Sunday, July 24, 2011

ચાણક્ય નીતિ – દશમો અધ્યાય


દશમો અધ્યાય
૧૬ – જેની પાસે બુદ્ધિના રૂપમાં ધન છે તે ખરો બળવાળો છે . બુદ્ધિ વગરનું બળ પણ નકામું છે , કેમ કે બુદ્ધિ હોય તો જ બળ વાપરી શકાય છે . બુદ્ધિની મદદથી જ એક સસલાએ સિંહ કૂવામાં પાડી મારી નાંખ્યો હતો .
૧૭ – જો હરિને વિશ્વંભર માનીએ તો જીવનમાં ચિંતા શેની ? હરિ જ વિશ્વનો પાલનહાર છે . જો તેવું ન હોય તો બાળકના જન્મ થતાં જ માતાના સ્તનમાં દૂધ કેવી રીતે આવે ? આમ વિચારી હે લક્ષ્મીપતિ ! હે યદુપતિ ! હું તમારા ચરણોનું નિરંતર ધ્યાન ધરીને જીવન પાર કરું છું .
૧૮ – જેમ સ્વર્ગમાં દેવતાઓ પાસે અમૃત હોવા છતાં તે અપ્સરાઓના હોઠનું રસપાન કરવા માંગે છે , તેવી રીતે સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોવા છતાં પણ મને અન્ય ભાષા શીખવી પસંદ છે .
૧૯ – સામાન્ય અનાજ કરતાં દસ ગણી શક્તિ લોટમાં હોય છે . લોટ કરતાં દસ ગણું પોષણ દૂધમાં હોય છે. દૂધ કરતાં આઠ ગણું પોષણ માંસમાંથી મળે છે અને માંસ કરતાં પણ દસ ગણું પોષણ ઘીમાંથી મળે છે .
૨૦ – શાક ખાવાથી રોગ , દૂધ ખાવાથી શરીર , ઘી ખાવાથી વીર્ય અને માંસના આહારથી માંસ વધે છે .

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment