Saturday, December 4, 2010

‘ગમ્મત’


                                                        આંગળીઓની કરામત


દોસ્તો આજે આપણે હાથની આંગળીઓની કરામત જોઇએ. આ ફોટા જુઓ. આપણી આંગળીઓ કેવા સંદર દેખાવો આપી શકે છે?????





‘કાગળ કાપણી’





Friday, December 3, 2010

બાળકોની રમતો


ટામેટું


ટામેટૂં



ટામેટૂં

બાળકો, આજે એક મઝાની રમત બતાવું. કદાચ તમે તે રમતા પણ હશો.

આ રમતને ટામેટું કહેવાય છે. તેમાં બધા બાળકો કુંડાળામાં બેસે અથવા ઉભા રહે. એક બાળક વચ્ચે બેસે કે ઉભું રહે. હવે વચ્ચે ઉભેલું બાળક વારા ફરતી, એક એક પછી એક બાળકને સવાલ પૂછે. જેને સવાલ પૂછાય તેણે જવાબમાં માત્ર”ટામેટું” એમ બોલવાનું. આ જવાબ સાંભળી વચ્ચે ઉભેલા બાળકે હસવાનું નહીં. જો ટામેટું ને બદલે બીજો કોઇ જવાબ આપે તો તે આઉટ ગણાય. તેણે કુંડાળામાંથી ઉભા થઇ બહાર નીકળી જવાનું. જેના જવાબથી વચ્ચે ઉભેલું બાળક હસી પડે તો તેણે કુંડાળામાં બીજા બાળકો સાથે ગોઠવાઇ જવાનું અને જેના જવાબથી આ બાળક હસ્યું હોય તે બાળકે વચ્ચે આવી જઇ સવાલો પૂછવાના. આ રમત ખૂબ મઝાની છે. મોટાઓ પણ આ રમત ખૂબ આનંદથી માણે છે.

ઉદાહરણરૂપ થોડા સવાલો

સવાલ-તારા પપ્પાનું નામ શું છે???

જવાબ-ટામેટું

સવાલ-વરસાદમાં આપણે માથા પર શું પહેરીએ છીએ???

જવાબ-ટામેટું

જો જવાબમાં કોઇ ટોપી એમ બોલી દે તો તે આઉટ ગણાય.




રમતા રમતાં શીખીએ



બાળકો અંગ્રેજીભાષાના સ્પેલિંગો રમતાં રમતાં શીખે અને તેની સાથે સાથે શારિરીક કસરત પણ મળી રહે તે હેતુથી આ રમત રમવાની છે.

તેમાં એક લીડર નક્કી કરે છે કે ફૂલોનાં નામ-

રમનાર ધારોકે પાંચ જણ હોય તો લીડર ગુજરાતીમાં ફુલોનાં નામ આપી દે છે જેમકે ગુલાબ,ચંપો,મોગરો,સૂરજમુખી વિગેરે..

હવે દરેકે ફુલનાં અંગ્રેજી નામ બોલવાનાં-જેમકે

ગુલાબ-ROSE—રોઝ

ચંપો-CHAMPA—-ચમ્પા

મોગરો-MOGRA—-મોગરા

સૂરજમુખી-SUNFLOWER—–સનફ્લાવર

હવે પાંચેય જણ એક લીટી પર ઉભા રહે અને સામે એક ધ્યેય બિંદુ નક્કી કરેલું હોય ત્યાં દોડીને જવાનું ,તેને અડીને બોલવાનું આર પાછા વાવી ફરી ધ્યેયબિંદુ પર જઈ અડીને બોલવાનું ઓ ,પછી બોલવાનું એસ, પછી બોલવાનું ઇ….આમ કોણ પહેલાં દોડીને બધા જ સ્પેલીંગ પૂરાં કરે છે????તે વિજેતા….

આ જ રીતે વાહનોનાં નામ, શાકભાજીનાં નામ,જંગલી પ્રાણીઓનાં નામ,પાંલતુ પ્રાણીઓનાં નામ, ઘરેલુ પ્રાણીઓનાં નામ, પક્ષીઓનાં નામ વિગેરે વિગેરે રમત સાથે પાકા કરી શકાય.

આ ઉપરાંત આ જ રીતે અઠવાડિયાનાં દિવસોનાં નામ, મહિનાનાં નામ, આંક વિગેરે પણ પાકા થઈ શકે….


વરૂનો જમવાનો ટાઇમ



આ રમતમાં પહેલાં પાકવાની ક્રિયા આવે છે.

તેની અનેક રીતો છે. જેમકે

(૧)બધા બાળકો એકબીજાનો હાથ પકડી ગોળાકારે ઉભા રહે

એક બાળક બહાર રહે.

તેણે માત્ર ઉંધી કે ચત્તી, બેમાંથી એક જ શબ્દ બોલવાનો રહે.

હવે વર્તુળાકરે ઉભેલા બાળકો હાથ ઝુલાવી, પોતાની મરજી મુજબ એક હથેળી પર બીજી હથેળી ચત્તી કે ઉંધી મૂકે

આ વખતે જો બહાર ઉભેલ બાળક ચત્તી એમ બોલે તો જેની હથેળી ચત્તી હોય તે પાકી જાય.

કોઇ એક પાકેલું બાળક બહાર ઉભું રહે અને બહાર ઉભેલ બાળક પાકવા આવે.

ફરી આ જ પ્રક્રિયા થાય .

આમ કરતાં કરતાં છેલ્લે જે એક બાળક રહે તેણે દાવ આપવાનો રહે. (૨)બધા જ બાળકો વર્તુળાકારે ઉભા રહે અને કોઇ એક નીચેનું ગીત ગાય.

અંડેરી ગંડેરી ટીકડી ટેન

આઇસન માઇસન વેરી ગુડ મેન

ઓ મીસ્ટર કેટલા વાગ્યા?

વ, ટુ એન્ડ થ્રી…

અંડેરી બોલતી વખતે પોતાની તરફ આંગળી ચીંધવાની

ગંડૅરી વખતે બીજા નંબરની તરફ

ટીકડી વખતે ત્રીજા તરફ

ટેન વખતે ચોથા તરફ…

આમ છેલ્લે જ્યારે વન,ટુ એન્ડ થ્રી…

થ્રી જેના તરફ આવે તે પાકી જાય અને વર્તુળની બહાર નીકળે.

આમ વારંવાર કરી છેલ્લે જે એક બાળક બચે તેણે દાવ આપવાનો રહે

. આ સિવાય કોઇ પણ રીત પાકવાની ક્રિયા કરી રમતની શરૂઆત થઇ શકે…

હવે આજે આપણે “વરૂનો જમવાનો ટાઇમ” રમત રમીશું..

આ રમતમાં પાક્યા બાદ જેને માથે દાવ આપવાનો આવ્યોહોય તે બાળક પીઠ બતાવી ઉભો રહ. તે વરૂભાઇ કહેવાશે.

બાકીનાં બાળકો આ વરૂભાઇથી ૨૦ કદમ પાછળ એક આડી લાઇનમાં ઉભા રહે. હવે બધા બાળકો સાથે વરૂભાઈને પૂઃએ “વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો??? “”વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો???” વરૂભાઇ બોલે-” ૨ (બે) વાગ્યા” એટલે બાળકોએ બે કદમ વરૂની દિશામાં આગળ વધવાનું ફરી પૂ્છાય’”વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો???” વરૂભાઇ બોલે-” ૪ (ચાર)વાગ્યા એટલે બાળકોએ ૪(ચાર) કદમ વરૂની દિશામાં આગળ વધવાનું વળી પૂછાય વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો???” વરૂભાઇ બોલે-” ૩(ત્રણ) વાગ્યા” એટલે બાળકોએ ૩(ત્રણ) કદમ વરૂની દિશામાં આગળ વધવાનું આમ ક્યારેક બાળકો પૂછે”વરૂભાઈ,વરૂભાઈ કેટલો ટાઇમ થયો???” અને વરૂભાઇ લાગ જોઇને બોલે-”જમવાનો ટાઇમ” એટલે બધા બાળકોએ ભાગવાનું અને વરૂભાઇ તેમની પાછળ દોડે અને કોઇ એકને પકડી લે. હવે પકડાયેલ બાળક વરૂભાઇ બને અને નવેસરથી રમત શરૂ થાય. સમય પૂછતાં પૂછતા, જો કોઇજો બાળક વરૂભાઈની સાવ નજીક પહોંચી તેની પીઠ પર ધબ્બો મારી દે તો પહેલાના વરૂભાઈએ જ ફરી વરૂભાઇ બનવું પડે…..અને રમત ફરી શરૂ થાય….. બાળકો રમી જો જો ખૂબ મઝા પડશે

પત્નીને ખુશ રાખવાના ઉપાયો


પત્ની ના હોય તેને પણ જરૂર વાંચવું, પાણી પહેલા પાળ બાંધવી સારી ભાઈ !!






