Thursday, July 28, 2011

Gujarati Newspapers


1ગુજરાત ટાઇમ્સhttp://www.gujarattimesusa.com/
2દિવ્ય ભાસ્કરhttp://www.divyabhaskar.co.in
3કચ્છમિત્રhttp://www.kutchmitradaily.com
4મુંબઈ સમાચારhttp://bombaysamachar.com/new/
5ગુજરાત સમાચારhttp://www.gujaratsamachar.com/
6સંદેશhttp://www.sandesh.com
7અકિલાhttp://www.akilanews.com
8સમભાવ મેટ્રોhttp://www.sambhaav.com
9ગુજરાતી ન્યૂઝ યુ.કે.http://www.gujaratinews.co.uk
10જન્મભૂમિhttp://www.janmabhoominewspapers.com

સામયીકોની PDFs


શીવામ્બુ

( શીવામ્બુ ચીકીત્સાનું વાચન – વડોદરા)


સદ્ ભાવના સાધના

( ગાંધીવીચાર આધારીત વાચન – મુંબઈ)


The Holistic Healer

(અંગ્રેજીમાં આરોગ્ય–વાચન – મુંબઈ)


Holistic Healing Helps

(અંગ્રેજી,હીન્દી,ગુજરાતીમાં આરોગ્ય, મુંબઈ)


સર્વાંગી, સ્વાશ્રયી, સ્વાસ્થ્ય.

(તનમનનું સ્વાસ્થ્ય ગુજરાતીમાં – મુંબઈ)

નયા માર્ગ

( વંચીતોની વાતોનું વૈચારીક સામયીક – અમદાવાદ)



      જુગલકીશોર (અમદાવાદ)                  ઉત્તમભાઈ ગજજર (સુરત)

<jjugalkishor@gmail.com> <uttamgajjar@gmail.com>


 





 


ગુજરાતનો ઈતીહાસ (14): મહમુદ ગઝનીની સોમનાથ પર ચઢાઈ
આલેખક: હરીશભાઈ દવે
. . . . . . . . . . . .
અગીયારમી સદીનો પુર્વાર્ધ.
પ્રભાસપાટણ સોમનાથની સમૃદ્ધીની વાતો જગતભરમાં ફેલાઈ હતી.
પ્રભાસ તે સમયે ભારતવર્ષના પશ્ચીમ કીનારાનું અગત્યનું બંદર હતું. અહીંથી આફ્રીકા અને ચીન સાથે દરીયાઈ વ્યાપાર ચાલતો.

નાનકડા ભૂલકાંઓની માતાપિતાને પ્રાર્થના…


૧)મારા હાથ ઘણા નાના છે.હું મારી પથારી પાથરું,ચિત્ર દોરું કે દડો ફેંકું તેમા મારી પાસેથી બહુ ઊંચી અપેક્ષાઓ ના રાખો. મારા પગ નાના છે મહેરબાની કરીને થોડા ધીમે ચાલો જેથી હું તમારી સાથે ચાલી શકું.

