Monday, August 1, 2011

હવે તમરો દાવ



જીદંગી એક રમત છે – રમો
જીંદગી એક પડકાર છે – જીલો
જીંદગી એક તક છે – ઝડપી લ્યો
શું તમે ક્યારેય શતરંજ રમ્યા છો? આ રમતમાં બે ખેલાડી હોય છે. બંને પાસે કુલ ૧૬ મહોરાં હોય છે.
રાજા (૧) – એક ડગલું બધી દિશામાં ચાલી શકે.
પ્રધાન (૧) – બધી દીશામાં ગમે તેટલાં ડગલા ચાલી શકે.
હાથી (૨) – કોઈ પણ દિશામાં સીધું ગમે તેટલા ડગલાં ચાલી શકે.
ઘોડા (૨) – આજુબાજુના કુલ આઠ ખાનામાં ૨.૫ ડગલા ચાલી શકે.
ઉંટ (૨) – કોઈ પણ દિશામાં ત્રાંસુ ગમે તેટલા ડગલાં ચાલી શકે.

પાયદળ (૮) – પ્રથમ વખત એક કે બે અને ત્યાર બાદ એક ડગલું સીધું ચાલી શકે અને મારતી વખતે ત્રાંસુ ચાલે.
કોઈ પણ મહોરાને મારી શકાય પણ રાજાને મારી શકાય નહીં. રમતનો હેતુ જ સામાવાળાના રાજાને કેદ કરવાનો છે. સામે વાળા પાસે વધારે મહોરા હોય તો પણ જો તેનો રાજા કેદ થઈ જાય તો તે હારી ગયો ગણાય. દુર્યોધન મહાભારતના યુધ્ધમાં હારવા લાગેલો ત્યારે તેણે યુધિષ્ઠીરને જીવતા પકડવા તેવો વ્ય઼ુહ ઘડ્યો હતો.
આ આખીયે રમત બોર્ડ ઉપર રમાય. બે ખેલાડી કશું બોલે નહીં, માત્ર દિર્ઘ કાળ સુધી વિચારે પછી એક ચાલ ચાલે અને ફરી પાછા વિચાર કરવા લાગે. બંને ખેલાડીએ વારા ફરતી એક ચાલ ચાલવાની. જેનો રાજા કેદ થઈ જાય તે હારી જાય. USA, USSR ના ખેલાડી શતરંજમાં આગળ પડતાં હોય છે. હાલમાં ભારતના વિશ્વનાથ આનંદનો આ ખેલમાં ડંકો વાગી રહ્યો છે. આ ખેલ તમને માનસીક સંઘર્ષ કરતાં શીખવે છે. જો કોઈએ સારા પ્રોગ્રામર બનવું હોય તો તેણે શતરંજ જરૂર રમવું જોઈએ. જેનું ગણીત અને તર્ક સારા હોય તે આ રમતમાં સહેલાઈથી વિજયી નીવડી શકે છે, અનેક શક્ય ચાલોમાંથી જે કુનેહભરી ચાલ ચાલે છે તે જીતે છે અને જે મુર્ખાઈભરી રીતે વિચાર્યા વગર આડે ધડ ચાલ ચાલે છે તે હારે છે. રમતને અંતે કોઈ કશું મેળવતું નથી કે કોઈ કશું ગુમાવતું નથી (સિવાય કે સમય) પણ આ રમત ખેલાડીને માનસીક રીતે મજબુત બનાવે છે. હાર અને જીત બંને પચાવવા માટે સક્ષમ બનાવે છે. આ રમત શક્ય હોય તો દરેકે સમયનું ભાન રાખીને અઠવાડીયે બે-ત્રણ કલાક તો રમવી જ જોઈએ..
જીંદગી એક પડકાર છે તે વિશે આપણે આગળના લેખમાં થોડું જોયું હતુ. તેના વિશે ખાસ કશું લખવા જેવું નથી કારણ કે આપણે જીવનમાં ડગલે અને પગલે અનેક પડકારોને અનુભવીએ છીએ. પ્રશ્ન માત્ર તે છે કે આ પડકારોને આપણે પગથીયાં બનાવીને આગળ વધીએ છીએ કે દિવાલ સમજીને અટકી જઈએ છીએ.
જીંદગી એક તક છે – પ્રત્યેક સવાર એક નવી તક લઈને આવે છે. પરોઢીયે પંખીઓ દાણાં ચણવા નીકળી પડે છે. વૃક્ષો પર નવા ફુલો આવે છે. વાતાવરણમાં નવી તાજગી આવે છે. ત્રણે તાપમાંથી રાહત આપનારી યામિની દરમ્યાન વિશ્રામ પામ્યાં બાદ પ્રભાત આપણે માટે એક નવો દિવસ, એક નવી તક, એક નવી યાત્રા લઈને આવે છે. આપણાંમાંથી જેઓ રોજે રોજ આ તકને ઝડપતા રહે છે, જીવનને આનંદથી જીવતા રહે છે, જીંદગીની આ સફરને ઉત્સાહપૂર્વક ખેડતાં રહે છે તેઓ હંમેશા તરોતાજા રહે છે. તેમની આસપાસ આવનાર સહુ કોઈ તેના ઉત્સાહથી સંચારીત થઈને પ્રફ઼ુલ્લિત થઈ જાય છે. તેના જીવનમાં નિત્ય નવીન રીતે દામિની અજબ ગજબના ચમકારા કરે છે. તેની પ્રજ્ઞા પ્રગાઢ થતી જાય છે. તે જાણે કે પરેશ (પરમાત્મા/બ્રહ્મા/વિષ્ણુ) બની જાય છે. તેઓ પોતાના અને બીજાના જીવનનું કલ્યાણ કરનારા કલ્યાણી બની જાય છે.
બોલો તો તમે જીવનની રમત રમવા, જીવનના પડકારને ઝીલવા અને જીવનમાં આવતી તકને ઝડપવા માટે તૈયાર છો?
તમે જ નક્કી કરો કે:
હું છું સપનું કે જોનારો, હું પ્યાદું કે હું રમનારો ?
તર્કવિતર્ક બધા છોડી દૈ રમવાનું છે રામભરોસે – મધુમતી મહેતા

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment