Wednesday, September 28, 2011

ક્ષણે ક્ષણે અંત, પળે પળે આરંભ!



જગત તો સતત નવું હોય છે, પણ મગજ જૂનું હોવાને કારણે આપણને નવું ઝટ નજરે નથી ચઢતું.




એક વાત કમાલની છે. કોઈ માણસ શાપ મેળવવા માટે તપ કરે? હા, કરે. આપણાં પુરાણોમાં એવી અનેક અનેક કથાઓ છે જેમાં સૌથી ઉગ્ર તપ સૌથી મોટા શાપ માટે કરવામાં આવેલાં. વાત જાણે એમ છે કે જીવનની સૌથી વધુ ત્રાસજનક બાબત અને સૌથી વધુ ઇચ્છિત બાબત, બન્ને એક જ છે. બોલો, એ ચીજ કઈ? પૈસા, ના. પ્રસિદ્ધિ, ના. જવાબ છે: અમરત્વ. રાવણથી માંડીને હિરણ્યકશ્યપુ જેવા કેટકેટલાય ‘તપસ્વી’ઓએ અમરત્વ મેળવવા ઘોર તપશ્ચર્યા કરેલી.

સૂકું છતાં ભીનું એવું પદ્ય છતાં ગદ્ય



છોલાયેલું મન પાથરીને ઝીલું થોડીક ધાર તોય સૂકી જિંદગીમાં આવે નહીં ભીનાશ.


મારી આંખ સામે જ વરસાદ પણ હવે કોરોધાકોર થઈને લટકી રહ્યો ને મેં ઝીલી લીધો એનો કાંટા જેવો દેહ. હવે ચાલ્યા કરું છું નકરા રણમાં લથબથ થઈને... ચાલ્યા કરું છું આ કાંટાળા, ઉફરા બેસ્વાદ વરસાદને પકડીને.

વાદળ ગોરંભાયાં છે અને મન છત્રી જેવું નીતરે છે. એને ખૂલવાની સાવ ના કહી હતી પણ એણે ક્યારે માન્યું છે? ભૂરા આકાશ નીચે છાતીમાંથી વહ્યાં કરે છે ધેરું અંધારું, એટલું જ નહીં, એમાં સતત ઊગ્યા કરે છે નરી કાળમીંઢ ભીંત... એની ઉપર સૂંડલા ભરીભરીને ઠલવાય છે સ્મરણો...

નાના બાળકનું સાહસ મોટું




નાનકડો પ્રિયાંશુ નીડર હતો. તે ક્યારેક પિતાની સાથે વન-વગડામાં ફરવા જતો હતો. આથી તેનામાં હિંમત, સાહસ, નિર્ભયતા અને ચાલાકીના ગુણ અંકુર બનીને પાગયાઁ હતા.




ચિત્તાએ જોયું કે હવે અહીં મારી દાળ ગળે તેમ નથી. આથી તે ત્યાંથી પલાયન થઇ ગયો.



આપણા દેશનું એક રાજ્ય. નામ એનું ઉત્તરાખંડ. આ રાજ્યના એક નાનકડા ગામમાં પ્રિયાંશુ નામનો બાળક રહે. દસ વરસનો પ્રિયાંશુ છઠ્ઠા ધોરણમાં ભણે. તેને એક મોટી બહેન. નામ એનું પ્રિયંકા. તે આઠમા ધોરણમાં ભણે.બંને ભાઇ-બહેન ભણવામાં મહેનતુ, અને હોશિયાર. પળેપળનો ઉપયોગ કરીને ખંતથી ભણે. સૂર્યોદય પહેલાં ઊઠી જાય. નિત્યકર્મથી ઝટપટ પરવારીને ઘરના આંગણામાં આવેલા ઝાડના ઓટલા પર ભણવા બેસી જાય. શાળામાં પણ શિક્ષક બંને ભાઇ-બહેનના વખાણ કરે. ઘરથી નિશાળ એકાદ કિલોમીટર દૂર. ઘડિયાળના સમય પ્રમાણે જ ઘરેથી નીકળે અને સમયસર નિશાળે પહોંચી જાય.



દરરોજની જેમ તે દિવસે પણ પ્રિયંકા અને પ્રિયાંશુ ખભે દફતર ભરાવી, મોજમસ્તીથી વાતો કરતાં કરતાં શાળાએ જઇ રહ્યા હતા. એવામાં નિર્જન રસ્તો આવ્યો. ત્યાં એક ચિત્તો કોઇ શિકારની રાહ જોતો લપાઇને બેઠો હતો. એણે આ બે બાળકોને આવતાં જોયા. ચિત્તાએ ચૂપચાપ પાછળથી આવી પ્રિયંકા ઉપર હુમલો કર્યો. પ્રિયંકાના કાન પરે ચિત્તાનો પંજો વાગ્યો. પ્રિયાંશુ ચિત્તાના ઓચિંતા હુમલાથી હેબતાઇ ગયો, પણ પળવારમાં સ્વસ્થ બની ગયો. પોતાની બહેનને બચાવવા તે પ્રિયંકા પર વાંકો વળી ગયો. બહેનને બચાવવા જતા ચિત્તાનો પંજો પ્રિયાંશુના કપાળ પર વાગ્યો.



નાનકડો પ્રિયાંશુ નીડર હતો. તે ક્યારેક પિતાની સાથે વન-વગડામાં ફરવા જતો હતો. આથી તેનામાં હિંમત સાહસ, નિર્ભયતા અને ચાલાકીના ગુણો અંકુર બનીને પાંગયાઁ હતા. આ ગુણો આજે એને મદદરૂપ થવાના હતા. ચિત્તાનો સામનો કરવા માટે હથિયાર તરીકે એની પાસે ફક્ત સ્કૂલબેગ હતી. પ્રિયાંશુએ એને શસ્ત્ર બનાવ્યું. જરા પણ ડર્યા કે ગભરાયા વિના તે પોતાની સ્કૂલબેગથી ચિત્તાને મારવા લાગ્યો. ચિત્તાના મોં પર સ્કૂલબેગની એક જોરદાર ઝાપટ વાગી. અચાનક પ્રહાર થતાં ચિત્તો ઢીલો પડી ગયો.



પ્રિયાંશુ ચિત્તાનો સામનો કરી રહ્યો હતો તે સમયે ત્યાંથી એક લશ્કરી જીપ પસાર થઇ. જીપમાં લશ્કરી જવાનો બેઠા હતા. તેમણે જીપ ઊભી રાખી. પળનોયે વિલંબ કર્યા વિના તેઓ ત્યાં પહોંચી ગયા. દૂરથી જ ચિત્તાને આટલા નાનકડા બાળક સાથે બાથ ભિડતો જોઇને આજુબાજુના ખેતરમાં કામ કરતા ખેડૂતો અને ખેતમજુરો પણ ત્યાં દોડી આવ્યા. ત્યાં ખૂબ ધાંધલ થઇ. ચિત્તાએ જોયું કે હવે અહીં મારી દાળ ગળે તેમ નથી. આથી તે ત્યાંથી પલાયન થઇ ગયો.



લશ્કરના જવાનોએ નાનકડા પ્રિયાંશુને પીઠ થાબડી ધન્યવાદ આપ્યા. તેઓ ઘવાયેલા ભાઇ-બહેનને જીપમાં બેસાડી નજીકની હોસ્પિટલમાં લઇ ગયા અને જરૂરી સારવાર કરી ઘરે મૂકી આવ્યા.બીજા દિવસે દરેક છાપામાં પ્રિયાંશુએ બહાદુરીપૂર્વક ચિત્તાનો સામનો કરી બહેનને બચાવી તે ઘટના છપાઇ. લોકોએ આ ઘટના વાંચીને પ્રિયાંશુને મનોમન ધન્યવાદ આપ્યા. તેની શાળામાં બહાદુરી માટે એનું સન્માન થયું.



ભારત સરકારના ‘ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર’ તરફથી પ્રિયાંશુને ‘બાલવીર રાષ્ટ્રીય પુરસ્કાર’ આપવાનું નક્કી થયું. ૨૬મી જાન્યુઆરીએ પ્રિયાંશુને દિલ્હી બોલાવી રાષ્ટ્રપતિના હાથે બાલવીર પુરસ્કાર આપવામાં આવ્યો. પુરસ્કાર ઉપરાંત તેને સન્માનપત્ર તથા ભેટ પણ આપી. પ્રિયાંશુને શણગારેલા હાથી પર બેસાડી પરેડમાં ફેરવ્યો. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે પ્રિયાંશુની બહાદુરીના ભરપૂર વખાણ કરતાં કહ્યું, ‘આવા સાહસિક અને હિંમતવાળા બાળકો જ આપણા દેશનું ગૌરવ છે.’પ્રિયાંશુએ પોતાની બહેનની જિંદગી બચાવવા જે હિંમત અને બહાદુરી બતાવી તે બદલ તેને લાખ લાખ ધન્યવાદ!!!

ખડખડાટ




પપ્પા : પપલુ, દુનિયામાં કોઇ કામ અશક્ય નથી.


પપલુ : તો પછી તમે છીંક આવે ત્યારે આંખો ખુલ્લી રાખીને દેખાડજો.



*** *** ***

મારો પ્રવાસ





રોયલ રાજસ્થાન
હું મારા નાના, નાની અને મારી મોટી બહેન સાથે રાજસ્થાનના પ્રવાસે ગઇ હતી. રાજસ્થાન એટલે રાજાઓનું સ્થાન. ત્યાં ઘણા પ્રસિદ્ધ નગરો જેવા કે ઉદેપુર, જયપુર, બિકાનેર, પોખરણ, શ્રીનાથજી વગેરે આવેલા છે. અમે સૌથી પહેલા શામળાજી, કેસરીયાજીના દર્શન કર્યા. ત્યાર બાદ ગુજરાતની સીમા પાર કરીને રાજસ્થાન પહોંચ્યા. ત્યાં ઉદયપુરમાં ઘણા સ્થળે ફર્યા અને ત્યાંનો સિંઘી પેલેસ જોયો. આ પેલેસમાં અમે રાજા-મહારાજાઓના રીતરિવાજો, તેમના યુદ્ધના અવનવા શસ્ત્રો, તેમની શાહી ગાદી તેમજ રાણીના વસ્ત્રો જોયા.

વિજ્ઞાનનું જ્ઞાન




કાટ લાગવાથી લોખંડનું વજન કઇ રીતે વધે ?

બાળમિત્રો, તમે લોખંડને લાગેલો કાટ જોયો હશે. આ કાટ એટલે લોખંડ અને પ્રાણવાયુ (ઓક્સિજન) વચ્ચેની દહનક્રિયાની નીપજ હોય છે. એટલે જ કાટને આયર્ન ઓકસાઇડ કહે છે. આ ક્રિયા ભેજવાળી સ્થિતિમાં જ થાય છે, પણ આયર્ન ઓકસાઇડ બનવો એટલે હવામાનમાંથી લોખંડમાં ઓક્સિજનનો પ્રવેશ થવો. આમ, કાટ લાગવાથી લોખંડનું વજન વધી જાય એ સ્વાભાવિક છે

