શબ્દો જ્યારે જીવતા થાય છે
આજના આ ઘોંગાટ ભર્યા જીવનમા શબ્દો ક્યાં સંભળાય છે? અને સંભળાય તોયે ક્યાં સમજાય છે?
આજની ફીલ્મોમાં loud music અને ઢંગધડા વગરના શબ્દો યાદ રાખવા જેવા પણ નથી.
આજે વર્ષો બાદ એક જુના નાટક ‘શંભૂમેળો’ નું ગીત યાદ આવ્યું છે. ફક્ત Harmonium અને ધીમા તબલા સાથે જ્યારે મોતીબાઈના કંઠે આ ગીત ગવાતું ત્યારે મુંબઈના Princess Theater માં ભાગ્યે જ કોઈ એવું હશે, જેની આંખ ભીની ન થઈ હોય. હકીકતમાં શબ્દો જીવંત થતાં, નઝરની સામે આબેહુબ ચિત્ર ઉપસી આવતું.
થોડા સમય પહેલાં જ પરણીને સાસરે આવેલી યુવતીને નવરાશની પળોમા એનું પિયરિયું યાદ આવે છે, અને એ ગાય છે,
“બાઈ મને પિયરિયું સાંભરે,
સાંભરે માડીના હેત……બાઈ મને…”
પિયરિયામાં સૌથી પહેલાં મા યાદ આવે છે, મા એ વરસો સુધી આપેલો પ્રેમ યાદ આવે છે, અને પછી તરત જ પોતાની વિદાયનું દ્ર્સ્ય યાદ આવે છે.
“ગાડું વળાવ્યું ત્યારે રોતી તી માવડી,
બાપુ ઊભાતાં અચેત…..બાઈ મને…”
ગામડાંમા કોઈની પણ દીકરી પરણીને બીજે ગામ જતી હોય ત્યારે આખું ગામ તેને વળાવવા ભેગું થતું.
ગાડું દેખાય ત્યાં સુધી ઉભા રહેતાં અને પછી ભીની આંખે ઘરે જતા.
(આજે આપશ્રી/બન્ને/સહકુટુંબ લખીને આમંત્રણ આપનારાઓને આ નહીં સમજાય.)
રોતી મા અને શૂનમૂન થઈ ગયેલા બાપને જોતી આ નવોઢાનું આ દ્રુસ્ય નજર સામે આવે છે કે નહિં? શબ્દો જીવતાં થઈ, કંઈક કહી રહ્યા છે કે નહીં?
કદાચ “આતી ક્યા ખંડાલા?” અને “મસકઅલી, મટકઅલી..” સાંભળીને મોટા થતા લોકોને આ ન પણ સમજાય.
-પી. કે. દાવડા
આજના આ ઘોંગાટ ભર્યા જીવનમા શબ્દો ક્યાં સંભળાય છે? અને સંભળાય તોયે ક્યાં સમજાય છે?
આજની ફીલ્મોમાં loud music અને ઢંગધડા વગરના શબ્દો યાદ રાખવા જેવા પણ નથી.
આજે વર્ષો બાદ એક જુના નાટક ‘શંભૂમેળો’ નું ગીત યાદ આવ્યું છે. ફક્ત Harmonium અને ધીમા તબલા સાથે જ્યારે મોતીબાઈના કંઠે આ ગીત ગવાતું ત્યારે મુંબઈના Princess Theater માં ભાગ્યે જ કોઈ એવું હશે, જેની આંખ ભીની ન થઈ હોય. હકીકતમાં શબ્દો જીવંત થતાં, નઝરની સામે આબેહુબ ચિત્ર ઉપસી આવતું.
થોડા સમય પહેલાં જ પરણીને સાસરે આવેલી યુવતીને નવરાશની પળોમા એનું પિયરિયું યાદ આવે છે, અને એ ગાય છે,
“બાઈ મને પિયરિયું સાંભરે,
સાંભરે માડીના હેત……બાઈ મને…”
પિયરિયામાં સૌથી પહેલાં મા યાદ આવે છે, મા એ વરસો સુધી આપેલો પ્રેમ યાદ આવે છે, અને પછી તરત જ પોતાની વિદાયનું દ્ર્સ્ય યાદ આવે છે.
“ગાડું વળાવ્યું ત્યારે રોતી તી માવડી,
બાપુ ઊભાતાં અચેત…..બાઈ મને…”
ગામડાંમા કોઈની પણ દીકરી પરણીને બીજે ગામ જતી હોય ત્યારે આખું ગામ તેને વળાવવા ભેગું થતું.
ગાડું દેખાય ત્યાં સુધી ઉભા રહેતાં અને પછી ભીની આંખે ઘરે જતા.
(આજે આપશ્રી/બન્ને/સહકુટુંબ લખીને આમંત્રણ આપનારાઓને આ નહીં સમજાય.)
રોતી મા અને શૂનમૂન થઈ ગયેલા બાપને જોતી આ નવોઢાનું આ દ્રુસ્ય નજર સામે આવે છે કે નહિં? શબ્દો જીવતાં થઈ, કંઈક કહી રહ્યા છે કે નહીં?
કદાચ “આતી ક્યા ખંડાલા?” અને “મસકઅલી, મટકઅલી..” સાંભળીને મોટા થતા લોકોને આ ન પણ સમજાય.
-પી. કે. દાવડા
0 comments:
Post a Comment