Saturday, August 6, 2011

ખાંડનો ખાલી ડબો – એક અવલોકન


ચા બનાવતાં ચાના ડબામાં બહુ ઓછી ખાંડ બાકી રહી હતી. પેન્ટ્રીમાં મોટા ડબામાંથી મારો કામચલાઉ સ્ટોક ભરી લીધો. એ પણ હવે ખાલી થવાની તૈયારીમાં જ છે.
અમારા જમાઈને ખબર આપી દીધી ,” સેમ્સ ક્લબમાં (જથ્થાબંધ વસ્તુઓ માટેનો સ્ટોર) જાઓ ત્યારે ખાંડનું મોટું પેકિંગ લાવવાનું છે.”
ત્યાંય એમનો સ્ટોક ખાલી થયે, મોટી મસ ટ્રકમાં સપ્લાયર પાસેથી ખરીદીને આવી જતો હશે. એ સપ્લાયર વળી જથ્થાબંધ માર્કિટમાંથી ખરીદી, પોતાનું ગોડાઉન ભરેલું રાખતો હશે. ખાંડનાં કારખાનાં જથ્થાબંધ માર્કેટને ભરપૂર રાખતા હશે. અને શેરડીના ખેડૂતો એ કારખાનાંઓને દરેક ફસલે મોટા પાયે શેરડીનાં સાંઠાં વેચતા હશે.

બારણું – એક અવલોકન


મારી રૂમમાં હું બેઠો છું. બારણું બંધ છે. રૂમની બહાર શું છે, તે હું જોઈ શકતો નથી. રૂમની બહારથી પણ કોઈ અંદર જોઈ શકતું નથી. બારણું ખોલ્યા વગર હું બહાર જઈ શકતો નથી; તેમ જ કોઈ અંદર આવી શકતું નથી. બારણાં અને ભીંત વચ્ચે કશો ફરક નથી. માત્ર એટલો જ ફરક કે, બારણું ખોલી શકાય છે!
દિવાનખંડ અને રસોડાને કોઈ બારણું જ નથી. ત્યાં આવન-જાવન મુક્ત છે.
ઘરને પણ બારણું છે; એમાં બહાર જોઈ શકાય તેવું છિદ્ર છે. એમાંથી હું બહાર જોઈ શકું છું; પણ બહારની વ્યક્તિ અંદર જોઈ શકતી નથી.

હીરો



આ કોઈ ફિલ્મી હીરોની વાત નથી. આ સત્ય નામના હીરાની વાત છે.

સત્ય અનેક પાસાં વાળો હીરો છે. સત્યશોધક જે રસ્તે આગળ ધપે છે; તે હીરાનું એક પાસું હોય છે. સત્ય તો એ રસ્તાના છેડે પણ નથી હોતું. રસ્તાના છેડે સત્યની સાવ નજીક તો પહોંચાય; પણ તેની સાથે આત્મસાત ન થવાય; સત્યની અનુભૂતિ ન થાય. હજુ તેના એ પાસાં સાથે મમતા રહે; જેના થકી સત્યની નજીક પહોંચાયું હોય. તે તો હીરાના ભૌતિક રૂપનું એક પાસું જ હોય છે. સત્ય તો એ બધાંએ પાસાંની પાછળ રહેલું હીરાનું હીરાપણું હોય છે; જે તેને તેના ભૌતિક રૂપથી અલગ હોવાપણું આપે છે. ખરેખર તો તે હોવાપણું જ હીરાને અનેક પાસાં આપે છે.

Wednesday, August 3, 2011

વડીલોને સમજવા માટેની માર્ગદર્શિકા-જેનીફર ઓસ્લી


બાળકોને ઉછેરવા માટે અને સમજવા માટે ઘણાં પુસ્તકો લખાયાં છે. (કારણ કે પુસ્તક લખનાર પુખ્ત ઉંમરના જ હોય છે.) પણ મોટેરાંઓને સમજવા માટે કોઈ બાળક પુસ્તક લખે તે નવાઈ લાગે તેવું જેનિફર ઓસ્લી નામની અગિયાર વર્ષની છોકરીએ લખેલું ‘એ હેન્ડી ગાઈડ ટુ અન્ડરસ્ટેન્ડ ગ્રોન અપ્સ’- વડીલો ને સમજવા માટેની માર્ગર્દિશકા- આવું જ એક પુસ્તક છે. પુસ્તક જૂનું છે પણ તેમાંના વિચારો, ડહાપણ , કટાક્ષ જરાય જૂનાં થયાં નથી. સમય સાથે કેટલાંક સંદર્ભો બદલાયા છે અને કેટલીક વિગતો જૂની બની ગઈ છે. અમેરિકા અને આપણા સમાજના ઢાંચામાં પણ ઘણો ફેર છે છતાં બાળક ગમે ત્યાં બાળક જ છે અને મોટેરાંઓ સાથેનો તેનો સંબંધ પણ લગભગ બધે સરખો જ રહ્યો છે તેમ લાગે છે. પુસ્તકમાં આપેલ કેટલીક વાતો આજે પણ ચોટદાર લાગે તેવી છે. તેને થોડા ફેરફાર સાથે જોઈએ.જેનિફર તેની શૈલીમાં બાળકોને લખે છેઃ

