Sunday, July 24, 2011

‘જ્ઞાન-વિજ્ઞાન’


ભારતનો રાષ્ટ્રધ્વજ


Flag image courtesy of www.flags.net
સ્થાન-એશિયા
માહિતી-યુનાઇટેડ નેશનનો સભ્ય દેશ
રાજધાની-નવી દિલ્હી (દિલ્હી)
મુખ્ય શહેરો-બેંગલોર, કલકત્તા, મુંબઇ(બોમ્બે),મદ્રાસ,
વસ્તી-૯૧૩,૭૪૭,૦૦૦
ક્ષેત્રફળ-૩,૨૮૭,૫૯૦ વર્ગ કીલોમીટર
ચલણી નાણું- ૧ ભારતીય રૂપિયો = ૧૦૦ પૈસા
બોલાતી ભાષા- હિન્દી, અંગ્રેજી, ગુજરાતી,પંજાબી,મરાઠી,કન્નડ,તેલુગુ,મલયાલન વિગેરે અનેક સ્થાનિક ભાષાઓ…
પળાતો ધર્મ-હિન્દુ, મુસ્લીમ, સીખ, ખ્રીસ્તી,વિગેરે અનેક ધર્મો.

ઈ.સ.૧૯૨૧ માં ગાંધીજીએ કોંગ્રેસનાં અધિવેશનમાં ઉપર દર્શાવેલ ધ્વજ પ્રદર્શિત કરવા માટે તૈયાર કરાવ્યો.જેમાં મધ્યમાં ચક્ર તરીકે ચર્રખાનું નિશાન મૂકવા જણાવ્યું.આ ધ્વજની ડીઝાઇન લાલા હંસરાજે તૈયાર કરી હતી. કોઇ કારણસર આ ધ્વજ સમયસર ગાંધીજી પાસે પહોંચી ન શક્યો અને ત્યારબાદ ઘણા ધર્મનાં લોકોએ ધ્વજ માટે અલગઅલગ સૂચનો કર્યા.
ગાંધીજીએ શ્રી વેંકૈયાને ધ્વજની ડીઝાઇન નવેસરથી રચવા જણાવ્યું અને તેના પરિપાકરૂપે ભારતના રાષ્ટ્ર ધ્વજનુ નિર્માણ થયું. જેમાં ઉપર કેસરી રંગ જે શૌર્ય અને સમર્પણ દર્શાવે છે. વચ્ચે સફેદ રંગ જે શાંતિ અને પવિત્રતાનું સૂચન કરે છે અને નીચે લીલો રંગ જે ફળદ્રુપતા, હરિયાળી અને સંતોષનું સૂચન કરે છે. સફેઅદ રંગના પટ્ટાની વચ્ચે દર્શાવેલ ચક્ર પહેલાં ચોવીસ દાંતા(આરા)વાળું હતું જે ચરખાનું પ્રતીક હતું —એટલે કે સ્વદેશી કાપડનું ઉત્પાદન- સ્વનિર્ભરતા…પણ પાછળથી તેનાં સ્થાને અશોકચક્રનું ચિહ્ન મૂકવામાં આવ્યું જે ચક્ર એટલેકે ગતિશીલતાનું સૂચન કરે છે.
૧૩ મી એપ્રીલ ૧૯૨૩ ના દિવસે જલિયાંવાલાબાગમાં બનેલી દુર્ઘટનાના વિરોધમાં નાગપુરમાં નીકળેલા કોંગ્રેસની મહારેલીમાં આ ધ્વજ ફરકાવવામાં આવ્યો.
આપણા આ રાષ્ટ્રધ્વજને હજારો સલામ…..યુગો સુધી તે આપણા દેશમાં લહેરાતો રહે અને વિશ્વનાં તમામ દેશો તેને માન-સન્માન આપે તેવી અભ્યર્થના…..

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment