Showing posts with label જાણવા જેવુ. Show all posts
Showing posts with label જાણવા જેવુ. Show all posts

Wednesday, January 11, 2012

ભગવાનનો પત્ર ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા





તારીખ : આજની જ. 
પ્રતિ,
તમોને જ
વિષય : જિંદગી અને તમે !
ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર
પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના
મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :
[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર
એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા
સમયે, તમારા સમયે નહીં !
[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.
[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે….
હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
એ જ લિ,
ભગવાનની આશિષ.

Saturday, October 8, 2011

વિચિત્ર વિશ્વ




૧. આલ્બાટ્રોસ નામનાં પંખી આખી જિંદગી આકાશમાં (હવામાં) ગાળે છે. માત્ર ઇંડાં મૂકવા ટાપુ ઉપર ઉતરે છે!


૨. નવું જન્મેલું બાળક માત્ર ૮ ઇંચ દૂરનું જોઇ શકે છે! તેથી તેની નજીક જાઓ તો જ તે ‘નજર મિલાવે’ છે!

૩. અમેરિકનો દરરોજ જેટલા પિઝા થાય છે તેને લાઇનસર ગોઠવીએ તો તેનું ક્ષેત્રફળ ૧૮ એકર થાય છે.

૪. ‘છીંક’ની ઝડપ ૧૬૫ કિ.મી./કલાક છે અને આશરે ૫૦૦૦ ભેજકણો સાડા ત્રણ મીટર દૂર ફેંકાય છે!

દરિયાનું પાણી સતત કેમ વહે છે?



બે સમુદ્રો કે સમુદ્રોના વિભાગોને જોડતી પાતળી જળપટ્ટીને ‘સામુદ્રધુની’ કહે છે. ગ્રીનલેન્ડ અને બેફિન બેટ વચ્ચે ૫૦થી ૩૨૦ કિ.મી. જેટલી પહોળી ‘ડેવિસ’ સામુદ્રધુની છે.




મહાસાગરોમાં સમાયેલું અખૂટ જળ સ્થિર નથી. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહેતું રહે છે. દરિયાનાં પાણીમાં જુદી જુદી ઊંડાઈએ પણ જળપ્રવાહો વહેતા હોવાનું જણાયું છે. ઉપલી સપાટી ઉપરના કેટલાક પ્રવાહ ગરમ હોય છે તો ઊંડે-ઊંડે ઠંડા પ્રવાહો પણ વહે છે. પૃથ્વી ઉપરના પવનના પ્રવાહોની માફક સાગરમાં જુદી જુદી ગતિથી નાના-મોટા અનેક પ્રવાહો સતત વહે છે. આ પ્રવાહો કેવી રીતે ઉત્પન્ન થતા હશે? એ સવાલ આપણને ચોક્કસ થાય. પૃથ્વીની દૈનિક ગતિ તેમજ ભૂપૃષ્ઠ, તાપમાન અને પવનના કારણે દરિયામાં વિવિધ પ્રવાહો ઉત્પન્ન થાય છે.

નાણું



નાણાંને રૂપ નથી,પણ આકર્ષે છે સૌને.


નાણાંને હાથ નથી,પણ કામ કરે છે બધે.

નાણાંને પગ નથી,પણ પહોંચી શકે છે બધે.

નાણાંને જીભ નથી,પણ એનો અવાજ છે બધે.

નાણું ઘાસ નથી, પણ સૌને જીવાડે છે બધે.

નાણાંને પેટ નથી,પણ પૂરું કરે છે બધે.

નાણું ભીખ નથી,પણ માગે છે બધે.

નાણું દાન નથી,પણ દાન કરે છે બધે.

નાણું હસાવે છે ને નાણું રડાવે પણ છે.

નાણું તારક છે ને મારક પણ છે.

નાણાંથી ઘણા તરી જાય છે ને ઘણા મરી પણ જાય છે.

