Showing posts with label પડકાર. Show all posts
Showing posts with label પડકાર. Show all posts

Thursday, August 16, 2012

બે ઐતિહાસિક ઘટનાઓ… અને એક આશાનું કિરણ



પાકિસ્તાની ત્રાસવાદી અજમર આમીર કસાબને ભારતની પારદર્શી ન્યાયિક પ્રક્રિયા દ્વારા ફાંસીની સજાનું ફરમાન થયું કે દેશના હર્ષાન્વિત લોકો પોતાની ખુશી છુપાવી ના શક્યા. અતિ હર્ષિત લોક જુવાળ એ સ્વાભાવિક બાબત છે. પોતાના આક્રોશને અભિવ્યક્ત કરવાનો અને પોતાની હૈયાવરાળ કાઢવાનો તેઓને મન આ એક સુવર્ણ અવસર હતો. ૨૬/૧૧ના ભારત પરના ત્રાસવાદી હુમલા બાદ, કસાબનું પકડાવું અને પછી તેને આધારે ધીરેધીરે તબક્કાવાર એ ઘટના ભીતરની વાતો ખૂલવું ને પછી સરવાળે પોલીસ તપાસ અને ન્યાયિક પ્રક્રિયા દરમિયાન હાથ આવ્યું અંતિમ સત્ય! જે આપણે બાપોકાર વર્ષોથી કહી રહ્યા છીએ.. એ સત્ય આખી દુનિયા સામે ઉજાગર થયું. પણ મને સવિશેષ આનંદ અને ગર્વ થયો, ભારતીય લોકશાહીની પારદર્શી ન્યાય પ્રણાલીને માટે! તેથી આપણા સૌ માટે આ એક ઐતિહાસિક પ્રકરણ બની રહ્યું છે. આ આતંક દરમિયાન સ્વજનો ગુમાવનાર નિર્દોષ સામાન્ય જન હૃદયની વેદનાનો શુમાર મને કે તમને ક્યાંથી હોય? તેમના આહત હૈયાને તો નિષ્ઠુર કસાબને ફાંસી આપવામાં આવશે તો પણ ભાગ્યે જ શાંતિ મળશે…

What are you think about Nathuram Godse? Why he killd Mahatma Gandhi?



उन्होंने Mahaatma नहीं मारा
वास्तव में उन्होंने अनेक हिंदुओं को बचाया
महात्मा गांधी भूख हड़ताल पर चला गया था, वह भारत के लिए पाकिस्तान को 60 करोड़ रुपये का भुगतान करना चाहता था. पाकिस्तान हथियार खरीदा है और 1948 के दौरान उन्हें भारतीयों के खिलाफ इस्तेमाल
था कि हम गांधी की सलाह पर वित्तपोषण पाकिस्तान sponsered आतंक जारी की कल्पना कीजिए, क्या होता है.
अगर गांधी के अनुयायियों गैर Voilence में माना कि वे नाथू राम गोडसे फांसी पर लटका दिया कभी नहीं होगा.
वे केवल कई Afjals के लिए चिंता की एक्ज़िबिट लेकिन नहीं Godses
शिमला कोर्ट में नाथू राम गोडसे का विवरण था

