
આજ્ઞાંકિત વિદ્યાર્થિ / કાર્યકર / શિષ્ય ભવિષ્યનો સારો નાગરીક / આગેવાન / આચાર્ય છે. કોઈ વ્યક્તિ રાતોરાત આગેવાન / સરદાર કે નેતા ન બની જાય. નેતા બનવા માટે પહેલાં તો જે બાબતમાં નેતૃત્વ કરવું હોય તે બાબતનું કૌશલ્ય વિકસાવવું જોઈએ. ઉત્તમ વિદ્યાર્થીની ઉત્તમ શિક્ષક બનવાની, ઉત્તમ સૌનિકની ઉત્તમ સેનાપતિ બનવાની, ઉત્તમ કાર્યકરની ઉત્તમ નેતા બનવાની પુરે પુરી શક્યતા છે. જેઓ પોતાના તાલીમ કાળમાં ધ્યાન નથી આપતાં તેઓ તેમના કાર્યકાળમાં ખાસ કશું વિશેષ ઉકાળી શકશે તે માન્યતા ભૂલભરેલી છે.