નાણું ભગવાન નથી, પણ પૂજાય છે બધે.

વિજ્ઞાનનું જ્ઞાન





એકલું મીણ કેમ સળગતું નથી?


વાટ એ મીણનું દહન કરતું માધ્યમ છે. એટલે કે તેના વિના મીણને સળગાવવું શક્ય નથી. કહેવાનો અર્થ એ કે મીણબત્તીના મીણને સળગવા માટે માધ્યમની જરૂર પડે છે. મીણના ગલનબિંદુ કરતાં તેનું જવલનબિંદુ ક્યાંય ઊંચું છે. વળી તે સરેરાશ ૬૨૦ સેિલ્શયસ તાપમાને પીગળી જવાનો ગુણધર્મ તે ધરાવે છે. અન્ય બળતણની જેમ તે અતિ દહનશીલ નથી. એટલા માટે ઘન કે પ્રવાહી સ્વરૂપે સળગી ઊઠતું નથી. આમ, મીણબત્તી સળગાવવામાં આવે ત્યારે તેની વાટ જ સળગે છે, જ્યારે મીણ તેની દહનક્રિયાને ધીમી પાડવાનો રોલ ભજવે છે.



ઘામાંથી બહાર નીકળેલું લોહી જામી જાય છે, પણ નસમાં લોહી કેમ જામતું નથી?



કારણ કે આપણા શરીરમાં લોહી બહુ ઝડપથી ફરે છે. આથી લોહીને નસમાં જામવાનો કોઇ મોકો મળતો નથી. હા, પણ જ્યારે લોહીનું ભ્રમણ અતિશય ઘટી જાય એ વખતે થોડું લોહી થીજીને ફોદા જેવું થઈ જાય છે. અંગ્રેજીમાં તેને ‘થ્રોમ્બોસિસ’ કહે છે. ઘામાંથી લોહી બહાર નીકળી જાય છે, પણ નસમાં લોહી જામતું નથી. શરીરમાં રહેલું વિટામીન ‘કે’ લોહીનું ઘનીભવન કરીને કપાયેલી રક્તવાહિનીઓનું મોઢું બંધ કરી દે છે.

Wednesday, September 28, 2011

ક્ષણે ક્ષણે અંત, પળે પળે આરંભ!



જગત તો સતત નવું હોય છે, પણ મગજ જૂનું હોવાને કારણે આપણને નવું ઝટ નજરે નથી ચઢતું.




એક વાત કમાલની છે. કોઈ માણસ શાપ મેળવવા માટે તપ કરે? હા, કરે. આપણાં પુરાણોમાં એવી અનેક અનેક કથાઓ છે જેમાં સૌથી ઉગ્ર તપ સૌથી મોટા શાપ માટે કરવામાં આવેલાં. વાત જાણે એમ છે કે જીવનની સૌથી વધુ ત્રાસજનક બાબત અને સૌથી વધુ ઇચ્છિત બાબત, બન્ને એક જ છે. બોલો, એ ચીજ કઈ? પૈસા, ના. પ્રસિદ્ધિ, ના. જવાબ છે: અમરત્વ. રાવણથી માંડીને હિરણ્યકશ્યપુ જેવા કેટકેટલાય ‘તપસ્વી’ઓએ અમરત્વ મેળવવા ઘોર તપશ્ચર્યા કરેલી.

નાના બાળકનું સાહસ મોટું




નાનકડો પ્રિયાંશુ નીડર હતો. તે ક્યારેક પિતાની સાથે વન-વગડામાં ફરવા જતો હતો. આથી તેનામાં હિંમત, સાહસ, નિર્ભયતા અને ચાલાકીના ગુણ અંકુર બનીને પાગયાઁ હતા.




ચિત્તાએ જોયું કે હવે અહીં મારી દાળ ગળે તેમ નથી. આથી તે ત્યાંથી પલાયન થઇ ગયો.