Wednesday, August 8, 2012

નવલિકા



2.   ભાગ્ય કે ભૂલ

ઘણાં વખતે આજે ડી.વાય.એસ.પી. સાહેબ ઘરે હતા. બંગલાના પહેલા માળે આવેલ બાલ્કનીમાં મૂકેલ ઝુલા ઉપર તેઓ બેઠાં બેઠાં કંઈક ભારે ઉદાસીનતા અનુભવતાં હતાં. સાંજનો સમય હતો. ઋતુ હજુ નક્કી નહોતી કરી શકાતી. બપોરના આકરા તાપ પછી, સાંજની ગુલાબી ઠંડી કંઈક વિસ્મય તો કંઈક રાહત આપી જતી હતી. ગગન કેટલું પણ વિશાળ હોય પણ તેણે તો કાં તો સૂરજની રંગે રંગાવવાનું કે ઝળહળવાનું કાં તો ચંદ્રના રંગે આછા અજવાળે તારા મંડળની મદદે દળદળવાનું. બંગલાના કંમ્પાઉન્ડમાં રાધા વાસીદું વાળી રહી હતી. રાધા લગ્ન પછી આજે પહેલી વખતે ઘરે આવી હતી. વાસીદું વાળતાં વાળતાં તે મનમાં વિચારતી હતી કે ઉપરવાળો શું વિચારતો હશે ? એના માટે તો ઉપરવાળો એટલે પહેલા માળે ઝૂલા પર બેઠેલા ગોહિલ સાહેબ. એનાથી વધારે ઉપર તે કશું વિચારી શકે તેમ નહોતી. ગોહિલ સાહેબ એના માટે ઈશ્વરથી પણ વધારે હતા.
ગોહિલ સાહેબ નીચે રાધાને જોઈને વિચારે ચડી ગયાં. આજથી લગભગ દશ વર્ષ પહેલાંની ધોધમાર વરસતી રાત હતી. વીજળીના કડાકા વાતાવરણને ભયાનક બનાવે એના કરતાં પણ વધારે ભયાનક મન:સ્થિતિ ગોહિલસાહેબની હતી. એક સાવ ગરીબ બાઈ પોલીસચોકીમાં તેમની પાસે આવી પોતાનો અસંખ્ય કાંણાવાળો પાલવ પાથરી વિનંતી કરી રહી હતી.
‘સાહેબ એને મારશો નહીં, એને ક્ષય થયો છે.’
‘શું નામ છે તારું ?’
‘લક્ષ્મી.’

ગોહિલસાહેબ મનમાં ને મનમાં વિચારતા રહ્યા. નામ તો બિચારીનું લક્ષ્મી છે પણ કેટલું બધું દારુણ્ય છે એની જિંદગીમાં.
‘બોલો શું કામ છે ?’
‘સાહેબ આ ધનસુખને ના મારશો. મારો ધણી છે. સાહેબ, બીજું કંઈ નહીં તો મારી આ રાધાની તો દયા કરો.’ સાહેબે જોયું તો રાધા વરસતા વરસાદમાં એક ઝાડની નીચે ઊભી ઊભી રડી રહી હતી. જેટલા અમાસની રાતે આકાશમાં તારા હોય તેટલાં એની ઓઢણીમાં કાંણાં હતાં, છતાં એને ઓઢીને વરસતા વરસાદથી બચવાનો તે વ્યર્થ પ્રયાસ કરી રહી હતી.
‘લક્ષ્મી, તું રાધાને અહીં અંદર રૂમમાં લઈ આવ.’ સાહેબે લક્ષ્મીની આખી વાત શાંતિથી સાંભળી અને ધનસુખને નહીં મારવાની હૈયા ધારણ આપી.

ગોહિલસાહેબ આખી રાત સૂઈ ના શક્યા. મનોમન વિચારતા રહ્યા કે આમાં રાધાએ શું ગુન્હો કર્યો ? શા માટે એની જિંદગી આ રીતે જવી જોઈએ ? આટલા વરસોમાં કેટકેટલા ગુનેગારોને ગોહિલ સાહેબે જોયા હતા અને એમને રીમાન્ડ ઉપર પણ લીધા હતા; પરંતુ આજે કોણ જાણે કેમ તેઓ ખૂબ અસ્વસ્થ થઈ ગયા હતાં. આખી રાત તેઓ જાગતાં રહ્યા. સવારે પૂજામાં પણ એમનું ધ્યાન ન રહ્યું. ગોહિલ સાહેબનો નિત્યક્રમ ભલે ગમે તેવો ભરચક કાર્યક્રમથી ભરેલો હોય પણ સવારે પૂજા કર્યા વગર તેઓ ઘરની બહાર પગ મૂકતાં નહીં. એમણે એમની પત્નીને બોલાવીને કહ્યું, ‘ખમાબા, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. જરા અંદરના ખંડમાં આવો ને.’ એમનાં પત્ની તેમની પાછળ અંદરના ખંડમાં ગયા અને પૂછ્યું :
‘બોલો શું કહેતા હતા ?’
‘ખમાબા, તમે કલ્પના કરી શકો છો એવી કે આપણો પપ્પુ ક્યાંક ખોવાય ગયો હોય અને વરસતા વરસાદમાં કોઈ ઝાડ નીચે પલળતો ઊભો હોય…..’
આટલું સાંભળતા તો ખમાબા એ ગોહિલ સાહેબના હોઠ ઉપર પોતાનો હાથ મૂકી રડી પડ્યા.
‘તમે કેમ આવું અમંગળ બોલો છો ? આજે તમને શું થયું છે ?’ ગોહિલસાહેબે ખમાબાને બધી વાત વિસ્તારથી કહી. ગોહિલસાહેબે તેમને કહ્યું : ‘ખમાબા, તમારી સંમતિ હોય તો આપણે આ રાધાને આપણે ત્યાં રાખી લઈએ તો ?’ તેઓ ગોહિલ સાહેબની વાતથી ખુશ થયા અને મનોમન એમણે પતિને વંદન કર્યા. તેમના મનમાં એ દિવસથી સાહેબ માટેનું માન ખૂબ જ વધી ગયું.

આજે રાધાની ઉંમર સત્તર વર્ષની થઈ. છેલ્લા બાર વર્ષથી એ ગોહિલસાહેબના ઘરે જ રહેતી હતી. હવે તે આ ઘરની સભ્ય બની ચૂકી હતી. ખમાબા પણ એટલાં જ પ્રેમાળ હતાં. એમણે રાધાને ઘરની દીકરીની જેમ ઉછેરીને મોટી કરી હતી અને આ ઘરના સંસ્કાર આપ્યાં હતાં. રાધાની રીતભાત અને તેનું બૌદ્ધિક સ્તર જોઈને કોઈને એમ ન લાગે કે રાધા સાવ ગરીબ ઘરમાંથી આવતી એક દારૂડિયા માણસની છોકરી છે. બાળકના ઉછેર અને માવજત ઉપર એના સંસ્કારનો બધો આધાર હોય છે તેનું રાધા એક ઉત્તમ ઉદાહરણ છે. ગોહિલ સાહેબનું ધ્યાન ગયું કે રાધા નીચે વાસીદું વાળી રહી છે એટલે એમણે રાધાને ઉપર બોલાવી. તે આવીને બેઠી એટલે તેમણે પૂછ્યું :
‘કહે… કેમ છે તારો માધવ ?’
રાધાનું મનોજ સાથે વેવિશાળ થયું ત્યારથી હંમેશા ગોહિલ સાહેબ મનોજને જુદા જુદા કૃષ્ણના નામ લઈ બોલાવતા અને રાધાને એ બહાને જરા ચીડવતા. કોઈક વખત માધવ, તો કોઈક વખત ઘનશ્યામ તો કોઈ વખત કાનભાઈ કહી રાધાને હસાવતાં. રાધા થોડી ચીડાતી અને મનમાં ખુશ થઈ શરમાઈ જતી. ખમાબા એ બંને વચ્ચેની ધમાચકડી જોઈ ખુશ થઈ જતાં. આજે ગોહિલ સાહેબે રાધાના માથા ઉપર હાથ ફેરવીને પૂછ્યું કે કેમ રાધા તું કંઈ બોલતી નથી. બધું હેમખેમ તો છે ને ? અને રાધા એકદમ રડી પડી. ખમાબાએ આવી રાધાને પાણી પીવડાવી હૈયા સોંસરી ચાંપીને સાંત્વના આપી. રાધા ધીરે ધીરે સ્વસ્થ થઈને બોલવા લાગી.