શું તમે જાણો છો





દુનિયાનું ટચૂકડું હેલિકોપ્ટર




મિત્રો, તમે હેલિકોપ્ટર તો જોયું છે ને! તમે જાણો છો, ફક્ત એક જ જણ બેસી શકે તેવું એક ટચૂકડું હેલિકોપ્ટર જાપાનની ‘ઇન્ટરનેશનલ એરોસ્પેસ’ નામની કંપનીએ બનાવ્યું છે. તેને ‘કોમ્પેકટકોપ્ટર’ એવું નામ આપવામાં આવ્યું છે.આ ટચૂકડા હેલિકોપ્ટર જેવું લાગતું આ કોપ્ટર દૂરથી ખુરશીમાં બેસીને ઊડતા હોઇએ તેવું લાગે છે. આ કોપ્ટરમાં એક વ્યક્તિ બેસીને આગળ આવેલો સળિયો પકડીને હેલિકોપ્ટરને ઉડાડી શકે છે. હેલિકોપ્ટરમાં પગ મૂકવા માટે એક નાનકડો સળિયો મૂકવામાં આવેલો છે. એલ્યુમિનિયમ પાઇપોથી બનેલું અને ગેસોલીન નામના ઇંધણથી ચાલતું હેલિકોપ્ટર ૩૦થી ૬૦ મિનિટ સુધીની સફર એક વારમાં કરી શકે છે. ‘‘

એકતામાં છે બળ




ચંદન વનના રાજા શેરસિંહે બધા પ્રાણીઓને ભેગા કરીને કહ્યું.વનમાં અસહ્ય ગરમી છે. હવે હું આ જવાબદારીમાંથી મુક્ત થવા માગું છું. મહારાજ તમે થોડા દિવસ ક્યાંક ફરી આવો. તમારું મન પ્રફુલ્લિત થઇ જશે.તું સાચું કહી રહ્યો છે. આ વખતે હું ગરમીમાં ખંડાલાના વનમાં ફરી આવું. શેરસિંહ ખંડાલાના વનમાં ઉપડી ગયા.ખબર છે ચંદન વનના રાજા ખંડાલાના વનમાં ફરવા ગયા છે?આપણે બધા આ તકનો લાભ લઇને ચંદન વનમાં દાખલ થઇ જઇએ.

મહેનતનો રોટલો




રાજા ચંદ્રસિંહે દુ:ખી મા-દીકરાની વાતચીત સાંભળી. એમનું લાગણીશીલ હૈયું દ્રવી ઊઠ્યું. ઝૂંપડી પર નિશાની કરી રાજા ચંદ્રસિંહ પોતાના મહેલમાં પાછા ફર્યા.




ચંદનપુરમાં ચંદ્રસિંહ નામે રાજા રાજ કરતા હતા. રાજા ચંદ્રસિંહ પ્રજાના સુખે સુખી અને દુ:ખે દુ:ખી. તેમને એક દીવાન હતા. તેમનું નામ લાલસિંહ. લાલસિંહ સ્વભાવે ખૂબ જ લાલચું અને લોભી પ્રકૃતિના. રાજા ચંદ્રસિંહ લાલસિંહને ગમે તેટલું આપે, છતાંય લાલસિંહ ક્યારેય સંતુષ્ટ થતા જ નહીં. તેમના લોભી અને લાલચુ સ્વભાવથી રાજા ચંદ્રસિંહ પૂરેપૂરા માહિતગાર હતા.

ઝડપી કોણ?



.
સિંહ હરીફાઇ જોવા આવ્યો હતો. બીજા પ્રાણીઓ પણ હરીફાઇ જોવા આવ્યા હતા. વાંદરાભાઇ નિર્ણાયક તરીકે હતા. વાંદરાભાઇએ બંને હરીફોને હરીફાઇના નિયમો કહી સંભળાવ્યા. બે કલાકમાં પાંચ કિલોમીટરનું અંતર કાપવાનું હતું.

