Saturday, October 8, 2011

વિજ્ઞાનનું જ્ઞાન





એકલું મીણ કેમ સળગતું નથી?


વાટ એ મીણનું દહન કરતું માધ્યમ છે. એટલે કે તેના વિના મીણને સળગાવવું શક્ય નથી. કહેવાનો અર્થ એ કે મીણબત્તીના મીણને સળગવા માટે માધ્યમની જરૂર પડે છે. મીણના ગલનબિંદુ કરતાં તેનું જવલનબિંદુ ક્યાંય ઊંચું છે. વળી તે સરેરાશ ૬૨૦ સેિલ્શયસ તાપમાને પીગળી જવાનો ગુણધર્મ તે ધરાવે છે. અન્ય બળતણની જેમ તે અતિ દહનશીલ નથી. એટલા માટે ઘન કે પ્રવાહી સ્વરૂપે સળગી ઊઠતું નથી. આમ, મીણબત્તી સળગાવવામાં આવે ત્યારે તેની વાટ જ સળગે છે, જ્યારે મીણ તેની દહનક્રિયાને ધીમી પાડવાનો રોલ ભજવે છે.



ઘામાંથી બહાર નીકળેલું લોહી જામી જાય છે, પણ નસમાં લોહી કેમ જામતું નથી?



કારણ કે આપણા શરીરમાં લોહી બહુ ઝડપથી ફરે છે. આથી લોહીને નસમાં જામવાનો કોઇ મોકો મળતો નથી. હા, પણ જ્યારે લોહીનું ભ્રમણ અતિશય ઘટી જાય એ વખતે થોડું લોહી થીજીને ફોદા જેવું થઈ જાય છે. અંગ્રેજીમાં તેને ‘થ્રોમ્બોસિસ’ કહે છે. ઘામાંથી લોહી બહાર નીકળી જાય છે, પણ નસમાં લોહી જામતું નથી. શરીરમાં રહેલું વિટામીન ‘કે’ લોહીનું ઘનીભવન કરીને કપાયેલી રક્તવાહિનીઓનું મોઢું બંધ કરી દે છે.

Wednesday, September 28, 2011

ક્ષણે ક્ષણે અંત, પળે પળે આરંભ!



જગત તો સતત નવું હોય છે, પણ મગજ જૂનું હોવાને કારણે આપણને નવું ઝટ નજરે નથી ચઢતું.




એક વાત કમાલની છે. કોઈ માણસ શાપ મેળવવા માટે તપ કરે? હા, કરે. આપણાં પુરાણોમાં એવી અનેક અનેક કથાઓ છે જેમાં સૌથી ઉગ્ર તપ સૌથી મોટા શાપ માટે કરવામાં આવેલાં. વાત જાણે એમ છે કે જીવનની સૌથી વધુ ત્રાસજનક બાબત અને સૌથી વધુ ઇચ્છિત બાબત, બન્ને એક જ છે. બોલો, એ ચીજ કઈ? પૈસા, ના. પ્રસિદ્ધિ, ના. જવાબ છે: અમરત્વ. રાવણથી માંડીને હિરણ્યકશ્યપુ જેવા કેટકેટલાય ‘તપસ્વી’ઓએ અમરત્વ મેળવવા ઘોર તપશ્ચર્યા કરેલી.

સૂકું છતાં ભીનું એવું પદ્ય છતાં ગદ્ય



છોલાયેલું મન પાથરીને ઝીલું થોડીક ધાર તોય સૂકી જિંદગીમાં આવે નહીં ભીનાશ.


મારી આંખ સામે જ વરસાદ પણ હવે કોરોધાકોર થઈને લટકી રહ્યો ને મેં ઝીલી લીધો એનો કાંટા જેવો દેહ. હવે ચાલ્યા કરું છું નકરા રણમાં લથબથ થઈને... ચાલ્યા કરું છું આ કાંટાળા, ઉફરા બેસ્વાદ વરસાદને પકડીને.

વાદળ ગોરંભાયાં છે અને મન છત્રી જેવું નીતરે છે. એને ખૂલવાની સાવ ના કહી હતી પણ એણે ક્યારે માન્યું છે? ભૂરા આકાશ નીચે છાતીમાંથી વહ્યાં કરે છે ધેરું અંધારું, એટલું જ નહીં, એમાં સતત ઊગ્યા કરે છે નરી કાળમીંઢ ભીંત... એની ઉપર સૂંડલા ભરીભરીને ઠલવાય છે સ્મરણો...

નાના બાળકનું સાહસ મોટું




નાનકડો પ્રિયાંશુ નીડર હતો. તે ક્યારેક પિતાની સાથે વન-વગડામાં ફરવા જતો હતો. આથી તેનામાં હિંમત, સાહસ, નિર્ભયતા અને ચાલાકીના ગુણ અંકુર બનીને પાગયાઁ હતા.




ચિત્તાએ જોયું કે હવે અહીં મારી દાળ ગળે તેમ નથી. આથી તે ત્યાંથી પલાયન થઇ ગયો.



આપણા દેશનું એક રાજ્ય. નામ એનું ઉત્તરાખંડ. આ રાજ્યના એક નાનકડા ગામમાં પ્રિયાંશુ નામનો બાળક રહે. દસ વરસનો પ્રિયાંશુ છઠ્ઠા ધોરણમાં ભણે. તેને એક મોટી બહેન. નામ એનું પ્રિયંકા. તે આઠમા ધોરણમાં ભણે.બંને ભાઇ-બહેન ભણવામાં મહેનતુ, અને હોશિયાર. પળેપળનો ઉપયોગ કરીને ખંતથી ભણે. સૂર્યોદય પહેલાં ઊઠી જાય. નિત્યકર્મથી ઝટપટ પરવારીને ઘરના આંગણામાં આવેલા ઝાડના ઓટલા પર ભણવા બેસી જાય. શાળામાં પણ શિક્ષક બંને ભાઇ-બહેનના વખાણ કરે. ઘરથી નિશાળ એકાદ કિલોમીટર દૂર. ઘડિયાળના સમય પ્રમાણે જ ઘરેથી નીકળે અને સમયસર નિશાળે પહોંચી જાય.



દરરોજની જેમ તે દિવસે પણ પ્રિયંકા અને પ્રિયાંશુ ખભે દફતર ભરાવી, મોજમસ્તીથી વાતો કરતાં કરતાં શાળાએ જઇ રહ્યા હતા. એવામાં નિર્જન રસ્તો આવ્યો. ત્યાં એક ચિત્તો કોઇ શિકારની રાહ જોતો લપાઇને બેઠો હતો. એણે આ બે બાળકોને આવતાં જોયા. ચિત્તાએ ચૂપચાપ પાછળથી આવી પ્રિયંકા ઉપર હુમલો કર્યો. પ્રિયંકાના કાન પરે ચિત્તાનો પંજો વાગ્યો. પ્રિયાંશુ ચિત્તાના ઓચિંતા હુમલાથી હેબતાઇ ગયો, પણ પળવારમાં સ્વસ્થ બની ગયો. પોતાની બહેનને બચાવવા તે પ્રિયંકા પર વાંકો વળી ગયો. બહેનને બચાવવા જતા ચિત્તાનો પંજો પ્રિયાંશુના કપાળ પર વાગ્યો.



નાનકડો પ્રિયાંશુ નીડર હતો. તે ક્યારેક પિતાની સાથે વન-વગડામાં ફરવા જતો હતો. આથી તેનામાં હિંમત સાહસ, નિર્ભયતા અને ચાલાકીના ગુણો અંકુર બનીને પાંગયાઁ હતા. આ ગુણો આજે એને મદદરૂપ થવાના હતા. ચિત્તાનો સામનો કરવા માટે હથિયાર તરીકે એની પાસે ફક્ત સ્કૂલબેગ હતી. પ્રિયાંશુએ એને શસ્ત્ર બનાવ્યું. જરા પણ ડર્યા કે ગભરાયા વિના તે પોતાની સ્કૂલબેગથી ચિત્તાને મારવા લાગ્યો. ચિત્તાના મોં પર સ્કૂલબેગની એક જોરદાર ઝાપટ વાગી. અચાનક પ્રહાર થતાં ચિત્તો ઢીલો પડી ગયો.



પ્રિયાંશુ ચિત્તાનો સામનો કરી રહ્યો હતો તે સમયે ત્યાંથી એક લશ્કરી જીપ પસાર થઇ. જીપમાં લશ્કરી જવાનો બેઠા હતા. તેમણે જીપ ઊભી રાખી. પળનોયે વિલંબ કર્યા વિના તેઓ ત્યાં પહોંચી ગયા. દૂરથી જ ચિત્તાને આટલા નાનકડા બાળક સાથે બાથ ભિડતો જોઇને આજુબાજુના ખેતરમાં કામ કરતા ખેડૂતો અને ખેતમજુરો પણ ત્યાં દોડી આવ્યા. ત્યાં ખૂબ ધાંધલ થઇ. ચિત્તાએ જોયું કે હવે અહીં મારી દાળ ગળે તેમ નથી. આથી તે ત્યાંથી પલાયન થઇ ગયો.



લશ્કરના જવાનોએ નાનકડા પ્રિયાંશુને પીઠ થાબડી ધન્યવાદ આપ્યા. તેઓ ઘવાયેલા ભાઇ-બહેનને જીપમાં બેસાડી નજીકની હોસ્પિટલમાં લઇ ગયા અને જરૂરી સારવાર કરી ઘરે મૂકી આવ્યા.બીજા દિવસે દરેક છાપામાં પ્રિયાંશુએ બહાદુરીપૂર્વક ચિત્તાનો સામનો કરી બહેનને બચાવી તે ઘટના છપાઇ. લોકોએ આ ઘટના વાંચીને પ્રિયાંશુને મનોમન ધન્યવાદ આપ્યા. તેની શાળામાં બહાદુરી માટે એનું સન્માન થયું.



ભારત સરકારના ‘ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર’ તરફથી પ્રિયાંશુને ‘બાલવીર રાષ્ટ્રીય પુરસ્કાર’ આપવાનું નક્કી થયું. ૨૬મી જાન્યુઆરીએ પ્રિયાંશુને દિલ્હી બોલાવી રાષ્ટ્રપતિના હાથે બાલવીર પુરસ્કાર આપવામાં આવ્યો. પુરસ્કાર ઉપરાંત તેને સન્માનપત્ર તથા ભેટ પણ આપી. પ્રિયાંશુને શણગારેલા હાથી પર બેસાડી પરેડમાં ફેરવ્યો. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે પ્રિયાંશુની બહાદુરીના ભરપૂર વખાણ કરતાં કહ્યું, ‘આવા સાહસિક અને હિંમતવાળા બાળકો જ આપણા દેશનું ગૌરવ છે.’પ્રિયાંશુએ પોતાની બહેનની જિંદગી બચાવવા જે હિંમત અને બહાદુરી બતાવી તે બદલ તેને લાખ લાખ ધન્યવાદ!!!

ખડખડાટ




પપ્પા : પપલુ, દુનિયામાં કોઇ કામ અશક્ય નથી.


પપલુ : તો પછી તમે છીંક આવે ત્યારે આંખો ખુલ્લી રાખીને દેખાડજો.



*** *** ***

મારો પ્રવાસ





રોયલ રાજસ્થાન
હું મારા નાના, નાની અને મારી મોટી બહેન સાથે રાજસ્થાનના પ્રવાસે ગઇ હતી. રાજસ્થાન એટલે રાજાઓનું સ્થાન. ત્યાં ઘણા પ્રસિદ્ધ નગરો જેવા કે ઉદેપુર, જયપુર, બિકાનેર, પોખરણ, શ્રીનાથજી વગેરે આવેલા છે. અમે સૌથી પહેલા શામળાજી, કેસરીયાજીના દર્શન કર્યા. ત્યાર બાદ ગુજરાતની સીમા પાર કરીને રાજસ્થાન પહોંચ્યા. ત્યાં ઉદયપુરમાં ઘણા સ્થળે ફર્યા અને ત્યાંનો સિંઘી પેલેસ જોયો. આ પેલેસમાં અમે રાજા-મહારાજાઓના રીતરિવાજો, તેમના યુદ્ધના અવનવા શસ્ત્રો, તેમની શાહી ગાદી તેમજ રાણીના વસ્ત્રો જોયા.

વિજ્ઞાનનું જ્ઞાન




કાટ લાગવાથી લોખંડનું વજન કઇ રીતે વધે ?