‘સાહેબ, તમારી રાધાને તો તમે જતનથી સાચવીને રતન બનાવી દીધી. તમને યાદ છે જ્યારે તમે વળાવતા હતા ત્યારે તમે મને કહ્યું હતું કે ‘દીકરી, જેમ છોડને એક ક્યારામાંથી બીજા ક્યારામાં રોપવામાં આવે છે ત્યારે મૂળ ક્યારાની થોડી માટી છોડની સાથે રાખવામાં આવે છે. જેથી કરીને છોડ નવા ક્યારામાં ગોઠવાઈ ના જાય ત્યાં સુધી મૂળ એનું સિંચન કરે. એમ તું પણ આ ઘરના સંસ્કારને સાથે લઈને જઈ રહી છે.’ પરંતુ સાહેબ, બીજા ક્યારાની માટી જ સાવ પોકળ હોય તો શું ? એ છોડની લીલપ ક્યાં સુધી રહી શકે ? બા સાહેબ, તમને ખબર છે ? એ ઘરમાં તો કોઈ બહારથી ઘરમાં આવે તો હાથપગ ધોયા વગર ઘરમાં બધે ફર્યા કરે અને ખાવા પણ બેસી જાય ! અને સાહેબ, એ તમારા કાન, માધવ અને ઘનશ્યામ – એ તો સવારે ઊઠીને બ્રશ પણ કરતાં નથી. એમને હું ભગવાનની પ્રાર્થના કેવી રીતે શીખવાડું ?
બા સાહેબ, તમને યાદ છે એક દિવસ હું મોડી ઊઠી હતી. આગલી રાતે આપણે એક ફિલ્મની સીડી લાવેલા અને એ જોતાં જોતાં ખૂબ મોડું થઈ ગયેલું અને પછી બીજે દિવસે સવારે મારી આંખ મોડી ખૂલેલી. હું ઉતાવળે પ્રાર્થના કરવાનું ભૂલી ગઈ તો તમે બંને મારા ઉપર કેટલાં ગુસ્સે થઈ ગયેલા ? અને સાહેબ, તમે કહ્યું હતું કે ઈશ્વરની સંમતિ વગર આંખનું એક મટકું પણ આપણે ન મારવું જોઈએ. પ્રાર્થના એક એવું સંગીત છે જે ખળખળ વહેતી નદીની જેમ નિર્મળ હોય છે. એ આપણાં મન નિર્મળ રાખે છે – પણ ત્યાં એવું કશું જ નથી. ત્યાં તો બધું એકદમ જુદું છે. તમારો માધવ સાવ દારૂડિયો છે. ક્યાં તમારા સંસ્કારોનો વૈભવ અને ક્યાં એ લોકોનું નિમ્ન જીવન. સાહેબ, હું નાની હતી ત્યારે એક દારૂડિયાના ઘરે મારો રૂંધાતો વિકાસ તમે જોઈ નહોતા શકયા પરંતુ હવે શું ?’ કહી રાધા એકદમ રડી પડી. ગોહિલસાહેબથી પણ ડૂસકું મૂકાઈ ગયું.
ખમાબા બંનેના માથા ઉપર હાથ મૂકી વિચારી રહ્યા કે રાધાને આપણે ઘેર લાવ્યા એ શું ફક્ત અલ્પ સુખને ખાતર જ ? આ છોકરીને આપણે કેવી સરસ રીતે ઉછેરી અને તેને આ ઘરનો સંસ્કાર વૈભવ આપ્યો. પણ આ શું થઈ ગયું ? રાધાને પરણાવીને મોટી ભૂલ કરી કે રાધાને આપણે ત્યાં લાવી ઉછેરી મોટી કરી એ આપણી ભૂલ ?

Tuesday, August 7, 2012

Selected Teachings of Swami Vivekananda





My ideal, indeed, can be put into a few words, and that is: to preach unto mankind their divinity, and how to make it manifest in every movement of life.

Education is the manifestation of the perfection already in man.

We want that education by which character is formed, strength of mind is increased, the intellect is expanded, and by which one can stand on one's own feet.

So long as the millions live in hunger and ignorance, I hold every man a traitor who, having been educated at their expense, pays not the least heed to them.

Whatever you think, that you will be. If you think yourselves weak, weak you will be; if you think yourselves strong, strong you will be.

If you have faith in all the three hundred and thirty millions of your mythological gods, … and still have no faith in yourselves, there is no salvation for you. Have faith in yourselves, and stand up on that faith and be strong; that is what we need.

Strength, strength it is that we want so much in this life, for what we call sin and sorrow have all one cause, and that is our weakness. With weakness comes ignorance, and with ignorance comes misery.

The older I grow, the more everything seems to me to lie in manliness. This is my new Gospel.

Purity, patience, and perseverance are the three essentials to success, and above all, love.

Religion is realization; not talk, not doctrine, nor theories, however beautiful they may be. It is being and becoming, not hearing or acknowledging; it is the whole soul becoming changed into what it believes.

Religion is the manifestation of the Divinity already in man.

Teach yourselves, teach everyone his real nature, call upon the sleeping soul and see how it awakes. Power will come, glory will come, goodness will come, purity will come, and everything that is excellent will come when this sleeping soul is roused to self-conscious activity.

They alone live who live for others, the rest are more dead than alive.

This is the gist of all worship – to be pure and to do good to others.

It is love and love alone that I preach, and I base my teaching on the great Vedantic truth of the sameness and omnipresence of the Soul of the Universe.

Friday, January 13, 2012

Maa baap ne bhulso nahi (માં બાપ ને ભૂલશો નહિ)



If understand Gujarati and you’ve got 2 hours time, please please please watch this program. It is highly likely that your eyes will be wet and you will call your parents immediately after watching it.
If you don’t have 2 hours, go through this one atleast.



Wednesday, January 11, 2012

''નકશો તો આપમેળે બન્યો''


એક વખત એક નાનકડો બાળક તેના પિતાને વારંવાર હેરાન કરી રહ્યો હતો. તેના પિતાજી લાકડાની એક ખુરશી પર બેસીને છાપુ વાંચી રહ્યાં હતાં અને આ બાળક પણ પોતાની ધૂનમાં મસ્ત રહીને તેના પિતાના પગના પાઈચા ખેચીને રમત કરી રહ્યો હતો. 

થોડી વાર સુધી તેના પિતા કંઈ ન બોલ્યાં પણ બાળક હજુ ગેલમાં જ હતો અંતે તેના પિતાજી થાક્યાં અને તેમણે એક કીમિયો શોધી કાઢ્યો. તેમણે છાપાનું એક પન્નુ કાઢ્યું. જેમાં કોઈ દેશનો નકશો હતો. પિતાજીએ આ નકશાના આડા-અવળા ચાર-પાંચ ટુકડા કર્યાં અને પછી આ ટુકડા બાળકના હાથમાં સોંપતા કહ્યું ''ચાલ બેટા આ નકશો જોડી આપ તો.''

તેમને એમ હતું કે, પોતાનું સંતાન આ નકશાને જોડવામાં ઓછામાં ઓછી અડધી અથવા એક કલાક તો કાઢી જ નાખશે અને ત્યાં સુધીમાં તેઓ પણ નિરાંતે પોતાનું છાંપી વાચી શકશે પરંતુ બન્યું એવું જેવું તેમણે ધાર્યું ન પણ ન હતું. બાળકે માત્ર બે જ મિનિટમાં નકશો જોડી આપ્યો. પોતાના પુત્રની ચતુરાઈ પણ પિતાને આશ્વર્ય થયું તેમણે પુછ્યું 'બેટા આવો અઘરો નકશો તે આટલી જલ્દી કેવી રીતે જોડી નાખ્યોં કદાચ મેં ખુદ તેને જોડવાનો પ્રયત્ન કર્યો હોત તો મારે ઓછામાં ઓછી દસ મિનિટ જરૂર લાગત તો પછી તે કેવી રીતે જોડી નાખ્યો.'' 

બાળકે પોતાની નિર્દોષ આંખો વડે તેમની સામે સ્મિત ફરકાર્વ્યું અને પછી ઘણા ધીરા સ્વરે પોતાના પિતાને કહ્યું '' પપ્પા મેં નકશો નથી જોડ્યાં મેં તો આ નકશા પાછળ એક વ્યક્તિનો ફોટો હતો તેને જોડ્યો છે તેના હાથ-પગ, માથાને જોડ્યું છે નકશો તો આપોઆપ જ બની ગયો.
 

Saturday, August 6, 2011

અહા! જિંદગી….. કોલ સેન્ટરની જિંદગી – માનવ પારેખ, સુરેશ જાની


એક સાવ નવો નક્કોર પ્રયોગ
—————————————————————
એક વાર્તા, બે લેખક
એક ત્રીસીની અંદરનો, તરવરતો જુવાન,
બીજો સિત્તેરની નજીકનો ડોસો

દરેકના માતાપિતા કહેતા હોય છે કે, મારો દીકરો ડોકટર બનશે, મારો દીકરો એન્જીનીયર બનશે પણ કોઈ એમ કહે છે કે ‘ મારો દીકરો કોલ સેન્ટરમાં કામ કરશે? ‘
તો આજે જરા કોલ સેન્ટરમાં કામ કરનારાની જિંદગી કેવી હોય ; તેના ઉપર આછી નજર મારી લઈએ.
હું જ્યારે કોલ સેન્ટરમાં કામ કરતો ત્યારે જિંદગી તો એવી કે, જાણે કુવા માંયના દેડકા જેવી. એવૂં એ માટે કારણ કે કોલ સેન્ટરમાં છોકરાઓની શીફ્ટ(નોકરીનો સમય) બપોરે ૩.૦૦થી પછીનો જ હોય અનેતેમાં પણ ૯ કલાકની નોકરી અને ૧ કલાકની જ જેને રિસેસ – અથવા ઓક્સ (Aux, બળદ નહીં ! ) કહેવામાં આવે છે. તેમાંય પણ અલગ અલગ ઓકસ હોય જે નીચે મુજબ છે –

ફુદીનાનો ક્યારો – એક અવલોકન


ગઈ સાલ એક મિત્રના ઘેરથી ફુદીનાના ચાર પાંચ છોડ લાવીને વાવ્યા હતા. બે એક મહિનામાં તો આખો ક્યારો એમના વંશવેલાથી ઊભરાઈ ગયો હતો. છેક ઊનાળાનો પણ અંત આવવામાં હતો ; ત્યાં મને સૂઝ્યું કે, શિયાળા માટે તેના પાન સૂકવીને સાચવી રાખ્યા હોય તો સારૂં. પણ દરેક છોડ પર ફૂલ મ્હાલતા હતા. મેં તો એ ફૂલ સમેત જ ફુદીનાની ડાળીઓ વાઢી લીધી હતી. પણ પછી તો મને કહેવામાં આવ્યું કે, સૂકવણી માટે ફૂલ તો નકામાં. મેં તે ચાખી જોયાં. ખરેખર તેમનામાં કડવાશ હતી. ફુદીનાનું સત્વ તેમાં બહુ જ ઘનિષ્ઠ થઈને ( concentrated) આવી ગયું હતું .

પરબીડિયું – એક અવલોકન


આજે કોન્ટ્રાક્ટથી ચાલતી એક પોસ્ટ ઓફિસમાં ટપાલ નાંખવા ગયો હતો. એક ખોખામાં ઘણા બધા પરબીડિયાં પડેલાં હતાં. મારું પરબીડિયું પણ મેં એમાં નાંખી દીધું. એક મિત્રનું સરનામું એની ઉપર કર્યું હતું. એ મિત્ર, એનું કુટુમ્બ, એનું ઘર, એની સાથે ગાળેલ સુખદ સમય અને ઘણી બધી યાદો – બધું જ સ્મરણપટ પર છવાઈ ગયું.

પણ એ ખોખામાં બીજાં પરબીડિયાં પણ હતાં.
જાતજાતનાં સરનામાં લખેલાં પરબીડિયાં. એમાં કોઈનો પ્રેમપત્ર હશે. કોઈના સુખદ કે દુખદ સમાચાર હશે. કોઈના ભરાયેલા બીલો હશે. કોઈના સારા પ્રસંગ માટે મોકલેલું ગિફ્ટ કાર્ડ હશે. કોઈકની નોકરી માટેની અરજી હશે. કોઈકનું રાજીનામું હશે.

કુકિન્ગ પ્લેટફોર્મ – એક અવલોકન


જીવનના પ્રભાત સમા, સવારના પહોરમાં કુકિન્ગ પ્લેટફોર્મ આગળ હું મારી સવારીય ફરજો નિભાવવા પહોંચી જાઉં છું. એ સાવ ચોખ્ખું ચંદન જેવું છે – સાવ નવજાત શિશુ સમાન. એ કોરી સ્લેટ જેવું, સાવ ખાલીખમ્મ છે.
ચા બનાવવાની સામગ્રી એક પછી એક, હું કાઢતો જાઉં છું – ચા, ખાંડ, દૂધ, આદુ, ઈલાયચી. એમ જ બધાં સાધનો – તપેલી, સાંડસી, ગળણી, પ્યાલા, રકાબી. દસ વરસના મહાવરાથી પ્રાપ્ત કરેલી, ચા બનાવવાની ક્ળાના જ્ઞાનના આધારે, હું માપથી તપેલીમાં પાણી લઉં છું; અને શક્તિના સ્રોત સમો સ્ટવ ચાલુ કરી, એને ગરમ કરવા મૂકું છું. પછી એ જ જ્ઞાનથી જાણીતા થયેલ માપથી ચા અને આદુ એમાં પધરાવું છું.