વહાલાં બાળકો,
તમે તમારાં વડીલોને અને મોટેરાંઓને બરાબર સમજી શકો અને તેમની સાથેનો તમારો સંબંધ યોગ્ય રીતે નિભાવી શકો એટલા માટે આ પુસ્તક મેં લખેલ છે.
આ દુનિયા મોટેરાંઓની છે અને આજે તે જેવી દેખાય છે તેવી તેમણે જ તેને બનાવી છે. જો તમારે તેમની દુનિયામાં જીવવું હોય તો તેમને સમજવાની જરૃર છે. અને જેમ જેમ તમે તેમને સમજતા જશો તેમ તમને લાગશે કે, દરેક પુખ્ત ઉંમરની વ્યક્તિ બીજી વ્યક્તિથી તદ્દન ભિન્ન હોય છે એટલું જ નહીં વધારે અક્કડ પણ હોય છે. તેઓ દરેક નવી વાત શીખવા માટે આતુર હોવાનો દેખાવ તો કરે છે પણ શીખતા ક્યારેય નથી. આપણામાં (બાળકોમાં) અને તેમનામાં આ તફાવત છે.

हाथी चला बाज़ार में- કબીર


हाथी चला बाज़ार में
बिच्छू मरते दम तक डंक मारेगा
संत डूबते बिच्छू को हर बार किनारे पर लाएगा
चालाक लोमड़ी काले कौए की काएं-काएं को मीठी तान बताएगा
पेड़ का कौआ चालाक लोमड़ी की बातों में आएगा
चोंच खोल कर अपनी रोटी उस के भेंट कर जाएगा
और जब भी कभी मस्तन हाथी अपनी राह चलेगा
टेढ़ी पूंछ वाला कुत्ता भोंकेगा, भों-भों की खड़ताल बजाएगा
कबिरा भी बाज़ार में खड़ा-खड़ा एकतारे की तार छेड़ेगा
हथकरघे पे झीनी-मिनी चादर बनाएगा
फिर इक दिन उसी बाज़ार में मर जाएगा
बाजारू लोग उसकी बोली लगायेंगे
अपना अपना माल बताएंगे
लड़ते-कटते खुद अर्थी-कब्र चढ़ जाएँगे
लेकिन फिर भी बिच्छू डंक मारेगा,
संत बिच्छू की जान बचाएगा
कौआ लोमड़ी की बातों में आएगा
लोमड़ी मज़े से दावत उडाएगा
कुत्ता भौं-भौं कर पूंछ हिलाएगा
और हाथी अकेले ही जानिबे मंजिल को चला जाएगा और
कभी न कभी तो अकेले ही सड़क पार कर पाएगा
पगडण्डी छोड़ जाएगा

વિચાર????




ઉપરોક્ત ફોટોગ્રાફ જોઈને આપના મનમાં શું વિચાર આવ્યો તે લખવા વિનંતી.

સ્વામિ વિવેકાનંદનો વ્યંગવિનોદ




Tuesday, August 2, 2011

જાણો ચોમાસામાં ઉપવાસ કેટલા જરૂરી?



ઉપવાસ કરવાથી ક્યારેક માથું દુખવું, શરદી કે કફ જેવા લક્ષણો પણ જણાય છે.

ઉપવાસ કરવાથી શરીરમાં રહેલા દૂષિત તત્વો દૂર થાય છે અને શરીર શુદ્ધ થાય છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ ઉપવાસનું મહત્વ તો છે જ, પરંતુ તે સાથે ઉપવાસમાં આરોગવામાં આવતી ફરાળી વાનગીઓનો ખ્યાલ ન રાખવામાં આવે તો અનેક પ્રકારની શારીરિક તકલીફો ઊભી થઇ શકે છે. ખાસ કરીને ડાયાબીટિસ અને હાઇ બ્લડપ્રેશરવાળાએ તો ફરાળી વાનગીઓ ખાવામાં ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે.

શું બાળકોને ખબર છે કે બાળમજૂરી પ્રતિબંધિત છે?


આપણા દેશમાં અનેક પ્રક્રિયા બાળકો પાસે કરાવવા અંગે પ્રતિબંધ હોવા છતાં અનેક બાળકો એવી જોખમી પ્રક્રિયા કરી રહ્યા છે.