પત્નીને ખુશ રાખવાના ઉપાયો (ભાગ-1)



આમ તો માનનીય બ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલીઆપ્યા છે કે ઉપરથી ભગવાન આવીને લાખ યત્ન કરે તો પણ કોઈ વાતે ખુશ ના થાય.પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે, અને પુરુષે આ પોતાની પત્નીને ખુશરાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાકઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ.



1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો



2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો



3. ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો



4. સાસુ સસરા કે કોઇ પણ પિયરીઆ ઘેર આવે તો એક નકલી પૂછડી ચોટાડી જોર જોરથીહલાવો (પણ એમને ચાટવાની કોશિશ ન કરશો!)



5. એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરે,આ તો શાયરોનુ શહેર નહી? પેલા કવિ “બેવકુફ” અહીનાં જ નહીં?)



6. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય ન કરો



7. એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા ન મારો



8. એની મમ્મીની રસોઇના વખાણ કરો



9. “હું કેવી લાગુ છુ” નો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કે “ આજેતો તું સાવ જૂદીજ લાગે છે”



10. એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે



11. "તારા પપ્પા બહુ સોશિયલ છે” એવુ મહિને ઓછામા ઓછુ એક વાર કહો



12. ટીવી જોતી વખતે : “અરે, જોતો, આ કેટરિનાએ તારા જેવી જ હેરસ્ટાઇલ કરી છે” એવુકહો.



13. તમારી વાત ટુંકમાં કરો.



14. એના પિયરિયાનો ફોન હોય અને “આજે શાક કેવી રીતે દાઝી ગયુ?” એ વિષય પરલાંબી વાતચીત ચાલતી હોય તો તમે તમારા અગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક એફોન પુરો થાય ત્યાં સુધી રાહ જુઓ.



15. જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો



16. એની વાત ધ્યાન પુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા જ.



17.. એ કશુ કહેવા આવે તો છાપુ બાજુ પર મુકી વાત સાંભળો.



18. એ વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો!



19. ઉતરન અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો ઉતરન ચાલતી હોય તે ચેનલ મુકો. એજો ભુલે ચુકે સામો વિવેક કરે તો એમ કહો કે “મેચ તો રોજ આવે છે”



20. એ એમ કહે કે “આજે બહુ ગરમી છે” તો પંખો ફાસ્ટ કરો યાર!



21. એ એમ કહે કે “આજે બહુ થાકી ગઇ છુ ” તો તરત કહો કે “ચાલ, આજે બહાર જમવાજઇએ”



22. એ એમ કહે કે “આજે રસોઇ કરવાનો મુડ નથી” તો તરત કહો કે “સાચુ કહુ, હું તો પીઝામંગાવવાનુ જ વિચારતો હતો”



23. વાત વાતમાં એના સોગંદ ખાવ (તારા સમ, તુ સાચે આજે જુદી લાગે છે!)



24. બેડરુમમાં બામની વાસ સહન ના થાય તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમાસુઇ જાવ.



25. કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે: દાળપાણી જેવી હોય તો “ આજે દાળ કંઇક જુદી જ હતી!” અને રોટલી કાચી બને તો “આ વખતેઘંઉ સારા નથી આવ્યા” એમ કહો.



Part 1 માટે મિત્ર વર્તુળ નો સારો પ્રતિસાદ ને અનુસન્ધાને Part 2 રજુ કરુ છું :



Part 2 કી-વર્ડઝ :મોનોલોગ, પિયરિયા,તકેદારી, ફોન મેનર્સ, કકળાટ, ખર્ચો, જાતે કરો



26. અઠવાડિયે એક વાર તો સમય અનેસંજોગો જોઇ ને પૂછી લો કે "કેમ આજે ઢીલી લાગેછે?"



27. શાક સારુ ના બન્યુ હોય તોઅંદર ટોમેટો સોસ નાખો, ફરિયાદ ન કરો.



28. એક હાથથી ભાખરી ન તૂટતી હોય તો બીજો હાથ વાપરો ! ભગવાને બે હાથ શેના માટેઆપ્યા છે?



30. સફેદ કપડા ક્યારેય ન ખરીદો.અથવા તો પાન-મસાલા છોડી દો.



31. બેલ વાગે તો દરવાજો ખોલવાતમે જાવ, એમાંકાંઇ વારા થોડા પડાય બોસ!



32. ઓફિસનુ કામ ઘરે ન લાવો., શકય હોય તો ઘરનુ કામ ઓફિસ લઇ જાવ.



33. તહેવારો પર નવા કપડા ખરીદવા રૂપિયા ઢીલા કરો.



34. એના ડ્રેસ ખરીદવા સાથે જવાનુ એ પોતે કહે તો પણ ટાળજો, છેવટે બન્ને ખુશ રહેશો!



35. નવા ડ્રેસમાં એ જાડી લાગેતો એમ કહેજો કે " આ ડ્રેસ એક સાઇઝ નાનો આવી ગયોલાગે છે"



36. એનો ભાઇ બહુ ઇન્ટેલીજન્ટછે તેવુ જાહેર કરો



37. લાલ કપડામાં પોસ્ટ ઓફિસનાડબલા જેવી લાગે છે તેવી લોથલ જોક ન મારવી. લાલકપડામાં

સાગરમાં ડિમ્પલ કાપડિયા આવીજ લાગતી હતી એમ કહો.



38. તમે ખરીદેલી વસ્તુની સાચીકિંમત એના મોંઢે બોલવા દો, અને પછી એની બોલેલીકિંમતની આજુબાજુનો કોઇ પણ આંકડો પાડી દો.તમે જો ડાહ્યા થઇ ને પહેલાજ સાચીકિંમત જાહેર કરશો તો "તમે છેતરાયા" એવુ પ્રમાણપત્ર આપશે અથવાએના માટેતમે"કાયમ હલકી વસ્તુ લાવો છો" એ વાત પર મામલો બીચકશે



39. ઓફિસેથી ઘેર પાછા આવતા પહેલા મોબાઇલના ઇન બોક્સમાંથી SMS ડીલીટ કરીનેઆવો.,

શક્ય હોય તો મોબાઇલનુ રીસન્ટકોલ લીસ્ટ પણ ડીલીટ કરીને ઘેર આવો.



40. એની મોટી બહેનના ગંદા-ગોબરાતોફાની છોકરાને જોતા જ તેડી લો, અને કહો "કેટલોક્યુટ અને નૉટી છે!"



42. એ રડે તો રૂમાલ નહીં,એને જે જોઇતુ હોય તેલાવી આપો.



43. રક્ષાબંધને સાસરે જ જમવાનુ ભાઇ ! બેસતું વર્ષ અને ભાઈબીજ પણ સાસરે જઉજવવા. અને રવિવારે સાસરે ના જવું હોય તો ખર્ચો કરીને બીજે ગમે ત્યાં ફરવા જવાનું.



