Showing posts with label પ્રેરણા. Show all posts
Showing posts with label પ્રેરણા. Show all posts

Wednesday, September 28, 2011

નાના બાળકનું સાહસ મોટું




નાનકડો પ્રિયાંશુ નીડર હતો. તે ક્યારેક પિતાની સાથે વન-વગડામાં ફરવા જતો હતો. આથી તેનામાં હિંમત, સાહસ, નિર્ભયતા અને ચાલાકીના ગુણ અંકુર બનીને પાગયાઁ હતા.




ચિત્તાએ જોયું કે હવે અહીં મારી દાળ ગળે તેમ નથી. આથી તે ત્યાંથી પલાયન થઇ ગયો.



આપણા દેશનું એક રાજ્ય. નામ એનું ઉત્તરાખંડ. આ રાજ્યના એક નાનકડા ગામમાં પ્રિયાંશુ નામનો બાળક રહે. દસ વરસનો પ્રિયાંશુ છઠ્ઠા ધોરણમાં ભણે. તેને એક મોટી બહેન. નામ એનું પ્રિયંકા. તે આઠમા ધોરણમાં ભણે.બંને ભાઇ-બહેન ભણવામાં મહેનતુ, અને હોશિયાર. પળેપળનો ઉપયોગ કરીને ખંતથી ભણે. સૂર્યોદય પહેલાં ઊઠી જાય. નિત્યકર્મથી ઝટપટ પરવારીને ઘરના આંગણામાં આવેલા ઝાડના ઓટલા પર ભણવા બેસી જાય. શાળામાં પણ શિક્ષક બંને ભાઇ-બહેનના વખાણ કરે. ઘરથી નિશાળ એકાદ કિલોમીટર દૂર. ઘડિયાળના સમય પ્રમાણે જ ઘરેથી નીકળે અને સમયસર નિશાળે પહોંચી જાય.



દરરોજની જેમ તે દિવસે પણ પ્રિયંકા અને પ્રિયાંશુ ખભે દફતર ભરાવી, મોજમસ્તીથી વાતો કરતાં કરતાં શાળાએ જઇ રહ્યા હતા. એવામાં નિર્જન રસ્તો આવ્યો. ત્યાં એક ચિત્તો કોઇ શિકારની રાહ જોતો લપાઇને બેઠો હતો. એણે આ બે બાળકોને આવતાં જોયા. ચિત્તાએ ચૂપચાપ પાછળથી આવી પ્રિયંકા ઉપર હુમલો કર્યો. પ્રિયંકાના કાન પરે ચિત્તાનો પંજો વાગ્યો. પ્રિયાંશુ ચિત્તાના ઓચિંતા હુમલાથી હેબતાઇ ગયો, પણ પળવારમાં સ્વસ્થ બની ગયો. પોતાની બહેનને બચાવવા તે પ્રિયંકા પર વાંકો વળી ગયો. બહેનને બચાવવા જતા ચિત્તાનો પંજો પ્રિયાંશુના કપાળ પર વાગ્યો.



નાનકડો પ્રિયાંશુ નીડર હતો. તે ક્યારેક પિતાની સાથે વન-વગડામાં ફરવા જતો હતો. આથી તેનામાં હિંમત સાહસ, નિર્ભયતા અને ચાલાકીના ગુણો અંકુર બનીને પાંગયાઁ હતા. આ ગુણો આજે એને મદદરૂપ થવાના હતા. ચિત્તાનો સામનો કરવા માટે હથિયાર તરીકે એની પાસે ફક્ત સ્કૂલબેગ હતી. પ્રિયાંશુએ એને શસ્ત્ર બનાવ્યું. જરા પણ ડર્યા કે ગભરાયા વિના તે પોતાની સ્કૂલબેગથી ચિત્તાને મારવા લાગ્યો. ચિત્તાના મોં પર સ્કૂલબેગની એક જોરદાર ઝાપટ વાગી. અચાનક પ્રહાર થતાં ચિત્તો ઢીલો પડી ગયો.



