Showing posts with label બાળવાર્તા. Show all posts
Showing posts with label બાળવાર્તા. Show all posts

Tuesday, August 7, 2012

શિયાળનો ન્યાય





એક પંડિતજી હતા. તે ભારે દયાળુ હતા. એક દિવસ તે બહારગામ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં જંગલ આવ્યું. જંગલમાં એમણે પાંજરામાં પુરાયેલો સિંહ જોયો.

સિંહે પંડિતજીને જોઈને વિનંતી કરી, ‘હે પંડિતજી! તમે તો દયાળુ છો. મને પીંજરામાંથી બહાર કાઢો. તમને હું સોનામહોરથી ભરેલી થેલી આપીશ!’

પંડિતજીને થયું, સોનામહોરથી ભરેલી થેલી! વાહ! મારું નસીબ ઊઘડી ગયું. પંડિતજીએ લાંબો વિચાર કર્યા વિના સિંહને પાંજરામાંથી બહાર કાઢ્યો. બહાર નીકળ્યો એટલે સિંહ કહે, ‘મને ભૂખ લાગી છે. હવે હું તમને ખાઈ જઈશ.’

પંડિતજી બહુ કગરર્યા પણ સિંહ કહે, ‘ના હું તો તમને ખાઈશ.’ એટલામાં ત્યાં એક શિયાળ આવ્યું. પંડિતજીએ બધી વાત તેને કરી, પોતાનો ન્યાય કરવા કહ્યું.

શિયાળ કહે, ‘ન્યાય કરવો ખૂબ અઘરો છે. તમે મને સમજાવો કે સિંહ પહેલાં ક્યાં હતો ને પંડિતજી તમે ક્યાં હતાં?’

આવું સાંભળી સિંહ કૂદકો મારી પાંજરામાં જઈ ઊભો રહ્યો ને બોલ્યો, ‘હું પહેલા અહીં ઊભો હતો.’

પંડિતજીએ સિંહને પાંજરાંમાંથી કઈ રીતે બહાર કાઢ્યો તે સમજાવ્યું. શિયાળે પાંજરા પાસે જઈ તેનો દરવાજો બંધ કરી દીધો ને બોલ્યું, ‘સિંહરાજ તમે પાંજરામાં હતા ત્યારે આમ જ દરવાજો બંધ હતો ને?’

સિંહે કહ્યું, ‘હા.’

શિયાળ બોલ્યું, ‘પંડિતજી તમે હવે આગળ ચાલવા માંડો. સિંહ ઉપર તમે ઉપકાર કર્યો છતાં તે તમને મારી નાખવા તૈયાર થયો તેથી સિંહરાજ પાંજરામાં જ સારા’ એમ કહીને તે પણ જંગલમાં જતું રહ્યું.

વગર વિચારે જાતે ઊભી કરેલી આફતમાંથી પંડિતજી ઉગરી ગયા.

Wednesday, September 28, 2011

એકતામાં છે બળ




ચંદન વનના રાજા શેરસિંહે બધા પ્રાણીઓને ભેગા કરીને કહ્યું.વનમાં અસહ્ય ગરમી છે. હવે હું આ જવાબદારીમાંથી મુક્ત થવા માગું છું. મહારાજ તમે થોડા દિવસ ક્યાંક ફરી આવો. તમારું મન પ્રફુલ્લિત થઇ જશે.તું સાચું કહી રહ્યો છે. આ વખતે હું ગરમીમાં ખંડાલાના વનમાં ફરી આવું. શેરસિંહ ખંડાલાના વનમાં ઉપડી ગયા.ખબર છે ચંદન વનના રાજા ખંડાલાના વનમાં ફરવા ગયા છે?આપણે બધા આ તકનો લાભ લઇને ચંદન વનમાં દાખલ થઇ જઇએ.

મહેનતનો રોટલો




રાજા ચંદ્રસિંહે દુ:ખી મા-દીકરાની વાતચીત સાંભળી. એમનું લાગણીશીલ હૈયું દ્રવી ઊઠ્યું. ઝૂંપડી પર નિશાની કરી રાજા ચંદ્રસિંહ પોતાના મહેલમાં પાછા ફર્યા.




ચંદનપુરમાં ચંદ્રસિંહ નામે રાજા રાજ કરતા હતા. રાજા ચંદ્રસિંહ પ્રજાના સુખે સુખી અને દુ:ખે દુ:ખી. તેમને એક દીવાન હતા. તેમનું નામ લાલસિંહ. લાલસિંહ સ્વભાવે ખૂબ જ લાલચું અને લોભી પ્રકૃતિના. રાજા ચંદ્રસિંહ લાલસિંહને ગમે તેટલું આપે, છતાંય લાલસિંહ ક્યારેય સંતુષ્ટ થતા જ નહીં. તેમના લોભી અને લાલચુ સ્વભાવથી રાજા ચંદ્રસિંહ પૂરેપૂરા માહિતગાર હતા.

ઝડપી કોણ?



.
સિંહ હરીફાઇ જોવા આવ્યો હતો. બીજા પ્રાણીઓ પણ હરીફાઇ જોવા આવ્યા હતા. વાંદરાભાઇ નિર્ણાયક તરીકે હતા. વાંદરાભાઇએ બંને હરીફોને હરીફાઇના નિયમો કહી સંભળાવ્યા. બે કલાકમાં પાંચ કિલોમીટરનું અંતર કાપવાનું હતું.

એક હતું સુંદરવન. વનમાં વિવિધ વૃક્ષો, છોડ અને વેલાઓની વચ્ચે જાતભાતના પશુ, પંખી, કીટક રહેતા હતા. વનનો રાજા સિંહ પોતાના ખોરાક પૂરતો જ શિકાર કરતો. બધા પ્રત્યે સમભાવ રાખતો. પ્રાણીઓ પણ સિંહની આમન્યા રાખતા. એક દિવસ બધા પશુઓ ભેગા થયા હતા. ત્યાં જ સસલાં અને હરણો વચ્ચે ચર્ચા ચાલતી હતી.

દુ:ખમાં દોડી આવે તે મિત્ર અપનાવ્યું યોગીએ સૂત્ર




યોગી હરણના વર્તનથી મૈત્રી સમજી ગઇ કે યોગી હૃદયથી ખરાબ નથી, પણ તેનામાં શિષ્ટાચારની કમી છે.

મહી સાગરને કિનારે નંદનવન આવેલું હતું. એમાં આંબા, બદામ, ચીકુ, રાયણ, જાંબુ જેવા ફળઝાડોનો પાર નહોતો. વિપુલ પ્રમાણમાં ખોરાક મળવાથી અહીં જાતજાતનાં પશુઓ અને પંખીઓ રહેતા હતા.એ સૌમાં યોગી હરણ સૌથી જુદો તરી આવતો હતો. તે આંબાના ઘટાદાર ઝાડની નીચે ઉદાસ બનીને પડ્યો રહેતો હતો. ના કોઇની સાથે તે બોલે કે ના કોઇની સાથે ચાલે. એના આવા વર્તનથી જંગલના પશુપંખીઓએ એની સાથે કોઇ પણ જાતનો વ્યવહાર નહીં કરવાનું નક્કી કર્યું હતું.

ચોરનું બલિદાન


એક ગામમાં ત્રણ મિત્રો રહેતા હતા. ત્રણેય કામ-ધંધા વિના રખડપટ્ટી કર્યા કરતા આથી તેમનાં માતા-પિતા તેમના પર ગુસ્સે થતાં. ત્રણેય મિત્રોએ ઘરેથી ભાગી જઈને પર્વતમાંથી કીમતી રત્નો શોધીને જીવનનિર્વાહ ચલાવવાનો નિર્ણય કર્યો.




જંગલ પાર કરીને તેઓ પર્વત પાસે પહોંચ્યા અને નસીબના જોરે તેમને કીમતી રત્નો પણ મળી આવ્યાં. રત્નો વેચીને ખૂબ ધન કમાઈ લેવાનો તેમનો વિચાર હતો. તેઓ પર્વત પરથી પાછા ફર્યા અને જંગલ પસાર કરતા હતા ત્યાં તેમને ચોર -લૂંટારુંનો ડર સતાવવા લાગ્યો. તેમણે રત્નોને કોઈ સુરક્ષિત જગ્યાએ છુપાવવાની યુક્તિ શોધી કાઢી. તેઓ પાણી સાથે રત્નો ગળી ગયા, જેથી કોઈ તેમની જડતી લે તો પણ રત્નો ન મળે. આ બધું એક ચોર ઝાડ પાછળ સંતાઈને જોતો હતો. તેણે આ ત્રણેય મિત્રોને મારીને રત્નો પડાવી લેવાનો વિચાર કર્યો. વટેમાર્ગુ બનીને તે મિત્રોની સાથે જોડાઈ ગયો.

Tuesday, July 5, 2011

આજીબાઈનો તખુડો …


ઘણાં વરસ પહેલાંની વાત છે.કોઈ એક ગામમાં આજીબાઈ નામે સ્ત્રી રહેતી હતી. એના ઘરવાળાનું અવસાન થયું હતું. આજીબાઈને એક દીકરા સિવાય દુનિયામાં કોઈ સગુંવહાલું નહોતું. દીકરાનું નામ એણે તખતસંગ રાખેલું. પણ બધા એને લાડમાં તખુડો કહેતા.આજીબાઈએ તો દીકરાને ખૂબ લાડ લડાવ્યા. ખૂબ મોઢે ચડાવ્યો. ખવડાવી-પિવડાવીને તગડો બનાવ્યો. પણ એને કામ કશું શીખવ્યું નહીં.
આજીબાઈનું ઘર ગામમાં મોટું ગણાતું. આજીબાઈ સ્ત્રીઓમાં ચતુર ગણાતી. એને આંગણે એક કૂવો હતો, અને કૂવાનું પાણી મીઠું ગણાતું. આથી ઘણી બહેનો આજીબાઈને ઘેર આવતી. કોઈ બેસવા આવતી, કોઈ શિખામણ લેવા આવતી,કોઈ પાણી ભરવા આવતી. ટૂંકમાં આજીબાઈનું ઘર આખો વખત સ્ત્રીઓથી ભર્યુંભર્યું રહેતું અને તખુડો સ્ત્રીઓની વચ્ચે ઉછરતો.

શ્રેષ્ઠ કોણ ? …(જાતક કથા)…


કૌશલનરેશ મલ્લિક એક ન્યાયપ્રિય અને શક્તિશાળી રાજા હતો, પરંતુ એને પોતાની યોગ્યતા ઉપર જરાય વિશ્વાસ નહોતો. એ હંમેશા વિચાર્યા કરતો કે લોકો મારા માટે જે કહે છે તે સાચું છે? લોકો મને સજ્જન, વીર, બહાદુર અને પરાક્રમી કહે છે તેવો હું ખરેખર છું?
એક દિવસ રાજા દરબાર ભરીને બેઠો હતો. એણે ભર્યા દરબારમાં પોતાના મંત્રીઓને પૂછ્યું : ‘મને સાચે-સાચું બતાવો કે શું મારામાં ખરેખર કોઈ દોષ નથી?

હીરાની કિંમત …


એક બુદ્ધિશાળી ઝવેરી હતો. પોતાના કામમાં બહુ જ ચતુર હતો. દેવયોગે યુવાવયે જ તેનું મૃત્યુ થયું. તેની પાછળ તેની પત્ની અને નાનું બાળક રહ્યા. લોકોએ એમનાં પૈસા દબાવી લીધા. ધન નષ્ટ થયું. એ સ્ત્રી પાસે એના પતિએ આપેલો એક હીરો હતો. એ હીરો અતિ કિંમતી હતો. જ્યારે તેનો પુત્ર પંદરવીસ વર્ષનો થયો ત્યારે તે સ્ત્રીએ તેને કહ્યું : ‘જો બેટા ! તારા પિતાજીએ આ હીરો આપ્યો હતો. એમણે આ હીરાની કિંમત કહી નહોતી. આ હીરો અમૂલ્ય હોવાનું કહ્યું હતું. દરેક પોતપોતાની બુદ્ધિ અનુસાર આ હીરાનું મૂલ્ય આંકશે, હીરાની કિંમત નહિ કરે. આ હીરો લઇ તું જા અને તેની કિંમતની આકરણી કરી આવ. પરંતુ કોઈ જગ્યાએ હીરો દેવાનો નહિ.

ચતુર પુત્ર …


નાનકડા એક ગામમાં રામદીન નામે એક ખેડૂત તેની પત્ની, એક પુત્ર અને વૃદ્ધ પિતા સાથે રહેતો હતો.
એક સવારે રામદીન પોતાના વૃદ્ધ પિતાને ક્યાંક લઈને જઈ રહ્યો હતો. એ વખતે એનો પુત્ર બોલી ઊઠ્યો, ‘પિતાજી ! આપ દાદાજીને ક્યાં લઇ જઈ રહ્યા છો ?’
‘બેટા ! શહેરમાં લઇ જઈ રહ્યો છું.’
‘હું પણ શહેરમાં આવીશ.’ પુત્ર જીદ કરવા લાગ્યો.
‘ના, બેટા ! તું અહિંયા જ રહે. તારી માં તને સારી-સારી વસ્તુઓ, મીઠાઈઓ ખવડાવશે.’
‘અંદર ચાલ. તારા પિતાજી ગઈકાલે તારા માટે મીઠાઈ લાવ્યા હતાં, એ ખવડાવીશ.’ એની માએ બાળકને લાલચ આપતાં કહ્યું.

માતૃ દર્શન …


માતૃ દર્શન …
૧૬૫૭ની ઓક્ટોબરની એક સાંજનો સમય છે, સંધ્યા સુંદર ખીલી છે અને વાતાવરણ ગુલાબી છે. શિવાજી માતા ભવાનીના મંદિરમાંથી બહાર આવીને આશ્ચર્યમાં ડૂબી ગયા.
ખચ્ચરો અને બળદગાડીની એક લાંબી કતાર નજરે ચડે છે. હીરા-પન્ના અને જર-જવાહરાતથી ભરેલ અને સોના ચાંદીના ભારથી દબાયેલા પશુ ધીમે ધીમે કિલ્લામાં પ્રવેશ કરી રહ્યા છે.
પ્રધાન મોરો પંતે શિવાજીની જિજ્ઞાસાને શાંત કરતાં કહ્યું : ‘મહારાજ, અંબાજી સોનદેવે કલ્યાણના સુબા પર આધિપત્ય કરી લીધું છે અને લૂંટનો સામાન લઈને આવ્યા છે.’ શિવાજી અંબાજીને ભેટી પડ્યા અને પોતાનો બહુમૂલ્ય હાર ઇનામ રૂપે આપ્યો. કલ્યાણના શક્તિશાળી સુબેદાર આટલી આસાનીથી હારી ગયા, એનાથી શિવાજી આશ્ચર્ય અનુભવતા હતા. શિવાજીની છાતી ગર્વથી ફૂલી ઊઠી. પોતાના બહાદૂર વીર સેનાપતિને જોઈને કહ્યું : ‘ શાબાશ અંબાજી !વાહ !તમારી સ્વામીભક્તિ અને બહાદૂરી માટે હું ગર્વ અનુભવું છું.’