આપણા દેશનું એક રાજ્ય. નામ એનું ઉત્તરાખંડ. આ રાજ્યના એક નાનકડા ગામમાં પ્રિયાંશુ નામનો બાળક રહે. દસ વરસનો પ્રિયાંશુ છઠ્ઠા ધોરણમાં ભણે. તેને એક મોટી બહેન. નામ એનું પ્રિયંકા. તે આઠમા ધોરણમાં ભણે.બંને ભાઇ-બહેન ભણવામાં મહેનતુ, અને હોશિયાર. પળેપળનો ઉપયોગ કરીને ખંતથી ભણે. સૂર્યોદય પહેલાં ઊઠી જાય. નિત્યકર્મથી ઝટપટ પરવારીને ઘરના આંગણામાં આવેલા ઝાડના ઓટલા પર ભણવા બેસી જાય. શાળામાં પણ શિક્ષક બંને ભાઇ-બહેનના વખાણ કરે. ઘરથી નિશાળ એકાદ કિલોમીટર દૂર. ઘડિયાળના સમય પ્રમાણે જ ઘરેથી નીકળે અને સમયસર નિશાળે પહોંચી જાય.



દરરોજની જેમ તે દિવસે પણ પ્રિયંકા અને પ્રિયાંશુ ખભે દફતર ભરાવી, મોજમસ્તીથી વાતો કરતાં કરતાં શાળાએ જઇ રહ્યા હતા. એવામાં નિર્જન રસ્તો આવ્યો. ત્યાં એક ચિત્તો કોઇ શિકારની રાહ જોતો લપાઇને બેઠો હતો. એણે આ બે બાળકોને આવતાં જોયા. ચિત્તાએ ચૂપચાપ પાછળથી આવી પ્રિયંકા ઉપર હુમલો કર્યો. પ્રિયંકાના કાન પરે ચિત્તાનો પંજો વાગ્યો. પ્રિયાંશુ ચિત્તાના ઓચિંતા હુમલાથી હેબતાઇ ગયો, પણ પળવારમાં સ્વસ્થ બની ગયો. પોતાની બહેનને બચાવવા તે પ્રિયંકા પર વાંકો વળી ગયો. બહેનને બચાવવા જતા ચિત્તાનો પંજો પ્રિયાંશુના કપાળ પર વાગ્યો.



નાનકડો પ્રિયાંશુ નીડર હતો. તે ક્યારેક પિતાની સાથે વન-વગડામાં ફરવા જતો હતો. આથી તેનામાં હિંમત સાહસ, નિર્ભયતા અને ચાલાકીના ગુણો અંકુર બનીને પાંગયાઁ હતા. આ ગુણો આજે એને મદદરૂપ થવાના હતા. ચિત્તાનો સામનો કરવા માટે હથિયાર તરીકે એની પાસે ફક્ત સ્કૂલબેગ હતી. પ્રિયાંશુએ એને શસ્ત્ર બનાવ્યું. જરા પણ ડર્યા કે ગભરાયા વિના તે પોતાની સ્કૂલબેગથી ચિત્તાને મારવા લાગ્યો. ચિત્તાના મોં પર સ્કૂલબેગની એક જોરદાર ઝાપટ વાગી. અચાનક પ્રહાર થતાં ચિત્તો ઢીલો પડી ગયો.



પ્રિયાંશુ ચિત્તાનો સામનો કરી રહ્યો હતો તે સમયે ત્યાંથી એક લશ્કરી જીપ પસાર થઇ. જીપમાં લશ્કરી જવાનો બેઠા હતા. તેમણે જીપ ઊભી રાખી. પળનોયે વિલંબ કર્યા વિના તેઓ ત્યાં પહોંચી ગયા. દૂરથી જ ચિત્તાને આટલા નાનકડા બાળક સાથે બાથ ભિડતો જોઇને આજુબાજુના ખેતરમાં કામ કરતા ખેડૂતો અને ખેતમજુરો પણ ત્યાં દોડી આવ્યા. ત્યાં ખૂબ ધાંધલ થઇ. ચિત્તાએ જોયું કે હવે અહીં મારી દાળ ગળે તેમ નથી. આથી તે ત્યાંથી પલાયન થઇ ગયો.



લશ્કરના જવાનોએ નાનકડા પ્રિયાંશુને પીઠ થાબડી ધન્યવાદ આપ્યા. તેઓ ઘવાયેલા ભાઇ-બહેનને જીપમાં બેસાડી નજીકની હોસ્પિટલમાં લઇ ગયા અને જરૂરી સારવાર કરી ઘરે મૂકી આવ્યા.બીજા દિવસે દરેક છાપામાં પ્રિયાંશુએ બહાદુરીપૂર્વક ચિત્તાનો સામનો કરી બહેનને બચાવી તે ઘટના છપાઇ. લોકોએ આ ઘટના વાંચીને પ્રિયાંશુને મનોમન ધન્યવાદ આપ્યા. તેની શાળામાં બહાદુરી માટે એનું સન્માન થયું.



ભારત સરકારના ‘ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર’ તરફથી પ્રિયાંશુને ‘બાલવીર રાષ્ટ્રીય પુરસ્કાર’ આપવાનું નક્કી થયું. ૨૬મી જાન્યુઆરીએ પ્રિયાંશુને દિલ્હી બોલાવી રાષ્ટ્રપતિના હાથે બાલવીર પુરસ્કાર આપવામાં આવ્યો. પુરસ્કાર ઉપરાંત તેને સન્માનપત્ર તથા ભેટ પણ આપી. પ્રિયાંશુને શણગારેલા હાથી પર બેસાડી પરેડમાં ફેરવ્યો. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે પ્રિયાંશુની બહાદુરીના ભરપૂર વખાણ કરતાં કહ્યું, ‘આવા સાહસિક અને હિંમતવાળા બાળકો જ આપણા દેશનું ગૌરવ છે.’પ્રિયાંશુએ પોતાની બહેનની જિંદગી બચાવવા જે હિંમત અને બહાદુરી બતાવી તે બદલ તેને લાખ લાખ ધન્યવાદ!!!

મારો પ્રવાસ





રોયલ રાજસ્થાન
હું મારા નાના, નાની અને મારી મોટી બહેન સાથે રાજસ્થાનના પ્રવાસે ગઇ હતી. રાજસ્થાન એટલે રાજાઓનું સ્થાન. ત્યાં ઘણા પ્રસિદ્ધ નગરો જેવા કે ઉદેપુર, જયપુર, બિકાનેર, પોખરણ, શ્રીનાથજી વગેરે આવેલા છે. અમે સૌથી પહેલા શામળાજી, કેસરીયાજીના દર્શન કર્યા. ત્યાર બાદ ગુજરાતની સીમા પાર કરીને રાજસ્થાન પહોંચ્યા. ત્યાં ઉદયપુરમાં ઘણા સ્થળે ફર્યા અને ત્યાંનો સિંઘી પેલેસ જોયો. આ પેલેસમાં અમે રાજા-મહારાજાઓના રીતરિવાજો, તેમના યુદ્ધના અવનવા શસ્ત્રો, તેમની શાહી ગાદી તેમજ રાણીના વસ્ત્રો જોયા.

શું તમે જાણો છો





દુનિયાનું ટચૂકડું હેલિકોપ્ટર




મિત્રો, તમે હેલિકોપ્ટર તો જોયું છે ને! તમે જાણો છો, ફક્ત એક જ જણ બેસી શકે તેવું એક ટચૂકડું હેલિકોપ્ટર જાપાનની ‘ઇન્ટરનેશનલ એરોસ્પેસ’ નામની કંપનીએ બનાવ્યું છે. તેને ‘કોમ્પેકટકોપ્ટર’ એવું નામ આપવામાં આવ્યું છે.આ ટચૂકડા હેલિકોપ્ટર જેવું લાગતું આ કોપ્ટર દૂરથી ખુરશીમાં બેસીને ઊડતા હોઇએ તેવું લાગે છે. આ કોપ્ટરમાં એક વ્યક્તિ બેસીને આગળ આવેલો સળિયો પકડીને હેલિકોપ્ટરને ઉડાડી શકે છે. હેલિકોપ્ટરમાં પગ મૂકવા માટે એક નાનકડો સળિયો મૂકવામાં આવેલો છે. એલ્યુમિનિયમ પાઇપોથી બનેલું અને ગેસોલીન નામના ઇંધણથી ચાલતું હેલિકોપ્ટર ૩૦થી ૬૦ મિનિટ સુધીની સફર એક વારમાં કરી શકે છે. ‘‘

એકતામાં છે બળ




ચંદન વનના રાજા શેરસિંહે બધા પ્રાણીઓને ભેગા કરીને કહ્યું.વનમાં અસહ્ય ગરમી છે. હવે હું આ જવાબદારીમાંથી મુક્ત થવા માગું છું. મહારાજ તમે થોડા દિવસ ક્યાંક ફરી આવો. તમારું મન પ્રફુલ્લિત થઇ જશે.તું સાચું કહી રહ્યો છે. આ વખતે હું ગરમીમાં ખંડાલાના વનમાં ફરી આવું. શેરસિંહ ખંડાલાના વનમાં ઉપડી ગયા.ખબર છે ચંદન વનના રાજા ખંડાલાના વનમાં ફરવા ગયા છે?આપણે બધા આ તકનો લાભ લઇને ચંદન વનમાં દાખલ થઇ જઇએ.

મહેનતનો રોટલો




રાજા ચંદ્રસિંહે દુ:ખી મા-દીકરાની વાતચીત સાંભળી. એમનું લાગણીશીલ હૈયું દ્રવી ઊઠ્યું. ઝૂંપડી પર નિશાની કરી રાજા ચંદ્રસિંહ પોતાના મહેલમાં પાછા ફર્યા.




ચંદનપુરમાં ચંદ્રસિંહ નામે રાજા રાજ કરતા હતા. રાજા ચંદ્રસિંહ પ્રજાના સુખે સુખી અને દુ:ખે દુ:ખી. તેમને એક દીવાન હતા. તેમનું નામ લાલસિંહ. લાલસિંહ સ્વભાવે ખૂબ જ લાલચું અને લોભી પ્રકૃતિના. રાજા ચંદ્રસિંહ લાલસિંહને ગમે તેટલું આપે, છતાંય લાલસિંહ ક્યારેય સંતુષ્ટ થતા જ નહીં. તેમના લોભી અને લાલચુ સ્વભાવથી રાજા ચંદ્રસિંહ પૂરેપૂરા માહિતગાર હતા.

ઘાસના મેદાનમાં વિહરતી જળમરઘી




દોસ્તો, મરઘી નામથી તમે બધા પરિચિત જ છો, પણ તમે ક્યારેય પાણીમાં રહેતી મરઘી જોઇ છે ખરી? રૂપાળી આ મરઘીને આપણે ‘જળમરઘી’ના નામથી ઓળખીએ છીએ.


પાણીમાં ક્યારેય મરઘીને તરતી જોઇ છે! આશ્ચર્ય થાય છે ને કે આવું હોઇ શકે? હા કેમ નહીં, મરઘી તો નહીં પણ જળમરઘીને તમે પાણીમાં તરતા જરૂર જોઇ શકો. જળમરઘીને ‘વોટરહેન’ અને ‘મુરહેન’ નામથી પણ ઓળખી શકાય છે. ભારતમાં જોવા મળતી જળમરઘીને ‘ઇન્ડિયન મુરહેન’ પણ કહે છે. ‘મુર’ એટલે ઘાસવાળું ખુલ્લું મેદાન એવો અર્થ થાય.