પ્રિયાંશુ ચિત્તાનો સામનો કરી રહ્યો હતો તે સમયે ત્યાંથી એક લશ્કરી જીપ પસાર થઇ. જીપમાં લશ્કરી જવાનો બેઠા હતા. તેમણે જીપ ઊભી રાખી. પળનોયે વિલંબ કર્યા વિના તેઓ ત્યાં પહોંચી ગયા. દૂરથી જ ચિત્તાને આટલા નાનકડા બાળક સાથે બાથ ભિડતો જોઇને આજુબાજુના ખેતરમાં કામ કરતા ખેડૂતો અને ખેતમજુરો પણ ત્યાં દોડી આવ્યા. ત્યાં ખૂબ ધાંધલ થઇ. ચિત્તાએ જોયું કે હવે અહીં મારી દાળ ગળે તેમ નથી. આથી તે ત્યાંથી પલાયન થઇ ગયો.



લશ્કરના જવાનોએ નાનકડા પ્રિયાંશુને પીઠ થાબડી ધન્યવાદ આપ્યા. તેઓ ઘવાયેલા ભાઇ-બહેનને જીપમાં બેસાડી નજીકની હોસ્પિટલમાં લઇ ગયા અને જરૂરી સારવાર કરી ઘરે મૂકી આવ્યા.બીજા દિવસે દરેક છાપામાં પ્રિયાંશુએ બહાદુરીપૂર્વક ચિત્તાનો સામનો કરી બહેનને બચાવી તે ઘટના છપાઇ. લોકોએ આ ઘટના વાંચીને પ્રિયાંશુને મનોમન ધન્યવાદ આપ્યા. તેની શાળામાં બહાદુરી માટે એનું સન્માન થયું.



ભારત સરકારના ‘ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર’ તરફથી પ્રિયાંશુને ‘બાલવીર રાષ્ટ્રીય પુરસ્કાર’ આપવાનું નક્કી થયું. ૨૬મી જાન્યુઆરીએ પ્રિયાંશુને દિલ્હી બોલાવી રાષ્ટ્રપતિના હાથે બાલવીર પુરસ્કાર આપવામાં આવ્યો. પુરસ્કાર ઉપરાંત તેને સન્માનપત્ર તથા ભેટ પણ આપી. પ્રિયાંશુને શણગારેલા હાથી પર બેસાડી પરેડમાં ફેરવ્યો. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે પ્રિયાંશુની બહાદુરીના ભરપૂર વખાણ કરતાં કહ્યું, ‘આવા સાહસિક અને હિંમતવાળા બાળકો જ આપણા દેશનું ગૌરવ છે.’પ્રિયાંશુએ પોતાની બહેનની જિંદગી બચાવવા જે હિંમત અને બહાદુરી બતાવી તે બદલ તેને લાખ લાખ ધન્યવાદ!!!

એકતામાં છે બળ




ચંદન વનના રાજા શેરસિંહે બધા પ્રાણીઓને ભેગા કરીને કહ્યું.વનમાં અસહ્ય ગરમી છે. હવે હું આ જવાબદારીમાંથી મુક્ત થવા માગું છું. મહારાજ તમે થોડા દિવસ ક્યાંક ફરી આવો. તમારું મન પ્રફુલ્લિત થઇ જશે.તું સાચું કહી રહ્યો છે. આ વખતે હું ગરમીમાં ખંડાલાના વનમાં ફરી આવું. શેરસિંહ ખંડાલાના વનમાં ઉપડી ગયા.ખબર છે ચંદન વનના રાજા ખંડાલાના વનમાં ફરવા ગયા છે?આપણે બધા આ તકનો લાભ લઇને ચંદન વનમાં દાખલ થઇ જઇએ.

મહેનતનો રોટલો




રાજા ચંદ્રસિંહે દુ:ખી મા-દીકરાની વાતચીત સાંભળી. એમનું લાગણીશીલ હૈયું દ્રવી ઊઠ્યું. ઝૂંપડી પર નિશાની કરી રાજા ચંદ્રસિંહ પોતાના મહેલમાં પાછા ફર્યા.




ચંદનપુરમાં ચંદ્રસિંહ નામે રાજા રાજ કરતા હતા. રાજા ચંદ્રસિંહ પ્રજાના સુખે સુખી અને દુ:ખે દુ:ખી. તેમને એક દીવાન હતા. તેમનું નામ લાલસિંહ. લાલસિંહ સ્વભાવે ખૂબ જ લાલચું અને લોભી પ્રકૃતિના. રાજા ચંદ્રસિંહ લાલસિંહને ગમે તેટલું આપે, છતાંય લાલસિંહ ક્યારેય સંતુષ્ટ થતા જ નહીં. તેમના લોભી અને લાલચુ સ્વભાવથી રાજા ચંદ્રસિંહ પૂરેપૂરા માહિતગાર હતા.

"પિત્રોડા"


મહાનુભાવ


મિત્રો, ભારતમાં ટેલિકમ્યુનિકેશન એટલે કે આપણે જે એક સ્થળેથી બીજી સ્થળે ટેલિફોન દ્વારા સંદેશાવ્યવહાર કરી શકીએ છીએ ને તેને ભારતમાં વિકસાવવામાં સામ પિત્રોડાએ સિંહફાળો આપ્યો છે. સામ પિત્રોડાનું આખું અને સાચું નામ સત્યનારાયણ ગંગારામ પિત્રોડા છે. ૪ મે, ૧૯૪૨ના રોજ ઓરિસામાં જન્મેલા પિત્રોડા મૂળે તો ગુજરાતી છે, પરંતુ તેમનાં માતા-પિતા વર્ષોથી ઓરિસામાં સ્થાયી થયાં હતાં અને પિત્રોડાનો જન્મ પણ ઓરિસામાં થયો હતો. વડોદરામાંથી ભૌતિકશાસ્ત્રના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવનારા પિત્રોડા અમેરિકાની ઈલીનોસિસ યુનિર્વિસટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી. ૧૯૭૫માં તેમણે ઈલેક્ટ્રોનિક ડાયરીની શોધ કરી હતી. વિશ્વની પહેલી ડિજિટલ સ્વિચની કંપની તેમણે સ્થાપી હતી.

Monday, August 8, 2011

દીકરો અને દીકરી




  • દીકરો વારસ છે



    • દીકરી પારસ છે!

  • દીકરો વંશ છે



    • દીકરી અંશ છે!

  • દીકરો આન છે



    • દીકરી શાન છે!

  • દીકરો તન છે



    • દીકરી મન છે!

  • દીકરો માન છે



    • દીકરી સ્વમાન છે!

  • દીકરો સંસ્કાર છે



    • દીકરી સંસ્કૃતિ છે!

  • દીકરો આગ છે



    • દીકરી બાગ છે!

  • દીકરો દવા છે



    • દીકરી દૂવાં છે!

  • દીકરો ભાગ્ય છે



    • દીકરી વિધાતા છે!

  • દીકરો શબ્દ છે



    • દીકરી અર્થ છે!

  • દીકરો ગીત છે



    • દીકરી સંગીત છે!

  • દીકરો પ્રેમ છે



    • દીકરી પૂજા છે!

  • દીકરો વાદળ છે અને વરસે છે



    • દીકરી ધરતી છે અને તરસે છે!

  • દીકરો એક પરિવારને તારે છે



    • દીકરી દસપરિવારને તારે છે!!

    Saturday, August 6, 2011

    એક ગજબનું આદર્શ વ્યક્તિત્વ – નારાયણ મૂર્તિ



    પત્ની પાસેથી રૂ. ૧૦ હજાર ઉછીના લઈને બીજા છ ભાગીદારો સાથે મળીને ૧૯૮૧માં‘ઈન્ફોસીસ’ કંપનીની સ્થાપના કરનાર નાગવરા રામરાવ નારાયણ મૂર્તિ માત્ર બિઝનેસમેન કે ઉદ્યોગપતિ જ નહીં, સ્કૂલ – કોલેજના આમ વિદ્યાર્થી માટે પણ એક ગજબનું આદર્શ વ્યક્તિત્વ છે. કેમ ? વાંચો.

    નારાયણ મૂર્તિ

    મંદિરનો જન્મ


    મનુને દફનાવીને બધા ગુફામાં પાછા આવ્યા. બધાંના મન શોકની કાલિમાથી ઘેરાયેલાં હતાં. સ્ત્રીઓ રડી રડીને થાકી ગઈ હતી. બાળકો ભૂખ્યાં અને તરસ્યાં જ સૂઈ ગયાં હતાં. કોઈને કશું જ બોલવાના હોશકોશ ન હતા.