બાળમિત્રો, તમે લોખંડને લાગેલો કાટ જોયો હશે. આ કાટ એટલે લોખંડ અને પ્રાણવાયુ (ઓક્સિજન) વચ્ચેની દહનક્રિયાની નીપજ હોય છે. એટલે જ કાટને આયર્ન ઓકસાઇડ કહે છે. આ ક્રિયા ભેજવાળી સ્થિતિમાં જ થાય છે, પણ આયર્ન ઓકસાઇડ બનવો એટલે હવામાનમાંથી લોખંડમાં ઓક્સિજનનો પ્રવેશ થવો. આમ, કાટ લાગવાથી લોખંડનું વજન વધી જાય એ સ્વાભાવિક છે

શું તમે જાણો છો





દુનિયાનું ટચૂકડું હેલિકોપ્ટર




મિત્રો, તમે હેલિકોપ્ટર તો જોયું છે ને! તમે જાણો છો, ફક્ત એક જ જણ બેસી શકે તેવું એક ટચૂકડું હેલિકોપ્ટર જાપાનની ‘ઇન્ટરનેશનલ એરોસ્પેસ’ નામની કંપનીએ બનાવ્યું છે. તેને ‘કોમ્પેકટકોપ્ટર’ એવું નામ આપવામાં આવ્યું છે.આ ટચૂકડા હેલિકોપ્ટર જેવું લાગતું આ કોપ્ટર દૂરથી ખુરશીમાં બેસીને ઊડતા હોઇએ તેવું લાગે છે. આ કોપ્ટરમાં એક વ્યક્તિ બેસીને આગળ આવેલો સળિયો પકડીને હેલિકોપ્ટરને ઉડાડી શકે છે. હેલિકોપ્ટરમાં પગ મૂકવા માટે એક નાનકડો સળિયો મૂકવામાં આવેલો છે. એલ્યુમિનિયમ પાઇપોથી બનેલું અને ગેસોલીન નામના ઇંધણથી ચાલતું હેલિકોપ્ટર ૩૦થી ૬૦ મિનિટ સુધીની સફર એક વારમાં કરી શકે છે. ‘‘

એકતામાં છે બળ




ચંદન વનના રાજા શેરસિંહે બધા પ્રાણીઓને ભેગા કરીને કહ્યું.વનમાં અસહ્ય ગરમી છે. હવે હું આ જવાબદારીમાંથી મુક્ત થવા માગું છું. મહારાજ તમે થોડા દિવસ ક્યાંક ફરી આવો. તમારું મન પ્રફુલ્લિત થઇ જશે.તું સાચું કહી રહ્યો છે. આ વખતે હું ગરમીમાં ખંડાલાના વનમાં ફરી આવું. શેરસિંહ ખંડાલાના વનમાં ઉપડી ગયા.ખબર છે ચંદન વનના રાજા ખંડાલાના વનમાં ફરવા ગયા છે?આપણે બધા આ તકનો લાભ લઇને ચંદન વનમાં દાખલ થઇ જઇએ.

મહેનતનો રોટલો




રાજા ચંદ્રસિંહે દુ:ખી મા-દીકરાની વાતચીત સાંભળી. એમનું લાગણીશીલ હૈયું દ્રવી ઊઠ્યું. ઝૂંપડી પર નિશાની કરી રાજા ચંદ્રસિંહ પોતાના મહેલમાં પાછા ફર્યા.




ચંદનપુરમાં ચંદ્રસિંહ નામે રાજા રાજ કરતા હતા. રાજા ચંદ્રસિંહ પ્રજાના સુખે સુખી અને દુ:ખે દુ:ખી. તેમને એક દીવાન હતા. તેમનું નામ લાલસિંહ. લાલસિંહ સ્વભાવે ખૂબ જ લાલચું અને લોભી પ્રકૃતિના. રાજા ચંદ્રસિંહ લાલસિંહને ગમે તેટલું આપે, છતાંય લાલસિંહ ક્યારેય સંતુષ્ટ થતા જ નહીં. તેમના લોભી અને લાલચુ સ્વભાવથી રાજા ચંદ્રસિંહ પૂરેપૂરા માહિતગાર હતા.