44. દાળમાંથી કોથમીર અને બીજો કચરો કાઢતા કાઢતા કોઇના બાવડા સુજી ગયા હોયતેવા વૈજ્ઞાનિક પુરાવા નથી, માટે ખોટી ફરિયાદ કરવાનું

ગુજરાતી ભાષાનો ઉદભવ


                                            ગુજરાતી ભાષાનો ઉદભવ



માનવ સભ્યતાના વિશ્વના આજના દેશો માં ૯૦૦ જેટલી ભાષાઓ લોકો બોલે છે .વાણી વ્યવહાર કરે છે .આમાંની પ્રાચીન ભાષાઓનો ઉદ્દભવ ઈ.સ પૂર્વે ૩૫૦૦ એટલે કે લગભગ ૫૫૦૦ વર્ષ પહેલાઓ માનવામાં આવે છે .આ ભાષાઓ આર્યકુળની ભાષાઓ તરીકે ઓળખાય છે .શુરુઆત ની ભાષાઓ હેમિટિક,હિટ્ટાઇટ,સેમેટિક,આર્ય -ઇન્ડોયુંરોપીયના દ્રાવિડી,એસ્ટ્રિડ્ ..વગેરે ૧૪ જેવી ભાષા હોવાનું સમર્થન છે .આર્યભાષાઓ આર્ય ,આર્ય -ઇન્ડોયુંરોપિયન, ઇન્ડોજર્મેનિક,ઇન્ડો આર્ય અને વિરોઝ્ના નામે ઓળખાતી હતી .

પ્રાચીન આર્ય ભાષા નાં બે મુખ્ય વિભાગો છે .એક `શતમ યુથ “એટલે કે એશિયા નો વિભાગ અને બીજો `કેન્તુમ યુથ ` એટલે યુરોપ નો વિભાગ .શતમ યુથ ભાષામાં શુદ્ધ આર્યો -ઇન્ડો ઈરાનીયન ,સ્લાવ ,બાલ્ટિક ,આર્મેનીયમ વગેરે ભાષાનો સમાવેશ થાય છે .કેન્તુમ યુથમાં ગ્રીક ,લેટીન ,જર્મન ,કેલ્ટિક અને તોખારીયન ભાષાઓ છે .શુદ્ધ આર્ય અથવા ઈરાનીયન વિભાગ માં ઈરાનીયન -ગાથા ,અવેસ્તિક ,દાર્દેરિક ,પૈશાચ અને ભારતી વેદિક -પ્રાકૃત ,ભારતી ની ત્રણ ભૂમિકા છે -સંસ્કૃત ,પ્રાકત અને અપભ્રંશ

સંસ્કૃતિ ત્રણ છે .વૈદિક સંસ્કૃત ,લૌકિક સંસ્કૃત અને પાણિનિયન નું શિયટ સંસ્કૃત, લૌકિક સંસ્કૃતમાની પ્રાકૃત ભાષામાં પાલી,અર્ધમાગધી ,પ્રાકૃતિ અશોક નાં શિલાલેખની ,મહારાષ્ટ્રી,શૌરસેની ,માગધી ,પૈશાચી,ચુલુંકા ,અપભ્રંશ વગેરે ભાષાઓનો ઉદભવ થયો આર્યાવર્ત ભારત ની હિન્દી ,ગુજરાતી ,બંગાળી,મરાઠી જેવી ભાષાઓ આદી ભગિની ભાષાઓ અપભ્રંશમાંથી ઉતારી આવી છે ગુજરાતની ગુજરાતી ભાષા આર્યકુળ ની ભાષાઓ સાથે સંબંધ ધરાવે છે આર્યવૃત-ભારતમાં ભાષા અને વાણીનો ગુજરાતી ભાષા જેવો વિસ્તાર ,વિશ્વ ની ભાષાઓ માં ભાગ્યેજ કોઈ ભાષામાં થયો હશે ,ગુજરાતના ઈતિહાસ માં -સાહિત્યમાં “ગુજરાત“શબ્દની વ્યુત્પત્તિઓ દર્શાવવામાં આવી છે ,પણ તેમાંથી એકે સંપર્ણ પ્રતીતીકારક નથી ,આ તમામ વ્યુત્પત્તિઓમાં ગુર્જર +રાષ્ટ્ર એટલે “ગુર્જર રાષ્ટ્ર “ગુર્જર પ્રજા ના રાષ્ટ્ર પરથી `ગુજરાત `નામનો ઉદભવ થયો હોવાનું સમર્થન છે .ગુજરાત નામનો ઉલ્લેખ ઈતિહાસ માં આરબ મુસાફરોએ ,અબુજૈદે ઈ.સ ૯૧૬ માં અલમસુદીએ ઈ.સ ૯૪૩ માં ને અલબરૂની એ કર્યો હોવાનો ઉલ્લેખ છે .તે સમયે ગુજરાતમાં ગર્જર પ્રજા વસતી હશે .આજ થી ૧૫૦૦ વર્ષ પહેલા દક્ષીણ ગુજરાત `લાટ` કે અપરાની નાં નામે અને ઉત્તર ગુજરાત `આનર્ત ` નાં નામે ઓળખાતા હોવાનું સમર્થન છે

અહી ક્લિક કરો ==ભાષાની સફર ==

ગુજરાતી સાહિત્ય માં ગુજરાતી સબ્દોનો પહેલવહેલો ઉપયોગ કવિ પ્રેમાનંદ ને કર્યો હોવાનો ગૌરવ છે .ભાલણે અપભ્રંશ અથવા ગુર્જર ભાષા જે માર્કંડરાય ગુર્જરી અપભ્રંશ કહેવાતી તેનો સાહિત્યમાં ઉપયોગ કર્યો છે .પ્રેમાનંદ નો યુગ ઈ.સ ૧૬૦૦ – ૧૭૦૦ મનાય છે .નરસિહ મહેતા ઈ.સ ૪૦૦-૫૦૦ અપભ્રંશ ગીરા અને અખાએ પ્રાકૃત ભાષાના શબ્દો થી સાહિત્ય શોભાવ્યું .ગુજરાતની ગુજરાતી ભાષાનું નામ ઈ.સ ૭૦૦ ની આસપાસ થી અપાયું હોવાની કેટલાક ઈતિહાસકારો નું ,સાહિત્યવિદોની માન્યતા છે .નરસિહ રાવ દિવેટિયા ગુજરાતી ભાષા નો આરંભ ૫૫૦ ગણાવે છે આપહેલા ગુજરાતી ભાષા બોલાતી હતી પરંતુ ગુજરાતી નાં નામે ઓળખાતી ન હતી .ઈ.સ ૧૦ મી -૧૧ મી થી શરુ થયેલી ગુર્જર અપભ્રંશ રૂપે શરુ થયેલી ગુજરાતી નો વિકાસ ત્રણ સ્વરૂપે જોઈ શકાય છે ,પ્રથમ ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી રૂપે અથવા મધ્યકાલીન ગુજરાતી રૂપે અને ત્રીજી અર્વાચીન ગુજરાતી રૂપે .આ ભાષાઓ ની ત્રણે ભૂમિકા વિષે જાણીએ ,

**ગુર્જર અપભ્રંશ ***



ઈ.સ ૧૦ મી -૧૧ મી સતક થી ૧૪ માં સતક સુધીમાંગુર્જ્જર અપભ્રંશ અથવા પ્રાચીન ગુજરાતી ભાષા બે વિભાગમાં મૂકી શકાય પ્રથમ ૧૧ મી સદી સુધી અને બીજો ૧૨ મી સદી થી ૧૪ મી સદીનાં પૂર્વાધ સુધી .ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી નું પ્રથમ દર્શન હેમચંદ્ર નાં પ્રાકૃત વ્યાકરણમાના અપભ્રંશ વિભાગના દુહાઓમાં અને પછીના વિભાગ નું દર્શન `ભરતેશ્વર બાહુ બલીરામ` (ઈ.સ ૧૧૮૫),`નેમિનાથ , ચતુંયપાદીકા `અને `આરાધનામાં `થાય છે

***મધ્યકાલીન ગુજરાતી ***



ઈ.સ ૧૪ મી સદીના ઉત્તરાર્ધથી ૧૭ મી સદીના પૂર્વાધ સુધીના ૭૫ વર્ષ નાં ચાર ઉપવિભાગ પાડી શકાય .૧૪ મી સદીમાંજે ગુજરાતી ભાષા ગુજરાત અને રાજસ્થાન માં બોલાતી તે લગભગ સરખી હતી.તેથી તે ભાષા “જૂની રાજસ્થાની “નાં નામે ઓળખાયી.આ બીજા ભાષાકીય વિભાગમાં આટલા ગ્રંથો માર્ગ સૂચક સ્થંભો તરીકે ગણાવી શકાય .નેમિનાથ ફાગુ ,મુગ્ધાવ બોધ ,ઔકિતક,વસંત વિલાસ ,ગૌતમ સ્વામી રાસ,કાન્હડદે પ્રબંધ ,કાદંબરી ,વિમલ પ્રબંધ અને નરસિહ -મીરાના ભજનો .