૨)તમે જેવી અને જેટલી દુનિયા જોઈ છે તે મારી આંખોએ નથી જોઈ તેથી મને સલામતી સાથે તે જોવા દો.મને બીનજરૂરી રોકો નહીં…હા હું કાંઈ ન જોવાનું જોતો હોઉં તો અચૂક મને સમજાવો.
૩)ઘરનું કામ તો હંમેશા હશે જ.હું બહુ ઓછા સમય માટે નાનો રહેવાનો છું.મને ખૂબ પ્રેમથી આ અદભૂત દુનિયાની માહિતી આપો.
૪)મારી લાગણીઓ ખૂબ નાજુક છે.મારી જરૂરિયાતો માટે લાગણીશીલ રહો.હંમેશાં મને “ના” ન ક્હો.હું તમારી સાથે અમુક રીતે વર્તું એવું જો તમે ચાહતા હો તો તમે પણ મારી સાથે તે રીતે જ વર્તો.હા, હું ખોટી માગણી કરૂં તો રોકો જરૂર.
૫)તમને ભગવાને આપેલી ખાસ ભેટ તે હું છું.ઈશ્વરે તમને આ અમૂલ્ય ખજાનો આપ્યો છે તેનું જાળવીને જતન કરો.મારા સારા કામોને બિરદાવો,મને સાચી દિશામાં જીવવા માટે માર્ગદર્શન આપો.અને પ્રેમથી શિસ્તના પાઠ ભણાવો.હું જરૂર ભણીશ કેમકે તમને હું ખૂબ ચાહું છું.
૬)મારે વિકાસ માટે તમારા પ્રોત્સાહનની જરૂર છે.ભૂલો કાઢવામાં કાળજી રાખો.યાદ રાખો કે તમે હું જે કરું તેમાં ભૂલો કાઢો પણ મારામાં ભૂલો ના શોધો.
૭)મારા માટે નિર્ણયો લેવાની મને સ્વતંત્રતા આપો.મને નિષ્ફળ થવા દો જેથી હું મારી ભૂલોમાંથી બોધપાઠ લઈ સાચું શીખું.તો જ કોઈક દિવસ જીવનમાં જ્યારે જરૂર પડે ત્યારે સાચા નિર્ણયો લેવા હું તૈયાર બનીશ.
૮)મારી પાસેથી અતિશય અપેક્ષાઓ ન રાખો.મને એવું ન લાગવા દો કે હું તમારી અપેક્ષાઓને પૂરી નથી કરી શકતો.મારા વહાલા ભાઈઓ અને બહેનો સાથે મારી સરખામણી ના કરો.આમ કરવાથી તમે અમારું હિત નહીં પણ અહિત કરો છો.
૯)તમે બંને સાથે કોઈક શનિ-રવિવારે ફરવા જાઓ અને અમને ભાઈબહેનોને સાથે બહાર ફરવા જવા દો.તેમાં ડરો નહીં.માતાપિતાને બાળકોથી અને બાળકોને મતાપિતાથી વેકેશન જોઈએ છે.સાથે સાથે અમને બાળકોને એવુ લાગવા દો કે અમારા માતાપિતાના લગ્ન એ વિશષ્ટ છે.
૧૦)મને દર રવિવારે નિયમિત રીતે મંદિરે લઈ જાઓ અને ક્યારેક સત્સંગમાં લઈ જાઓ અને મારા માટે સારું ઉદાહરણ પૂરૂં પાડો જેથી જીવનમાં હું તેને અમલમાં મૂકી શકું.મને ઈશ્વરમાં શ્રદ્દ્ધા છે અને ભગવાન વિષે હુ જાણવા માગું છું.

abdul-kalam.jpg
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો….
નિષ્ફળતાને સફળતાનું પહેલું પગથિયું કહેવાય છે.
વિજેતા તે નથી કે જે કદી પણ નિષ્ફળ ન થયો હોય….પણ વિજેતા તે છે કે જેણે કદી ભાગતો નથી(છોડતોનથી)….

