુ કાર્નેગીને કોણ નહીં ઓળખતું હોય?તેમનો જન્મ ૧૮૩૫ માં સ્કોટલેન્ડમાં થયો અને મૃત્યુ ૧૯૧૯ માં.તેમનામાં નાનપણથી જ બીજા લોકોને અને તેમની જરૂરિયાતોને સમજવાની અસાધારણ સૂઝ હતી.બાળપણમાં તેમણે એક સસલી પાળી હતી.તેનાથી ઘણા બચ્ચાં ઉત્પન્ન થયા.હવે આટલા બધા બચ્ચાંઓને પાળવા કઈ રીતે અને તેમને ખવડાવવા કેટલો બધો ખોરાક જોઈએ? બાળક એન્ડ્રુએ તેનો ઉપાય શોધી કાઢ્યો.તેણે પાડોશમાં રહેતા પોતાના મિત્રોને બોલાવ્યા અને તેમને સસલા રમાડવાની ટેવ પાડી,પછી ધીમેથી તેમની પાસે દાણા મંગાવ્યા અને બચ્ચાંને ખવડાવવાનું શરૂ કર્યું.હજી આગળ તેમણે દરેક મિત્રના નામ પરથી બચ્ચાનું નામ પાડ્યું અને દરેકે પોતાના નામધારી બચ્ચાનું જતન કરવાનું.બાળકો હોંશેહોંશે પોતાના નામધારી બચ્ચાને ખવડાવવા અને તેમનું જતન કરવા લાગ્યા.બોલો કેવો સરસ ઉપાય???
    એન્ડ્રુ કાર્નેગી ૧૩ વર્ષની ઉંમરે અમેરિકા ગયા.આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે અભ્યાસ માટેની સગવડ ન થઈ શકી અને ખૂબ ઓછું ભણી શક્યા.ત્યારબાદ તાર ઓફિસમાં મામૂલી નોકરી કરવા લાગ્યા.તેમની નિષ્ઠા,ધીરજ,વફાદારી અને આગવી સૂઝને કારણે તેઓ પેન્સિલવેનિયામાં રેલ્વેના પશ્ચિમ વિભાગના વડા નિયુક્ત થયા.તેમણે સૌ પ્રથમ રેલ્વેમાં સ્લીપર કોચની વ્યવસ્થા કરી.જેમજે તેઓ ઉદ્યોગોનો અભ્યાસ કરતા ગયા તેમતેમ તેમને લાગ્યું કે ભવિષ્યમાં લોખંડ અને પોલાદની વધુ જરૂર ઉભી થશે.તેની માંગ વધશે.આથી તેમણે ઉદ્યોગમાં ઝંપલાવ્યું.તેઓ પેન્સિલવેનિયાના રેલરોડને પોતાનું સ્ટીલ વચવા માંગતા હતા.આથી પિટ્સબર્ગમાં તમણે એક નવી સ્ટીલમીલ શરૂ કરી.તેનું નામ રાખ્યું જે.એડગર થોમ્સન સ્ટીલ વર્ક્સ આવું નામ કેમ???
    કારણકે તે સમયે જે.એડગર થોમ્સન પેન્સિલવેનિયાના રેલરોડનાં પ્રેસિડન્ટ હતા.તેઓ તો પોતાને મળેલા આ સન્માનથી એટલા પ્રાભાવિત થયા કે એમને જેટલું જરૂરી હતું તે બધું જ સ્ટીલ તેમણે એન્ડ્રુ પાસેથી જ ખરીદ્યું.
    બીજાના જીવનમાં શું જરૂરી છે તે જાણીને કામ કરવાની કાર્નેગીની સૂઝે તેમને વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ તરીકે પ્રસ્થાપિત કર્યા.
    બાલમિત્રો,આપણામાં પણ આવી જ શક્તિઓ હોય છે જ માત્ર તેને હચમચાવીને જગાડવાની છે.
    આશા રાખીએ કે તમે પણ આવી જ સિધ્ધિ હાંસલ કરો.