કદ, આકાર અને દેખાવ:::

કોડીની વિવિધ કરામાત




બાળમિત્રો, હાલાં તમે વિડિયો ગેમ રમવા પાછળ ઘેલો બન્યા હશો પણ હજુય ઘણી જગ્યાએ કોડીની રમત રમાય છે. એક સમય એવો હતો કે જ્યારે આફ્રિકા અને અન્ય દેશોમાં ચલણ તરીકે કોડીનો ઉપયોગ થતો હતો.




કોડી નામ તમે અવારનવાર બોલતા હશો. ઘણીવાર હોમવર્ક પૂરું કર્યા પછી કે વ્રતના જાગરણ દરમિયાન ઘણા લોકો કોડી રમતા હોય છે. ચોકઠાવાળી બાજી રમતી વખતે દાવ પાડવા માટે પાસાં તરીકે તમે ચાર સફેદ કોડીનો ઉપયોગ કરો છો, ખરું ને! તો આજે અહીં એ જ કોડીની વાત કરવાની છે. તમારામાંથી ઘણા બાળકોને કદાચ એ ખબર નહીં હોય કે આવી નાનકડી અને રમતમાં ઉપયોગી એવી કોડીમાં પણ એક જીવ છુપાયેલો હોય છે.

ભારત દર્શન


ભારતનું સૌથી ઠંડું સ્થળ


દ્રાસ, લદ્દાખ

દ્રાસ જમ્મુ-કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં આવેલું છે. વિશ્વનાં સૌથી ઠંડાં સ્થળોમાં સાઈબિરીયા બાદ દ્રાસનો નંબર આવે છે.

ભારતમાં સૌથી વધુ વરસાદ

ચેરાપૂંજી

મેઘાલયના શિલોંગથી ૫૬ કિમી દૂર આવેલા ચેરાપૂંજીમાં સૌથી વધુ માત્રામાં વરસાદ પડે છે. દર વર્ષે અહીં ૪૫૦ ઈંચ જેટલો વરસાદ પડે છે.

Saturday, August 13, 2011

જરૂરિયાતના સમયે લોહી મેળવવાનો સરળ રસ્તો


હવે જરૂરિયાતના સમયે લોહી મેળવવું સહેલું થઈ ગયું છે અને તે આભારી છે એરટેલ(AIRTEL)ના પહેલથી ( as part of Airtel’s Corporate Social Responsibility). એરટેલે આ સેવા જીવન લોહી બેંક સાથે શરુ કરી છે.
આ સેવાનો લાભ લેવા માટે તમારે માત્ર ટાઇપ કરવાનું છે “BLOOD ” અને એસએમએસ મોકલો ૯૬૦૦૦ ૯૭૦૦૦ પર. દાખલા તરીકે “BLOOD B+
તમને જીવન લોહી બેંકમાં કેટલું લોહી મળી શકે તેમ છે એની માહિતી મળશે.
આ સેવા દરેક નેટવર્કના દરેક ગ્રાહક વાપરી શકે છે અને એરટેલના ગ્રાહક માટે તે મફતમાં (toll free)છે.
વધારે માહિતી માટે જીવન લોહી બેંક ની મુલાકાત લો.
બીજી એક સાઈટ છે www.friendstosupport.orgજ્યાં જઈને તમે કોઈપણ એક લોહી ગ્રુપ માટે દાતા શોધી શકો છો, અને તમને હજારો લોહીદાતાની માહિતી મળશે
આ જાણકારી તમે જાણતા હોય એ બધામાં પહોચાડો, જેથી તમે કોઈ જરૂરતમંદની મદદ કરી શકશો.
સ્ત્રોત : ફોરવર્ડ મેલ (MAIL)

Monday, August 8, 2011

“O.K. We’ll go.”