***અર્વાચીન ગુજરાતી ***



સત્તરમી સદીથી અત્યાર સુધીનો સમય અર્વાચીન ગુજરાતી તરીકે ઓળખાવી શકાય .પરમાનંદ ના ઓખાહરણથી અર્વાચીન ગુજરાતી ની શરૂઆત થઇ .અર્વાચીન ગુજરાતી બે વિભાગમાં પ્રથમ પ્રેમાનંદ થી દયારામ સુધીનો એટલે (ઈ.સ ૧૬૮૦-૧૮૫૦ ) સુધીનો અને બીજો નર્મદ થી અત્યાર સુધીનો એટલે (૧૮૫૦ થી આજ ) સુધીનો ગણાય ભાષાની અર્વાચીનતા પ્રેમાનંદ થી ૧૭ મી સદી થી સારું થઇ ગણાય .પરંતુ સાહિત્યિક દ્રષ્ટીએ ગુજરાતી સાહિત્યની અર્વાચીનતા નર્મદ યુગથી ગણાવી શકાય .ગુજરાતી સાહિત્ય ૧૦૦૦ વર્ષ જેટલું પ્રાચીન હોવાની માન્યતા છે .

ગુજર્ર અપભ્રંશ -પ્રાગહેમ યુગમાં ચંડનાં વ્યાકરણ `પ્રાકૃત લક્ષણ ` માં મળે છે ચંડ ઈ.સ ૫૦૦ થી ૧૦૦૦ નાં પ્રાકૃત લક્ષણ અનુસાર ૬ઠ્ઠી સદી માં થયો હોવાનો ઉલ્લેખ છે .અપભ્રંશ ગુજરાતીનો સૌથી જુનો સાહિત્ય નો નમુનો `વાસુદેવાહિંડી માંથી ` મળે છે આ જુના સાહિત્ય નો નમુનો ઈ.સ ૫૮૯ ની મનાય છે .ઉતોધન સૂરીની`કુવલય માલા ` માં (ઈ.સ ૭૭૯) કેટલાક અપભ્રંશ પદો છે જેમાં ૧૮ દેશો અને બધા દેશો ની ભાષાનો ઉલ્લેખ છે .તે સમય નાં ગુર્જરો વાતવાતમાં ‘ન ઉરે ભાલ્લઉં’ અર્થાત નાં ભલે તથા -“અમ્ન્હ્ કાઉ તુમ્હ “ અર્થાત હું કાઈ તમારા જેવો નથી.. એવી અપભ્રંશ ગુજરાતી ભાષાનો વાણીનો ઉપયોગ કરતા .ઈ.સ ૧૧૦૦ થી ૧૨૦૦ સુદી નાં સમય દરમિયાન સાહિત્યકાર `હેમચંદ્ર ` કેન્દ્ર સ્થાને હોવાથી તે યુગ ને હેમ યુગ નામ અપાયું .કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તેમના યુગના વિદ્રત શિરોમણી હતા .એટલી જ નહિ પણ સમગ્ર ઈતિહાસમાં તેમની વીદ્રુતા ને કોઈ ટપી શક્યું નહિ .છેલ્લા ૧૦૦૦ વર્ષ થી ઈતિહાસ માં ભારત માં હેમચન્દ્રાચાર્ય જેવો વિદ્વાન બીજો કોઈ થયો નથી સકળ શાસ્ત્રો નું જ્ઞાન તેમની કૃતિઓ માં જોવા મળે છે વિધાના ક્ષેત્રમાં તેમને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું

Wednesday, April 14, 2010

”બાળકની સ્વતંત્રતા”


એક વહેલી સવારે આંખ ખુલી ગઈ .આંખ  ખુલવાનુ કારણ આદતવશ તો નહોતુ જ, નહી કોઇ વહેલી સવારની પ્રભાતફેરીનો અવાજ .દુરથી  નજીક આવતો એક બાળકનો સતત રડવાનો અવાજ અને એ અવાજને દબાવી દે તેવો સ્ત્રૈણ છતાં કઠોર-કાનને ખુંચે તેવો અવાજ. પહેલાં તો સહેજ મનમાં  ફાળ ઉઠી કે કોઇ બાળકને ધાક- ધમકીથી પોતાને વશ કરવાનો પ્રયત્ન તો નથી કરી રહ્યુને ?કુતુહલવશ સહેજ બારીની બહાર નજર કરી .નજીક આવતા અવાજનો એક સ્પષ્ટ આકાર પણ નજરે પડવઆ લાગ્યો. પાંચ સાત વર્ષનું બાળક ,સહેજ અસ્ત-વ્યસ્ત થઈ ગયેલા સ્કુલ  ડ્રેસમાં મા ના પાશમાંથી છુટવા પ્રયત્ન કરતુ દેખાયુ .મા પરાણે બાળકને ઢસડીને  સ્કુલે મુકવા જવાની મથામણમાં હતી .જેમ જેમ બંન્ને પાસે આવતા ગયા તેમ અવાજો પણ સ્પષ્ટ થતા ગયા. બાળક માને કાકલુદી કરતુ હતુ ” મારે આજે સ્કુલે નથી જવુ.મારે આજે ઘેર રહેવું છે.” મા નો હઠાગ્રહ હતો ” ના કેમ જાય ? મારુ ચાલે તો તમે આખો દિવસ સ્કુલમાં જ બેસાડી રાખુ ” દ્રશ્ય અને અવાજ  બંન્ને  આંખ અને કાનને કઠતા હતાં.
મનમાં વિચાર આવ્યો . “આટલી કઠોરતા આટલો આગ્રહ જરૂરી છે ?” બાળકને પોતાને પણ પોતાની મરજી હોઇ શકેને? બાળક આપણું છે પણ એ સ્વતંત્ર આત્મા નથી? ભલેને એ હજુ અપરિક્વ છે છતાંય પોતાની કંઇક તો સમજ ,આગવી બુધ્ધિ તો હશેને? પોતાની અલગ રૂચિ , અભિપ્રાય,પોતાના આગ્રહો અને એ આગ્રહો પાછળ કોઇક તો પૂર્વગ્રહ પણ હશેને? ક્યારેક સ્કુલમાં કોઇ એવો અનુભવ થયો હશે કે એને જવા મન પાછું પડતું હશે.શુ ક્યારેય આપણે એ જાણવા કોશિશ કરી છે ખરી ? આપણે માની લઈએ છે કે આપણા ત્યાં જન્મેલુ બાળક આપણા અસ્તિત્વનો -આપણા વ્યક્તિત્વનો જ એક ભાગ છે માટે આપણુ વ્યક્તિત્વ એના પર થોપવાનો પ્રયત્ન કરીએ છીએ.
પણ ના , બાળકને પણ પોતાનુ મન ,વચન અને કાયા છે.પોતાની આવડત અને રીતભાત છે.એના પોતાના માન -સન્માન છે. ગુણ અને દુર્ગુણો પણ છે.એના પોતાના સંબંધો છે.માટે એ બાળકને પણ એઅના આગવા વ્યક્તિત્વથી સ્વીકારાય તે અત્યંત જરૂરી છે.કુંભારના ચાક પર અત્યંત કુશળ હાથોથી ઘડાઇને પાત્ર તૈયાર થાય તેટલીજ કુશળતાથી,તેટલીજ નાજુકાઇથી બાળકના મનને ,સંસ્કારોને, સ્વભાવને ઘાટ આપવાનો છે.એક કુશળ માળી જેમ અત્યંત કાળજીથી ગુલાબના રોપાને ઉછેરે છે તેટલીજ કાળજીથી તેના વ્યક્તિત્વને ઉછેરવાનું છે.આપણી રૂચિ,ગમા-અણગમા,અભિપ્રાયોને જો બાળક પર લાદવા જઈશું તો તેનું વ્યક્તિત્વ સ્વતંત્ર રીતે નહી ખીલે એના માટે જરૂરી છે કે આપણે આદર્શ મા-બાપ બનીએ. સંતાનો આપણે જેવું કહીશું એવા થવાના નથી ,પરંતુ આપણે જેવું કરતા હોઇશુ તેવું જ કરવાના છે.
જે ઘરમાં આદરપૂર્વકનો આવકાર હશે ત્યાં બાળક વિનયી બનશે. જે ઘરમાં મા-બાપ સ્વંય સવારે ઉઠીને ઇશ્વર પાસે મસ્તક નમાવતાં હશે કે પોતાના વડીલોને પગે લાગતા હશે ત્યાં એ બાળક પણ પોતાના મા-બાપની મર્યાદા સાચવનાર બનશે. મા-બાપનો વ્યવસ્થા પ્રેમ બાળકમાં શિસ્તબધતા લાવશે. માતા-પિતા શાંત હશે -ઘરમાં હળી મળીને ચર્ચા કરતાં અને નિર્ણય લેતાં હશે ત્યાં બાળકો પણ શાંત સ્વભાવના, પ્રસન્ન વ્યક્તિત્વના અને આત્મવિશ્વાસ ધરાવતા હશે.
બાળકને સમજવા જેટલી સહિષ્ણુતા જે ઘરમાં હશે તે બાળકમાં પણ  ધૈર્યના ગુણ વિકસશે.સલામતીનો અનુભવ બાળકમાં શ્રધ્ધા વધારવાનું કામ કરશે.ઘરનાં વાતાવરણમાં જો ડર , ભય ,કે ભ્રાંતિ અનુભવાશે તો બાળક ડરપોક બનશે.
ક્યારેક એવું બને કે ઘરમાં બીજા બાળકનું આગમન થવાનું હોય ત્યારે માતા-પિતા અથવા ઘરનાં  બીજા સદસ્ય એવું કહેતા જોવા મળશે કે ” હવે તો તારો ભાઇ કે બહેન આવશે એટલે તારે તારું બધુ  એને આપવું પડશે .” અમસ્તા કોઇ ઉદ્દેશ વગર કહેવાયેલી આવી વાત બાળકમાં ઇર્ષા , અદેખાઇ અને અંતે પોતાના સહોદર સાથે અળગાપણું ઉભુ કરનાર બનશે.
સામન્ય રીતે એવું જોવા મળે કે બાળકને ખોટી રીતે સમજાવી , ફોસલાવી એનું ધ્યાન બીજે વાળવાનો  પ્રયત્ન થતો હોય .એક એવો પરિવાર  જોયો કે જ્યાં સાવ નાના ત્રણ વર્ષના બાળકને  પણ સાવ સાચી હકીકત કહી સમજાવવામાં આવતું .કોઇ ખોટી રીતે ફોસલાવવાની વાત નહીં . પરિણામે બાળકને પણ માતા-પિતા  પ્રત્યેનો વિશ્વાસ સઘન બને . જે હકિકત છે તેનો સ્વીકાર કરી એ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા ખીલે.
અંતે કહો કે શરૂઆતથી કહો બાળકની સાચી શાળા જ ઘર છે અને સાચા  શિક્ષકો એ મા-બાપ જ છે .
“આ લેખ/આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા માટે લખ્યો અને 15/8/2009 ના પ્રગટ થયો.”

મોહનદાસ કરામચંદ ગાંધી ના વિચારો તેમજ કાર્યો થી પ્રભાવિત બરાક ઓબામા નું વક્તવ્ય.


૨-ઓક્ટોબર ૨૦૦૮
ગાંધી સેવાદિન



પ્રિય મિત્રો,
આજે સમગ્ર અમેરિકા અને વિશ્વભરમાં ઉજવતા મહાત્મા  ગાંધી ના જન્મ દિવસે તેમની સેવા – તેમના કાર્યો ના સ્મરણોત્સવ માં જોડાવા નો મને આનંદ છે.  લોકો ને એકત્રિત કરી ને શાંતિપુર્ણ રીતે પોતાની માંગણીઓ અને સામર્થ્યપુર્વક હકારાત્મક પરિવર્તનો લાવવાની ગાંધીજી ની પ્રતિબદ્ધતા આજે પણ એટલી જ સામર્થ્યશીલ છે.
તેમની શક્તિ અને અપ્રતિમ હીંમતના  ઉદાહરણે  લોકોમાં અત્યાચાર સામે લડવા , શાસન થી મુક્તિ મેળવવા ની ચિનગારી પેટાવી .તેમના સ્વતંત્રતા મેળવવાના સુત્રીકરણ માં અનેક વ્યુહરચનાઓ હતી પરંતુ ગાંધીજી એ ધાક સામે હિંમત નો માર્ગ અપનાવ્યો.
આપણે આજના સમય માં પડકારો નો સામનો કરવા જે પુરુષાર્થ કરી રહ્યા છીએ તે માટે અમેરિકા પાસે ઘણા વિકલ્પો છે ..આપણે પણ આપણી શક્તિ અને અટલ શ્રદ્ધાથી નવપ્રાપ્તિ ના ઉચ્ચ માર્ગ તેમજ નૈતિક નેત્રુત્વ માટે ની પરિસ્થિતિની પરિભાષા એ સંયુક્ત રાજ્ય ને – {યુનાઇટેડ સ્ટેટ } ને ઉચ્ચ કક્ષા એ મુક્યુ છે.
ગાંધીજી ના વિચારો સાર્વભૌમિક છે .વિશ્વભરના અગણિત લોકો તેમની શક્તિ અને ચારિત્ર્ય થી પ્રભાવિત છે.
તેમના સ્વાતંત્ર સંગ્રામ થી પ્રેરીત અમેરિકા ની યુવાન પેઢી સદીઓ થી ચાલ્યા આવતા પૂર્વ યુરોપ તેમજ દક્ષિણ આફ્રિકા ના સમાન હિતો પ્રત્યેની ઉદાસીન સમાજ રચના દૂર કરવા ના અધિકાર માટે શાંતિપૂર્ણ ક્રાંતિ તરફ દોરાયા છે. નેલ્સન મંડેલા ,દલાઈ લામા ,તેમજ ડો.માર્ટીન લ્યુથર કીંગે પોતાના વક્ત્યવમાં ગાંધીજી ના ભારે રૂણ નો સ્વીકાર કર્યો છે.  મારા કાર્યાલય માં મુકાયેલુ તેમનુ તૈલચિત્ર મને હંમેશા યાદ અપાવે છે કે સાચુ પરિવર્તન વોશિંગટન થી નથી આવવાનુ પણ એ ત્યારે જ આવશે જ્યારે લોકો તેને વોશિંટન સુધી લઈ આવશે.
આ ચુનાવ અતિ મહત્વનો નો છે. આ આપણા માટે પરિવર્તન નો સમય છે.આપણે એ જોવાનુ છે કે ઘણે દુર સુધી માં સામાન્ય  અમેરીકન નાના માં નાની વાત માટે વધુ માં વધુ મહેનત કરે.આપણે જોયુ છે કે વિશ્વ માં ક્ષીણ થતા જતા આપણા અસ્તિત્વ માટે યુધ્ધ માં  અમેરિકનો એ જીંદગી ગુમાવવી પડે તે માન્યતા ને વધુ સમય માટે સહન કરી શકાય નહી.હું માનુ છું કે પરિવર્તન માટે તમે સજાગ બનો , કાર્યશીલ બનો. ગાંધીજીની માન્યતા ને અનુરૂપ વિશ્વ ના પરિવર્તન માટે આજ રોજ થી જ  ૪ નવેમ્બર સુધી અને તેથી પણ આગળ વધી ને આપણી જાત ને ફરી સમર્પિત કરીએ.