    વૃક્ષારોપણ



    ઉનાળાની સખત ગરમીમાંથી મુક્તિ આપતી તથા ધરતી અને માનવને શાતા આપતી એવી વર્ષાૠતુ શરૂ થઇ. માહોલ આખો જ બદલાઇ ગયો. લોકો આનંદમાં આવી ગયા.ખેડૂતો રાજી રાજી થઇ ખેતીના કામમાં લાગી ગયા. કુદરતનાં ચાહકો, રક્ષકો, વૃક્ષારોપણ માટે ક્યારના ય તૈયાર થઇને બેઠેલા જ હતા. વરસાદ પડતાંની સાથે જ બધા સક્રિય થઇ ગયા. વિદ્યાવિહાર શાળાનાં શિક્ષકો પણ પોતાના ધોરણના બાળકોને લઇને વૃક્ષારોપણ માટે વનવિભાગમાંથી રોપ લઇ આવ્યા.પાવડા,ત્રિકમ,ખાતર,રોપાઓ વિગેરે વિગેરે સામગ્રી એકઠી કરી બધા જ આગોતરા આયોજન મુજબ વૃક્ષારોપણ કરવા જવાના હતા.

    છોકરો અને સફરજનનું વૃક્ષ



    ઘણા સમય પહેલાં સફરજનનું એક મોટું વૃક્ષ હતું. એક નાનકડો છોકરો ત્યાં રમવા આવતો. વૃક્ષની આસપાસ દોડતો, તેના પર ચઢતો, સફરજન ખાતો અને આનંદ કરતો. વૃક્ષ આથી ખૂબ ખુશ થતું.
    સમય પસાર થતો ગયો .ધીમે ધીમે છોકરો મોટો થવા લાગ્યો. હવે તે વૃક્ષ પાસે બહુ રમવા બહુ ઓછો આવતો. વૃક્ષ રોજ તેની રાહ જોતું.
    એક દિવસ છોકરો આવ્યો. વૃક્ષ બોલ્યું, “આવ, અને મારી આસપાસ રમ.” છોકરો બોલ્યો, ” હવે હું નાનકડું બાળક નથી. હું મોટો થઇ ગયો છું. મારે રમકડા ખરીદવા છે પણ મારી પાસે પૈસા નથી. તું મને મદદ કરી શકે???” વૃક્ષ બોલ્યું, “મારી પાસે પૈસા નથી પણ સફરજન છે. તું બધા સફરજન ઉતારી લે. તેને વેચી નાંખજે એટલે તને પૈસા મળી જશે. તેનાથી તું રમકડાં ખરીદજે.” છોકરાએ બધા સફરજન ઉતારી લીધા અને લઇ ગયો. ત્યારબાદ તે ઘણા સમય સુધી આવ્યો જ નહીં. વૃક્ષ ખૂબ દુઃખી થઇ ગયું. એકલવાયું થઇ ગયું.
    ઘણા વખત પછી પેલો છોકરો વૃક્ષ પાસે આવ્યો. વૃક્ષ રાજીરાજી થઇ ગયું. તે બોલ્યું, “આવ, મારી આસપાસ રમ.” છોકરો બોલ્યો, “હવે તો હું મોટો માણસ બની ગયો છું. છોકરો નથી રહ્યો. મારી પાસે સમય નથી.ખૂબ કામ રહે છે. મારે પણ કુટુંબ છે અને તેનું મારે ધ્યાન રાખવું પડે છે. અમારે રહેવા માટે ઘર બનાવવું છે. તું મને મદદ કરી શકે??” વૃક્ષ બોલ્યું, ” મારી પાસે ઘર તો નથી પણ તું મારી ડાળીઓ કાપીને લઈ જા અને ઘર બનાવી લે.” તે માણસે તો બધી જ ડાળીઓ કાપી લીધી અને તે લઇને ચાલતો થયો.
    ઘણાં વર્ષો વીતી ગયા.તે માણસ ફરી કદી આવ્યો જ નહીં. વૃક્ષ સાવ જ ઉદાસ અને એકલવાયું થઇ ગયું.