ધન્ય છે આ આગવી સૂઝને


પ્રસિધ્ધ ઉદ્યોગપતિ અને દાનવીર એવા એન્ડ્રુ કાર્નેગીને કોણ નહીં ઓળખતું હોય?તેમનો જન્મ ૧૮૩૫ માં સ્કોટલેન્ડમાં થયો અને મૃત્યુ ૧૯૧૯ માં.તેમનામાં નાનપણથી જ બીજા લોકોને અને તેમની જરૂરિયાતોને સમજવાની અસાધારણ સૂઝ હતી.બાળપણમાં તેમણે એક સસલી પાળી હતી.તેનાથી ઘણા બચ્ચાં ઉત્પન્ન થયા.હવે આટલા બધા બચ્ચાંઓને પાળવા કઈ રીતે અને તેમને ખવડાવવા કેટલો બધો ખોરાક જોઈએ? બાળક એન્ડ્રુએ તેનો ઉપાય શોધી કાઢ્યો.તેણે પાડોશમાં રહેતા પોતાના મિત્રોને બોલાવ્યા અને તેમને સસલા રમાડવાની ટેવ પાડી,પછી ધીમેથી તેમની પાસે દાણા મંગાવ્યા અને બચ્ચાંને ખવડાવવાનું શરૂ કર્યું.હજી આગળ તેમણે દરેક મિત્રના નામ પરથી બચ્ચાનું નામ પાડ્યું અને દરેકે પોતાના નામધારી બચ્ચાનું જતન કરવાનું.બાળકો હોંશેહોંશે પોતાના નામધારી બચ્ચાને ખવડાવવા અને તેમનું જતન કરવા લાગ્યા.બોલો કેવો સરસ ઉપાય???
એન્ડ્રુ કાર્નેગી ૧૩ વર્ષની ઉંમરે અમેરિકા ગયા.આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે અભ્યાસ માટેની સગવડ ન થઈ શકી અને ખૂબ ઓછું ભણી શક્યા.ત્યારબાદ તાર ઓફિસમાં મામૂલી નોકરી કરવા લાગ્યા.તેમની નિષ્ઠા,ધીરજ,વફાદારી અને આગવી સૂઝને કારણે તેઓ પેન્સિલવેનિયામાં રેલ્વેના પશ્ચિમ વિભાગના વડા નિયુક્ત થયા.તેમણે સૌ પ્રથમ રેલ્વેમાં સ્લીપર કોચની વ્યવસ્થા કરી.જેમજે તેઓ ઉદ્યોગોનો અભ્યાસ કરતા ગયા તેમતેમ તેમને લાગ્યું કે ભવિષ્યમાં લોખંડ અને પોલાદની વધુ જરૂર ઉભી થશે.તેની માંગ વધશે.આથી તેમણે ઉદ્યોગમાં ઝંપલાવ્યું.તેઓ પેન્સિલવેનિયાના રેલરોડને પોતાનું સ્ટીલ વચવા માંગતા હતા.આથી પિટ્સબર્ગમાં તમણે એક નવી સ્ટીલમીલ શરૂ કરી.તેનું નામ રાખ્યું જે.એડગર થોમ્સન સ્ટીલ વર્ક્સ આવું નામ કેમ???
કારણકે તે સમયે જે.એડગર થોમ્સન પેન્સિલવેનિયાના રેલરોડનાં પ્રેસિડન્ટ હતા.તેઓ તો પોતાને મળેલા આ સન્માનથી એટલા પ્રાભાવિત થયા કે એમને જેટલું જરૂરી હતું તે બધું જ સ્ટીલ તેમણે એન્ડ્રુ પાસેથી જ ખરીદ્યું.
બીજાના જીવનમાં શું જરૂરી છે તે જાણીને કામ કરવાની કાર્નેગીની સૂઝે તેમને વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ તરીકે પ્રસ્થાપિત કર્યા.
બાલમિત્રો,આપણામાં પણ આવી જ શક્તિઓ હોય છે જ માત્ર તેને હચમચાવીને જગાડવાની છે.
આશા રાખીએ કે તમે પણ આવી જ સિધ્ધિ હાંસલ કરો.