ખાંડનો ખાલી ડબો – એક અવલોકન


ચા બનાવતાં ચાના ડબામાં બહુ ઓછી ખાંડ બાકી રહી હતી. પેન્ટ્રીમાં મોટા ડબામાંથી મારો કામચલાઉ સ્ટોક ભરી લીધો. એ પણ હવે ખાલી થવાની તૈયારીમાં જ છે.
અમારા જમાઈને ખબર આપી દીધી ,” સેમ્સ ક્લબમાં (જથ્થાબંધ વસ્તુઓ માટેનો સ્ટોર) જાઓ ત્યારે ખાંડનું મોટું પેકિંગ લાવવાનું છે.”
ત્યાંય એમનો સ્ટોક ખાલી થયે, મોટી મસ ટ્રકમાં સપ્લાયર પાસેથી ખરીદીને આવી જતો હશે. એ સપ્લાયર વળી જથ્થાબંધ માર્કિટમાંથી ખરીદી, પોતાનું ગોડાઉન ભરેલું રાખતો હશે. ખાંડનાં કારખાનાં જથ્થાબંધ માર્કેટને ભરપૂર રાખતા હશે. અને શેરડીના ખેડૂતો એ કારખાનાંઓને દરેક ફસલે મોટા પાયે શેરડીનાં સાંઠાં વેચતા હશે.

Monday, August 1, 2011

સ્વપ્ન જુઓ ખુલ્લી આંખે




સ્વપ્ન તે નથી કે જે આપણે ઉંઘમાં જોઈએ છીએ – પણ સ્વપ્ન તે છે કે જે આપણને સુવા નથી દેતુ – શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ
વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદના પ્રવચનોને સુજ્ઞ શ્રોતાજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ અને હવે જ્યારે ચારે તરફ તેમની વાહ વાહ બોલાઈ રહી છે તેવે સમયે સ્વામી વિવેકાનંદ રાત્રે સુંવાળી પથારીમાં સુઈ નથી શકતા. જમીન પર વેદનાથી આળોટે છે અને વિચારે છે કે મારા કરોડો ગરીબ, કચડાયેલા, દુ:ખી, પીડીત દેશ બાંધવો માટે હું શું કરી શકું કે તેમનું અજ્ઞાન દૂર થાય, તેઓ સમૃદ્ધ બને, ગુલામીની ઝંઝીરમાંથી મુક્ત થાય. અને તેમણે એક વિરાટ કાર્યનો આરંભ કર્યો અને શ્રી રામકૃષ્ણ મીશનની સ્થાપના કરી. આજે કેટકેટલી જીંદગીઓ પર આ કેન્દ્રોની પ્રવૃત્તિઓ રુપી આશિર્વાદના કળશથી અભિષેક થયો છે તે કોણ કહીં શકશે?
સ્વતંત્રતાનું સ્વપ્ન જો ગાંધીજીએ તેમના સહયોગીઓએ અને અનેક ક્રાંતિકારીઓએ ન જોયું હોત તો કદાચ ભારત આજે પણ ગુલામીની ઝંજીરોમાં જકડાયેલું હોત. દરેક મહાન કાર્ય કરનારાઓએ મહાન સ્વપ્ના સેવ્યા છે અને તેને પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત કરી છે. કોઈ પણ સફળ વિદ્યાર્થી, સફળ ઉદ્યોગપતિ, સફળ શિક્ષક કે સફળ રાજનેતા કે કોઈ પણ ક્ષેત્રની સફળ વ્યક્તિને જોઈશું તો તેના મુળમાં તેમણે સેવેલાં મહાન સ્વપ્નાઓ હશે. ઉત્તમ કાર્યો ઉત્તમ વિચારોમાંથી જન્મે છે અને ઉત્તમ વિચારો ઉત્તમ સ્વપ્નાઓ જોવાથી આવે છે. જો બીલ ગેટ્સે માઈક્રોસોફ્ટને નંબર વન સોફ્ટવેર કંપની બનાવવાનું સ્વપ્ન ન જોયું હોત તો આજે સોફ્ટવેરની દુનિયામાં આટલી ક્રાંતી આવી હોત કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
આપણાં એક બ્લોગર શ્રી મુસ્તુફાચાર્યને તેમના શિક્ષક પાસેથી સાંપડેલ સફળતાનું સૂત્ર
(D + P + T ) * A = Success માં પણ D ફોર ડ્રીમ એટલે સ્વપ્ન માટે મુકવામાં આવેલ છે.
આજે જ્યારે આપણે ભારતમાં ચારે બાજુ ભ્રષ્ટાચાર અને નીતીમત્તાનો હ્રાસ જોઈ રહ્યાં છીએ ત્યારે પ્રજાએ સામુહિક રીતે એકજૂટ બનીને ભ્રષ્ટાચાર મુક્ત અને નીતીમાન મનુષ્યો ઘડવાનું સ્વપ્ન જોવાનો સમય પાકી ગયો છે. જો પ્રજા સામુહિક રીતે ભ્રષ્ટ લોકોનો વિરોધ કરે – તેમના કરતૂતો ઉઘાડા પાડે અને તેમને કડકમાં કડક શિક્ષા થાય તેવી માંગણી બુલંદ બનાવે તો વિરાટ પ્રજાનો સામનો કરવાની તાકાત આ મગતરા સમાન ભ્રષ્ટાચારીઓમાં ક્યાંથી રહેશે?