બાળમજૂર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ ૧૯૮૬થી અમલમાં આવ્યો છે, પરંતુ બાળમજૂરીનું દૂષણ ઓછું થયું નથી. ૧૯૮૬ પહેલાં આંતરરાષ્ટ્રીય સ્તરે બાળમજૂરીના પ્રશ્ન દુનિયાના દેશોનું ધ્યાન ખેંચાયું હતું અને ત્યારે ભારતમાં બાળમજૂરો માટે કોઇ ચોક્કસ કાયદો ન હતો. વિવિધ કાયદામાં જેમ કે, કારખાના અંગેનો કાયદો, ખાણોનો કાયદો વગેરેમાં બાળકો માટે જોગવાઇઓ હતી.

પરંતુ ઉપરોકત કાયદો ૧૯૮૬માં અમલી બનાવાયો અને આ કાયદાની જોગવાઇ મુજબ ‘બાળક’ એટલે કે જે વ્યક્તિએ પોતાની ૧૪ વર્ષની ઉંમર પૂરી કરી ન હોય તે વ્યક્તિ આ કાયદા નીચે આવરી લેવાયેલ ૧૪ જેટલા વ્યવસાયમાં બાળકને કામ કરવા રોકવા કે કામ કરવાની પરવાનગી આપવાની સામે પ્રતિબંધ ફરમાવેલ છે. આ વ્યવસાયોમાં કતલખાના, ધાબા, રેસ્ટોરન્ટ, હોટલો, ચાની દુકાનો, રીસોર્ટ અથવા અન્ય મનોરંજનના કેન્દ્રોમાં બાળકોની રોજગારીના પ્રતિબંધનો સમાવેશ થાય છે.

મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્ય


આપણા દેશમાં એક મહાન ગણિતજ્ઞ થઇ ગયા. એમણે જે શોધો કરી છે તે ખરેખર મહાન છે. આ ગણિતજ્ઞનું નામ ભાસ્કરાચાર્ય. એમનો જન્મ ઇ.સ. ૧૧૧૪માં મહારાષ્ટ્રના જલગાંવ પાસેના નાનકડા ગામમાં થયો હતો. ભાસ્કરાચાર્ય ભારતીય ગણિતરત્ન હતા. એમણે રચેલા ગ્રંથનું નામ છે. ‘સિદ્ધાંત શિરોમણિ’. આ ગ્રંથમાં ગ્રહોની સ્થિતિ તેમજ સૂર્ય અને ચંદ્રગ્રહણની સમય ગણતરી કરવાની થિયરીનો સમાવેશ થયેલો છે. ખગોળશાસ્ત્રમાં ઉપયોગી થાય એવા સાધનોની ટેક્નિકલ માહિતીનો પણ આ ગ્રંથમાં ઉલ્લેખ છે. આ ગ્રંથમાં ચાર ખંડ છે.

પહેલા ખંડને ભાસ્કરાચાર્ય ‘લીલાવતી’ કહે છે. લીલાવતી એમની પુત્રી હતી. એના ઉપરથી આ નામ રાખ્યું હતું. આ ગ્રંથમાં ૨૭૮ પદ્ય છે. ‘લીલાવતી’ની શરૂઆતમાં વિવિધ પરિણામોના કેટલાક કોઠાઓ આપવામાં આવ્યા છે. ઉપરાંત પરાર્ધ સુધીની સંખ્યાઓના નામ આપવામાં આવ્યા છે. પૂણાઁકોનો યોગ, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ વગેરે છે. જુદા જુદા પ્રકારનાં ક્ષેત્રફળો, ઘનફળ વગેરે વિષયો તેમજ ગણિત સંબંધી વાતો પણ છે.

ભાસ્કરાચાર્ય ગણિતશાસ્ત્રી અને જ્યોતિષી તો હતા જ. ઉપરાંત ઉચ્ચ કોટિના કવિ પણ હતા. એમની કવિતાઓમાં ઋતુના વર્ણનમાં ચમક અને શ્લેષની સુંદર બહાર જોવા મળે છે.ભાસ્કરાચાર્યનો બીજો ગ્રંથ છે ‘કરણ કુતૂહલ’. આ ગ્રંથ જ્યોતિષને લગતો છે. ૬૯ વર્ષની ઉંમરે ભાસ્કરાચાર્યે આ ગ્રંથની રચના કરી હતી. આથી એમ કહી શકાય કે ઘડપણમાં પણ તેઓ ઉત્સાહી અને બુદ્ધિશક્તિવાળા હતા. આ ગ્રંથની રચના ઇ.સ.૧૧૮૩માં કરવામાં આવી હતી. આવા હતા આપણા મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્ય!