શિક્ષિકાના આંસુ


એક સોમાવારે એક શિક્ષિકાએ તેના વર્ગમાં દરેક બાળકને બે કોરા કાગળો લેવાનું કહ્યું અને તેના પર વર્ગનાં તમામ વિદ્યાર્થીઓનાં નામ એકની નીચે એક એમ લખવાનું કહ્યું તેમાં પોતાનું નામ ન લખવા પણ જણાવ્યું અને કહ્યું કે દરેક નામની નીચે બે ત્રણ લીટી જેટલી જગ્યા રાખે.પછી તેમણે જણાવ્યું કે હવે દરેક વિદ્યાર્થીનાં બે-ત્રણ સારા ગુણો તેમાં લખો અને તમને તે વિદ્યાર્થી કેમ ગમે છે? તે જણાવો અને મને તે કાગળ પાછું આપો.પીરીયડ પૂરો થતાં શિક્ષિકાએ બધાની પાસેથી કાગળો ભગા કર્યા અને શનિવારે દરેકને કાગળ મળે તે રીતે વહેંચ્યા.દરેક કાગળ પર જે-તે વિદ્યાર્થીનું નામ હતું અને તેનામાં બીજા વિદ્યાર્થીઓએ શું સારું જોયું તેની નોંધ હતી.બધા જ વિદ્યાર્થીઓ “ખરેખર? મારામાં આટલા બધા સારા ગુણ છે? મને મારા વર્ગના આટલા બધા વિદ્યાર્થીઓ ચાહે છે?” એમ બોલીને આનદિત થઈ ગયા.
આ પછી શિક્ષિકાએ કે વિદ્યાર્થીઓએ ક્યારેય તેની ચર્ચા કરી નહીં, વાલીઓએ પણ આ માટે કાંઈ ચર્ચા ન કરી.માત્ર વિદ્યાર્થીઓ પોતાની જાતથી, અન્ય વિદ્યાર્થીઓથી અને આખો સમુહ એકમેકથી ખૂબ રાજી હતા.કેટલાય વર્ષો પછી આ સમુહમાંનો મલય નામનો એક વિદ્યાર્થી યુધ્ધમાં મૃત્યુ પામ્યો.આ શિક્ષિકા તેના અંતિમ સંસ્કાર વખતે વિદ્યાર્થીના ઘેર ગઈ.તેણે જોયું કે આ વિદ્યાર્થીના અંતિમ સંસ્કાર માટે વર્ષો પહેલાંના તે વર્ગના તમામ વિદ્યાર્થીઓ હાજર હતા.તેને અગ્નિસંસ્કાર માટે લઈ જાય તે પહેલાં મલયના એક મિત્ર સૈનિકે તે શિક્ષિકાને કહ્યું.”તમે જ મલયના ગણિતના શિક્ષિકા હતાને? મલય તમારી વારંવાર ખૂબ વાતો કરતો હતો.” મલયને અગ્નિસંસ્કાર આપ્યા પછી પાછા ફરેલા મલયના માતા-પિતાએ તે શિક્ષિકાની પાસે જઈ કહ્યું,”બહેન, એક મિનિટ જરા આ જુઓ તો…”.તેમણે નકશીકામ કરેલી એક લાકડાની નાની ડબ્બી ખોલી અને તેમાંથી એક કાગળ કાઢ્યો.જેમાં પેલો વર્ષો પહેલાનો કાગ હતો. તેના માટે તેના મિત્રોએ લખેલી વિગતો…શિક્ષિકાની આંખોમાં આંસુ આવી ગયા.મલયના તમામ મિત્રો બોલી ઉઠ્યા,” અમે પણ અમારા માટે લખાયેલ કાગળો સાચવી રાખ્યા છે.બહેન અમે તમને ખૂબ જ ચાહીએ છીએ.તમને અત્યંત આદરભાવથી પૂજીએ છીએ.અમારા આખાય અભ્યાસકાળ દરિમયાન એક માત્ર તમે જ અમને ભાન કરાવ્યું કે અમારામાં ઢગલાબ્ંધ સારા ગુણો છે.ત્યાર પછી અમે અમારામાં રહેલા અવગુણો જોવાનું શરૂ કર્યું અને તેને શક્ય તેટલા દૂર કરવાનો પ્રયત્ન કર્યો.અમે તમારા ખૂબ આભારી છીએ.
શિક્ષિકાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા.વર્ગમાં કરેલા એક નાનકડા પ્રયોગની કેટલી ગાઢ અસર થઈ હતી!!!!!!!!!!!! દરેકમાં ઘણા બધા સારા ગુણો હોય છે જ. આપણે કોઈનાય ખરાબ ગુણો જોવાને બદલે માત્ર તેનામાં રહેલા સારા ગુણો જોવાનું શરૂ કરીએ તો બધાને માટે જીવન સુખમય બની જાય.ચોમેર આન્ંદ,પ્રેમ,એકમેકના માટે સાચી લાગણી છવાયેલી જોવા મળે…..