“O.K. We’ll go.”

આ શબ્દો સાથે જગતના ઈતિહાસમાં સૌથી મોટા લડાઈના હુમલાની શરૂઆત થઈ ગઈ. આ વાક્ય ૬-જૂન ૧૯૪૪ની વહેલી સવારે અમેરિકી જનરલ ડ્વાઈટ આઈઝનહોવર બોલ્યા હતા. બીજા વિશ્વ યુદ્ધ વખતે, ઈતિહાસમાં પ્રસિદ્ધ, મિત્ર દેશોના લશ્કરી દળો દ્વારા નાઝી જર્મનીએ કબજે કરેલ ફ્રાન્સમાં આવેલ નોર્મંડી પરના,અપ્રતીમ હુમલાની આ વાત છે.
આ દિવસ ‘ડી –ડે’ તરીકે બહુ જ જાણીતો છે; અને આવા કોઈ પણ શકવર્તી કાર્યના આરમ્ભ માટે હજુય વપરાય છે. આ દિવસે, અમેરિકા, કેનેડા અને બ્રિટીશ દળો જર્મનીના દુઃસહ્ય તોપમારા સામે ફ્રાન્સના દરિયાકિનારા પર વાવાઝોડાની જેમ ધસી ગયા હતા. આ પ્રારમ્ભિક દળોએ જર્મનીના પશ્ચિમ મોરચાનો વિનાશ કરવા માટે અત્યંત જરૂરી એવા દરિયા કિનારા પરનું આક્રમણ મથક (લોન્ચિંગ પોઈન્ટ) ઊભું કર્યું હતું.
ઉપર જણાવેલ હુકમ ઉચ્ચારવાની સાથે જ જનરલ આઈઝનહોવરે ૨૩,૦૦૦ એર બોર્ન લશ્કરી જવાનોને જર્મનીએ કબજે કરેલ પ્રદેશ પર ધસારો કરવા ઉતારી દીધા હતા. ખાસ બનાવેલ ગ્લાઈડરો અને પેરેશ્યુટ વડે આ બધા કાળી ડિબાંગ રાતે દુશ્મનના પ્રદેશ પર ત્રાટક્યા હતા. તેમણે પૂલો, રસ્તાઓ પરના વ્યુહાત્મક મથકો કબજે કરી લીધા અને જર્મન દળોમાં અંધાધુંધી ફેલાવી દીધી. આ વ્યૂહરચનાના કારણે, ઈન્ગ્લીશ ચેનલના ફ્રાન્સ તરફના, નોર્મંડીના રેતાળ કિનારા (બીચ) પર મિત્ર દળોના મુખ્ય હુમલાને બહુ જરૂરી ટેકો મળ્યો હતો.
અને આ મુખ્ય હુમલો કેવો હતો?

Saturday, August 6, 2011

અહા! જિંદગી….. કોલ સેન્ટરની જિંદગી – માનવ પારેખ, સુરેશ જાની


એક સાવ નવો નક્કોર પ્રયોગ
—————————————————————
એક વાર્તા, બે લેખક
એક ત્રીસીની અંદરનો, તરવરતો જુવાન,
બીજો સિત્તેરની નજીકનો ડોસો

દરેકના માતાપિતા કહેતા હોય છે કે, મારો દીકરો ડોકટર બનશે, મારો દીકરો એન્જીનીયર બનશે પણ કોઈ એમ કહે છે કે ‘ મારો દીકરો કોલ સેન્ટરમાં કામ કરશે? ‘
તો આજે જરા કોલ સેન્ટરમાં કામ કરનારાની જિંદગી કેવી હોય ; તેના ઉપર આછી નજર મારી લઈએ.
હું જ્યારે કોલ સેન્ટરમાં કામ કરતો ત્યારે જિંદગી તો એવી કે, જાણે કુવા માંયના દેડકા જેવી. એવૂં એ માટે કારણ કે કોલ સેન્ટરમાં છોકરાઓની શીફ્ટ(નોકરીનો સમય) બપોરે ૩.૦૦થી પછીનો જ હોય અનેતેમાં પણ ૯ કલાકની નોકરી અને ૧ કલાકની જ જેને રિસેસ – અથવા ઓક્સ (Aux, બળદ નહીં ! ) કહેવામાં આવે છે. તેમાંય પણ અલગ અલગ ઓકસ હોય જે નીચે મુજબ છે –