એક હતું સુંદરવન. વનમાં વિવિધ વૃક્ષો, છોડ અને વેલાઓની વચ્ચે જાતભાતના પશુ, પંખી, કીટક રહેતા હતા. વનનો રાજા સિંહ પોતાના ખોરાક પૂરતો જ શિકાર કરતો. બધા પ્રત્યે સમભાવ રાખતો. પ્રાણીઓ પણ સિંહની આમન્યા રાખતા. એક દિવસ બધા પશુઓ ભેગા થયા હતા. ત્યાં જ સસલાં અને હરણો વચ્ચે ચર્ચા ચાલતી હતી.

ઘાસના મેદાનમાં વિહરતી જળમરઘી




દોસ્તો, મરઘી નામથી તમે બધા પરિચિત જ છો, પણ તમે ક્યારેય પાણીમાં રહેતી મરઘી જોઇ છે ખરી? રૂપાળી આ મરઘીને આપણે ‘જળમરઘી’ના નામથી ઓળખીએ છીએ.


પાણીમાં ક્યારેય મરઘીને તરતી જોઇ છે! આશ્ચર્ય થાય છે ને કે આવું હોઇ શકે? હા કેમ નહીં, મરઘી તો નહીં પણ જળમરઘીને તમે પાણીમાં તરતા જરૂર જોઇ શકો. જળમરઘીને ‘વોટરહેન’ અને ‘મુરહેન’ નામથી પણ ઓળખી શકાય છે. ભારતમાં જોવા મળતી જળમરઘીને ‘ઇન્ડિયન મુરહેન’ પણ કહે છે. ‘મુર’ એટલે ઘાસવાળું ખુલ્લું મેદાન એવો અર્થ થાય.

કદ, આકાર અને દેખાવ:::

કોડીની વિવિધ કરામાત




બાળમિત્રો, હાલાં તમે વિડિયો ગેમ રમવા પાછળ ઘેલો બન્યા હશો પણ હજુય ઘણી જગ્યાએ કોડીની રમત રમાય છે. એક સમય એવો હતો કે જ્યારે આફ્રિકા અને અન્ય દેશોમાં ચલણ તરીકે કોડીનો ઉપયોગ થતો હતો.




કોડી નામ તમે અવારનવાર બોલતા હશો. ઘણીવાર હોમવર્ક પૂરું કર્યા પછી કે વ્રતના જાગરણ દરમિયાન ઘણા લોકો કોડી રમતા હોય છે. ચોકઠાવાળી બાજી રમતી વખતે દાવ પાડવા માટે પાસાં તરીકે તમે ચાર સફેદ કોડીનો ઉપયોગ કરો છો, ખરું ને! તો આજે અહીં એ જ કોડીની વાત કરવાની છે. તમારામાંથી ઘણા બાળકોને કદાચ એ ખબર નહીં હોય કે આવી નાનકડી અને રમતમાં ઉપયોગી એવી કોડીમાં પણ એક જીવ છુપાયેલો હોય છે.

દુ:ખમાં દોડી આવે તે મિત્ર અપનાવ્યું યોગીએ સૂત્ર




યોગી હરણના વર્તનથી મૈત્રી સમજી ગઇ કે યોગી હૃદયથી ખરાબ નથી, પણ તેનામાં શિષ્ટાચારની કમી છે.

મહી સાગરને કિનારે નંદનવન આવેલું હતું. એમાં આંબા, બદામ, ચીકુ, રાયણ, જાંબુ જેવા ફળઝાડોનો પાર નહોતો. વિપુલ પ્રમાણમાં ખોરાક મળવાથી અહીં જાતજાતનાં પશુઓ અને પંખીઓ રહેતા હતા.એ સૌમાં યોગી હરણ સૌથી જુદો તરી આવતો હતો. તે આંબાના ઘટાદાર ઝાડની નીચે ઉદાસ બનીને પડ્યો રહેતો હતો. ના કોઇની સાથે તે બોલે કે ના કોઇની સાથે ચાલે. એના આવા વર્તનથી જંગલના પશુપંખીઓએ એની સાથે કોઇ પણ જાતનો વ્યવહાર નહીં કરવાનું નક્કી કર્યું હતું.