સાચી શ્રધ્ધાંજલિ


૧૫મી સદીમાં ન્યુરેનબેર્ગ પાસેના એક ગામમાં એક ડ્યુરર કુટુંબમાં ૧૮ બાળકો હતા. આ ૧૮ બાળકોને માત્ર બે ટાઈમનું ભોજન પૂરું પાડવા માટે તેમના પિતા કે જે એક સોની હતા તેમને દિવસના ૧૮ કલાક કામ કરવું પડતું. તેમના સૌથી મોટા બે દીકરાઓ અલ્બ્રેક અને આલ્બર્ટનું સ્વપ્ન હતું કે ખૂબ ભણીને, કળામાં પોતાની તેજસ્વીતા પ્રગટ કરવી. પણ ઘરની કંગાળ હાલત જોતાં આ સ્વપ્ન ક્યારેય સાર્થક થાય તેવું લાગતું ન હતું. તેઓ ખૂબ સારી રીતે જાણતા હતા કે તેમના પિતા એવા આર્થિક રીતે સધ્ધર ન હતા કે તેમને ન્યુરેનબર્ગની કલાની એકેડેમીમાં (સંસ્થામાં) આગળ અભ્યાસ માટે મોકલી શકે.

વહાલા બાળકને…..


ભગવાન એક નાનકડા બાળકને કહે છે……..
તું સવારે પથારીમાંથી ઉઠ્યો ત્યારે હું તારા ઓશિકા પાસે જ ઉભો હતો. મને થયું તું મને યાદ કરીશ્ પણ તું ઉતાવળમાં હતો કેમેકે ઉઠવામાં મોડું થઈ ગયું હતું મને થયું કશો વાંધો નહીં … તું મારું નાનકડું બાળક છે. તું તારા સવારના નિત્યકર્મ પતાવી ટેબલ પર નાસ્તો કરવા બેઠો ત્યારે મને થયું તું મને યાદ કરીશ.પણ તારે સ્કુલે જવાનું મોડુ થતું હતું એટલે તું મને ભૂલી ગયો. સ્કુલમાં ગયો ત્યારે પ્રાર્થના પૂરી થઈ ગઈ હતી. તું તે સમયે પણ મને યાદ ના કરી શક્યો. સ્કુલથી ઘેર આવી જમવા બેઠે ત્યારે મને થયું આ વખતે તો તું મને યાદ કરીશ જ પણ તને સખત ભૂખ લાગી હતી એટલે તું ઝડપથી જમવા માંડ્યો અને મને ભૂલી ગયો. સાંજે નાસ્તો કરતી વખતે મને થયું તું કદાચ મને યાદ કરીશ પણ તારા દોસ્તો બહારથી તને રમવા માટે બોલાવતા હતા એટલે તારો જીવ રમવામાં હતો અને મને તું ભૂલી ગયો. રાત્રે જમવા માટે જ્યારે બધા ખુરશી પર ગોઠવાયા ત્યારે મને થયું કે આ વખતે તો તું જરૂર મને યાદ કરીશ જ. પણ તું રમીને આવ્યો હતો એટલે સખત ભૂખ્યો થયો હતો અને મમ્મીએ સરસ જમવાનું બનાવ્યું હતું એટલે તું ફટાફટ જમવા લાગ્યો અને મને ભૂલી ગયો. રાત્રે તું પથારીમાં સુવા ગયો ત્યારે મને થયું હવે તો તું મને યાદ કરીશ જ્ પણ તને સખત ઉંઘ આવતી હતી એટલે તું તરત જ સુઈ ગયો. બેટા કશો વાંધો નહીં. હું એમ થાકું તેમ નથી. કાલે સવારે તો હું તારી સામે હાજર જ હોઈશ. મને યાદ કરીશ ને. મને ચોક્કસ ખાતરી છે કે એક દિવસ તો તું મને જરૂર યાદ કરીશ જ કેમકે તું મારું ખૂબ ખૂબ વહાલું બાળક છે.