તો મીત્રો, ખુલ્લી આંખે સ્વપ્ન જોવાનું અને તેને પુરા કરવા આયોજન બદ્ધ પરીશ્રમ કરવાનું આજથી જ શરું કરી દેશુંને?

નેતૃત્વ




આજ્ઞાંકિત વિદ્યાર્થિ / કાર્યકર / શિષ્ય ભવિષ્યનો સારો નાગરીક / આગેવાન / આચાર્ય છે. કોઈ વ્યક્તિ રાતોરાત આગેવાન / સરદાર કે નેતા ન બની જાય. નેતા બનવા માટે પહેલાં તો જે બાબતમાં નેતૃત્વ કરવું હોય તે બાબતનું કૌશલ્ય વિકસાવવું જોઈએ. ઉત્તમ વિદ્યાર્થીની ઉત્તમ શિક્ષક બનવાની, ઉત્તમ સૌનિકની ઉત્તમ સેનાપતિ બનવાની, ઉત્તમ કાર્યકરની ઉત્તમ નેતા બનવાની પુરે પુરી શક્યતા છે. જેઓ પોતાના તાલીમ કાળમાં ધ્યાન નથી આપતાં તેઓ તેમના કાર્યકાળમાં ખાસ કશું વિશેષ ઉકાળી શકશે તે માન્યતા ભૂલભરેલી છે.

શું જીવન એક પડકાર છે?




સતત દબાવી દે તેવા પ્રતિકુળ સંજોગો વચ્ચે વ્યક્તિત્વનો થતો વિકાસ અને પ્રગતી એનું નામ જીવન – સ્વામી વિવેકાનંદ.
જીવન શું છે? જીવન એક પડકાર છે. પ્રત્યેક ક્ષણે જીવવા માટે સંઘર્ષ કરવો પડે છે. નબળાને દબવી દેવા માટે સબળો હંમેશા તત્પર રહે છે. નાના નાના પ્રાણીઓનો મોટાં પ્રાણીઓ શિકાર કરે છે. નાની માછલીઓને મોટી માછલીઓ ખાઈ જાય છે. નાના નાના ઉધ્યોગગૃહોને બહુ-રાષ્ટ્રીય કંપનીઓ હડપ કરી જાય છે. પ્રાણી માત્રને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સતત સંઘર્ષ કરવો પડે છે. જે વ્યક્તિ, કુટુંબ, સમાજ, જાતી, સમૂહ, પ્રજા અને દેશ સતત પડકારોને જીલતાં રહીને અવિરત સંઘર્ષ કરે છે તેઓ જ માત્ર પોતાનું અસ્તિત્વ ટ્કાવી રાખવા માટે સક્ષમ બને છે.