કાબર અને કાગડો…


એક હતી કાબર અને એક હતો કાગડો.
બન્ને વચ્ચે દોસ્તી થઈ.
કાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો હતો આળસુ અને ઢોંગી.
કાબરે કાગડાને કહ્યું – કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલોને આપણે ખેતર ખેડીએ ! દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ.
કાગડો કહે – બહુ સારું; ચાલો.
પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યાં.
થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવવા ગયો. જતાં જતાં કાબરને કહેતો ગયો – કાબરબાઈ ! તમે ખેતર ખેડતાં થાઓ, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું.
કાબર કહે – ઠીક.

લાડુની જાત્રા..


અમારા ગામમાં એક ભોપુદાદા હતા.
એ ગોકુલમથુરાની જાત્રા કરી આવ્યા. જાત્રાની ખુશાલીમાં ભોપુદાદાનાં વહુએ લાડવા કર્યા.
ખાસ્સી કથરોટ ભરાઈ.
બધાં કહે : વાહ, ભોપુદાદા, વાહ ! તમે ખરી જાત્રા કરી આવ્યા !
કથરોટમાં પડેલા લાડવાઓએ આ સાંભળ્યું.
એક લાડવો કહે : હુંયે જાત્રા કરવા જાઉં અને વાહવાહ લઉં ! એ તો કથરોટમાંથી કૂદીને બહાર પડ્યો અને દડબડ દડબડ દોડવા લાગ્યો. ઘર મેલ્યું, ઊમરો મેલ્યો, આંગણું મેલ્યું, ફળિયું મેલ્યું ને ફળિયાનો ચોક મેલ્યો.

માગતાં શીખો…


એક વાણિયો હતો, જેનું નામ હતું માણેકલાલ; નહોતાં મા-બાપ, કે નહોતી સ્ત્રી કે ઘરબાર, અને વળી અધૂરામાં પૂરું બિચારો બન્ને આંખે હતો અંધ. એક શહેરમાં આવીને રહેલો અને તેની જ કોમના એક ગૃહસ્થે દયા લાવીને દુકાને મુનીમ રાખેલ. મુનીમનું કામ મોઢેથી ટપોટપ હિસાબ કરી દેવાનું હતું. હિસાબમાં એવો એક્કો હતો કે એની કોઈ જોડ મળે નહિ. દસ રૂપિયા પગાર મળતો, તેમાંથી દોઢ રૂપિયો ઓરડીના ભાડાનો ભરતો; જેશંકર નામના બ્રાહ્મણને ત્રણ રૂપિયા રસોઈના મહેનતાણાના આપી રસોઈ કરાવતો અને જેશંકર અને માણેકલાલ લહેર કરતા. જેશંકર ગામમાં માગવા જતો અને ખાઈ-પી લહેર કરતો. જેશંકર ઘરબારી હતો, તેને એક છોકરો હતો અને ઘરવાળી હતી; ત્રણચાર રૂપિયા ઘેર મોકલતો અને ગાડું ઠીકઠીક ગબડે જતું હતું.

માગતાં શીખો…


એક વાણિયો હતો, જેનું નામ હતું માણેકલાલ; નહોતાં મા-બાપ, કે નહોતી સ્ત્રી કે ઘરબાર, અને વળી અધૂરામાં પૂરું બિચારો બન્ને આંખે હતો અંધ. એક શહેરમાં આવીને રહેલો અને તેની જ કોમના એક ગૃહસ્થે દયા લાવીને દુકાને મુનીમ રાખેલ. મુનીમનું કામ મોઢેથી ટપોટપ હિસાબ કરી દેવાનું હતું. હિસાબમાં એવો એક્કો હતો કે એની કોઈ જોડ મળે નહિ. દસ રૂપિયા પગાર મળતો, તેમાંથી દોઢ રૂપિયો ઓરડીના ભાડાનો ભરતો; જેશંકર નામના બ્રાહ્મણને ત્રણ રૂપિયા રસોઈના મહેનતાણાના આપી રસોઈ કરાવતો અને જેશંકર અને માણેકલાલ લહેર કરતા. જેશંકર ગામમાં માગવા જતો અને ખાઈ-પી લહેર કરતો. જેશંકર ઘરબારી હતો, તેને એક છોકરો હતો અને ઘરવાળી હતી; ત્રણચાર રૂપિયા ઘેર મોકલતો અને ગાડું ઠીકઠીક ગબડે જતું હતું.