આપનો વિશ્વાસુ
બરાક ઓબામા

Tuesday, April 6, 2010

MY EARNINGS PHOTOGRAPHS


મારા બગીચાના પુષ્પો


હાસ્યની અભિવ્યક્તિ


થ્રી સ્ટેપ સ્ટેચ્યુ

ભયની અભિવ્યક્તિ

શિયાળાની અભિવ્યક્તિ

વરસાદ સમયેની અભિવ્યક્તિ

ભિખારીનું સ્ટેચ્યુ


થ્રી સ્ટેપ સ્ટેચ્યુ



શૂન્ય માંથી સર્જન
(ચુના તથા કોલસામાંથી બનાવેલ રંગોળી)

વેલેનટાઇન ડે ની મેહફીલ

વિવિધ લગણીઓ

3 ઇડયડ


ઑલ ઈઝ વૅલ




આ દુનિયામાં વ્યસન પછીની બીજા નંબરની ગુલામી કદાચ ડિગ્રીઓની છે એમ કહી શકાય. વ્યસનનો નશો તો ક્યારેક ઊતરે છે અને માણસને સાચી પરિસ્થિતિનું ભાન થાય છે. પરંતુ ડિગ્રીઓ મેળવવાનો નશો એવો છે કે તે પેઢી દર પેઢી કાયમ બની રહે છે. ટનલની જેમ દરેક જણ એમાંથી પસાર થતા રહે છે. સંજોગોવશાત જો કોઈ વ્યક્તિ ભણી નથી શકતો અથવા તો અન્ય લોકો કરતાં સાવ જુદો માર્ગ લે છે તો તેનું કહેવાતા ભણેલા સભ્ય સમાજમાં કોઈ સ્થાન રહેતું નથી. અભણને સાવ નગણ્ય ગણવાની આ એકવીસમી સદીની નવી અસ્પૃશ્યતા છે.

મલ્ટીનેશનલ કંપનીઓ માટે મશીનો બનાવતી હોય એ રીતે ડિગ્રીધારીઓને તૈયાર કરે છે. દુનિયાની દોડમાં રહેવા અને આકર્ષક પગારના પેકેજો મેળવવા સિવાય જીવનનું કોઈ બીજું પાસું આ માનવ-મશીનો વિચારી શકતા નથી. ઊંચા પગારો છોડવાની હિંમત ન હોવાથી સાવ કંગાળ વિચારધારા અપનાવીને એક જગ્યાએ પડી રહેવાનું તેઓ મુનાસિબ માને છે. જેટલો વધારે પગાર એટલું જીવન સફળ !! જ્ઞાન મેળવવાની ભૂખ તો સાવ શૂન્ય જ થઈ જાય છે અને ઉપરથી ફિઝિક્સ ભણનારો એમ વિચારે છે કે મારે કેમેસ્ટ્રી સાથે શું લેવા દેવા ? સાહિત્ય ભણનારો એમ વિચારે છે કે મારે કોમ્પ્યુટર શીખીને શું કામ ? વિનોબા ભાવે, નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા જેવા શિક્ષણાચાર્યોએ વારંવાર કહ્યું છે કે જ્ઞાન કદી ખંડિત હોઈ શકે જ નહીં. બધું પરસ્પર જોડાયેલું છે અને એક સાથે અનેક વસ્તુઓને આત્મસાત કરવાની વિદ્યા કેળવવી એનું જ નામ જ્ઞાન. પણ કોઈને ક્યાં જ્ઞાન મેળવવું છે ? ભણવા માટે કોણ ભણે છે ? દષ્ટિ માત્ર કેમ્પસ ઈન્ટરવ્યૂના આકર્ષક પેકેજો પર રહેતી હોય છે.

સામાન્ય રીતે કોઈ પણ ક્ષેત્રમાં જો વ્યક્તિ સાવ જુદો માર્ગ અપનાવે એટલે એને સમાજનું ખૂબ સાંભળવાનું થતું હોય છે. એમાંય ઘેટાંની પાછળ ઘેટાંની જેમ ચાલનારા લોકો આપણને ડરાવવા હંમેશા તૈયાર બેઠાં હોય છે. કોઈ કશુંક નવું કરે એ ઘાંચીના બળદની પેઠે ગોળ ગોળ ફરતા લોકોથી સહન થઈ શકતું નથી હોતું. કોઈક તત્વચિંતકે કહ્યું છે કે જો તમારા કામની આલોચના થાય તો સમજવું કે તમારો માર્ગ એકદમ બરાબર છે ! કંઈક જુદું કરનારને ખૂબ સહન કરવું પડતું હોય છે. સંપૂર્ણ એકાગ્રતાથી કોઈક સાવ અલગ પ્રકારના કાર્યમાં ડૂબી જઈએ ત્યારે એમાંથી પ્રાપ્ત થતો આનંદ દુનિયાની સમજમાં આવતો નથી. એ આનંદ જ દુનિયાના વાકપ્રહારો સહન કરવાની શક્તિ આપતો હોય છે.

શિક્ષણજગતના મહાનુભાવોના કંઈક આ પ્રકારના વિચારોને કચકડે મઢીને તાજેતરમાં ‘3 ઈડિયટ્સ’ નામનું ચલચિત્ર પ્રદર્શિત કરાયું છે. અહીં એ ફિલ્મની વાર્તા કહેવાનો ઉપક્રમ નથી પરંતુ સ્વાભાવિક છે કે ત્રણ કલાકમાં ઘણી બધી વસ્તુઓ આવરી લેવાની હોય તેથી દશ્યો આંખ સામેથી ઝડપથી પસાર થઈ જતાં હોય છે. કોઈક બાબતે કશુંક વિચારીએ તે પહેલાં તો વાર્તા આગળ વધી જતી હોય છે. આથી, કેટલીક ફિલ્મોને કઈ રીતે જોવી અને સમજવી એ પણ એક કલા છે. ખાસ કરીને વિચારપ્રેરક ફિલ્મોના સંવાદો અને દ્રશ્યો થોડામાં ઘણું કહી જતાં હોય છે. જો એની પર બરાબર મનન ન થાય તો આપણે તેમાંથી મનોરંજન સિવાય બીજું કશું મેળવી શકતા નથી. પરિણામે ઘણું ગુમાવવાનું થાય છે. શિક્ષણને ક્યા અર્થમાં આત્મસાત કરવું એનો ખૂબ સુંદર સંદેશ આ ફિલ્મ આપે છે અને સાથે સાથે આજની શિક્ષણ વ્યવસ્થાની ભરપૂર ઠેકડી પણ ઉડાડે છે. આ ફિલ્મના દ્રશ્યો અને સંવાદોમાંથી પ્રાપ્ત થતાં વિચારોની અહીં એક યાદી આપવામાં આવી છે, જે ફિલ્મ જોનારને કે જેમણે ફિલ્મ જોયેલી હોય તેને પણ ઉપયોગી થઈ રહેશે તેવી આશા છે.

[1] સૌથી પહેલો સંદેશ પંચતંત્રની કથાઓ પર આધારિત છે. પંચતંત્રમાં કહેવાયું છે કે બળ કરતાં બુદ્ધિ વધે. જે બધા કરતાં કંઈક જુદુ વિચારે છે તે જ હકીકતે પોતાની બુદ્ધિનો સાચો ઉપયોગ કરી જાણે છે. આપત્તિના સમયમાં બુદ્ધિ કામ આવે છે. કૉલેજના રેગિંગને ડામવા માટે માત્ર કાગળો પર કાયદા ઘડવાથી કામ ચાલતું નથી. ત્યાં સામુહિક બળ પણ ચાલતું નથી. કળથી કામ લઈને આ દૂષણ ઊભું કરનારને બોધપાઠ ભણાવવાનો રહે છે.