"પિત્રોડા"


મહાનુભાવ


મિત્રો, ભારતમાં ટેલિકમ્યુનિકેશન એટલે કે આપણે જે એક સ્થળેથી બીજી સ્થળે ટેલિફોન દ્વારા સંદેશાવ્યવહાર કરી શકીએ છીએ ને તેને ભારતમાં વિકસાવવામાં સામ પિત્રોડાએ સિંહફાળો આપ્યો છે. સામ પિત્રોડાનું આખું અને સાચું નામ સત્યનારાયણ ગંગારામ પિત્રોડા છે. ૪ મે, ૧૯૪૨ના રોજ ઓરિસામાં જન્મેલા પિત્રોડા મૂળે તો ગુજરાતી છે, પરંતુ તેમનાં માતા-પિતા વર્ષોથી ઓરિસામાં સ્થાયી થયાં હતાં અને પિત્રોડાનો જન્મ પણ ઓરિસામાં થયો હતો. વડોદરામાંથી ભૌતિકશાસ્ત્રના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવનારા પિત્રોડા અમેરિકાની ઈલીનોસિસ યુનિર્વિસટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી. ૧૯૭૫માં તેમણે ઈલેક્ટ્રોનિક ડાયરીની શોધ કરી હતી. વિશ્વની પહેલી ડિજિટલ સ્વિચની કંપની તેમણે સ્થાપી હતી.

ભારત દર્શન


ભારતનું સૌથી ઠંડું સ્થળ


દ્રાસ, લદ્દાખ

દ્રાસ જમ્મુ-કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં આવેલું છે. વિશ્વનાં સૌથી ઠંડાં સ્થળોમાં સાઈબિરીયા બાદ દ્રાસનો નંબર આવે છે.

ભારતમાં સૌથી વધુ વરસાદ

ચેરાપૂંજી

મેઘાલયના શિલોંગથી ૫૬ કિમી દૂર આવેલા ચેરાપૂંજીમાં સૌથી વધુ માત્રામાં વરસાદ પડે છે. દર વર્ષે અહીં ૪૫૦ ઈંચ જેટલો વરસાદ પડે છે.

ચોરનું બલિદાન


એક ગામમાં ત્રણ મિત્રો રહેતા હતા. ત્રણેય કામ-ધંધા વિના રખડપટ્ટી કર્યા કરતા આથી તેમનાં માતા-પિતા તેમના પર ગુસ્સે થતાં. ત્રણેય મિત્રોએ ઘરેથી ભાગી જઈને પર્વતમાંથી કીમતી રત્નો શોધીને જીવનનિર્વાહ ચલાવવાનો નિર્ણય કર્યો.




જંગલ પાર કરીને તેઓ પર્વત પાસે પહોંચ્યા અને નસીબના જોરે તેમને કીમતી રત્નો પણ મળી આવ્યાં. રત્નો વેચીને ખૂબ ધન કમાઈ લેવાનો તેમનો વિચાર હતો. તેઓ પર્વત પરથી પાછા ફર્યા અને જંગલ પસાર કરતા હતા ત્યાં તેમને ચોર -લૂંટારુંનો ડર સતાવવા લાગ્યો. તેમણે રત્નોને કોઈ સુરક્ષિત જગ્યાએ છુપાવવાની યુક્તિ શોધી કાઢી. તેઓ પાણી સાથે રત્નો ગળી ગયા, જેથી કોઈ તેમની જડતી લે તો પણ રત્નો ન મળે. આ બધું એક ચોર ઝાડ પાછળ સંતાઈને જોતો હતો. તેણે આ ત્રણેય મિત્રોને મારીને રત્નો પડાવી લેવાનો વિચાર કર્યો. વટેમાર્ગુ બનીને તે મિત્રોની સાથે જોડાઈ ગયો.