    મનુ સૌનો લાડીલો વૃદ્ધ વડીલ હતો.સૌ એને માન આપતાં હતાં. એની સૂઝ, આવડત ડહાપણ, દૂરંદેશિતા, પ્રેમ અને નેતાગીરી અજોડ હતાં. પણ સૌથી વધારે લાડીલો તો તે એની પવિત્રતા માટે હતો. દરરોજ રાત્રે જમણ બાદ, તાપણાંની આજુબાજુ બધાં ભેગા થઈ બેસતા; ત્યારે સૂરીલા અવાજે તે સૌની પ્રાણપ્યારી જોગમાયાની સ્તુતિ ગાતો. તે ભજનની ટૂક ઊપાડતો અને બધાં સમૂહમાં તે ઝીલી પુનરાવર્તિત કરતાં. દિવ્ય આનંદની આભા સૌનાં મન પર છવાઈ જતી. કલાકેક આ ભાવ સમાધિ દરરોજ ચાલતી અને સૌને મીઠી નિંદર ભેળી કરી દેતી. આખા દિવસનાં કષ્ટો, યાતનાઓ, નીરાશાઓ એ ભાવસમાધિમાં ગાયબ થઈ જતાં.

    પણ તે દિવસે સવારે મનુનું અવસાન થયું હતું.

    ફુદીનાનો ક્યારો – એક અવલોકન


    ગઈ સાલ એક મિત્રના ઘેરથી ફુદીનાના ચાર પાંચ છોડ લાવીને વાવ્યા હતા. બે એક મહિનામાં તો આખો ક્યારો એમના વંશવેલાથી ઊભરાઈ ગયો હતો. છેક ઊનાળાનો પણ અંત આવવામાં હતો ; ત્યાં મને સૂઝ્યું કે, શિયાળા માટે તેના પાન સૂકવીને સાચવી રાખ્યા હોય તો સારૂં. પણ દરેક છોડ પર ફૂલ મ્હાલતા હતા. મેં તો એ ફૂલ સમેત જ ફુદીનાની ડાળીઓ વાઢી લીધી હતી. પણ પછી તો મને કહેવામાં આવ્યું કે, સૂકવણી માટે ફૂલ તો નકામાં. મેં તે ચાખી જોયાં. ખરેખર તેમનામાં કડવાશ હતી. ફુદીનાનું સત્વ તેમાં બહુ જ ઘનિષ્ઠ થઈને ( concentrated) આવી ગયું હતું .

    પરબીડિયું – એક અવલોકન


    આજે કોન્ટ્રાક્ટથી ચાલતી એક પોસ્ટ ઓફિસમાં ટપાલ નાંખવા ગયો હતો. એક ખોખામાં ઘણા બધા પરબીડિયાં પડેલાં હતાં. મારું પરબીડિયું પણ મેં એમાં નાંખી દીધું. એક મિત્રનું સરનામું એની ઉપર કર્યું હતું. એ મિત્ર, એનું કુટુમ્બ, એનું ઘર, એની સાથે ગાળેલ સુખદ સમય અને ઘણી બધી યાદો – બધું જ સ્મરણપટ પર છવાઈ ગયું.

    પણ એ ખોખામાં બીજાં પરબીડિયાં પણ હતાં.
    જાતજાતનાં સરનામાં લખેલાં પરબીડિયાં. એમાં કોઈનો પ્રેમપત્ર હશે. કોઈના સુખદ કે દુખદ સમાચાર હશે. કોઈના ભરાયેલા બીલો હશે. કોઈના સારા પ્રસંગ માટે મોકલેલું ગિફ્ટ કાર્ડ હશે. કોઈકની નોકરી માટેની અરજી હશે. કોઈકનું રાજીનામું હશે.

    હીરો



    આ કોઈ ફિલ્મી હીરોની વાત નથી. આ સત્ય નામના હીરાની વાત છે.

    સત્ય અનેક પાસાં વાળો હીરો છે. સત્યશોધક જે રસ્તે આગળ ધપે છે; તે હીરાનું એક પાસું હોય છે. સત્ય તો એ રસ્તાના છેડે પણ નથી હોતું. રસ્તાના છેડે સત્યની સાવ નજીક તો પહોંચાય; પણ તેની સાથે આત્મસાત ન થવાય; સત્યની અનુભૂતિ ન થાય. હજુ તેના એ પાસાં સાથે મમતા રહે; જેના થકી સત્યની નજીક પહોંચાયું હોય. તે તો હીરાના ભૌતિક રૂપનું એક પાસું જ હોય છે. સત્ય તો એ બધાંએ પાસાંની પાછળ રહેલું હીરાનું હીરાપણું હોય છે; જે તેને તેના ભૌતિક રૂપથી અલગ હોવાપણું આપે છે. ખરેખર તો તે હોવાપણું જ હીરાને અનેક પાસાં આપે છે.