[2] આ જ દ્રશ્ય બીજો એક બોધ આપ છે કે જ્ઞાનGF[ IF[uI p5IF[U YJF[ જોઈએ. આસપાસ પડેલ ચમચી, ફુટપટ્ટી અને વાયરનો ઉપયોગ કરીને શું બનાવી શકાય – એની ગણત્રી સેકંડોમાં થવી જોઈએ. જેની પાસે આ તીવ્રતા છે એનાથી બધા ભાગે છે. એને કોઈ પરેશાન કરી શકતું નથી.

[3] આજનું શિક્ષણ એવું પોપટિયું છે કે પ્રોફેસર જે બોલવાના હોય તે બાજુમાં ઈસ્ત્રીની લારી પર કામ કરતા શ્રમજીવી બાળકને પણ ખબર હોય છે ! કૉલેજોમાં પ્રોજેક્ટ અને પેપર્સ કોપી કરી આપવામાં આ આસિસ્ટન્ટો ‘ફિક્સ ચાર્જ’ લઈને વિદ્યાર્થીઓની સેવા કરતા હોય છે ! વળી, પ્રોફેસર ભણાવે ત્યારે સામાન્ય વિદ્યાર્થીઓને ‘આવું કેમ ?’ એવો પ્રશ્ન તો થતો જ નથી. જે કહેવામાં આવે છે તે કથાની જેમ સાંભળી લેવાય છે. પ્રશ્ન પૂછનારની સામે લોકો હસે છે.

[4] માણસ પોતાના જીવન દરમ્યાન સારા અને ખરાબ એમ બંને પ્રકારના કર્મો કરતો હોય છે. સારા કર્મો કરવાથી ખરાબ કર્મોમાં ખતમ નથી થઈ જતાં. ખરાબ કર્મોનું ખરાબ ફળ તો ભોગવવું જ પડે છે પરંતુ જો સારા કર્મોની માત્રા વધારે હોય તો ખરાબ કર્મો ભોગવવાની શક્તિ વધે છે. આંતરિક સહનશક્તિ મજબૂત બને છે. એ રીતે ‘ઑલ ઈઝ વેલ’ એમ બોલવાથી કંઈ આસપાસની પરિસ્થિતિ બદલાઈ જતી નથી. પરંતુ પ્રાપ્ત થયેલી પરિસ્થિતિને સહન કરવાની શક્તિ ચોક્કસ વધે છે.

[5] સફળતાની પાછળ શું કામ ભાગો છો ? પોતાનું કૌશલ્ય વધારો – સફળતા તમને શોધતી તમારી પાસે આવશે. – રણછોડ ચાંચડ (ફિલ્મનું મુખ્ય પાત્ર.)

[6] કૉલેજોમાં જ્ઞાન તો પ્રાપ્ત થતું જ નથી. માત્ર ગોખણપટ્ટીને પ્રાધાન્ય આપવામાં આવે છે. જે વધારે યાદ રાખી શકે છે તે મહાન છે ! જે વધુ માર્કસ લાવે છે, જેનો નંબર ઊંચો છે એ બધા કરતાં વધુ હોંશિયાર છે એમ માની લેવામાં આવે છે. આ સિસ્ટમ એવી સજ્જડ છે કે એને બદલી શકવાની કોઈનામાં હિંમત નથી.

[7] ઓછા માર્ક્સને કારણે વિદ્યાર્થી હીનભાવ અનુભવે છે, ડિપ્રેશનનો ભોગ બને છે અને છેક ત્યાં સુધી કે તે આત્મહત્યા પણ કરી બેસે છે. પરીક્ષાના માર્કસનું મહત્વ જીવંત વ્યક્તિ કરતાં પણ વધી જાય છે. એ પોતાના માટે નહીં પણ પોતાના માતાપિતાના સપનાં સાકાર કરવા જીવતો હોય છે. એ સપનાં પણ સમાજમાં સ્ટેટ્સ મેળવવાના, પૈસા કમાવવાના, દહેજમાં મારુતી-800 ગાડી આપવાનાં હોઈ શકે છે.

[8] સાવ અલગ રીતે જીવનાર વ્યક્તિ દુનિયાની પરવા કરતો નથી. એ એવા શબ્દોની ખોજ કરે છે જે ડિક્ષનેરીમાં હોતા નથી. પુસ્તકીયા કીડાઓ હજારો પાનાં ફેરવી લે તો પણ એનો અર્થ પામી શકતા નથી. એ આ દુનિયામાં નવા શબ્દોને જન્મ આપે છે. જેમ કે ગાંધીજી એ ‘સત્યાગ્રહ’, વિનોબાજીએ ‘ભૂદાન’, ‘શાંતિસેના’ વગેરે સાવ નવા જ શબ્દોની ખોજ કરી. આ પ્રકારનો વ્યક્તિ સાચું શિક્ષણ આપી શકે છે. એ પુસ્તકીયું ન રહેતાં અનુભવજન્ય બને છે. સાચો શિક્ષક જ્ઞાન આપતો નથી, જ્ઞાનની ભૂખ પેદા કરે છે.

[9] મૂળમાં જો નવું શીખવાની તાલાવેલી હોય તો અભ્યાસક્રમ આસાનીથી ભણી લેવાય છે. અન્ય પ્રવૃત્તિઓમાં આગળ રહેનાર વ્યક્તિ અભ્યાસમાં નબળો રહી જશે તો ? એવી એક ભ્રામક માન્યતા પ્રવર્તતી હોય છે. પરંતુ જે હકીકતે હોંશિયાર છે એ તો બધું જ થોડા સમયમાં શીખીને ધાર્યો નંબર મેળવી શકે છે. સ્વામી વિવેકાનંદ જેમ આખે આખું પુસ્તક યાદ રાખી શકતા હતા એમ.

[10] અંગ્રેજીમાં એક શબ્દ છે : ‘Decision Making’ ચપળતાથી જીવનારો માનવી સામાન્ય વ્યક્તિઓ કરતાં ખૂબ ઝડપી નિર્ણય લઈ શકતો હોય છે. કોઈ બિમાર લકવાગ્રસ્ત માનવીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાનો હોય ત્યારે પ્રાપ્ય સાધનોમાંથી તાત્કાલિક શું ઉકેલ કાઢી શકાય તેની કોઠાસૂઝ એનામાં આપો આપ વિકસે છે. આ નિર્ણયશક્તિ જુદા જુદા સંજોગોનો સામનો કરવામાંથી કેળવી શકાય છે.

[11] આજનો માનવી હકીકતે માનવીને પ્રેમ કરે છે ખરો ? એ તો ક્યારેક વસ્તુઓને જ પ્રેમ કરતો હોય છે. લાખોના ઘડિયાળ, બૂટ અને કરોડોના ડ્રેસનું મૂલ્ય માણસની લાગણીઓથી વધી જાય છે. કહેવાતા પ્રેમ પાછળ ‘લાઈફ પાર્ટનર’ બનવાની ઓછી અને ‘બિઝનેસ પાર્ટનર’ બનવાની મહત્વાકાંક્ષા વધુ હોય છે. જ્યારે એ પદ કે પ્રતિષ્ઠાને નુકશાન પહોંચે છે ત્યારે બધો જ પ્રેમ એક ક્ષણમાં આપોઆપ ઓસરી જાય છે અને વ્યક્તિનું મૂળ સ્વરૂપ સામે આવે છે.

[12] જ્ઞાન એટલે સવારથી ઊઠીને રાત સુધી સતત કંઈક નવું નવું શીખવાની ધગશ અને તાલાવેલી. ‘આ મારું ફિલ્ડ નથી…’ એમ માનવું એ જ અજ્ઞાનતાની નિશાની છે. જ્ઞાનપિપાસુ વ્યક્તિને ભાષા, દેશ, કાળ કે વિષયોની કોઈ મર્યાદા નડતી નથી. એના જ્ઞાનનો સતત ઉપયોગ થતો રહે છે અને એ ઉપયોગથી એને સતત નવું નવું જ્ઞાન પ્રાપ્ત થતું રહે છે. એ વેક્યુમ-ક્લિનરથી પ્રસુતિ પણ કરાવી શકે છે અને ગાડીની બેટરી વડે ઈન્વર્ટર પણ બનાવી શકે છે. ‘મારું તો બસ આ એક જ કામ’ એવી એને કોઈ મર્યાદા હોતી નથી.

[13] કેટલાક લોકો એવા હોય છે કે જે બે-ચાર ડિગ્રીઓ લે છે. પહેલાં એન્જિનિયરિંગ કરશે, પછી એમ.બી.એ કરશે અને પછી પરદેશની બેન્કમાં જઈને નોકરીમાં બેસી જશે. અલ્યા ભઈ, તારે બેન્કની નોકરી જ કરવી હતી તો તેં એન્જિનિયરિંગ શા માટે કર્યું ? – રણછોડ ચાંચડ (ફિલ્મનો એક સંવાદ)

[14] સાવ અલગ રીતે જીવનાર વ્યક્તિ કમાશે શું ? ખાશે શું ? – આવા ફાલતુ પ્રશ્નો ટોળામાં જીવનારને હંમેશા થતાં હોય છે. સંશોધનમાં ડૂબેલા સાહસિકને આવી ચિંતાઓ કદી સતાવતી નથી. ‘જેવા પડશે એવા દેવાશે’ એવી મકક્મતાથી એ જીવી લેતો હોય છે અને પરિણામે અન્ય લોકો કરતાં પણ એ સારું પદ અને પ્રતિષ્ઠા સમાજમાં આપોઆપ મેળવી શકતો હોય છે. એની એકાગ્રતા અને એનું કામ ક્યારેક એને સમાજમાં સર્વોચ્ચ સ્થાને મૂકી આપે છે. પણ હા, એની માટે એને ધીરજ કેળવવાની રહે છે.

[15] સફળતા એટલે માત્ર પદ અને પ્રતિષ્ઠા અને ઊંચો પગાર નહીં. હકીકતે કહેવાતો સફળ વ્યક્તિ કોઈક સાવ નાના કામમાં પરોવાઈને પોતાની ક્ષમતાનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરતો હોય છે. એની સફળતા દુનિયાના લોકોને દેખાડવા માટે નથી હોતી. એ તો લડાખના કોઈ ઉત્તુંગ પહાડી શિખરો વચ્ચે પોતાની મનગમતી પ્રવૃત્તિમાં મગ્ન બની જાય છે. દુનિયાની એને પરવા હોતી નથી અને દુનિયા એની કદર કરે એવી પણ તે ઈચ્છા રાખતો નથી. પ્રકૃતિના ખોળે એ કામમાં મગ્ન બનીને રહે છે. હકીકતે એના માટે કોઈ કામ નાનું કે મોટું હોતું નથી.

[16] એ બધું તો ઠીક, પણ આવા ઓલિયાને કન્યા કોણ દેશે ? – પોતાના કાર્યમાં સંતુષ્ઠ વ્યક્તિને કન્યા શોધવા જવું પડતું નથી, કન્યા જ એને હિમાલયની ટોચેથી પણ શોધી કાઢે છે. એ ડિગ્રીઓનો ઉપયોગ યોગ્ય પાત્ર મેળવવા ક્યારેય કરતો નથી. એને માટે ડિગ્રીઓએ સામાજીક મોભાનું સાધન નથી.

[17] જે બહુ કુશળતાથી તમામ વ્યાખ્યાઓ અને આખે આખા પાનાંઓ યાદ રાખી શકે છે એવા ગોખણિયા વિદ્યાર્થીની ક્યારેક દયનીય હાલત થતી હોય છે. સમજ્યા વગરની ગોખણપટ્ટી ક્યારેક એવી મુસીબત નોંતરે છે કે વિદ્યાર્થી હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ જાય છે. પોપટની જેમ ગોખેલા વક્તવ્યમાં કેટલાંક શબ્દો બદલાઈ જવાથી અર્થનો અનર્થ સર્જાય છે અને પરિસ્થિતિ બેકાબૂ બને છે. ક્યારેક પોતે ખોદેલા ખાડામાં પોતાને જ પડવાનો વારો આવે છે.

[18] જીવનમાં માણસે પોતાને મનગમતા ક્ષેત્રમાં જ આગળ જવાનું પ્રાધાન્ય રાખવું જોઈએ. એ પછી ભલે ને વાઈલ્ડ-લાઈફ ફોટોગ્રાફી જેવું સાવ અલગ ક્ષેત્ર જ કેમ ન હોય ! સચિન તેંડુલકર સંગીતમાં ગયો હોત અને લતામંગેશકરે સ્પોર્ટ્સ લીધું હોત તો આપણે બેઉને ગુમાવ્યાં હોત ! કોઈ પણ ક્ષેત્ર બહારથી ભલે નાનું લાગતું હોય, તમારી આવડત તેને આપોઆપ મોટું બનાવી દે છે અને ક્યારેક તો દુનિયામાં સાવ નવા જ માર્ગનું એ રીતે નિર્માણ થતું હોય છે. અભ્યાસની લાઈન દુનિયાના પ્રવાહો કે માતાપિતાના આગ્રહો પર આધારિત ન હોવી જોઈએ. પ્રેમથી બધાને સમજાવીને પોતાના મનગમતા ક્ષેત્રમાં યાહોમ કરીને ઝંપલાવવું જોઈએ. ભલે દુનિયા તમારા નિર્ણયની કદર નહીં કરે, પણ so what ?

[19] ઘણા લોકો એવું માને છે કે આ પ્રકારની વિચારધારાથી મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી નહીં મળે તો ? પરંતુ એ યાદ રાખવું જોઈએ કે કંપનીઓને ટેવ આપણે જ પાડીએ છીએ. જાગૃત વ્યક્તિ પોતાની આવડતથી કોઈ પણ પરિસ્થિતિને પાર પાડી શકે છે. એવા વ્યક્તિને મલ્ટિનેશનલ કંપનીઓ સામેથી પૂછે છે કે ‘તમે કેટલો પગાર લેશો ?’ દુનિયાની દષ્ટિએ બહુ મોટી ગણાતી સિદ્ધિઓ તો આ પ્રકારના વ્યક્તિને ચપટી વગાડતાં સહેલાઈથી મળી જતી હોય છે.


ટૂંકમાં ‘आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:’ એટલે કે અમને દશે દિશામાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ. અમારી જ્ઞાની ભૂખ સતત તીવ્ર બને અને જીવનમાં નવો પંથ કંડારવા અમે સતત સાહસિક બનીએ એવી આપણી ઔપનિષદીય વિચારધારા છે. શિક્ષણનો મૂળ હેતુ પણ જ્ઞાનની ભૂખ જગાડવાનો જ હોવો જોઈએ. પરંતુ સાંપ્રત સમયમાં એ કંઈક ભૂલાતો જતો હોય એમ લાગે છે. પૈસો, પદ અને પ્રતિષ્ઠાની દોડમાં સર્જનાત્મક જીવન વિસરાતું જાય છે. છેક ત્યાં સુધી કે જો આસપાસમાં કોઈ સર્જનાત્મક વિચારે તો દુનિયા એને પાગલ ગણે છે ! પરંતુ લાંબેગાળે દુનિયાના પટ પર એ આપોઆપ સ્પષ્ટ થઈ જ જાય છે કે કોણ સફળ છે અને કોણ નિષ્ફળ. આ કેન્દ્રવર્તી વિચારને ધ્યાનમાં રાખીને કેટલીક બાબતો બાદ કરતાં એકંદરે ફિલ્મ જોવા જેવી ખરી !


ચેકડેમની મુલાકાત




ધીરજ રાખો બાળકો , ચેકડેમ આવે જ છે.


ચેકડેમ પર બાવળની સીંગો ખાઇ ને મજા માણતા બાળકો


ધીરે, કમર લચકી ન જાય?


શું ચેકડેમને લપસીયા મનો છો.?


વાહ! શું સ્ટેચ્યુ બનાવ્યું.

રમત રમતા બાળકો

ડેમની સફર વસુલ ,સ્કુલમાં ઉપયોગી ગુંદર પણ સાથે લેશો.
બહુ આનંદ માણ્યો, ચાલો ઘરે.