ઈંડા જેવડો દાણો ! ટૉલ્સ્ટૉય…


ઈંડા જેવડો દાણો ! ટૉલ્સ્ટૉય…
રજાના કોઈ એક દિવસે ગામનાં બાળકો રમતાં રમતાં ગામ નજીક આવેલી ટેકરીઓમાં જઈ ચડ્યાં. ત્યાંથી તેમને એક અજાયબ વસ્તુ મળી. આ વસ્તુનો આકાર ઘઉંના દાણા જેવો હતો અને તેનું કદ મરઘીના ઈંડા જેવડું હતું. રસ્તે પસાર થતા મુસાફરે બાળકોને નજીવી કિંમત આપી તેમની પાસેથી એ વસ્તુ લઈ લીધી અને રાજાને ભેટ આપી. આ અજાયબ વસ્તુના બદલામાં રાજાએ મુસાફરને મોટી બક્ષિસ આપી.
રાજાએ પોતાના પંડિતોને બોલાવ્યા અને આ અજાયબ વસ્તુ હકીકતમાં શું છે તે શોધી કાઢવા જણાવ્યું. પંડિતોએ રાતદિવસ એક કર્યાં અને હતાં તેટલાં થોથાં ઉકેલી જોયાં, પણ આ અજાયબ વસ્તુ શી છે, તેનો ભેદ તેઓ પામી શક્યા નહીં. એક દિવસ રાજપંડિત એ વસ્તુ સામે મૂકી તેનો ભેદ ઉકેલવા મથતા હતા ત્યાં ઓચિંતી એક મરઘી આવી ચડી અને ઝડપથી આ વસ્તુ લઈને ભાગી ગઈ. તેણે ચાંચ મારી આ વસ્તુમાં કાણું પાડી નાખ્યું. રાજપંડિતે મહામુશ્કેલીએ મરઘી પાસેથી એ વસ્તુ પડાવી લીધી. ત્યારે તેમને ખબર પડી કે, આ અજાયબ વસ્તુ તો બીજું કશું નહીં, પણ એક ઘઉંનો દાણો જ છે ! તેણે બીજા પંડિતોને બોલાવ્યા. બધા પંડિતો ભેગા થઈ રાજા પાસે ગયા અને કહ્યું:

દોડવીર કાચબો


એક કાચબો શાંતિથી ધીમે ધીમે ચાલતો જતો હતો. ત્યાં સસલાનું એક ટોળું તેની પાસેથી નાચતું કુદતું નીકળ્યું. તેમાંથી એક સસલાએ પાછા વળી કાચબાની મશ્કરી કરતાં કહ્યું, ‘કાચબાભાઈ તમે કેવા ઠચૂક ઠચૂક ચાલો છો. અમને પણ તમારા જેવી ચાલ શીખવોને!’
કાચબાએ અગાઉ ઘણાં સસલાં જોયા હતા. એને ખબર હતી કે સસલાં કોઈ કામ ચીવટથી કરી શકતા નથી. તેઓ બેદરકાર ને ઉંઘણશી હોય છે. આથી તેણે વટથી કહ્યું, ‘સસલાભાઈ! મારી ચાલ ભલે ઠચૂક હોય તો પણ તમારા જેવા દોડવીરને પણ દોડવાની હરીફાઈમાં હરાવી શકું તેવો છું સમજ્યા!’
આ બંનેની વાત ત્યાં ઊભેલા એક શિયાળે સાંભળી. તેણે સસલાને પાનો ચડાવતાં કહ્યું, ‘અરે સસલાભાઈ! આ કાચબાએ તમારા જેવા દોડવીરને પડકાર ફેંક્યો છે છતાં તમે ચૂપ કેમ છો?’

મા ! મને છમ વડું…


એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને હતી સાત છોડીઓ.
બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય.
એક દિવસ બ્રાહ્મણને વડાં ખાવાનું મન થયું. એણે બ્રાહ્મણીને કહ્યું – આજ તો વડાં ખાવાનું મન થયું છે.
બ્રાહ્મણીએ કહે – પણ બધાંયને થાય એટલો લોટ ઘરમાં નથી. પાંચ-સાત વડાં થાય એટલો લોટ માંડ માંડ નીકળે તો પણ ઘણું.
બ્રાહ્મણ કહે – ત્યારે કંઈ નહિ; વાત માંડી વાળો.
બ્રાહ્મણી કહે – ના, એમ નહીં. પરમ દહાડે ધોળી કાકી થોડાંક વડાં આપી ગયાં હતાં તે મેં ને છોડીઓએ ચાખ્યા છે; એક તમે રહી ગયા છો. છોડીઓને વાળુ કરીને સૂઈ જવા દો. પછી હું તમને પાંચ-સાત પાડી આપીશ. મારે કંઈ ખાવાં નથી એટલે તમે એટલાં વડાં ખાઈને પાણી પીશો તો પેટ ભરાશે.
બ્રાહ્મણ કહે – ભલે, પણ તુંએ એકાદ-બે ચાખજે ને.

વહોરાભાઇનું નાડું…


એક નાનું સરખું ગામ હતું. તેમાં એક વહોરાજી રહે.
વહોરાજી દિલના બહુ સાફ અને નેક. બીજાને મદદ કરવા કાયમ તૈયાર હોય. ગામના લોકો પણ તેમને ઘણું માન આપે. પણ ઘણી વખત પોતાના ભોળા સ્વભાવના કારણે એ એવા છબરડા વાળી બેસે કે બધાં હસી હસીને થાકી જાય. પછી પોતાની ભૂલ સમજાય એટલે વહોરાજી પણ બધાંની સાથે પોતે પણ હસવા લાગે.
એક વખત એક પટેલ ખેતરેથી લીલું ઘાસ ગાડામાં ભરી ઘેર આવતા હતા. રસ્તામાં વહોરાજી મળ્યા.
પટેલ કહે – ચાચા, પગે ચાલતા શા માટે જાઓ છો ? ગાડા ઉપર બેસી જાઓ. પણ, રસ્તામાં ખાડા ટેકરા આવે છે. તેથી આંચકા લાગશે, તમે નાડું બરાબર પકડજો, નહિતર ક્યાંક નીચે જમીન પર ઉથલી પડશો.
વહોરાજી કહે – પટેલ, સારૂં થયું તમે કહ્યું. હું નાડું મજબૂત રીતે પકડી રાખીશ. છોડીશ જ નહી ! એમ કહીને વહોરાજીએ તો પોતાના સૂંથણાનું નાડું બરાબર પકડી રાખ્યું. બે હાથે નાડું પકડીને બેઠા.

રીંછે કાનમાં શું કહ્યું ?


એક હતો ગોપાલ અને એક હતો મોહન.
મોહન બહુ ભોળો અને ગોપાલ ભારે ચબરાક. બન્ને નિશાળમાં સાથે ભણે. બન્ને ભાઈબંધ હતા. નિશાળમાં રજાના દિવસે બન્ને નજીકના જંગલમાં ફરવા ગયા. મોહનને જંગલમાં ડર લાગવા લાગ્યો.
મોહન કહે – ગોપાલ, મને તો બીક લાગે છે. કોઈ જંગલી જાનવર આપણને ફાડી ખાશે તો ?
ગોપાલ કહે – તું તો સાવ ડરપોક છે. તારી સાથે હું છું તેથી તારે ડરવાની જરા પણ જરૂર નથી.
મોહન ફરી બોલ્યો – પણ ગોપાલ, આપણી પાસે જંગલી જાનવરનો સામનો કરવા કોઈ હથિયાર પણ નથી તેનું શું ?