એક ગજબનું આદર્શ વ્યક્તિત્વ – નારાયણ મૂર્તિ



પત્ની પાસેથી રૂ. ૧૦ હજાર ઉછીના લઈને બીજા છ ભાગીદારો સાથે મળીને ૧૯૮૧માં‘ઈન્ફોસીસ’ કંપનીની સ્થાપના કરનાર નાગવરા રામરાવ નારાયણ મૂર્તિ માત્ર બિઝનેસમેન કે ઉદ્યોગપતિ જ નહીં, સ્કૂલ – કોલેજના આમ વિદ્યાર્થી માટે પણ એક ગજબનું આદર્શ વ્યક્તિત્વ છે. કેમ ? વાંચો.

નારાયણ મૂર્તિ

કુકિન્ગ પ્લેટફોર્મ – એક અવલોકન


જીવનના પ્રભાત સમા, સવારના પહોરમાં કુકિન્ગ પ્લેટફોર્મ આગળ હું મારી સવારીય ફરજો નિભાવવા પહોંચી જાઉં છું. એ સાવ ચોખ્ખું ચંદન જેવું છે – સાવ નવજાત શિશુ સમાન. એ કોરી સ્લેટ જેવું, સાવ ખાલીખમ્મ છે.
ચા બનાવવાની સામગ્રી એક પછી એક, હું કાઢતો જાઉં છું – ચા, ખાંડ, દૂધ, આદુ, ઈલાયચી. એમ જ બધાં સાધનો – તપેલી, સાંડસી, ગળણી, પ્યાલા, રકાબી. દસ વરસના મહાવરાથી પ્રાપ્ત કરેલી, ચા બનાવવાની ક્ળાના જ્ઞાનના આધારે, હું માપથી તપેલીમાં પાણી લઉં છું; અને શક્તિના સ્રોત સમો સ્ટવ ચાલુ કરી, એને ગરમ કરવા મૂકું છું. પછી એ જ જ્ઞાનથી જાણીતા થયેલ માપથી ચા અને આદુ એમાં પધરાવું છું.

ખાંડનો ખાલી ડબો – એક અવલોકન


ચા બનાવતાં ચાના ડબામાં બહુ ઓછી ખાંડ બાકી રહી હતી. પેન્ટ્રીમાં મોટા ડબામાંથી મારો કામચલાઉ સ્ટોક ભરી લીધો. એ પણ હવે ખાલી થવાની તૈયારીમાં જ છે.
અમારા જમાઈને ખબર આપી દીધી ,” સેમ્સ ક્લબમાં (જથ્થાબંધ વસ્તુઓ માટેનો સ્ટોર) જાઓ ત્યારે ખાંડનું મોટું પેકિંગ લાવવાનું છે.”
ત્યાંય એમનો સ્ટોક ખાલી થયે, મોટી મસ ટ્રકમાં સપ્લાયર પાસેથી ખરીદીને આવી જતો હશે. એ સપ્લાયર વળી જથ્થાબંધ માર્કિટમાંથી ખરીદી, પોતાનું ગોડાઉન ભરેલું રાખતો હશે. ખાંડનાં કારખાનાં જથ્થાબંધ માર્કેટને ભરપૂર રાખતા હશે. અને શેરડીના ખેડૂતો એ કારખાનાંઓને દરેક ફસલે મોટા પાયે શેરડીનાં સાંઠાં વેચતા હશે.