    એક દિવસ તે આવ્યો અને તો ખુશ ખુશ થઇ યું. તે બોલ્યું, ” આવ, મારી આસપાસ રમ.” માણસ બોલ્યો, ” હવે તો મારી ઉંમર થઇ છે. હું ખૂબ જ થાકી ગયો છું. હું બોટમાં સફર કરી દૂર દૂર જવા માંગું છું. તું મને બોટ આપી શકે???” વૃક્ષ બોલ્યું, “મારી પાસે બોટ તો નથી પણ આ જાડું થડ છે. તે કાપીને લઈ જા અને બોટ બનાવી લે અને દૂરદૂર સફર માટે જા અને ખુશ રહે.”માણસે વૃક્ષનું થડ કાપી લીધું અને લઇ ગયો. હવે વૃક્ષ સાવ જ બુઠ્ઠું થઇ ગયું માત્ર મૂળ જ રહ્યા. તેના દુઃખનો પાર નહતો.
    વળી પાછ ઘણા સમય પસાર થઇ ગયો. પેલો માણસ એક દિવસ આવ્યો. તે ખૂબ જ ઘરડો લાગતો હતો. વૃક્ષ બોલ્યું, ” હવે તો મારા મૂળ જ રહ્યા છે. હું કશું જ આપી શકું તેમ નથી. મારી પાસે સફરજન નથી કે તું ખાઇ શકે.”માણસ બોલ્યો, “મારે સફરજન ખાવા પણ નથી કેમકે મારે દાંત જ નથી કે હું કાપી કે ચાવી શકું.વૃક્ષ બોલ્યું,” હવે મારી પાસે ડાળીઓ પણ નથી કે તું ઉપર ચઢીને કુદાકુદ કરી શકે.” માણસ બોલ્યો,” હું હવે ઘરડો થઇ ગયો છું. તારી ઉપર ચઢી શકું તેમ જ નથી. “
    તે બોલ્યો ” મારે હવે કશું જ નથી જોઇતું. હું શાંતિથી તારી પાસે બેસવા આવ્યો છું અને તારા દેહ પર મારું શરીર મૂકી આરામ કરવૉ છે.” વૃક્ષ આ સાંભળી ખૂબ ખુશ થયું કેમેકે હવે આ માણસ તેની પાસે રહેવાનો હાતો પણ તેની હાલત જોઇને રડી પડ્યું.
    આપણા દરેકનાં જીવનમાં આવું એક વૃક્ષ હોય છે જ અને તે છે આપણાં મા-બાપ ……
    આપણે ગમે તેટલા વ્યસ્ત હોઇએ તો પણ આપણા મા-બાપ માટે થોડો સમય ફાળવવો જ જોઇએ. કારણકે તેમણે આપણા માટે જે કર્યું છે તેનો બદલો તો આપણે વાળી સશકીએ તેમ જ નથી પણ તેમને સુખી, હૂંફની થોડી ક્ષણો આપી શકીએ તો આપણું જીવ્યું સાર્થક ગણાય…..
    જો આપણે તેમેને માટે આવો સમય ફાળવીશું તો જ આપણા બાળકો આપણા માટે પણ સમય ફાળવશે……..
    નીચેની લીન્ક પર ક્લીક કરો…

    છ-સાત માસના બાળકને કેમ રમાડવું


    six month baby-1
    ["રીડગુજરાતી" અને "બાલમૂર્તિ"સામાયિકમાંથી સાભાર.]
    છ-સાત માસના બાળકને કેમ રમાડવું એ ઘર-ઘરનો અગત્યનો સવાલ છે અને તેના ઉકેલ માટે જો દષ્ટિ હોય તો ઉપાય પણ છે જ. ઊંઘ અને આહાર પછીની આ બાબત એટલી મહત્વની છે કે તેમાં જો આપણે પૂરતી કાળજી ન લઈ શક્યા તો બાળકનો યોગ્ય ઉછેર નહિ થઈ શકે. બાળકને ઉછેરવું એટલે તેને સાચવવું એ ખ્યાલ ગલત છે. ઉછેર એ શબ્દ પર તમે તમારી ચિંતનશક્તિને કેન્દ્રિત કરશો તો તમને એ શબ્દનો સાચો રણકો અવશ્ય સંભળાશે.