જાતમહેનત ઝિંદાબાદ


ishwar_chandra_vidyasagar1
ઇશ્વરચદ્ર વિદ્યાસગરનાં નામથી કોણ અજાણ હોય ? તેઓ મૂળ બંગાળના.
તેમના પિતા ખૂબ જ ગરીબ હતા.નાંનપણમાં તેમન પોતાની અને ઘરનાં માણસોની રસોઈ જાતે જ બનાવવી પડતી.આટલું જ નહીં પણ ઘરની સફાઈ વાસણ કપડાની સફાઈ પણ જાતે જ કરવી પડતી.કામ પૂરું કરીને બાકીનો જે સમય મળે તેમાં તેઓ અભ્યાસ કરતા.ભણવામાં તે ખૂબ જ હોંશિયાર હતા.મોટા થઈને તેઓ જે કમાયા તેમાંથી લાખો રૂપિયા ગરીબોની સેવામાં વાપર્યા. આખા ભારતમાં તેમનું નામ રોશન થાય તેવા કાર્યો તેમણે કર્યા. આટલા મહાન હોવા છતાં તેમને પોતાના ધન કે ગ્ન્યાનનું સહેજ પણ અબિમાન નહતું.
અહીં એક પ્રસંગ આપું છું જે આપણને ઘણી જ પ્રેરણા આપી જાય છે.
એક રાત્રે તેઓ ટ્રેનમાંથી સ્ટેશન પર ઉતર્યા.આ જ વખતે એક શહેરી બાબુ પણ ટ્રેનમાંથી ઉતર્યા અને તેમણે ઇશ્વરચંદ્રને જોયા અને “કુલી…કુલી અહીં આવ. આ સામન ઉપાડી લે. “
આમ બૂમ પાડી તેમને બોલાવ્યા. ઇશ્વરચંદ્ર તો ઘણી જ નમ્રતાથી તેમની પાસે જઈ બોલ્યા-” હુકમ સરકાર. “
શહેરી બાબુ બોલ્યા-” લે ચાલ, આ સામાન માથે ઉપાડી બહાર સુધી લઈ જા.” ઇશ્વરચંદ્રે તો ચૂપચાપ તેમનો સામાન માથા પર મકી ચાલવા માંડ્યું.સ્ટેશન બહાર રીક્ષામાં સામાન મૂકી બોલ્યા-સરકાર હજી બીજું કાંઈ કામ છે
શહેરીબાબુએ તેમની કામ કરવા બદલ્ મજૂરી ચૂકવવા માંડી તો તે બોલ્યા-માફ કરજો સાહેબ મજૂરી તો હું નહીં લઉં.મારો એક ભાઈ પોતનું કામ જાતે કરી શકતો નથી.તેનો સામાન મેં ઉપાડ્યો તેમાં મેં કોઈ મહાન કામ નથી કર્યું.તમારે જો મને આપવું જ હોય તો એક વચન આપો કે તમે તમારું કામ પોતાની જાતે જ કરશો.

શહેરી બાબુએ ધ્યાનથી જોયું તો તેમણે ઇશ્વરચંદ્રને ઓળખી કાઢ્યા. તે તેમને જ મળવા આવ્યા હતા.

બિચારા ખૂબ જ શરમાઈ ગયા અને ભવિષ્યમાં પોતાનું કામ જાતે જ કરવાનો સંકલ્પ કર્યો.